Home Blog Page 7

સપ્ટેમ્બરમાં શું થશે? ચોમાસાને લઈને સ્કાયમેટનું નવું અનુમાન, ગુજરાત માટે કેમ મહત્વની છે આ વાત?

0

ગુજરાતમાં ચોમાસું હજુ બાકી છે, પરંતુ દેશવ્યાપી નવા વરસાદી અનુમાનથી આગામી અઠવાડિયાઓ ખાસ મહત્વના બની ગયા છે. સ્કાયમેટે 17 ઑગસ્ટે 2026ના સમગ્ર ચોમાસા માટે વરસાદનો અંદાજ ઘટાડીને LPAના 85% કર્યો છે અને 70% દુષ્કાળની શક્યતા દર્શાવી છે.

સ્કાયમેટના અનુમાન પ્રમાણે ઑગસ્ટમાં દેશભરમાં વરસાદ LPAના 84%, જ્યારે સપ્ટેમ્બરમાં માત્ર 80% રહી શકે છે. વધતું El Niño ચોમાસાના અંતિમ તબક્કા માટે ચિંતાનો મુદ્દો બની રહ્યું છે, જ્યારે Positive Indian Ocean Dipole એટલે કે IOD તરફથી થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં જૂન-જુલાઈ દરમિયાન વરસાદી સ્થિતિ એકસરખી રહી નહોતી. દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જુલાઈની શરૂઆતમાં માત્ર 24 કલાકમાં સુરત, વલસાડ અને નવસારીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં 147 મિમી, સુરત શહેરમાં 137 મિમી અને વલસાડમાં 134 મિમી વરસાદ નોંધાયો હતો.

આ પછી ઑગસ્ટમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ સક્રિય રહી. 11થી 12 ઑગસ્ટ દરમિયાન રાજ્યના 119 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં પંચમહાલના શેહરામાં 5.43 ઇંચ વરસાદ પડ્યો હતો.

એટલે હાલ ગુજરાતમાં સીધો “દુષ્કાળ આવી રહ્યો છે” એવો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. રાજ્ય માટે સૌથી મહત્વનું એ રહેશે કે ઑગસ્ટના અંતિમ દિવસો અને સપ્ટેમ્બરમાં વરસાદ કેટલો અને ક્યાં વિસ્તારોમાં થાય છે. ખાસ કરીને ખેડૂતો, જળસંગ્રહ અને પાક માટે ચોમાસાના અંતિમ તબક્કાની ગતિવિધિ મહત્વની રહેશે.

રાખડી બાંધતા પહેલાં આ વાત ભૂલતા નહીં! ભદ્રા અંગેની આ માન્યતા પાછળની કહાની શું છે?

રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા પહેલાં જો તમારા મનમાં પણ એક જ સવાલ હોય કે “ભદ્રા તો નથી ને?”, તો આ જાણકારી તમારા માટે ખૂબ મહત્વની છે. કારણ કે 2026ના રક્ષાબંધન પહેલાં ભદ્રાને લઈને ચાલી રહેલી ચર્ચા પાછળ માત્ર પંચાંગ જ નહીં, પરંતુ એક રસપ્રદ પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે.

પંચાંગ મુજબ 28 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધન ઉજવાશે. પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટ સવારે 9:08 વાગ્યે શરૂ થઈને 28 ઓગસ્ટ સવારે 9:48 વાગ્યે પૂર્ણ થશે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્થળોના પંચાંગ મુજબ આ દિવસે ભદ્રા સૂર્યોદય પહેલાં જ પૂર્ણ થઈ જશે. તેથી રક્ષાબંધનના દિવસે ભદ્રાનો અવરોધ રહેવાનો નથી. જોકે, રાખડી બાંધવાનો સ્થાનિક શુભ સમય શહેર પ્રમાણે થોડો બદલાઈ શકે છે.

ભદ્રા શું છે?

હિંદુ પંચાંગમાં ભદ્રા એટલે ‘વિષ્ટિ કરણ’ તરીકે ઓળખાતો સમયગાળો. પંચાંગની માન્યતા મુજબ તેને શુભ કાર્યો માટે ટાળવામાં આવે છે, ખાસ કરીને રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે. ભદ્રા પૌરાણિક કથાઓમાં સૂર્યદેવ અને છાયાની પુત્રી તરીકે વર્ણવાય છે. તેમને ઉગ્ર સ્વભાવ ધરાવતી દેવી તરીકે દર્શાવવામાં આવે છે અને કહેવાય છે કે તેમના પ્રભાવથી માંગલિક કાર્યોમાં વિઘ્ન આવે છે. આ વર્ણન ધાર્મિક પરંપરા અને લોકમાન્યતા પર આધારિત છે, ઐતિહાસિક પુરાવા પર નહીં.

ભદ્રામાં રાખડી કેમ ન બાંધાય?

ધાર્મિક પરંપરા અનુસાર ભદ્રા દરમિયાન રાખડી બાંધવી શુભ માનાતી નથી. એવી માન્યતા છે કે આ સમયે કરેલા શુભ કાર્યમાં વિઘ્ન આવી શકે છે. તેથી ભાઈ-બહેનના પવિત્ર બંધનના આ તહેવારમાં ભદ્રા પૂરી થયા બાદ જ રાખડી બાંધવાની પરંપરા વિકસેલી છે. પંચાંગ આધારિત સ્ત્રોતો પણ રક્ષાબંધન વિધિ ભદ્રા દરમિયાન ન કરવાની સલાહ આપે છે.

2026માં રાહતની વાત એ છે કે 28 ઓગસ્ટના રક્ષાબંધન દિવસે ભદ્રા સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થઈ જશે. એટલે પરિવારજનો ભદ્રાની ચિંતા વિના પંચાંગમાં દર્શાવેલા શુભ મુહૂર્તમાં રાખડી બાંધી શકશે.

ભદ્રા અંગેની માન્યતાઓ ધાર્મિક પરંપરાનો ભાગ છે; વૈજ્ઞાનિક રીતે તે દરમિયાન રાખડી બાંધવાથી અનિષ્ટ થાય છે એવું સાબિત નથી. પરિવારો માટે પંચાંગ માર્ગદર્શક બની શકે.

આજે એકસાથે 3 ધાર્મિક સંયોગ! મંગળા ગૌરી વ્રત અને કલ્કિ જયંતિ સાથે જાણો આજનું પંચાંગ

આજનું પંચાંગ, 18 ઓગસ્ટ 2026: આજનો દિવસ ગુજરાતના ભક્તો માટે ધાર્મિક રીતે ખાસ છે. મંગળવારની હનુમાન ઉપાસના સાથે આજે સાવનનું ત્રીજું મંગળા ગૌરી વ્રત અને કલ્કિ જયંતિ પણ આવી છે. એટલે ઉપવાસ, પૂજા અને શુભ કાર્ય માટે આજના પંચાંગને જાણવું વધુ મહત્વનું બની જાય છે. પંચાંગ મુજબ આજે શ્રાવણ શુક્લ પક્ષની ષષ્ઠી તિથિ સાંજે લગભગ 5:50 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ સપ્તમી શરૂ થશે. સ્વાતિ નક્ષત્ર અને તૈતિલ કરણની સ્થિતિ પણ આજે રહેશે.

મંગળા ગૌરી વ્રત ખાસ કરીને સુખી દાંપત્ય, પતિના દીર્ઘ આયુષ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. જ્યારે મંગળવાર હનુમાનજીને સમર્પિત હોવાથી ભક્તો હનુમાનજીને સિંદૂર, ચમેલીનું તેલ અને લાલ ફૂલ અર્પણ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે છે. આજે કલ્કિ જયંતિ હોવાથી ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારની પૂજા કરવાનું પણ ધાર્મિક મહત્વ છે.

આજના શુભ મુહૂર્ત: બ્રહ્મ મુહૂર્ત વહેલી સવારે રહેશે. અભિજિત મુહૂર્ત બપોરે 11:59થી 12:52 સુધી, વિજય મુહૂર્ત 2:36થી 3:29 સુધી અને અમૃત કાળ રાત્રે 9:19થી 11:02 સુધી રહેશે. આ સમય શુભ કાર્યો અને ધાર્મિક અનુષ્ઠાન માટે અનુકૂળ માનવામાં આવે છે.

અશુભ સમય: આજે રાહુકાળ બપોરે 3:42થી 5:20 સુધી, યમગંડ સવારે 9:09થી 10:47 સુધી અને ગુલિક કાળ 12:26થી 2:04 સુધી રહેશે. આ દરમિયાન નવા શુભ કાર્યની શરૂઆત ટાળવાની પરંપરા છે. આજનું દિશાશૂલ ઉત્તર દિશામાં રહેશે.

સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્ર સમય શહેર પ્રમાણે થોડો બદલાઈ શકે છે. તેથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સ્થાનિક પંચાંગ પ્રમાણે કેટલાક મુહૂર્તમાં થોડા મિનિટનો ફરક જોવા મળી શકે છે. ઉપરની તિથિ, વ્રત અને મુખ્ય પંચાંગ વિગતો ગુજરાતભરના સામાન્ય ઉપયોગ માટે છે.

જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે વન ડે વન યુનિવર્સિટી કાર્યક્રમ હેઠળ યુવા શક્તિ સાથે સંવાદ કર્યો

આજે સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (SVNIT) ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે વન ડે વન યુનિવર્સિટી કાર્યક્રમ હેઠળ દેશની યુવા શક્તિ સાથે સંવાદ કર્યો હતો. એસવીએનઆઈટી ખાતે યુવા વિદ્યાર્થીઓ સાથે સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર જલ, હર ઘર સ્વચ્છતા’ના સંકલ્પ અને ‘જલ સંચય જન ભાગીદારી’ના માધ્યમથી જળ સંરક્ષણને જન આંદોલન બનાવવાના વિઝનની ચર્ચા કરી હતી. એસવીએનઆઈટીના વિદ્યાર્થીઓના જળ અને સ્વચ્છતા સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે કરેલા શોધ સંશોધનો અને નવા વિચારો જાણ્યા હતા. નવી પેઢીના વિચારો જાણીને કેન્દ્રીય મંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આપણી યુનિવર્સિટી અને કોલેજો સંશોધન અને વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રો છે. આ સંસ્થાઓની દેશની સમસ્યાઓના વ્યવહારિક તથા ઓછા ખર્ચાળ ઉકેલ શોધવા માટે સક્રિય ભાગીદારી ખૂબ જ મહત્વની છે. મને વિશ્વાસ છે કે યુવા શક્તિ, વિજ્ઞાન, સંશોધન અને જનભાગીદારીથી આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળ સુરક્ષા અને સ્વચ્છ ભારતના સંકલ્પને ઝડપથી આગળ વધારીશું.

ભાજપની નવી ટીમ જાહેર: નિતિન નવીનની ટીમમાં વસુંધરા રાજે-સ્મૃતિ ઈરાની સહિત દિગ્ગજોને સ્થાન

0

BJP New Team Announced: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભાજપની નવી રાષ્ટ્રીય કોર કમિટી પણ પસંદ કરવામાં આવી છે. નવી ટીમમાં મહિલાઓને ખાસ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

વસુંધરા રાજે અને રામ માધવને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. બી.એલ. સંતોષને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન)ના પદ પર યથાવત રાખવામાં આવ્યા છે.

દિલ્હી MCDના પૂર્વ સિનિયર નેતા જય પ્રકાશ અને DDAના સભ્ય રાજીવ બબ્બરને પણ મહત્વની જવાબદારી આપવામાં આવી છે. જોકે, દિલ્હીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને નવી ટીમમાં સ્થાન મળ્યું નથી.

આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા સંદીપ પાઠકને પણ ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે.

13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહાસચિવ

ભાજપની નવી ટીમમાં એમ. નાગરાજા, લાલસિંહ આર્ય અને વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બૈજયંત જય પાંડા, રેખા વર્મા અને મધુચંદ્રને પણ ટીમમાં યથાવત રાખવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભારતી પવાર, મનપ્રીત સિંહ બાદલ અને તારિક મન્સૂરને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપે બી.એલ. સંતોષને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન)ના પદ પર યથાવત રાખ્યા છે.

CJP બાદ હવે ‘દિમાગી નક્સલ પાર્ટી’નું Instagram અકાઉન્ટ ચર્ચામાં, 24 કલાકમાં 1.7 લાખથી વધુ ફોલોઅર્સ

0

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) બાદ હવે ‘દિમાગી નક્સલ પાર્ટી’ નામનું એક નવું અકાઉન્ટ ચર્ચામાં આવ્યું છે. આ અકાઉન્ટે માત્ર 24 કલાકમાં 1.7 લાખથી વધુ ફોલોઅર્સ મેળવી લીધા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Instagram પર ઉપલબ્ધ માહિતી મુજબ, આ અકાઉન્ટ આ જ મહિને બનાવવામાં આવ્યું છે. અકાઉન્ટના લોગ પરથી જાણવા મળે છે કે તેનું યુઝરનેમ એક વખત બદલવામાં આવ્યું હતું. અકાઉન્ટ પર અત્યાર સુધીમાં 63 પોસ્ટ કરવામાં આવી છે, જ્યારે તે લગભગ 35 લોકોના અકાઉન્ટને ફોલો કરે છે. જોકે, આ અકાઉન્ટનું સંચાલન કોણ કરી રહ્યું છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.

કેવી રીતે ચર્ચામાં આવી ‘દિમાગી નક્સલ પાર્ટી’?

આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના પોતાના ભાષણમાં સશસ્ત્ર નક્સલવાદનો ઉલ્લેખ કરતા ‘દિમાગી નક્સલીઓ’થી પણ સતર્ક રહેવાની વાત કરી હતી. ત્યારબાદ ‘દિમાગી નક્સલ પાર્ટી’ નામના Instagram અકાઉન્ટની ચર્ચા શરૂ થઈ છે. Instagram પર આ નામથી એકથી વધુ અકાઉન્ટ પણ જોવા મળી રહ્યા છે.

PM મોદીએ શું કહ્યું હતું?

લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધનમાં PM મોદીએ કહ્યું હતું કે, જંગલોમાં હથિયાર ઉઠાવનારા નક્સલીઓનો અંત થયો હોય, પરંતુ ‘દિમાગી નક્સલ’ હજુ પણ તકની શોધમાં છે. તેઓ હિંસાના નવા રસ્તા શોધી દેશને ખોટી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકોની ઓળખ કરી તેમને અલગ પાડવાની જરૂર છે.

કોણ છે ‘દિમાગી નક્સલી’? કિરણ રિજિજુએ આપી ઓળખ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પોતાની પોસ્ટમાં ‘દિમાગી નક્સલ’ શબ્દનો અર્થ સમજાવતા જણાવ્યું હતું કે આ શબ્દ એવા લોકો માટે વપરાય છે, જેઓ માઓવાદીઓનું સમર્થન કરે છે અને ભારતીય બંધારણને સ્વીકારતા નથી. તેઓ અલગતાવાદીઓની સાથે ઊભા રહે છે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370નું સમર્થન કરે છે અને ભારતના ઉત્તર-પૂર્વને દેશના બાકીના ભાગથી અલગ કરવા માટે ‘ચિકન નેક’ કાપવાના કાવતરાને સમર્થન આપે છે.

બિહારમાં ગંગામાં 7 બાળકી ડૂબી, 3ના મૃતદેહ મળ્યા; એકની શોધખોળ ચાલુ

0

પટનાના બાઢ અનુમંડળના બખ્તિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રાવણના સોમવારે ગંગા સ્નાન દરમિયાન 7 બાળકી ડૂબી ગઈ હતી. સ્થાનિક લોકોએ 3 બાળકીઓને બચાવી લીધી હતી, જ્યારે 4 બાળકી લાપતા થઈ હતી. હવે લાપતા થયેલી 4માંથી બબલી કુમારી, નંદની કુમારી અને રાધિકા કુમારીના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે આરતી કુમારીની શોધખોળ હજુ ચાલુ છે.

ગંગા સ્નાન દરમિયાન એક પછી એક બાળકી ડૂબવા લાગી

ઘટના સોમવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યે રાણીસરાય ગામ નજીક બની હતી. શ્રાવણના સોમવારને પગલે ગામની 7 બાળકી એકસાથે ગંગા સ્નાન કરવા ગઈ હતી. સ્નાન દરમિયાન એક બાળકી અચાનક ઊંડા પાણીમાં જતાં ડૂબવા લાગી હતી. તેને બચાવવાના પ્રયાસમાં અન્ય બાળકીઓ પણ પાણીમાં આગળ વધી હતી અને એક પછી એક ડૂબવા લાગી હતી.

બાળકીઓને ડૂબતી જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક નદીમાં ઉતરી બચાવ કામગીરી શરૂ કરી હતી. ગ્રામજનોએ 3 બાળકીઓને સુરક્ષિત બહાર કાઢી હતી, જ્યારે 4 બાળકી ઊંડા પાણીમાં લાપતા થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં બખ્તિયારપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી.

3ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ

લાપતા થયેલી બબલી કુમારી, નંદની કુમારી અને રાધિકા કુમારીના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 14 વર્ષની આરતી કુમારીની શોધખોળ હજુ ચાલુ છે. પોલીસ, સ્થાનિક તરવૈયાઓ અને પ્રશાસનની ટીમ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. બચાવ કામગીરીમાં SDRFની ટીમને પણ જોડવામાં આવી છે.

ગેરકાયદે ખનનના કારણે ઊંડા ખાડા હોવાનો સ્થાનિકોનો દાવો

સ્થાનિક લોકોએ ગંગા નદીમાં કથિત ગેરકાયદે ખનનના કારણે નદી કિનારે અને પાણીની અંદર ઊંડા ખાડા સર્જાયા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમનો દાવો છે કે સ્નાન દરમિયાન બાળકીઓ આ ઊંડા ભાગમાં પહોંચી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, અકસ્માતનું વાસ્તવિક કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

બખ્તિયારપુરના થાનાધ્યક્ષ દેવાનંદ શર્માના જણાવ્યા મુજબ, એક બાળકી ડૂબવા લાગ્યા બાદ તેને બચાવવાના પ્રયાસમાં અન્ય બાળકીઓ પણ પાણીમાં આગળ વધી હતી અને એક પછી એક ડૂબવા લાગી હતી. સ્થાનિક લોકોએ 3 બાળકીઓને બચાવી લીધી હતી, જ્યારે બાકીની બાળકીઓની શોધખોળ હાથ ધરાઈ હતી.

ગુજરાત ભાજપની ધુંધવાતી યાદવાસ્થળીમા સૌથી વધુ નુકસાન સુરતે સહન કરવું પડશે

કેન્દ્રીય મંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી, વિધાનસભા ઉપાધ્યક્ષ સહિત મંત્રીઓની અને નેતાઓની ફોજ છે, પરંતુ સુરતીઓના વાજબી પ્રશ્નોનો પણ ઉકેલ આવતો નથી

આંતરિક ગજગ્રાહમાં અહમ્ એટલી હદે હાવી થઈ ગયો છે કે, કારણ વગર કોઈ કોઈની સાથે વાત કરવા ઇચ્છતા નથી, એક સમયે આ જ લોકો એક ‌‌ડિશમાં નાસ્તો કરતા હતા

હર્ષ સંઘવીની રાજકીય પ્રગતિનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે, પરંતુ હર્ષ ક્યારે અને કોની સાથે કઈ રીતે વર્તવું એ વાતથી બિલકુલ સભાન છે, કારણ હર્ષ સંઘવીએ હજુ ઘણી લાંબી મંજિલ કાપવાની બાકી છે

આ તરફ અનેક ચડતી-પડતીમાંથી પસાર થઈને સર્વોચ્ચ ટોચ ઉપર પહોંચેલા સી.આર. પાટિલની રાજકીય પીઢતા ઓછી આંકી શકાય તેમ નથી, ભૂતકાળમાં એક તબક્કે સી.આર. પાટિલ કોરાણે થઈ ગયા હતા અને પૂર્વ મંત્રી નરોત્તમ પટેલે તો ત્યાં સુધી કહ્યું હતું કે, કાશીરામના પેગડામા પગ ઘાલવાની સી.આર. પાટિલની તાકાત નથી, પરંતુ ત્યાર પછીની બદલાયેલી રાજકીય સ્થિતિનું સુરત સાક્ષી છે

આમ તો સુરતને ગુજરાતની આર્થિક રાજધાની,મિની ભારત, ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, બ્રિજ સિટી વગેરે વગેરે ઘણા નામથી ઓળખવામાં આવે છે. તળસુરતીઓની વસ્તી ઘટીને કદાચ ૧૫ ટકા માંડ-માંડ બચી હશે. બીજી તરફ ૮૫ લાખની ફાટફાટ વસ્તીથી ઉભરાતા સુરત પાસે પોતીકા ૧૦ ધારાસભ્યો અને બે સાંસદ સભ્યો છે. આ પૈકી સી.આર. પાટિલ કેન્દ્રીય મંત્રી છે અને ભાજપના ખમતીધર ગણો કે મજબૂત ‘ધરી’ પણ છે. જ્યારે હર્ષ સંઘવી રાજ્યના મજબૂત અને યુવાન, ઉત્સાહી નાયબ મુખ્યમંત્રી છે. પ્રફુલ્લ પાનશેરિયા રાજ્યના આરોગ્ય મંત્રી છે. જ્યારે પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ છે. આ ઉપરાંત ત્રણ-ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ સુરતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

પરંતુ પાછલા કેટલાક સમયથી સુરતનું જાણે કોઈ ધણીધોરી નથી. સી.આર. પાટિલને પ્રદેશ પ્રમુખપદેથી દૂર કર્યા બાદ જાણે આખું સુરત નેપથ્યમાં ધકેલાઈ ગયું છે. લાખો લોકોને રોજગારી આપનાર અને ભાજપના મજબૂત સમર્થક એવા સુરતના એટલી હદે બેહાલ થયા છે કે સુરતની સમસ્યા સાંભળનારું કોઈ નથી. કહેવા ખાતર કે દેખાવ ખાતર મંત્રીઓ, અધિકારીઓ આવન-જાવન કરે છે, પરંતુ સુરતની સમસ્યા, પ્રશ્નોની કોઈને પડી નથી. જાણે સુરત ગુજરાતનો હિસ્સો જ નથી.

ભાજપનો આંતરિક ગજગ્રાહ હવે ખાનગી રહ્યો નથી. સુરત ભાજપની હાલત એવી છે કે, ભાજપ કાર્યાલયમાં પેન્સિલ ખરીદવી હોય તો પ્રદેશ કાર્યાલયમાંથી મંજૂરી મેળવવી પડે છે. સુરત મહાપાલિકા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની કામગીરીના એજન્ડા પ્રદેશ કાર્યાલયને મોકલવા પડે છે અને પ્રદેશમાંથી સૂચના મળે એ રીતે કામ કરવાનું રહે છે. દ‌‌િક્ષણ ગુજરાતની સહકારી સંસ્થાઓમાં પણ પ્રદેશના ઈશારે જ કામ કરવામાં આવે છે.
પરિણામે ક્રમશઃ લોકોના કામ થતાં નથી અને નેતાઓ પણ ગજગ્રાહને કારણે કોઈ એકબીજા સાથે વાત કરવા રાજી નથી. આટલી હદે સ્થિતિ વણસી જવાથી પ્રજા પીડાઈ રહી છે.

તાજેતરમાં સુરતમાં ખાડીના વિનાશક પૂરની ઘટના વખતે લગભગ દરેક નેતાએ પોતાનો અલગ અલગ ચોકો ઉભો કર્યો હતો. સી.આર. પાટિલ, હર્ષ સંઘવી પોતાની રીતે પૂર પીડિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સુરત આવ્યા હતા, પરંતુ તેની મુલાકાત માત્ર ઔપચારિક બની રહી હતી અને વહીવટી તંત્રને થોડી ઘણી સૂચનાઓ આપીને ફરજ પૂરી કરી હતી. સુરતે ભૂતકાળમાં તાપીની રેલ, ખાડીના પૂર, પ્લેગ, કોરોના જેવી મહામારી જોઈ હતી, પરંતુ એ દિવસોમાં ‘ભાજપ નામે એક’ થઈને કામ કરાતું હતું. ભાજપ કાર્યાલય કાર્યકરોથી ઉભરાતું રહેતું હતું. લોકોને મદદ પહોંચાડવા ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો કાદવ-કીચડ ખૂંદીને લોકો સુધી પહોંચતા હતા, પરંતુ હાલના બદલાયેલા સંજોગોમાં ભાજપમાં એકબીજાને પાડી દેવાનો કે હિસાબ ચૂકતે કરવાનો ખેલ ચાલી રહ્યો છે.

સુરતના ૧૦ ધારાસભ્યો પૈકી કુમાર કાનાણી, વિનુ મોર‌‌ડિયાનો અલગ ચોકો છે. જ્યારે બિચારા કાંતિ બલરને કોઈ પૂછવાવાળું નથી. અરવિંદ રાણા પાસે કોઈ લાંબા વિઝનની અપેક્ષા રાખી શકાય તેમ નથી. તેમના માટે ‘અશાંતધારો’ એકમાત્ર કામગીરી છે. આવી હાલત ઉધનાના ધારાસભ્ય મનુ પટેલની છે. મનુ પટેલ ભૂતકાળના કાપડ ઉદ્યોગના માથાભારે આગેવાન ગણાતા હતા, પરંતુ કોઈ ચમત્કારને કારણે તેઓ ધારાસભ્ય બની ગયા. પરંતુ તેમનું ધારાસભ્ય તરીકેનું કોઈ જ ‘કૌવત’ નથી. તેમની એવી કોઈ કામગીરી નથી કે જેની નોંધ લઈ શકાય.

આ બધાની વચ્ચે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, સંદીપ દેસાઈ, મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા અને સંગીતા પાટિલ પોતપોતાના મતક્ષેત્રમાં પ્રભાવક રહ્યાં છે. સંગીતા પાટિલની એટલી ‘ધાક’ છે કે, તેમના મતક્ષેત્રમાં પગ મૂકવાની કોઈ હિંમત કરી શકતું નથી અને ભૂલેચૂકે કોઈએ હિંમત કરી તો તેનુ આવી બને. ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈનો મત વિસ્તાર લિંબાયત બેઠકમાં પણ આવે છે, પરંતુ રીઢા રાજકારણી ગણાતા સંદીપ દેસાઈ પણ લિંબાયતમાં પગ મૂકતા ડરે છે. કેટલાંક લોકો સંગીતા પાટિલના મતવિસ્તારને કેન્દ્રશાસિત વિસ્તાર તરીકે ઓળખાવે છે. અલબત્ત, સંગીતા પાટિલની સતત અને સખત હાજરીને કારણે આજે પણ લિંબાયત મતક્ષેત્રમાં તેમની પકડ મજબૂત છે.

ભાજપને સંગઠનના માળખામાં અને સરકારના મંત્રી મંડળમાં ફેરબદલ બાદ પૂર્ણેશ મોદીએ પણ પોતાની જાતને સંકોરી લીધી છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ જેવું મજબૂત પદ તેમની પાસે છે, પરંતુ આ પદનો સુરતની પ્રજાને કોઈ ફાયદો નથી. પૂર્ણેશ મોદી તેમનો મતવિસ્તાર (સુરત પશ્ચિમ) સાચવીને બેઠા છે. જાણે તેઓ લક્ષ્મણરેખાની બહાર આવવા ઇચ્છતા નથી. જ્યારે ઓલપાડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુકેશ પટેલનું મંત્રીપદ ગયા બાદ જાણે તેઓ સાવ નિષ્ક્રિય બની ગયા છે. મુકેશ પટેલની હાલત ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી છે. કયા જૂથમાં રહેવું કે જવું એ તેમના માટે મોટો પ્રશ્ન છે. સી.આર. પાટિલ ગ્રુપના ગણાતા મુકેશ પટેલ આજકાલ સી.આર. પાટિલના કાર્યાલયમાં પણ જોવા મળતા નથી. આ તરફ સમગ્ર ભારતમાં એકમાત્ર બિનહરિફ ચૂંટાઈ આવેલા સાંસદ મુકેશ દલાલ પોતાની મસ્તીમાં જીવી રહ્યા છે.

ખેર, આ બધાની વચ્ચે ચમત્કા‌‌રિક ગુજરાતના રાજકારણ અને સરકારમાં સર્વોચ્ચ પદ સુધી પહોંચી ગયેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નાની ઉંમરમાં પીઢ રાજકારણી હોવાનો અહેસાસ કરાવી રહ્યા છે. હર્ષ સંઘવીએ હજુ ખૂબ લાંબી મંજિલ કાપવાની છે અને એટલે જ તેઓ કોઈ વિવાદમાં આવવા માંગતા નથી. કારણ, હર્ષ સંઘવીએ ગણતરીનાં વર્ષોના રાજકારણમાં ઘણા બદલાતા પ્રવાહો જોયા છે. હર્ષ સંઘવી યુવાન છે એટલે ઉત્સાહ અને તરવરાટ હોય શકે એ સ્વાભાવિક છે. પરંતુ આ તરવરાટ અને ઉત્સાહના અતિરેકમાં કોઈક ભૂલ કરવાથી તેમની પોઝિશન બદલાઈ શકે. આ બાબતે હર્ષ સંઘવી બિલકુલ સભાન છે. પરંતુ તેમનું રાજકીય વલણ બદલાયું છે, તેનો કોઈ જ ઈન્કાર કરી શકે તેમ છે.

આ બધાની વચ્ચે ફૂટપાથ ઉપરથી સીડીઓ ચડતા-ચડતા કેન્દ્રીય કેબિનેટ મંત્રીના સ્થાન સુધી પહોંચેલા સી.આર. પાટિલની રાજકીય તાકાતને અવગણી શકાય તેમ નથી. એક પોલીસ જવાનથી જીવનની કારકિર્દીની શરૂઆત કરનાર સી.આર. પાટિલે સામાજિક અને રાજકીય અનેક ચડતી-પડતી જોઈ છે. એક સમયે ભાજપના સુપ્રીમો ગણાતા કાશીરામ રાણા, ફકીર ચૌહાણનો સિતારો ચમકતો હતો ત્યારે સી.આર. પાટિલને ઘણાએ કોરાણે ઊભેલા જોયા હશે. એક સમયના ગુજરાત સરકારના મંત્રી નરોત્તમ પટેલ તો ત્યાં સુધી કહેતા હતા કે, કાશીરામ રાણાના પેગડામાં પગ મૂકવાની સી.આર. પાટિલની તાકાત નથી.

મતલબ નબળા સંજોગોમાં કોઈપણ ટપલીદાવ કરી જાય એ સી.આર. પાટિલ સારી રીતે જાણે છે, પરંતુ ટપલીદાવ કરનારની હાલત કેવી થઈ હતી તેનું આખું સુરત સાક્ષી રહ્યું છે. સી.આર. પાટિલનું જમા પાસું એ છે કે, એ કોઈના ખભાનો સહારો લેવાને બદલે પોતાની તાકાત ઉપર બાજી ખેલતા આવ્યા છે. ડાયમંડ જ્યુ‌‌બિલી બેંકકાંડ વખતે લગભગ બધાં જ એવુ માની રહ્યાં હતાં કે, સી.આર. પાટિલ હવે ફરી સક્રિય રાજકારણમાં નહીં આવે. પરંતુ વીતેલાં વર્ષોનો ઇતિહાસ સાક્ષી છે કે, સી.આર. પાટિલ પોતાનું રાજકીય સામ્રાજ્ય ઊભું કરવામાં સતત સફળ રહ્યાં છે. સી.આર. પાટિલ એક વખત પણ ચૂંટણી હાર્યા નથી. બલ્કે સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્ય બન્યા વગર સીધા સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સાથે કેન્દ્રીય કેબિનેટમાં વડાપ્રધાન મોદીના મંત્રી મંડળમાં મંત્રી બની ગયા છે.

સી.આર. પાટિલે વડાપ્રધાન મોદીનો વિશ્વાસ એટલી હદે સંપા‌‌િદત કર્યો છે કે, પ્રથમ હરોળના દસ મંત્રીઓમાં તેમનું સ્થાન છે અને હાલમાં વડાપ્રધાન મોદીનો મત વિસ્તાર વારાણસી તેઓ સંભાળી રહ્યા છે. સી.આર. પાટિલ માટે પક્ષમાં અને સમાજમાં ઘણી-ઘણી વાતો ચાલતી રહે છે. આ વાતમાં કદાચ તથ્ય પણ હોઈ શકે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, સી.આર. પાટિલ કોઈનો પણ ફોન ઉઠાવવામાં અને જવાબ આપવાના હંમેશાં આગ્રહી રહ્યા છે. તેમના વિરોધીઓ પણ આ વાત સ્વીકારશે કે કદાચ મિસ કોલ કર્યો હોય તો પણ સી.આર. પાટિલનો વળતો ફોન આવે જ.


ગુજરાત ભાજપની વર્તમાન વ્યવસ્થામાં સી.આર. પાટિલ વધુ પડતા સક્રિય દેખાતા નથી. પરંતુ પોતે નક્કી કરેલા કામ કરાવવામાં પીછો છોડતા નથી. આજે પણ સુરત અને દક્ષિણ ગુજરાતના મુદ્દે રાજ્ય સરકારે કોઈ નિર્ણય કરવો હોય તો સી.આર. પાટિલનો મત હંમેશાં લેવો પડે છે. બલ્કે એવું કહી શકાય છે કે, ગુજરાત ભાજપમાં હજુ પણ સી.આર. પાટિલનો ‘ખૌફ’ છે. સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલ એક કોર્પોરેટ કંપનીના સીઈઓ જેવા છે અને સી.આર. પાટિલનો પડછાયો માનવામાં આવે છે. અલબત્ત, પરેશ પટેલ કે કોઈનો પણ વ્યક્તિગત સ્વભાવ બદલવો શક્ય નથી. ‘પ્રાણ અને પ્રકૃતિ’ને ક્યારેય પણ જુદા પાડી શકાય નહીં.

India’s Got Latent કેસમાં મોટો ટ્વિસ્ટ! જાણો સુપ્રીમ કોર્ટનો નિર્ણય

‘India’s Got Latent’ વિવાદમાં સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. વર્ષ 2025માં શરૂ થયેલો આ વિવાદ અનેક FIR, પોલીસ તપાસ અને સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણીઓ સુધી પહોંચ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે સંબંધિત FIR અને ફોજદારી કાર્યવાહી રદ કરવાનો આદેશ આપતા આ હાઈ-પ્રોફાઇલ કેસમાં મોટો કાનૂની વળાંક આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે સમય રૈના અને અન્ય સામે દિવ્યાંગ વ્યક્તિઓ અંગે કરવામાં આવેલી કથિત અસંવેદનશીલ ટિપ્પણીઓ સાથે જોડાયેલી FIR રદ કરી છે. કોર્ટએ અગાઉ આપેલા નિર્દેશોના પાલનને પણ ધ્યાનમાં લીધું હતું. આ નિર્દેશોમાં દિવ્યાંગ વ્યક્તિઓ અંગે જાગૃતિ ફેલાવવી અને તેમના કલ્યાણ માટે ફંડ એકત્રિત કરવાના પ્રયાસો સામેલ હતા.

આ સમગ્ર વિવાદની શરૂઆત ‘India’s Got Latent’ના એક એપિસોડ બાદ થઈ હતી, જેમાં રણવીર અલ્હાબાદિયાની વાંધાજનક ટિપ્પણીઓ સામે ભારે વિરોધ થયો હતો. ત્યારબાદ તેમના વિરુદ્ધ અનેક FIR નોંધાઈ હતી. ફેબ્રુઆરી 2025માં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદિયાને ધરપકડથી વચગાળાની સુરક્ષા આપી હતી અને મામલાની તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. કોર્ટએ તેમની ટિપ્પણીઓને લઈને પણ કડક વલણ અપનાવ્યું હતું.

બીજી તરફ, દિવ્યાંગોને લઈને થયેલી ટિપ્પણીઓના કેસમાં સમય રૈના, વિપુલ ગોયલ, બલરાજ ઘાઈ, સોનાલી ઠક્કર અને નિશાંત તંવર સામે પણ કાર્યવાહી ચાલી રહી હતી. જુલાઈ 2026માં સુપ્રીમ કોર્ટે અગાઉના નિર્દેશોનું પાલન ન કરવા બદલ આ પાંચેય પર ₹3 લાખનો ખર્ચ ફટકાર્યો હતો.

હવે તાજા આદેશથી ‘India’s Got Latent’ સાથે જોડાયેલા લાંબા કાનૂની વિવાદને મોટો અંત મળ્યો છે. જોકે, કોર્ટની અગાઉની કડક ટિપ્પણીઓએ ઓનલાઈન કન્ટેન્ટ અને અભિવ્યક્તિની મર્યાદા અંગે મહત્વપૂર્ણ ચર્ચા પણ ઉભી કરી હતી.

પહેલીવાર ઓપરેશન સિંદૂર પર NSA અજિત ડોભાલનો ચોંકાવનારું નિવેદન

0

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ઓપરેશન સિંદૂર અંગે પહેલી વખત આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારતની ઉદારતા અને સહનશીલતાને નબળાઈ સમજવી મોટી ભૂલ હશે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે ત્યારે ભારત કડક નિર્ણય લેવા અને જરૂર પડે ત્યારે મોટું જોખમ ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે.

ડોભાલના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂરનો મુખ્ય હેતુ પહલગામ આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકી કેમ્પો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનો હતો. ભારતે 7 મે, 2025ના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoK)માં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલા કર્યા હતા. સરકારે તેને નિયંત્રિત કાર્યવાહી ગણાવી હતી.

આ કાર્યવાહી 22 એપ્રિલ, 2025ના પહલગામ આતંકી હુમલા બાદ કરવામાં આવી હતી, જેમાં 26 લોકોનાં મોત થયા હતા. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ વધ્યો અને 10 મે, 2025ના રોજ સાંજે 5 વાગ્યાથી જમીન, હવા અને સમુદ્રમાં સૈન્ય કાર્યવાહી રોકવા બંને દેશો વચ્ચે સહમતિ થઈ હતી.

ડોભાલનું નિવેદન સ્પષ્ટ કરે છે કે ભારતની નીતિમાં સંયમ છે, પરંતુ જરૂર પડે ત્યારે જવાબ આપવાની ક્ષમતા પણ એટલી જ મજબૂત છે.