Home Blog Page 75

અમદાવાદમાં GSTની મોટી કાર્યવાહી: ₹4.25 કરોડનો સોના-ચાંદીનો જથ્થો ઝડપાયો

અમદાવાદમાં સ્ટેટ GST વિભાગે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી તપાસ દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી કરોડો રૂપિયાના સોના-ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીએ વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે અને માલના મૂળ સ્ત્રોત તેમજ તેના ગંતવ્યને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.

માહિતી અનુસાર સ્ટેટ GSTની મોબાઇલ સ્કવોડ ટીમને અગાઉથી બાતમી મળી હતી કે અન્ય રાજ્યમાંથી મોટી માત્રામાં કિંમતી ધાતુઓ અને રત્નો અમદાવાદમાં લાવવામાં આવી રહ્યા છે. જેના આધારે અધિકારીઓએ અમદાવાદના નારોલ વિસ્તારમાં ખાસ વોચ ગોઠવી હતી. નારોલ નજીક વિવિધ ખાનગી લકઝરી બસોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી આવેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસની ડેકીની તપાસ કરતા અધિકારીઓને શંકાસ્પદ સામાન મળ્યો હતો. વધુ તપાસ કરતાં બસમાં પ્લાસ્ટિકના થેલાઓમાં ભરેલો આશરે 120 કિલો ચાંદીનો જથ્થો, 700 ગ્રામ જેટલું સોનું અને લગભગ 3 કિલો કિંમતી પથ્થરો મળી આવ્યા હતા. આ જથ્થો જોઈને તપાસ ટીમ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી.

અધિકારીઓએ માલસામાન અંગે જરૂરી દસ્તાવેજો, બિલ, ઇ-વે બિલ અને અન્ય કરવેરા સંબંધિત પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ પ્રાથમિક તપાસમાં માલના પરિવહન માટે જરૂરી કાનૂની દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે સમગ્ર જથ્થો કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ટેટ GSTના અધિકારીઓના જણાવ્યા મુજબ કબ્જે કરાયેલા માલની અંદાજિત બજાર કિંમત લગભગ 4.25 કરોડ રૂપિયા જેટલી થાય છે. આટલી મોટી કિંમતનો માલ કોઈપણ દસ્તાવેજ વિના પરિવહન કરવામાં આવી રહ્યો હતો તે ગંભીર બાબત માનવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન એવી પણ માહિતી સામે આવી છે કે આ કિંમતી માલસામાનને અમદાવાદ પહોંચાડ્યા બાદ નાના વાહનો મારફતે અલગ-અલગ સ્થળોએ મોકલવાની તૈયારી હતી. જોકે માલનો અંતિમ ગંતવ્ય ક્યાં હતો અને તેની પાછળ કોણ સંકળાયેલું છે તે અંગે હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

અધિકારીઓ કરચોરીના એંગલથી પણ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. જો માલના વ્યવહારોમાં કરચોરી કે ગેરરીતિઓ સામે આવશે તો સંબંધિત વ્યક્તિઓ અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પણ સ્ટેટ જીએસટી વિભાગે ગીતા મંદિર વિસ્તારમાંથી બસ મારફતે લઈ જવામાં આવતો આશરે 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે કેસની તપાસ હજુ ચાલુ છે ત્યારે ફરી એકવાર 120 કિલો ચાંદી અને અન્ય કિંમતી માલસામાન મળી આવતાં વિભાગની કાર્યવાહી વધુ ચર્ચામાં આવી છે.

આ અગાઉ 17 મે, 2026ના રોજ ગુજરાત ATS અને અન્ય એજન્સીઓએ પણ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇનપુટના આધારે રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુપ્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 5 કરોડ રૂપિયાની કિંમતની 180 કિલો ચાંદીનો જથ્થો ઝડપાયો હતો. આ જથ્થો વારાણસીથી મુંબઈ થઈને રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ માલ મંગાવનાર વેપારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

તે જ સમયગાળા દરમિયાન અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવતી 100 કિલો ચાંદી પણ સ્ટેટ GSTએ ઝડપી પાડી હતી. આમ માત્ર થોડા દિવસોમાં જ સેકડો કિલો ચાંદી વિવિધ એજન્સીઓ દ્વારા કબ્જે કરવામાં આવી છે, જે રાજ્યમાં કિંમતી ધાતુઓના ગેરકાયદેસર પરિવહન અને સંભવિત કરચોરીના મોટા નેટવર્ક તરફ ઈશારો કરે છે.

રાજ્ય વેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું છે કે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે આગામી સમયમાં વધુ સઘન ઝુંબેશ ચલાવવામાં આવશે. વેપારીઓને નિયમોનું પાલન કરવા અને માલસામાન સાથે જરૂરી દસ્તાવેજો રાખવા સૂચના આપવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઇટાલીમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા

0

આજે મંગળવારે સવારે દક્ષિણ ઇટાલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 હતી. હાલમાં કોઈ નુકસાનના અહેવાલ નથી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 253 કિલોમીટર (157.21 માઇલ) ઊંડાઈએ સ્થિત હતું.

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસે આપેલા અહેવાલ અનુસાર, ભૂકંપ મંગળવારે સવારે (સોમવારે 2212 GMT) સ્થાનિક સમય મુજબ 00:12 કલાકે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ દક્ષિણ કેલેબ્રિયા ક્ષેત્રના દરિયાકાંઠે સમુદ્રમાં હતું.

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કેલેબ્રિયા, સિસિલી, કેમ્પાનિયા અને પુગ્લિયા સહિત દક્ષિણ ઇટાલીના ઘણા પ્રદેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના સમાચાર આવ્યા નથી. સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

સુરતમાં 4 મહિનાના દીકરાને એસિડ પીવડાવી માતાએ પણ જીવન ટૂંકાવ્યું

સુરતના સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સરથાણા યોગીચોક પાસે આવેલી એવન હાઇટ્સમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ પોતાના માત્ર ચાર મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ પી લેતા બંનેના કરુણ મોત નીપજ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડિલિવરી બાદ માનસિક તબિયત લથડવાના કારણે મહિલાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોઈ શકે છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે.

ડિલિવરી માટે પિયરમાં આવી હતી, દોઢ વર્ષ પહેલાં થયા હતા લગ્ન
મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના ધારીની વતની અને હાલ સરથાણા યોગીચોક સ્થિત એવન હાઇટ્સમાં પરિવાર સાથે રહેતી 29 વર્ષીય ધારાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલાં થયા હતા. ધારા ડિલિવરી માટે પિયરમાં આવી હતી. ચાર મહિના પહેલાં જ તેણે એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ રીશાન રાખવામાં આવ્યું હતું. બાળકના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી વધુ સમય ટકી શકી નહોતી.

પરિવારજનો અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારા છેલ્લા કેટલાક સમયથી માનસિક સમસ્યાથી પીડાતી હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી. બાળકના જન્મ બાદ તેની માનસિક સ્થિતિ વધુ નબળી બનતી ગઈ હતી. સતત વધતા માનસિક તણાવને કારણે તે ભારે ડિપ્રેશનમાં રહેતી હોવાનું જણાયું હતું. છેલ્લા બે-ત્રણ દિવસથી તેણે અન્નનો ત્યાગ પણ કરી દીધો હતો, જેના કારણે પરિવારજનો ચિંતિત હતા.

સોમવાર (1 જૂન)ની સાંજે આ દુઃખદ ઘટના બની હતી. ધારા પોતાના ચાર મહિનાના પુત્ર રીશાનને લઈને સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ હતી. ત્યાં આવેલા શૌચાલયમાં જઈ તેણે પહેલા પોતાના માસૂમ દીકરાને એસિડ પીવડાવ્યું હતું. ત્યારબાદ તેણે પોતે પણ એસિડ પી લીધું હતું. ઘટના બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં માનસિક અસ્વસ્થતા કારણભૂત હોવાનું સામે આવ્યું છે, જોકે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ કરી રહી છે.

વેદાંતા ગ્રુપ સામે EDની કાર્યવાહી: FEMA ઉલ્લંઘન કેસમાં દિલ્હી-મુંબઈમાં દરોડા

0

પ્રવર્તન નિર્દેશાલય (ED) એ મંગળવારે વેદાંતા ગ્રુપ સામે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એજન્સીએ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઉદ્યોગપતિ અનિલ અગરવાલના વેદાંતા ગ્રુપ સામે FEMA (વિદેશી મુદ્રા વ્યવસ્થાપન અધિનિયમ)ના ઉલ્લંઘન મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દરોડા FEMAના સંભવિત ઉલ્લંઘનની તપાસના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યા હતા.

EDના વરિષ્ઠ અધિકારીઓએ માહિતી આપી હતી કે તપાસના સંબંધમાં મંગળવારે દિલ્હી અને મુંબઈમાં વેદાંતા ગ્રુપ સાથે સંકળાયેલા બે સ્થળોએ તલાશી લેવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, હવે પૂર્ણ થયેલી આ કાર્યવાહી ગ્રુપની કંપનીઓ દ્વારા તેમની મૂળ કંપનીને કરવામાં આવેલા કથિત બ્રાન્ડ ફી પેમેન્ટ સાથે સંબંધિત છે.

દિલ્હી અને મુંબઈમાં દરોડા
તપાસ એજન્સીએ FEMAની જોગવાઈઓ હેઠળ તપાસવામાં આવી રહેલા આ કથિત વ્યવહારો સાથે સંબંધિત દસ્તાવેજો અને રેકોર્ડ જપ્ત કર્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, “EDની ટીમોએ દિલ્હી અને મુંબઈમાં એક-એક સ્થળે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી સોમવારથી શરૂ થઈ હતી અને હવે પૂર્ણ થઈ ગઈ છે.”

અધિકારીઓ આ ચુકવણીઓ સાથે જોડાયેલા નાણાકીય રેકોર્ડ અને કરારોની સમીક્ષા કરી રહ્યા છે. તપાસકર્તાઓ કથિત રીતે બ્રાન્ડના ઉપયોગ બદલ કરવામાં આવેલી ચૂકવણીઓની તપાસ કરી રહ્યા છે અને આ વ્યવહારો વિદેશી મુદ્રા સંબંધિત નિયમો અનુસાર હતા કે નહીં તે જાણવા પ્રયાસ કરી રહ્યા છે.

વેદાંતાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “અમે અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ અને માંગવામાં આવેલી તમામ માહિતી પૂરી પાડી રહ્યા છીએ. કંપની તમામ લાગુ કાયદા અને નિયમોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.”

પૂર્ણ થયું સર્ચ ઓપરેશન
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી હવે પૂર્ણ થઈ ગઈ છે અને અધિકારીઓ દરોડા દરમિયાન એકત્રિત કરાયેલા દસ્તાવેજો અને રેકોર્ડનું વિશ્લેષણ કર્યા બાદ આગામી પગલાં નક્કી કરશે. જપ્ત કરાયેલી સામગ્રીની તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવવાની અપેક્ષા છે. EDએ હજુ સુધી આ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

આ દરમિયાન, વેદાંતા ગ્રુપએ ગયા મહિને શેરબજારોને જાણ કરી હતી કે તેની સહાયક કંપની તલવંડી સાબો પાવર લિમિટેડ (TSPL) સામે વીજળી ઉપલબ્ધતા અંગે ખોટી જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાના પરિણામે કંપનીને અંદાજે રૂ. 127 કરોડનો દંડ અને લાગુ વિલંબિત ચુકવણી સરચાર્જ ચૂકવવાનો રહેશે.

નિયામક ફાઇલિંગમાં વેદાંતાએ જણાવ્યું હતું કે તેને 20 મેના રોજ TSPL તરફથી માહિતી મળી હતી કે સુપ્રીમ કોર્ટે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL) અને પંજાબ સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (PSLDC) દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલો પર ચુકાદો આપ્યો છે.

FEMA હેઠળ ક્યારે કાર્યવાહી થાય છે?
ED વિદેશી મુદ્રા વ્યવસ્થાપન અધિનિયમ (FEMA) હેઠળ ત્યારે કાર્યવાહી કરે છે જ્યારે તેને કોઈ વ્યક્તિ અથવા કંપની દ્વારા વિદેશી મુદ્રા સંબંધિત વ્યવહારોમાં નિયમોના ઉલ્લંઘનની શંકા હોય. આવી કાર્યવાહી મુખ્યત્વે એવા કેસોમાં કરવામાં આવે છે જેમાં ગેરકાયદેસર રીતે વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરવા, વિદેશમાં ગેરકાયદેસર સંપત્તિ મેળવવા અથવા વિદેશી રોકાણ સંબંધિત નિયમોનું પાલન ન કરવું સામેલ હોય છે.

ભારતની અગ્રણી બહુરાષ્ટ્રીય કંપની છે વેદાંતા ગ્રુપ
વેદાંતા ગ્રુપ ભારતનું અગ્રણી બહુરાષ્ટ્રીય કુદરતી સંસાધન અને ખનન ક્ષેત્રનું ગ્રુપ છે. તેની સ્થાપના વર્ષ 1976માં થઈ હતી અને તે ધાતુ, ખનિજ, ઊર્જા તેમજ તેલ-ગેસ ક્ષેત્રમાં કાર્યરત છે. ગ્રુપનો મુખ્ય વ્યવસાય ખનન અને કુદરતી સંસાધનોનું ઉત્પાદન છે.

વેદાંતા જસત, એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ અયસ્ક, સ્ટીલ, તેલ અને કુદરતી ગેસના ઉત્પાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગ્રુપની મુખ્ય કંપનીઓમાં હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ, કેયર ઈન્ડિયા અને વેદાંતૌમિનિયમનો સમાવેશ થાય છે.

ભારત ઉપરાંત આફ્રિકા અને અન્ય દેશોમાં પણ ગ્રુપનો વ્યાપક વ્યવસાય ફેલાયેલો છે. ભારતમાં એલ્યુમિનિયમ અને જસતના ઉત્પાદન ક્ષેત્રમાં વેદાંતા અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવે છે.

વડોદરા શહેર AAP પ્રમુખ અશોક ઓઝા સહિત 4 સામે દુષ્કર્મની ફરિયાદ

વડોદરામાંથી રાજકારણને શરમસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ અશોક ઓઝા સામે હવસખોરી, બ્લેકમેલિંગ અને ધાકધમકી આપવાનો અત્યંત ગંભીર ગુનો નોંધાયો છે. પીડિતાની ફરિયાદના આધારે વડોદરા પોલીસે ત્વરિત એક્શન લેતા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાની વિધિવત ધરપકડ કરી લીધી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં માત્ર અશોક ઓઝા જ નહીં, પરંતુ ગુનામાં સાથ આપનાર તેમના આખા પરિવાર સામે પણ પોલીસે કાનૂની સકંજો કસ્યો છે.

પીડિતા દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપો અત્યંત ગંભીર છે. ફરિયાદ અનુસાર, અશોક ઓઝાએ પીડિતાને સારી નોકરી અને આમ આદમી પાર્ટીમાં મોટો રાજકીય હોદ્દો આપવાની લાલચ આપીને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ પીડિતાનો નગ્ન વીડિયો ઉતારી લીધો હતો અને તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલિંગ કરતો હતો. આ શરમજનક કૃત્યમાં અશોક ઓઝાના પુત્ર આનંદ ઓઝા સામે પણ પીડિતા પર દુષ્કર્મ ગુજારવાનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

લંપટલીલામાં અશોક ઓઝાની પત્ની અને પુત્રી પણ સામેલ હોવાનો આરોપ
આ કેસનો સૌથી ચોંકાવનારો વળાંક એ છે કે આ આખી લંપટલીલામાં અશોક ઓઝાની પત્ની અને પુત્રી પણ સામેલ હતા. પીડિતાનો આરોપ છે કે અશોક ઓઝાની પત્ની અને દીકરી પણ તેના પર સતત દબાણ લાવતી હતી આખરે પીડિતાએ હિંમત ભેગી કરીને વડોદરા પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે અશોક ઓઝા, તેમના પુત્ર આનંદ ઓઝા, પત્ની અને પુત્રી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાજકીય નેતાના આખા પરિવાર સામે આવા ગંભીર ગુના નોંધાતા વડોદરા સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

રશિયાના મિસાઇલ-ડ્રોન હુમલાથી યુક્રેનમાં 11નાં મોત, અનેક ઘાયલ; કાટમાળમાં ફસાયા લોકો

રશિયાએ મંગળવારે રાત્રે યુક્રેન પર મિસાઇલ અને ડ્રોન દ્વારા મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘણી ઇમારતોને નુકસાન થતાં કેટલાક લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા, જેમને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

યુક્રેનની ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, રાજધાની કીવમાં ચાર લોકોના મોત થયા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. શહેરના આઠ જિલ્લાઓમાં રહેણાંક મકાનો અને અન્ય નાગરિક માળખાઓને નુકસાન પહોંચ્યું છે.

યુક્રેનના અન્ય વિસ્તારોમાંથી પણ હુમલાના અહેવાલ મળ્યા છે. મધ્ય યુક્રેનના ડ્નીપ્રોપેત્રોવ્સ્ક વિસ્તારમાં રશિયાના હુમલામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા, જ્યારે 36 લોકો ઘાયલ થયા હતા. આ હુમલો ડ્નીપ્રો શહેર પર કરવામાં આવ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે બચાવ દળ ઘટનાસ્થળે પહોંચ્યું ત્યારે ફરી એક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક રાહતકર્મીનું પણ મોત થયું હતું. હુમલાથી એક બે માળનું મકાન અને ચાર માળની એપાર્ટમેન્ટ ઇમારતનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. મોટી ઇમારતના કાટમાળ નીચે અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

યુક્રેનને પહેલાથી જ હુમલાની આશંકા હતી
સમગ્ર રાત અને સવાર સુધી વિસ્ફોટોના અવાજો સંભળાતા રહ્યા હતા. યુક્રેને અગાઉથી જ આવા મોટા હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ તાજેતરમાં ચેતવણી આપી હતી કે રશિયા નવો મોટો હુમલો કરી શકે છે. તેમણે લોકોને હવાઈ હુમલાની ચેતવણી દરમિયાન સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરી હતી.

કીવના પોડિલ્સ્કી જિલ્લામાં આવેલી નવ માળની ઇમારતના ઉપરના માળોને નુકસાન પહોંચ્યું હતું. અહીં પણ અનેક લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. સવાર સુધી રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી, જ્યારે હવાઈ હુમલાની ચેતવણી પણ અમલમાં હતી. સોલોમિયાન્સ્કી જિલ્લામાં આવેલી 20 માળ અને 24 માળની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

યુક્રેન સતત તેના સહયોગી દેશો પાસેથી વધારાની હવાઈ સંરક્ષણ મિસાઇલોની માંગ કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે યુક્રેન મોટાભાગના ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવામાં સફળ રહે છે, પરંતુ રશિયાની બેલિસ્ટિક મિસાઇલો હજુ પણ દેશની સુરક્ષા માટે મોટો પડકાર બની રહી છે.

ઇઝરાયલના હુમલા બાદ ઈરાનની હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી

0

ઇઝરાયલના લેબનોન પર હુમલા બાદ ઈરાને આકરી ચેતવણી આપી છે. તેમજ અમેરિકા સાથેની વાટાઘાટો અટકાવી દીધી છે. ઇરાને આને યુદ્ધવિરામનો ભંગ ગણાવીને લેબનોન પર હુમલા બંધ કરવાની માંગ કરી છે. તેમજ હોર્મુઝ સ્ટ્રેટ અને બાબ અલ-મંડેબ જળમાર્ગોને બંધ કરવાની ચીમકી પણ આપી છે.

ઇરાનના મીડિયા અહેવાલો મુજબ ઇરાને સ્પષ્ટપણે કહ્યું છે કે ગાઝા અને લેબનોનમાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી બંધ ન થાય ત્યાં સુધી અમેરિકા સાથે કોઈ વાતચીત થશે નહીં. ઈરાને લેબનોનમાંથી ઇઝરાયલી દળોને સંપૂર્ણ રીતે પાછા ખેંચવાની પણ માંગ કરી છે. જો કે, આ બાબતે અમેરિકા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

આ દરમિયાન ઈરાને સોમવારે વહેલી સવારે કુવૈત પર મિસાઈલ અને આત્મઘાતી ડ્રોનનો મોટો હુમલો કર્યો હતો. આ હુમલા બાદ સમગ્ર કુવૈતમાં ઈમરજન્સી સાયરન વાગી રહ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કુવૈતની સેનાએ તાત્કાલિક પોતાના એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરી દીધી હતી. જે દુશ્મન તરફથી આવી રહેલી મિસાઈલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડી રહી હતી.

જેના પગલે કુવૈત સરકારે દેશના નાગરિકોને બારીઓ અને ખુલ્લા વિસ્તારોથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવા માટે મોબાઈલ એલર્ટ જાહેર કર્યા હતા. આ વૈશ્વિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજાર અને ક્રૂડ ઓઈલની કિંમતો પર પણ મોટી અસર પડવાની આશંકા સેવાઈ રહી હતી.

CBIએ RCom કેસમાં પૂર્વ MD ઝુંઝુનવાલાની ધરપકડ, ₹6,015 કરોડ બેંક છેતરપિંડીનો આરોપ

0

સીબીઆઈએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ગ્રુપના ટોચના અધિકારી અમિતાભ ઝુનઝુનવાલાની SBIના નેતૃત્વ હેઠળના બેંકોના કન્સોર્ટિયમને રૂા.6,000 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરી છે. સીબીઆઈએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે તે સમયે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ગ્રુપના ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર હતા અને કોર્પોરેટ ફાઇનાન્સ, બેંકિગ અને ફંડ મેનેજમેન્ટ જેવા મુખ્ય કાર્યોનું નિરીક્ષણ કરતા હતા.

અમિતાભ ઝુનઝુનવાલાએ લોન અને એડવાન્સિસ માટે વરિષ્ઠ બેંક અધિકારીઓ સાથે સંકલન કર્યું. તેમના નિર્દેશોના આધારે, બેંકોમાંથી મેળવેલી લોનનું સંચાલન અથવા ઉપયોગ અન્ય ળ ગ્રુપ અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હતો. એવો આરોપ છે કે લોનના દુરુપયોગને કારણે બેંકોને અનુચિત નુકસાન થયું હતું.

તપાસ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે તેણે વિવિધ બેંકો પાસેથી લોન મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કંપની દ્વારા લોન ચૂકવવામાં નિષ્ફળતાને કારણે ખાતાઓ NPA બની ગયા હતા. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ગ્રુપ કંપનીઓના પ્રમોટર્સ તરફથી તેમને આમ કરવા માટે સૂચનાઓ મળી રહી હતી.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી મળેલી ફરિયાદના આધારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને અનિલ ડી. અંબાણી વિરુદ્ધ આ FIR દાખલ કરી છે. તેમના પર બેંકને રૂા. 2,929.05 કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં 11 બેંકોના કન્સોર્ટિયમે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડને ટર્મ લોન મંજૂર કરી હતી, જેના પરિણામે કુલ રૂા. 6,015 કરોડનું નુકસાન થયું હતું. ફરિયાદ મુજબ, RCom ની ૧૭જાહેર ક્ષેત્રની બેંકો પ્રત્યે કુલ જવાબદારીઓ રૂા.19,694.33 કરોડ હતી. વિવિધ જાહેર ક્ષેત્રની બેંકો અને LIC ની ફરિયાદોના આધારે CBI એ RCom, RHFL, RCFL અને RTL સામે છ અન્ય FIR પણ નોંધી છે. આ કેસોમાં તપાસ ચાલુ છે અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ છે.

અમિતાભ ઝુનઝુનવાલા દિલ્હીના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ હેઠળના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા અને તેમને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યા હતા. વર્તમાન કેસમાં તેમને કસ્ટડીમાં લેવા માટે મુંબઈના એક ખાસ ન્યાયાધીશ પાસેથી પ્રોડક્શન વોરંટ મેળવવામાં આવ્યું હતું.

જેલ અધિકારીઓએ આરોપીને તબીબી તપાસ માટે AIIMS, નવી દિલ્હી મોકલ્યા. AIIMS મેડિકલ બોર્ડ દ્વારા તપાસ કર્યા પછી, ઝુનઝુનવાલાને મુસાફરી માટે યોગ્ય જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ, તેમને મુંબઈ લાવવામાં આવ્યા અને 1 જૂને મુંબઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.

નિવેદનમાં જણાવાયું હતું કે તેમની હાજરી પછી, CBI એ ઔપચારિક રીતે તેમની ધરપકડ કરી હતી, જે કોર્ટ દ્વારા નોંધવામાં આવી હતી. ત્યારબાદ, સીબીઆઈના આરકોમ કેસમાં આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો અને આર્થર રોડ જેલમાં મોકલી દેવામાં આવ્યો. તેની પોલીસ કસ્ટડી અરજી પર આવતીકાલે સુનાવણી થશે. સીબીઆઈએ ૨૯ મે, 2026 ના રોજ આરકોમ કેસમાં કંપની, પાંચ વરિષ્ઠ આરકોમ અધિકારીઓ અને 10 બેંક અધિકારીઓ સહિત 16 આરોપીઓ સામે તેની પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી.

સૂર્યા હત્યાકાંડ પર યોગીનો સખત સંદેશ: ‘સંતાનોને સંસ્કાર આપો, નહીં તો કાયદો પોતાનું કામ કરશે’

0

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે બિજનૌરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગાજિયાબાદના સૂર્યા ચૌહાણ હત્યાકાંડનો ઉલ્લેખ કરતાં કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે મિત્રતાના નામે હિંસા અને છરીબાજી જેવી ઘટનાઓ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. સીએમ યોગીએ કહ્યું કે ગાજિયાબાદની આ ઘટના અત્યંત દુઃખદ છે અને તેણે સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. તેમણે માતા-પિતાની જવાબદારી પર ભાર મૂકતાં જણાવ્યું કે જો માતા-પિતા પોતાના બાળકોને યોગ્ય સંસ્કાર અને દિશા આપવામાં નિષ્ફળ જાય, તો તે ગંભીર ચિંતાનો વિષય છે.

કડક કાર્યવાહી ચાલુ રહેશે
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર હંમેશા કાયદાનું પાલન કરતા સામાન્ય નાગરિકોની સાથે ઊભી છે. બીજી તરફ, કાયદો અને વ્યવસ્થાને પડકારનાર અને સમાજમાં અશાંતિ ફેલાવનાર લોકો સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આવી ગુનાહિત ઘટનાઓ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

બિજનૌર પ્રવાસે સીએમ યોગી
ઉલ્લેખનીય છે કે સીએમ યોગી સોમવારે બિજનૌર જિલ્લાના અફઝલગઢ વિસ્તારના આલમપુર ગામડી ગામે પહોંચ્યા હતા. બપોરે લગભગ 1:55 વાગ્યે તેમનું હેલિકોપ્ટર હેલિપેડ પર ઉતર્યું હતું, જ્યાં વધાપુરના ધારાસભ્ય કુંવર સુશાંત સિંહ સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીએ કાર્યક્રમ સ્થળ નજીક યોજાયેલી વિવિધ પ્રદર્શનોની મુલાકાત લીધી હતી. તેમણે સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિદુર બ્રાન્ડના ઉત્પાદનો, કૃષિ અને બાગાયતી પ્રદર્શન, ઊર્જા વિકાસ સંબંધિત સ્ટોલ તેમજ પોલીસ વિભાગની પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ‘પ્રેરણા કેફે’નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

અસદનું પોલીસ એન્કાઉન્ટર કરી ચૂકી છે
નોંધનીય છે કે 28 મેના રોજ બકરી ઈદના દિવસે 17 વર્ષીય સૂર્યાની હત્યા તેના મિત્ર અસદ અને અન્ય લોકોએ કરી હતી. આ કેસમાં પોલીસે રવિવારે અસદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. સાથે જ ખોડા વિસ્તારમાં આવેલા અસદના મકાન પર નોટિસ પણ ચોંટાડવામાં આવી છે. જો તપાસ દરમિયાન મકાનમાં ગેરકાયદેસર બાંધકામ જોવા મળશે તો બુલડોઝર કાર્યવાહી થઈ શકે છે. જ્યારે અન્ય આરોપીઓને પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.

ગૌમાતા મુદ્દે મૌલાનાઓને લઈને યોગીનું નિવેદન
સીએમ યોગી આદિત્યનાથે ગૌમાતા મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આજકાલ કેટલાક મૌલાના અને મૌલવીઓ ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. હું તેમને કહેવા માંગું છું કે ગૌમાતા સ્વયંઘોષિત રાષ્ટ્રમાતા છે. ગૌમાતા સાથે આપણો જન્મજન્માંતરનો સંબંધ છે.

ગાંધીનગરમાં લાંચિયો ક્લાસ-1 અધિકારી ઝડપાયો,ઘરમાંથી કરોડોની બેનામી મિલકત ખુલી

0

ગાંધીનગરમાં લાંચીયા લોકો સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ગાંધીનગરમાંથી ક્લાસ – 1 ઓફિસર રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો હતો. અમદાવાદ અને સુરતના નિવાસસ્થાને દરોડા પાડીને તપાસ કરતા એસીબીને તેમના બંને મકાન તથા ગાડીમાંથી 1.76 કરોડ રોકડા મળ્યા હતા. ઉપરાંત સોના-ચાંદી 88.82 લાખની કિંમતના દાગીના મળ્યા હતા. કુલ 2 કરોડ 64 લાખની મત્તા મળી આવી હતી.

મળતી વિગત પ્રમાણે, ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષણ કચેરીમાં ક્લાસ વન ઑફિસરએ બી ચૌધરી સોલર પેનલની એનઓસી આપવાના બદલામાં રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. તેમના ઘર અને ગાડીના સર્ચ દરમિયાન મોટી માત્રામાં કેશ તથા દાગીના મળી આવ્યા હતા.

એ.બી. ચૌધરીએ સોલાર પેનલ ફિટ કરવાના લાયસન્સ અને એનઓસી આપવા માટે લાંચની મોટી રકમની માગણી કરી હતી. એસીબીએ ટ્રેપ ગોઠવીને અધિકારીને કચેરી પરિસરમાં જ લાંચના નાણાં સ્વીકારતા પકડી પાડ્યા હતા. ત્યારબાદ જ્યારે એસીબીની ટીમે તેમની અંગત કારની તલાશી લીધી, ત્યારે તેમાંથી અલગથી રાખેલા વધારાના રૂપિયા 5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી, જે અંગે અધિકારી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.

સુરત અને ગાંધીનગરની આ મિલકતોમાંથી 88. 82 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ 5. 51 હજાર રૂપિયાની રોકડ સાથેના ગિફ્ટ વાઉચર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. એસીબીએ અધિકારી પાસેથી કુલ 2. 64 કરોડ રૂપિયાની અધધ મતા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બે દિવસ પહેલા એન્ટી કરપ્શન બ્યુરોએ સુરતમાં 19 વર્ષના એક કોલેજ વિદ્યાર્થીની ધરપકડ કરી છે. સ્ટુડન્ટ સુરત જિલ્લા પંચાયતના કૃષિ વિભાગમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા તેમના માતા વતી કથિત રીતે રૂ. 30,000ની લાંચ લેતા ઝડપાયો હતો. એસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ગ-3 ના અધિકારી રૂપલ ટેલરે કથિત રીતે 33 કર્મચારીઓ પાસેથી TA બિલ પાસ કરવા માટે વ્યક્તિ દીઠ રૂ. 1,500 અને 13 કર્મચારીઓ પાસેથી એલટીસીના ક્લેમ આગળ વધારવા માટે વ્યક્તિ દીઠ રૂ.1,000 એમ કુલ મળીને રૂ. 62,500ની લાંચ માંગી હતી.