Home Blog Page 75

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ 17 સંદિગ્ધ આતંકવાદીઓને ઠાર માર્યા

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતના ક્વેટા શહેરમાં શટલ ટ્રેન પર ગયા અઠવાડિયે થયેલા બોમ્બ હુમલામાં સંડોવાયેલા 17 આતંકવાદીઓને પાકિસ્તાની સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. 24 મેના રોજ ક્વેટામાં એક સ્ટેશન નજીક શટલ ટ્રેન પર થયેલા શંકાસ્પદ આત્મઘાતી હુમલામાં ત્રણ સુરક્ષા કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની સૈન્યના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, આ ઘટના બાદ, સુરક્ષા દળોએ બલુચિસ્તાનના વિવિધ જિલ્લાઓમાં અનેક ગુપ્તચર-આધારિત કામગીરી (IBO) હાથ ધરી હતી, જેમાં ૧૭આતંકવાદીઓ માર્યા ગયા હતા.

ISPR ના એક નિવેદન મુજબ, સુરક્ષા દળોએ મસ્તુંગ, નુશ્કી, ઝેહરી, ખુઝદાર અને કેચમાં કાર્યવાહી દરમિયાન અનેક આતંકવાદી ઠેકાણાઓને અસરકારક રીતે નિશાન બનાવ્યા. તેમાં કહેવામાં આવ્યું છે કે ભીષણ ગોળીબારમાં ફિત્ના-અલ-હિન્દોસ્તાન સાથે જોડાયેલા 17 આતંકવાદીઓ માર્યા ગયા. ISPR એ એ પણ અહેવાલ આપ્યો છે કે સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી શષો, દારૂગોળો, મોટી માત્રામાં વિસ્ફોટકો અને ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો (IED) જપ્ત કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ આ પ્રદેશમાં અસંખ્ય આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. તલભ્ય એ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં બાકી રહેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે શોધ કામગીરી ચાલુ છે.

મે ૨૦૨૬ ના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં આતંકવાદી હુમલાઓમાં ટ્રેનો અને રેલ્વે માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા. ક્વેટામાં ચમન ગેટ નજીક એક લશ્કરી ટ્રેન અને પેશાવર જતી જાફર એક્સપ્રેસને શક્તિશાળી વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવી હતી. આ હુમલાઓમાં ઘણા સુરક્ષા કર્મચારીઓ અને મુસાફરો માર્યા ગયા હતા, અને બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી.

આત્મઘાતી અને IED વિસ્ફોટોમાં ટ્રેનના એન્જિન અને અનેક કોચને ભારે નુકસાન થયું હતું, અને ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. હુમલા બાદ, પાકિસ્તાની સુરક્ષા દળોએ બલુચિસ્તાનના વિવિધ જિલ્લાઓમાં મોટા પાયે આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરીને પ્રતિક્રિયા આપી હતી. વધુમાં, રેલ્વે અધિકારીઓએ સાવચેતીનાં પગલાં લીધાં છે, જેમાં મુસાફરોની સલામતી સુનિ^તિ કરવા માટે ટ્રેન ટ્રાફિકને અસ્થાયી રૂપે બંધ કરવાનો અથવા ટેનોને ડાયવર્ટ કરવાનો સમાવેશ થાય છે.

મમતાનો શુભેન્દુ સરકાર સામે મોરચો: 177 બેઠકો પર ચૂંટણી ગેરરીતિના આક્ષેપ સાથે ધરણું

0

પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) 15 વર્ષ બાદ સત્તામાંથી બહાર થઈ છે. દોઢ દાયકાથી વધુ સમય બાદ TMCને સત્તામાંથી હટાવનાર ભાજપ આત્મવિશ્વાસથી ભરપૂર છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ આ કારમી હાર બાદ ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કરી રહી છે. બંને પક્ષો વચ્ચે રાજકીય ઘર્ષણ વધતા આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું હતું. TMCના આ હલ્લાબોલ વચ્ચે ભાજપે સોનારપુરમાં થયેલી મારામારી અને હિંસાની ઘટનાને લઈને તૃણમૂલને ઘેરી છે. ભાજપના નેતા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે તૃણમૂલના આવા રાજકીય હથકંડાઓથી ભાજપ પર કોઈ અસર નહીં થાય.

સીએમ મમતાએ પોતાના ધરણા દરમિયાન શું કહ્યું?

  • ભાજપે 294માંથી 177 વિધાનસભા બેઠકો પર મતગણતરી દરમિયાન ગેરરીતિ કરી છે.
  • પોલીસે ધરણાની મંજૂરી આપી નહોતી, છતાં લોકશાહી રીતે વિરોધ ચાલુ રહેશે.
  • વિરોધ અને ધરણાં ચાલુ રહેશે, ભલે તેને રોકવાના કેટલાય પ્રયાસો કરવામાં આવે.
  • મુશ્કેલ સમયમાં TMCના કાર્યકરોનો સાથ નહીં છોડું.
  • કાર્યકરોને ધમકાવવામાં આવી રહ્યા છે અને અનેક સ્થળોએ તેમને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે.
  • પોલીસ TMC કાર્યકરોને વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાથી રોકી રહી છે.
  • અમારી સરકાર હંમેશા માનવતાવાદી અભિગમ સાથે કામ કરતી રહી છે.
  • પુનર્વસન કર્યા વગર ફેરિયાઓને હટાવવાની નીતિ અમારી સરકારની ક્યારેય નહોતી.

કલ્યાણ બેનર્જીએ શું આક્ષેપો કર્યા?

કોલકાતામાં વિરોધ પ્રદર્શનકારીઓને સંબોધતા TMC નેતા કલ્યાણ બેનર્જીએ કહ્યું કે આગામી દિવસોમાં વધુ મોટા વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે. તેમણે કોલકાતા પોલીસ કમિશનર અને પોલીસ અધિકારીઓને કહ્યું કે તેમનો પગાર જનતાના ટેક્સના પૈસામાંથી ચૂકવવામાં આવે છે અને તેમણે બંધારણ તથા કાયદા અનુસાર પોતાની ફરજો નિભાવવી જોઈએ.

કલ્યાણ બેનર્જીએ કહ્યું કે સુવેન્દુ અધિકારી શાંતિનિકેતનમાંથી પૈસા લાવીને પોલીસને પગાર આપતા નથી. તેમણે પોલીસ અધિકારીઓને યાદ અપાવ્યું કે સમય હંમેશા બદલાતો રહે છે, તેથી દરેકે પોતાની ફરજ નિષ્પક્ષ રીતે બજાવવી જોઈએ. તેમના આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપનું રાજકારણ વધુ ગરમાયું છે.

કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે 29 મેના રોજ જ વહીવટી તંત્રને 2 જૂનના ધરણા અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ કોલકાતા પોલીસે છેલ્લી ક્ષણ સુધી કોઈ જવાબ આપ્યો નહોતો. તેમણે આરોપ લગાવ્યો કે મોડેથી મંજૂરી મળવાને કારણે પ્રદર્શન સ્થળે સાઉન્ડ સિસ્ટમ અને સ્પીકરો લગાવી શકાયા નહોતા. TMCએ આને વહીવટી તંત્રની જાણબૂઝીને કરાયેલી મોડાશ ગણાવી છે.

કાર્યકરો સામે હિંસા અને કાર્યવાહીનો આક્ષેપ
કલ્યાણ બેનર્જીએ વધુમાં આક્ષેપ કર્યો કે રાજ્યમાં પાર્ટીના કાર્યકરો અને સમર્થકો સામે સતત હિંસા અને કાર્યવાહી થઈ રહી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 25થી 30 કાર્યકરોની હત્યા થઈ ચૂકી છે, જ્યારે 5,000થી 8,000 સમર્થકોને પોતાના ઘરો છોડવા માટે મજબૂર થવું પડ્યું છે. TMCનો દાવો છે કે લગભગ 3,000 ઘરો પણ તોડી પાડવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં પણ પાર્ટીના કાર્યક્રમો યોજાવાના હોય છે ત્યાં અગાઉથી જ પોલીસ તૈનાત કરી દેવામાં આવે છે જેથી લોકો કાર્યક્રમોમાં ભાગ લઈ ન શકે. તેમના જણાવ્યા મુજબ પોલીસ લોકોના ઘરની બહાર ઊભી રહે છે અને જો મહિલાઓ અથવા પરિવારના સભ્યો બહાર નીકળે તો તેમને કસ્ટડીમાં લેવામાં આવે છે અથવા ધરપકડ કરવામાં આવે છે.

સોનારપુરમાં મારામારી સહિત અનેક ઘટનાઓને લઈને TMCમાં રોષ
આ પહેલાં TMCના નેતાઓએ પાર્ટીના આગેવાનો પર થયેલા હુમલાના વિરોધમાં પણ પ્રદર્શન કર્યું હતું. ભાજપના નેતા શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી સાથે સોનારપુરમાં મારામારીની ઘટના બની હતી. આ ઉપરાંત અન્ય અનેક નેતાઓ સાથે પણ આવી ઘટનાઓ બની હોવાનું TMCનો આરોપ છે.

ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ધરણું
મમતા બેનર્જીએ વિરોધ પ્રદર્શન દરમિયાન અન્ય મહત્વના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તૃણમૂલના આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય હેતુ પાર્ટીના નેતાઓ સામે થઈ રહેલા હુમલાઓ સામે અવાજ ઉઠાવવાનો છે.

પ્રદર્શન પહેલાં TMC પ્રમુખ મમતા બેનર્જીએ પાર્ટીના અન્ય નેતાઓ સાથે મળીને B. R.અંબેકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહેવાલો મુજબ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી હાથમાં બંધારણની પુસ્તક લઈને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

અમેરિકામાં સામૂહિક હત્યાકાંડ: 6 સંબંધીઓની હત્યા બાદ આરોપીએ કર્યું આત્મહત્યા

0

અમેરિકાના આયોવા રાજ્યમાં એક ભયાનક ઘરેલુ વિવાદે 6 જીવ લઈ લીધા છે. 52 વર્ષીય રયાન વિલિસ મેકફાર્લેન્ડ નામના વ્યક્તિએ પોતાના જ 6 સંબંધીઓની ગોળીબારી કરીને હત્યા કરી અને પછી પોતે જ સુસાઈડ કરી લીધું.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આયોવાના મસ્કેટાઈન વિસ્તારમાં બુધવારે બપોરે બની હતી. આરોપીએ અલગ-अલગ સ્થળોએ જઈને ગોળીબારી કરી હતી. પોલીસે બે ઘરો અને એક વ્યાપારિક સ્થળ પરથી 6 શવ બરામદ કર્યા, જે તમામ આરોપીના જ રિશ્તેદારો હતા.

એક ઘરમાંથી 4 શવ મળ્યા પોલીસને જ્યારે સૂચના મળી કે એક વ્યક્તિ બંદૂક લઈને ફરી રહ્યો છે, ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી. એક ઘરમાંથી 4 શવ મળ્યા. આરોપી ત્યાંથી ભાગી ચૂક્યો હતો.

વ્યાપારિક સ્થળ પરથી 2 શવ પોલીસે આરોપીને મિસિસિપી નદીના કિનારે એક રસ્તા પર ઘેરો નાખ્યો. આ દરમિયાન એક વ્યાપારિક સ્થળ પરથી 2 વ્યક્તિઓના શવ મળ્યા. પોલીસના ઘેરામાં આવતાં જ આરોપીએ પોતાને જ ગોળી મારી દીધી. તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું.

મસ્કેટાઈન પોલીસ ચીફ એન્થોની કીસએ જણાવ્યું કે આ હત્યાકાંડ અને સુસાઈડ ઘરેલુ વિવાદને કારણે થયું છે. તમામ 6 મૃતકો પર ગોળીના નિશાન મળ્યા છે. આરોપી દ્વારા વપરાયેલી બંદૂકને કબજે કરીને તપાસ માટે મોકલવામાં આવી છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે લોકોને શાંત રહેવા અપીલ કરી છે.

દાઉદના સાથી સલીમ ડોલાના નેટવર્ક પર EDનો શિકંજો, ગુજરાત સહિત 20 સ્થળોએ દરોડા

0

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સલીમ ઇસ્માઇલ ડોલા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીએ મુંબઈ, સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત 20થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડીને ડ્રગ્સ તસ્કરી, મની લોન્ડરિંગ, હવાલા અને બેનામી સંપત્તિના વિશાળ નેટવર્કની તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી દેશવ્યાપી તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા ડ્રગ્સ સિન્ડિકેટના અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર સલીમ ડોલા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ તસ્કરીના મોટા નેટવર્કનું સંચાલન કરતો હતો. આ નેટવર્ક મારફતે વિવિધ દેશોમાં પ્રતિબંધિત માદક પદાર્થોની હેરફેર કરવામાં આવતી હતી અને તેમાંથી હજારો કરોડ રૂપિયાની ગેરકાયદેસર કમાણી થતી હતી. તાજેતરમાં ભારત સરકારે તુર્કિયેથી સલીમ ડોલાનું પ્રત્યાર્પણ કરાવી તેને ભારત લાવ્યો હતો, ત્યારબાદ તપાસ એજન્સીઓએ તેની વિરુદ્ધ કાર્યવાહી વધુ તેજ બનાવી છે.

ઈડી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિતના શહેરોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ એવા લોકો અને સંસ્થાઓને નિશાન બનાવ્યા છે, જેઓ સલીમ ડોલાના ડ્રગ્સ નેટવર્ક સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.

તપાસનો ફોકસ ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રીકર્સર કેમિકલ્સના સપ્લાયરો, કેમિકલ ટ્રેડરો, મધ્યસ્થીઓ, સિન્થેટિક ડ્રગ મેફેડ્રોન (MD)ના ઉત્પાદકો અને વિતરકો પર છે. ઉપરાંત હવાલા મારફતે નાણાંની હેરફેર કરનાર ઓપરેટરો અને બેનામી સંપત્તિ ધરાવતા લોકો પણ તપાસના ઘેરામાં આવ્યા છે.

PMLA હેઠળ ચાલી રહી છે તપાસ
આ સમગ્ર કેસમાં ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં સલીમ ડોલા અને તેના સાથીદારો વિરુદ્ધ નોંધાયેલી અનેક FIRના આધારે આ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ FIRમાં નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની ગેરકાયદેસર હેરફેરના ગંભીર આરોપો સામેલ છે.

ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે તપાસ દરમિયાન અત્યંત સુવ્યવસ્થિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ગુનાહિત નેટવર્કના પુરાવા મળ્યા છે. આ ગેંગ પ્રીકર્સર કેમિકલ્સની ખરીદી, ગુપ્ત રીતે મેફેડ્રોન (MD)નું ઉત્પાદન, વિવિધ રાજ્યોમાં ડ્રગ્સનું વિતરણ અને વિદેશોમાં તેની તસ્કરી જેવા કાર્યોમાં સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે.

હવાલા મારફતે કરોડોની કાળાધન હેરફેર
તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો એ થયો છે કે ડ્રગ્સના ગેરકાયદેસર વેપારમાંથી મળતી આવકને હવાલા ચેનલો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતી હતી. આ પ્રક્રિયા દ્વારા નાણાંના મૂળ સ્ત્રોતને છુપાવવામાં આવતો હતો અને કાળાધનને કાયદેસર દેખાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

એજન્સીના જણાવ્યા અનુસાર આ નાણાંનો ઉપયોગ વિવિધ લોકોના નામે જમીનો, મકાનો, વ્યાવસાયિક મિલકતો અને અન્ય રોકાણોમાં કરવામાં આવ્યો હતો. ઘણી સંપત્તિઓ બેનામી નામે ખરીદવામાં આવી હોવાના સંકેતો પણ મળ્યા છે, જેને લઈને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાણાકીય સલાહકારોની ભૂમિકા પણ તપાસ હેઠળ
ઈડીની ટીમ હાલ સમગ્ર નેટવર્કની નાણાકીય લેવડદેવડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસનો વ્યાપ કેમિકલ ફેક્ટરીઓથી લઈને નાણાકીય વ્યવહારો સંભાળતા લોકો સુધી વિસ્તર્યો છે. તેમાં એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), નાણાકીય સલાહકારો અને અન્ય વ્યાવસાયિકોની ભૂમિકા પણ ચકાસવામાં આવી રહી છે.

અધિકારીઓ એ પણ શોધી રહ્યા છે કે હવાલા મારફતે મોકલાયેલા નાણાંનો ઉપયોગ ભારતમાં અને વિદેશોમાં કઈ રીતે સંપત્તિઓ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં દસ્તાવેજો, બેંક રેકોર્ડ, ડિજિટલ ડેટા અને અન્ય મહત્વના પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના મોટા ખુલાસાની શક્યતા
તપાસ એજન્સીઓનું માનવું છે કે આ કાર્યવાહી માત્ર એક વ્યક્તિ કે ગેંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેના તાર અનેક દેશો સુધી ફેલાયેલા હોઈ શકે છે. ઈડી દ્વારા એકત્રિત કરવામાં આવી રહેલા પુરાવાઓના આધારે આગામી દિવસોમાં વધુ ધરપકડો, સંપત્તિ જપ્તી અને નવા ખુલાસાઓ થવાની શક્યતા છે.

સલીમ ડોલા સામેની આ કાર્યવાહી દેશની સૌથી મોટી ડ્રગ્સ અને મની લોન્ડરિંગ તપાસોમાંની એક માનવામાં આવી રહી છે. જો તપાસમાં સામે આવેલા પ્રાથમિક તારણો સાચા સાબિત થાય, તો હજારો કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ અને હવાલા નેટવર્કનો મોટો ભાંડો ફૂટે તેવી સંભાવના છે.

પોરબંદરમાં ગમખ્વાર અકસ્માત: કાર-બાઈકની ટક્કરમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત

પોરબંદર નજીક આવેલા ગોરસર ટોલનાકા પાસે આજે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતે સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે. કાર અને બાઈક વચ્ચે થયેલી સામસામેની આ ભયાનક ટક્કરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં એક માસૂમ બાળકે પણ જીવ ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે ગોરસર ટોલ નાકા પાસેથી આ પરિવાર બાઈક પર પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સાથે બાઈકની જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ અને ભયાનક હતી કે બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ કાળમુખી કારની અડફેટે આવીને જીવ ગુમાવનાર લોકોમાં 34 વર્ષીય નઝીર જુમા સાટી, તેમની 30 વર્ષીય પત્ની રોઝીનાબેન નઝીર સાટી અને તેમના 3 વર્ષના માસૂમ પુત્ર શાહનવાઝ નઝીર સાટીનો સમાવેશ થાય છે. આ ત્રણેય સભ્યો એક જ બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે આ ગોઝારી ઘટના ઘટી હતી.

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની ગંભીરતાને જોતા પોલીસનો કાફલો પણ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની ગંભીરતાને જોતા પોલીસનો કાફલો પણ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માધવપુર CSC હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હાલ આ મામલે પોલીસે સત્તાવાર ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલકની સઘન શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદમાં GSTની મોટી કાર્યવાહી: ₹4.25 કરોડનો સોના-ચાંદીનો જથ્થો ઝડપાયો

અમદાવાદમાં સ્ટેટ GST વિભાગે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી તપાસ દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી કરોડો રૂપિયાના સોના-ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીએ વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે અને માલના મૂળ સ્ત્રોત તેમજ તેના ગંતવ્યને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.

માહિતી અનુસાર સ્ટેટ GSTની મોબાઇલ સ્કવોડ ટીમને અગાઉથી બાતમી મળી હતી કે અન્ય રાજ્યમાંથી મોટી માત્રામાં કિંમતી ધાતુઓ અને રત્નો અમદાવાદમાં લાવવામાં આવી રહ્યા છે. જેના આધારે અધિકારીઓએ અમદાવાદના નારોલ વિસ્તારમાં ખાસ વોચ ગોઠવી હતી. નારોલ નજીક વિવિધ ખાનગી લકઝરી બસોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી આવેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસની ડેકીની તપાસ કરતા અધિકારીઓને શંકાસ્પદ સામાન મળ્યો હતો. વધુ તપાસ કરતાં બસમાં પ્લાસ્ટિકના થેલાઓમાં ભરેલો આશરે 120 કિલો ચાંદીનો જથ્થો, 700 ગ્રામ જેટલું સોનું અને લગભગ 3 કિલો કિંમતી પથ્થરો મળી આવ્યા હતા. આ જથ્થો જોઈને તપાસ ટીમ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી.

અધિકારીઓએ માલસામાન અંગે જરૂરી દસ્તાવેજો, બિલ, ઇ-વે બિલ અને અન્ય કરવેરા સંબંધિત પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ પ્રાથમિક તપાસમાં માલના પરિવહન માટે જરૂરી કાનૂની દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે સમગ્ર જથ્થો કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ટેટ GSTના અધિકારીઓના જણાવ્યા મુજબ કબ્જે કરાયેલા માલની અંદાજિત બજાર કિંમત લગભગ 4.25 કરોડ રૂપિયા જેટલી થાય છે. આટલી મોટી કિંમતનો માલ કોઈપણ દસ્તાવેજ વિના પરિવહન કરવામાં આવી રહ્યો હતો તે ગંભીર બાબત માનવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન એવી પણ માહિતી સામે આવી છે કે આ કિંમતી માલસામાનને અમદાવાદ પહોંચાડ્યા બાદ નાના વાહનો મારફતે અલગ-અલગ સ્થળોએ મોકલવાની તૈયારી હતી. જોકે માલનો અંતિમ ગંતવ્ય ક્યાં હતો અને તેની પાછળ કોણ સંકળાયેલું છે તે અંગે હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

અધિકારીઓ કરચોરીના એંગલથી પણ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. જો માલના વ્યવહારોમાં કરચોરી કે ગેરરીતિઓ સામે આવશે તો સંબંધિત વ્યક્તિઓ અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પણ સ્ટેટ જીએસટી વિભાગે ગીતા મંદિર વિસ્તારમાંથી બસ મારફતે લઈ જવામાં આવતો આશરે 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે કેસની તપાસ હજુ ચાલુ છે ત્યારે ફરી એકવાર 120 કિલો ચાંદી અને અન્ય કિંમતી માલસામાન મળી આવતાં વિભાગની કાર્યવાહી વધુ ચર્ચામાં આવી છે.

આ અગાઉ 17 મે, 2026ના રોજ ગુજરાત ATS અને અન્ય એજન્સીઓએ પણ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇનપુટના આધારે રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુપ્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 5 કરોડ રૂપિયાની કિંમતની 180 કિલો ચાંદીનો જથ્થો ઝડપાયો હતો. આ જથ્થો વારાણસીથી મુંબઈ થઈને રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ માલ મંગાવનાર વેપારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

તે જ સમયગાળા દરમિયાન અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવતી 100 કિલો ચાંદી પણ સ્ટેટ GSTએ ઝડપી પાડી હતી. આમ માત્ર થોડા દિવસોમાં જ સેકડો કિલો ચાંદી વિવિધ એજન્સીઓ દ્વારા કબ્જે કરવામાં આવી છે, જે રાજ્યમાં કિંમતી ધાતુઓના ગેરકાયદેસર પરિવહન અને સંભવિત કરચોરીના મોટા નેટવર્ક તરફ ઈશારો કરે છે.

રાજ્ય વેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું છે કે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે આગામી સમયમાં વધુ સઘન ઝુંબેશ ચલાવવામાં આવશે. વેપારીઓને નિયમોનું પાલન કરવા અને માલસામાન સાથે જરૂરી દસ્તાવેજો રાખવા સૂચના આપવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઇટાલીમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા

0

આજે મંગળવારે સવારે દક્ષિણ ઇટાલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 હતી. હાલમાં કોઈ નુકસાનના અહેવાલ નથી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 253 કિલોમીટર (157.21 માઇલ) ઊંડાઈએ સ્થિત હતું.

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસે આપેલા અહેવાલ અનુસાર, ભૂકંપ મંગળવારે સવારે (સોમવારે 2212 GMT) સ્થાનિક સમય મુજબ 00:12 કલાકે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ દક્ષિણ કેલેબ્રિયા ક્ષેત્રના દરિયાકાંઠે સમુદ્રમાં હતું.

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કેલેબ્રિયા, સિસિલી, કેમ્પાનિયા અને પુગ્લિયા સહિત દક્ષિણ ઇટાલીના ઘણા પ્રદેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના સમાચાર આવ્યા નથી. સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

સુરતમાં 4 મહિનાના દીકરાને એસિડ પીવડાવી માતાએ પણ જીવન ટૂંકાવ્યું

સુરતના સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સરથાણા યોગીચોક પાસે આવેલી એવન હાઇટ્સમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ પોતાના માત્ર ચાર મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ પી લેતા બંનેના કરુણ મોત નીપજ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડિલિવરી બાદ માનસિક તબિયત લથડવાના કારણે મહિલાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોઈ શકે છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે.

ડિલિવરી માટે પિયરમાં આવી હતી, દોઢ વર્ષ પહેલાં થયા હતા લગ્ન
મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના ધારીની વતની અને હાલ સરથાણા યોગીચોક સ્થિત એવન હાઇટ્સમાં પરિવાર સાથે રહેતી 29 વર્ષીય ધારાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલાં થયા હતા. ધારા ડિલિવરી માટે પિયરમાં આવી હતી. ચાર મહિના પહેલાં જ તેણે એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ રીશાન રાખવામાં આવ્યું હતું. બાળકના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી વધુ સમય ટકી શકી નહોતી.

પરિવારજનો અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારા છેલ્લા કેટલાક સમયથી માનસિક સમસ્યાથી પીડાતી હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી. બાળકના જન્મ બાદ તેની માનસિક સ્થિતિ વધુ નબળી બનતી ગઈ હતી. સતત વધતા માનસિક તણાવને કારણે તે ભારે ડિપ્રેશનમાં રહેતી હોવાનું જણાયું હતું. છેલ્લા બે-ત્રણ દિવસથી તેણે અન્નનો ત્યાગ પણ કરી દીધો હતો, જેના કારણે પરિવારજનો ચિંતિત હતા.

સોમવાર (1 જૂન)ની સાંજે આ દુઃખદ ઘટના બની હતી. ધારા પોતાના ચાર મહિનાના પુત્ર રીશાનને લઈને સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ હતી. ત્યાં આવેલા શૌચાલયમાં જઈ તેણે પહેલા પોતાના માસૂમ દીકરાને એસિડ પીવડાવ્યું હતું. ત્યારબાદ તેણે પોતે પણ એસિડ પી લીધું હતું. ઘટના બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં માનસિક અસ્વસ્થતા કારણભૂત હોવાનું સામે આવ્યું છે, જોકે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ કરી રહી છે.

વેદાંતા ગ્રુપ સામે EDની કાર્યવાહી: FEMA ઉલ્લંઘન કેસમાં દિલ્હી-મુંબઈમાં દરોડા

0

પ્રવર્તન નિર્દેશાલય (ED) એ મંગળવારે વેદાંતા ગ્રુપ સામે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એજન્સીએ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઉદ્યોગપતિ અનિલ અગરવાલના વેદાંતા ગ્રુપ સામે FEMA (વિદેશી મુદ્રા વ્યવસ્થાપન અધિનિયમ)ના ઉલ્લંઘન મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દરોડા FEMAના સંભવિત ઉલ્લંઘનની તપાસના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યા હતા.

EDના વરિષ્ઠ અધિકારીઓએ માહિતી આપી હતી કે તપાસના સંબંધમાં મંગળવારે દિલ્હી અને મુંબઈમાં વેદાંતા ગ્રુપ સાથે સંકળાયેલા બે સ્થળોએ તલાશી લેવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, હવે પૂર્ણ થયેલી આ કાર્યવાહી ગ્રુપની કંપનીઓ દ્વારા તેમની મૂળ કંપનીને કરવામાં આવેલા કથિત બ્રાન્ડ ફી પેમેન્ટ સાથે સંબંધિત છે.

દિલ્હી અને મુંબઈમાં દરોડા
તપાસ એજન્સીએ FEMAની જોગવાઈઓ હેઠળ તપાસવામાં આવી રહેલા આ કથિત વ્યવહારો સાથે સંબંધિત દસ્તાવેજો અને રેકોર્ડ જપ્ત કર્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, “EDની ટીમોએ દિલ્હી અને મુંબઈમાં એક-એક સ્થળે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી સોમવારથી શરૂ થઈ હતી અને હવે પૂર્ણ થઈ ગઈ છે.”

અધિકારીઓ આ ચુકવણીઓ સાથે જોડાયેલા નાણાકીય રેકોર્ડ અને કરારોની સમીક્ષા કરી રહ્યા છે. તપાસકર્તાઓ કથિત રીતે બ્રાન્ડના ઉપયોગ બદલ કરવામાં આવેલી ચૂકવણીઓની તપાસ કરી રહ્યા છે અને આ વ્યવહારો વિદેશી મુદ્રા સંબંધિત નિયમો અનુસાર હતા કે નહીં તે જાણવા પ્રયાસ કરી રહ્યા છે.

વેદાંતાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “અમે અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ અને માંગવામાં આવેલી તમામ માહિતી પૂરી પાડી રહ્યા છીએ. કંપની તમામ લાગુ કાયદા અને નિયમોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.”

પૂર્ણ થયું સર્ચ ઓપરેશન
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી હવે પૂર્ણ થઈ ગઈ છે અને અધિકારીઓ દરોડા દરમિયાન એકત્રિત કરાયેલા દસ્તાવેજો અને રેકોર્ડનું વિશ્લેષણ કર્યા બાદ આગામી પગલાં નક્કી કરશે. જપ્ત કરાયેલી સામગ્રીની તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવવાની અપેક્ષા છે. EDએ હજુ સુધી આ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

આ દરમિયાન, વેદાંતા ગ્રુપએ ગયા મહિને શેરબજારોને જાણ કરી હતી કે તેની સહાયક કંપની તલવંડી સાબો પાવર લિમિટેડ (TSPL) સામે વીજળી ઉપલબ્ધતા અંગે ખોટી જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાના પરિણામે કંપનીને અંદાજે રૂ. 127 કરોડનો દંડ અને લાગુ વિલંબિત ચુકવણી સરચાર્જ ચૂકવવાનો રહેશે.

નિયામક ફાઇલિંગમાં વેદાંતાએ જણાવ્યું હતું કે તેને 20 મેના રોજ TSPL તરફથી માહિતી મળી હતી કે સુપ્રીમ કોર્ટે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL) અને પંજાબ સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (PSLDC) દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલો પર ચુકાદો આપ્યો છે.

FEMA હેઠળ ક્યારે કાર્યવાહી થાય છે?
ED વિદેશી મુદ્રા વ્યવસ્થાપન અધિનિયમ (FEMA) હેઠળ ત્યારે કાર્યવાહી કરે છે જ્યારે તેને કોઈ વ્યક્તિ અથવા કંપની દ્વારા વિદેશી મુદ્રા સંબંધિત વ્યવહારોમાં નિયમોના ઉલ્લંઘનની શંકા હોય. આવી કાર્યવાહી મુખ્યત્વે એવા કેસોમાં કરવામાં આવે છે જેમાં ગેરકાયદેસર રીતે વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરવા, વિદેશમાં ગેરકાયદેસર સંપત્તિ મેળવવા અથવા વિદેશી રોકાણ સંબંધિત નિયમોનું પાલન ન કરવું સામેલ હોય છે.

ભારતની અગ્રણી બહુરાષ્ટ્રીય કંપની છે વેદાંતા ગ્રુપ
વેદાંતા ગ્રુપ ભારતનું અગ્રણી બહુરાષ્ટ્રીય કુદરતી સંસાધન અને ખનન ક્ષેત્રનું ગ્રુપ છે. તેની સ્થાપના વર્ષ 1976માં થઈ હતી અને તે ધાતુ, ખનિજ, ઊર્જા તેમજ તેલ-ગેસ ક્ષેત્રમાં કાર્યરત છે. ગ્રુપનો મુખ્ય વ્યવસાય ખનન અને કુદરતી સંસાધનોનું ઉત્પાદન છે.

વેદાંતા જસત, એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ અયસ્ક, સ્ટીલ, તેલ અને કુદરતી ગેસના ઉત્પાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગ્રુપની મુખ્ય કંપનીઓમાં હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ, કેયર ઈન્ડિયા અને વેદાંતૌમિનિયમનો સમાવેશ થાય છે.

ભારત ઉપરાંત આફ્રિકા અને અન્ય દેશોમાં પણ ગ્રુપનો વ્યાપક વ્યવસાય ફેલાયેલો છે. ભારતમાં એલ્યુમિનિયમ અને જસતના ઉત્પાદન ક્ષેત્રમાં વેદાંતા અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવે છે.

વડોદરા શહેર AAP પ્રમુખ અશોક ઓઝા સહિત 4 સામે દુષ્કર્મની ફરિયાદ

વડોદરામાંથી રાજકારણને શરમસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ અશોક ઓઝા સામે હવસખોરી, બ્લેકમેલિંગ અને ધાકધમકી આપવાનો અત્યંત ગંભીર ગુનો નોંધાયો છે. પીડિતાની ફરિયાદના આધારે વડોદરા પોલીસે ત્વરિત એક્શન લેતા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાની વિધિવત ધરપકડ કરી લીધી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં માત્ર અશોક ઓઝા જ નહીં, પરંતુ ગુનામાં સાથ આપનાર તેમના આખા પરિવાર સામે પણ પોલીસે કાનૂની સકંજો કસ્યો છે.

પીડિતા દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપો અત્યંત ગંભીર છે. ફરિયાદ અનુસાર, અશોક ઓઝાએ પીડિતાને સારી નોકરી અને આમ આદમી પાર્ટીમાં મોટો રાજકીય હોદ્દો આપવાની લાલચ આપીને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ પીડિતાનો નગ્ન વીડિયો ઉતારી લીધો હતો અને તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલિંગ કરતો હતો. આ શરમજનક કૃત્યમાં અશોક ઓઝાના પુત્ર આનંદ ઓઝા સામે પણ પીડિતા પર દુષ્કર્મ ગુજારવાનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

લંપટલીલામાં અશોક ઓઝાની પત્ની અને પુત્રી પણ સામેલ હોવાનો આરોપ
આ કેસનો સૌથી ચોંકાવનારો વળાંક એ છે કે આ આખી લંપટલીલામાં અશોક ઓઝાની પત્ની અને પુત્રી પણ સામેલ હતા. પીડિતાનો આરોપ છે કે અશોક ઓઝાની પત્ની અને દીકરી પણ તેના પર સતત દબાણ લાવતી હતી આખરે પીડિતાએ હિંમત ભેગી કરીને વડોદરા પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે અશોક ઓઝા, તેમના પુત્ર આનંદ ઓઝા, પત્ની અને પુત્રી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાજકીય નેતાના આખા પરિવાર સામે આવા ગંભીર ગુના નોંધાતા વડોદરા સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.