Home Blog Page 59

NEET પેપર લીકનો ફરી ભંડાફોડ: ટેલિગ્રામ પર ફરતું અસલી પ્રશ્નપત્ર, ચાર આરોપી ઝડપાયા

0

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા, NEET, ફરી એકવાર હેડલાઇન્સમાં છે. ગયા મહિને, એક પેપર લીક થવાથી પરીક્ષા પ્રણાલી પર પ્રશ્નો ઉભા થયા હતા. આ મામલો એ હદ સુધી વધી ગયો કે પરીક્ષાની મોટા પાયે તપાસ શરૂ કરવામાં આવી, જેમાં અનેક રાજ્યોમાં અનેક ધરપકડો અને દરોડા પાડવામાં આવ્યા. હવે, 21 જૂને ફરીથી પરીક્ષા યોજાવાની છે તે પહેલાં, બિહારમાં બનેલી એક ઘટનાએ ઉમેદવારો અને વાલીઓની ચિંતામાં વધુ વધારો કર્યો છે.

મુઝફ્ફરપુરમાં, પોલીસે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જે NEET પરીક્ષાના કથિત પ્રશ્નપત્ર આપવાના નામે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ઓનલાઈન છેતરતી હતી. આ ટોળકી ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુવાનોને ફસાવતી હતી. પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આ પહેલા પણ ગેંગના મુખ્ય આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા ગ્રુપ અને ચેનલો ચલાવતા હતા જે NEET ના અધિકૃત પ્રશ્નપત્રો પૂરા પાડવાનો દાવો કરતા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપવામાં આવી હતી કે પરીક્ષા પહેલા પેપર પહોંચાડવામાં આવશે, અને બદલામાં, તેમની પાસેથી મોટી રકમ માંગવામાં આવી હતી. પરીક્ષાની તૈયારી કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો, સારા ભવિષ્યની આશામાં, આવા કૌભાંડોનો ભોગ બન્યા. આરોપીઓએ આ માનસિક નબળાઈનો લાભ લીધો અને છેતરપિંડીનું આખું નેટવર્ક સ્થાપ્યું.

એક ગુપ્ત માહિતી સમગ્ર સત્યનો ખુલાસો કરે છે
મુઝફ્ફરપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક કંતેશ કુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર, 2 જૂનના રોજ, પોલીસને એક ગુપ્ત માહિતી મળી હતી કે સિકંદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાર્યરત એક ગેંગ નકલી NEET પ્રશ્નપત્રો તૈયાર કરી રહી છે અને તેને ટેલિગ્રામ દ્વારા વેચી રહી છે. માહિતી મળતાં, પોલીસ ટીમે બાલુઘાટમાં એક ભાડાના મકાનમાં દરોડો પાડ્યો અને ગેંગના મુખ્ય આરોપી મનીષ ઝાની ધરપકડ કરી. શોધ દરમિયાન, તેના કબજામાંથી ચાર મોબાઇલ ફોન અને એક લેપટોપ મળી આવ્યો. પ્રારંભિક તપાસમાં ઘણા મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા મળી આવ્યા, જેનાથી કેસની ગંભીરતામાં વધારો થયો.

વિશેષ તપાસ ટીમની રચના
કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, SSP ના નિર્દેશ પર એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. શહેરના પોલીસ અધિક્ષકની દેખરેખ અને ASP સિટી-1 ના નેતૃત્વ હેઠળ, ટીમે ટેકનિકલ દેખરેખ અને માનવ ગુપ્ત માહિતીના આધારે તપાસ આગળ ધપાવી. મોબાઇલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને બેંકિંગ વ્યવહારોની તપાસ કર્યા પછી, પોલીસ ગેંગના અન્ય સભ્યોને ઓળખવામાં સફળ રહી. સતત કાર્યવાહી દરમિયાન, હર્ષ, અમન કુમાર અને કન્હૈયા કુમાર ઉર્ફે માનવની સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન, હર્ષ કનોડિયાની સિકંદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ભુજના માધાપરમાં 40 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર, છાશ પીધા બાદ તબિયત બગડી

ભુજ નજીક આવેલા માધાપરના ઐશ્વર્યાનગર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન આયોજિત બટુકભોજનમાં છાશ પીવાથી આશરે 40 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભોજન લીધા બાદ બાળકોની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, માધાપરના ઐશ્વર્યાનગર વિસ્તારમાં આવેલા એક મંદિરમાં અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો માટે સામૂહિક બટુકભોજન રાખવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારોના 40થી વધુ બાળકો પ્રસાદ ગ્રહણ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

ભોજન દરમિયાન પીરસવામાં આવેલી છાશ પીધા બાદ થોડા જ સમયમાં અનેક બાળકોને પેટમાં દુખાવો, ચક્કર આવવા તેમજ ઉલ્ટી-ઝાડાની ફરિયાદો શરૂ થઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં બાળકોની તબિયત લથડતા વાલીઓ અને આયોજકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો.

વાસી દહીંના કારણે ફૂડ પોઇઝનિંગની આશંકા
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છાશ બનાવવા માટે મોટી માત્રામાં દહીં બહારથી મંગાવવામાં આવ્યું હતું. ભારે ગરમી અને ભેજવાળા વાતાવરણના કારણે દહીં લાંબા સમય સુધી યોગ્ય ઠંડક વગર બહાર રાખવામાં આવ્યું હોવાની અથવા તે પહેલેથી જ વાસી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દહીંમાંથી તૈયાર કરાયેલી છાશ પીધા બાદ બાળકોમાં ફૂડ પોઇઝનિંગના લક્ષણો જોવા મળ્યા હોવાનું પ્રાથમિક તારણ છે.

તમામ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા
ઘટનાની ગંભીરતા જોતા અસરગ્રસ્ત બાળકોને ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક બાળરોગ નિષ્ણાતોની ટીમ તૈનાત કરીને સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલ સત્તાધીશોના જણાવ્યા મુજબ, સમયસર સારવાર મળી જતાં હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે અને તેઓ જોખમથી બહાર છે.

આરોગ્ય વિભાગે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ હરકતમાં આવી હતી. અધિકારીઓએ ઉપયોગમાં લેવાયેલા દહીં અને છાશના નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરી તપાસ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ રિપોર્ટ બાદ ફૂડ પોઇઝનિંગના ચોક્કસ કારણો સામે આવશે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સુરતના ડીંડોલીમાં 19 વર્ષની વિદ્યાર્થિનીનો આપઘાત

સુરત શહેરમાં આપઘાત અને હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે ડીંડોલી વિસ્તારમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. અઠવાલાઈન્સ સ્થિત પી.ટી. સાયન્સ કોલેજમાં MSc ITના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. લાંબા સમયથી માનસિક તણાવમાં રહેતી યુવતીના આપઘાતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

શ્રમજીવી પરિવારની દીકરીએ ભર્યું આ પગલું
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ડીંડોલી નવાગામ વિસ્તારમાં આવેલા શ્રીનાથજી નગરમાં રાહુલ દેવરે પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે. ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રાહુલ દેવરેની 19 વર્ષીય પુત્રી મોહિની પી.ટી. સાયન્સ કોલેજમાં MSc ITના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, મોહિની છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવનો સામનો કરી રહી હતી અને ઘરમાં પણ મોટાભાગે એકલી અને ગુમસુમ રહેતી હતી.

પિતાએ રૂમમાં જોયું તો પગ નીચેથી જમીન સરકી ગઈ
રવિવારે બપોરના સમયે પરિવારના સભ્યો પોતાના રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા. તે દરમિયાન મોહિનીએ પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેણે રૂમની બારી સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. થોડા સમય બાદ પિતા રાહુલ દેવરે રૂમ પાસે પહોંચ્યા ત્યારે પુત્રીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેઓ આઘાતમાં આવી ગયા હતા. આસપાસના લોકોની મદદથી યુવતીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

તબીબે મૃત જાહેર કરી, પોલીસે તપાસ શરૂ કરી
સ્મીમેર હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ મોહિનીને મૃત જાહેર કરી હતી. હોસ્પિટલ તરફથી ઘટનાની જાણ ડીંડોલી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. ડીંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પટનામાં કોચિંગ વિવાદ ગરમાયો: રોશન આનંદને જામીન, ખાન સરની કોચિંગ અચાનક બંધ

0

પટનાના સૌથી મોટા એજ્યુકેશન હબ મુસલ્લહપુર હાટ અને કિસાન કોલ્ડ સ્ટોરેજ કેમ્પસમાં શરૂ થયેલા કોચિંગ વિવાદમાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે. સોમવારે કોર્ટમાં બંને પક્ષના વકીલો વચ્ચે થયેલી દલીલો બાદ ‘જ્ઞાનબિંદુ જીએસ એકેડમી’ના ડિરેક્ટર રોશન આનંદને જામીન મળી ગયા હતા. આ પછી તરત જ ખાન સરની ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ કોચિંગ સંસ્થાને અચાનક બંધ કરી દેવામાં આવી હતી. ક્લાસ માટે આવેલા સેંકડો વિદ્યાર્થીઓ કોચિંગ બંધ થતાં મુશ્કેલીમાં મુકાયા હતા.

કોચિંગ બંધ થતાં વિદ્યાર્થીઓ પરેશાન
જ્ઞાનબિંદુના ડિરેક્ટર રોશન આનંદને જામીન મળ્યાના સમાચાર વચ્ચે ખાન સરની કોચિંગ સંસ્થા ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ના મેનેજમેન્ટે અચાનક વિદ્યાર્થીઓને તેમના મોબાઈલ ફોન અને કોચિંગ એપ દ્વારા નોટિસ મોકલી હતી. નોટિસમાં વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી હતી કે હાલ પૂરતું કોચિંગ સેન્ટર બંધ રાખવામાં આવી રહ્યું છે. આ અચાનક લેવાયેલા નિર્ણયથી અજાણ વિદ્યાર્થીઓ જ્યારે કોચિંગ સેન્ટર પહોંચ્યા ત્યારે બંધ દરવાજા જોઈ તેઓ નિરાશ થઈ ગયા હતા.

કોચિંગની બહાર ઉભેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “સવારેથી ઘણા વિદ્યાર્થીઓ કોચિંગ માટે આવી રહ્યા છે. કદાચ એપ પર નોટિસ આવી હતી, પરંતુ ઘણા વિદ્યાર્થીઓએ તે જોઈ નહોતી. બંને શિક્ષકો પોતાની જગ્યાએ સારા છે, પરંતુ આવા વિવાદોમાં તેમને પડવું જોઈએ નહીં. આ સમગ્ર મામલાથી વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે અને અમારો અભ્યાસક્રમ પાછળ રહી રહ્યો છે. આ વિવાદ જલ્દીથી સમાપ્ત થવો જોઈએ. બંને સર પોતાની જગ્યાએ ખૂબ સારા છે, પરંતુ શિક્ષકોએ આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ. વિદ્યાર્થીઓ માત્ર એટલું જ ઇચ્છે છે કે બધું જલ્દી સામાન્ય બને અને કોચિંગ સમયસર શરૂ થાય.”

કોર્ટમાંથી રોશન આનંદને મળ્યા જામીન
કોર્ટમાં લાંબી કાનૂની દલીલો બાદ સોમવારે જ્ઞાનબિંદુ જીએસ એકેડમીના ડિરેક્ટર રોશન આનંદની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. સુનાવણી બાદ વકીલ રમાકાંત શર્માએ જણાવ્યું હતું કે, કોર્ટ દ્વારા કેસ ડાયરીની સમીક્ષા કર્યા બાદ એવું માનવામાં આવ્યું કે રોશન આનંદ પર માત્ર કાવતરું રચવાનો આરોપ છે અને તેઓ ઘટનાના સમયે સ્થળ પર હાજર નહોતા.

આ સાથે કોર્ટે બંને પક્ષોને કડક શબ્દોમાં સૂચના આપતાં જણાવ્યું હતું કે શિક્ષકોએ શિક્ષક જેવા જ વર્તન કરવું જોઈએ. સ્પર્ધા હંમેશા સ્વસ્થ હોવી જોઈએ અને તેમાં કોઈપણ પ્રકારના ગુનાહિત વર્તન માટે સ્થાન હોવું જોઈએ નહીં.

મહારાષ્ટ્રમાં શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ કૂવામાં ખાબકી, 14 લોકોના કરુણ મોત

0

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આવેલા માલશિરસ તાલુકાના તાંડલવાડી ગામ નજીક મ્હાસવડ-પંઢરપુર માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ વાન અચાનક રસ્તા કિનારે આવેલા કૂવામાં ખાબકતા 14 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકો તમામ પંઢરપુર વિસ્તારના રંજની ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.

પિકઅપ વાન કૂવામાં ખાબકતા 14 લોકોના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, પિકઅપ વાનમાં સવાર તમામ લોકો હસવાડ ખાતે આવેલા સિદ્ધનાથ મંદિરના દર્શન કરીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તાંડલવાડી ગામ નજીક ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતા પિકઅપ સીધી રસ્તા બાજુના કૂવામાં ખાબકી હતી. કૂવો પાણીથી ભરેલો હોવાથી વાહનમાં સવાર લોકો બહાર નીકળી શક્યા નહોતા અને ડૂબી જવાથી 14 લોકોના મોત થયા હતા.

મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ
અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 8 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 4 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં બે લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

કૂવા પાસે રેલિંગ ન હોવાને કારણે સર્જાઈ દુર્ઘટના
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્યાં અકસ્માત થયો તે કૂવાની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ નહોતી. પરિણામે વાહન સીધું કૂવામાં ખાબક્યું હતું. વધુમાં, વાહનમાં તેની ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

વહીવટી તંત્ર અને પોલીસની કાર્યવાહી શરૂ
અકસ્માતની જાણ થતાં જ વહીવટી તંત્ર, પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયેલો છે. વહીવટી તંત્ર દ્વારા મૃતકોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે ઘાયલોને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.

અમેરિકાના મિસોરીમાં ભયાનક વિમાન દુર્ઘટના, 12 સ્કાઈડાઈવર્સના મોત

અમેરિકાના મિસોરી રાજ્યમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં સવારે એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત મિસોરીના બટલર મેમોરિયલ એરપોર્ટ નજીક સ્થાનિક સમય અનુસાર સવારે 11:30 વાગ્યે થયો હતો. દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ લોકો સ્કાઈડાઈવર્સ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, તમામ સ્કાઈડાઈવર્સ પ્લેનમાં સવાર થઈને સ્કાઈડાઈવિંગ માટે આકાશમાં જઈ રહ્યા હતા. જોકે, ટેક-ઓફ થયાના થોડા જ સમય બાદ વિમાન અચાનક ક્રેશ થઈને રોડ કિનારે આવેલા એક ખાલી મેદાનમાં ખાબક્યું હતું. જમીન સાથે અથડાતાની સાથે જ વિમાનમાં જોરદાર ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી, જેના કારણે વિમાનના ટુકડા-ટુકડા થઈ ગયા હતા.

મિસોરી હાઈવે પેટ્રોલિંગ ટીમના સાર્જન્ટ જસ્ટિન ઈવિંગે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાન પેસિફિક એરોસ્પેસનું P-750 સ્કાઈડાઈવિંગ પ્લેન હતું. અકસ્માતની જાણ થતાં જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું અને એકપણ મુસાફરને બચાવી શકાયો ન હતો.

બેટ્સ કાઉન્ટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના ડાયરેક્ટર તથા એક્ટિંગ એરપોર્ટ મેનેજર ડેનિસ જેકોબ્સના જણાવ્યા મુજબ, ઉડાન ભર્યા બાદ વિમાન કદાચ ડાબી બાજુ વળ્યું હશે, જેના કારણે પવનના દબાણને કારણે તેની ગતિ અને શક્તિમાં ઘટાડો થયો હતો. પાયલટે વિમાનને ઇમરજન્સી લેન્ડ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન તેણે વિમાન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે વિમાન ઝડપથી નીચે પટકાયું અને જમીન સાથે અથડાતાં જ તેમાં આગ લાગી ગઈ હતી. જોકે, અકસ્માતના ચોક્કસ કારણોની સત્તાવાર તપાસ હજુ બાકી છે.

સર્ચ ઓપરેશન દરમિયાન એવા કોઈ પુરાવા મળ્યા નથી કે અકસ્માત પહેલાં કોઈ મુસાફરે પેરાશૂટ વડે વિમાનમાંથી છલાંગ લગાવી હોય. દુર્ઘટનાગ્રસ્ત વિમાન પેસિફિક એરોસ્પેસ 750XL મોડેલનું હતું. વર્ષ 2010માં બનાવવામાં આવેલું આ સિંગલ-એન્જિન ટર્બોપ્રોપ વિમાન 17 લોકોનું વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ વિમાનનો ઉપયોગ મુખ્યત્વે સ્કાઈડાઈવિંગ, કાર્ગો પરિવહન, એરિયલ સર્વે તેમજ મેડિકલ ઇવેક્યુએશન માટે કરવામાં આવે છે.

E100 ફ્યુઅલને મંજૂરી: 100% ઇથેનોલ પર દોડશે વાહનો, ગડકરીના મોટા નિર્ણયથી ઊર્જા ક્ષેત્રમાં નવી ક્રાંતિ

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ઇંધણ પુરવઠા પર વધતા દબાણ વચ્ચે ભારતે વૈકલ્પિક ઇંધણ ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે 100 ટકા ઇથેનોલ ફ્યુઅલને લીલી ઝંડી આપી દીધી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે હવે ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી ધરાવતા વાહનોમાં E100 એટલે કે 100 ટકા ઇથેનોલ ફ્યુઅલના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે, જેના કારણે દેશમાં શુદ્ધ ઇથેનોલ ઇંધણના ઉપયોગનો માર્ગ ખુલ્લો થયો છે.

ભારત પહેલેથી જ નિર્ધારિત સમય પહેલાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય હાંસલ કરી ચૂક્યું છે. સરકારનો દાવો છે કે તેના કારણે ક્રૂડ ઓઇલની આયાત પર થતો ખર્ચ ઘટ્યો છે અને દેશને 1 લાખ કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. આ સફળતાથી પ્રોત્સાહિત સરકાર હવે 100 ટકા ઇથેનોલ આધારિત પરિવહન વ્યવસ્થાની દિશામાં આગળ વધી રહી છે.

ગડકરીએ શું કહ્યું?
નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ જણાવ્યું કે, “મને ખુશી છે કે ગઈકાલે રાત્રે 8 વાગ્યે મેં 100 ટકા ઇથેનોલના કાનૂની ઉપયોગને મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે.” તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે લોકો આ વિચાર પર હસતા હતા અને ઇથેનોલ પ્રોજેક્ટને રોકવા માટે નકારાત્મક અભિયાન પણ ચલાવવામાં આવતું હતું, પરંતુ હવે આ સપનું હકીકત બનતું જોવા મળી રહ્યું છે.

અનેક કંપનીઓ લાવશે ઇથેનોલ પર ચાલતા વાહનો
દેશની અનેક મોટી ઓટોમોબાઇલ કંપનીઓ હવે 100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનો બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં મારુતિ સુઝુકીની લોકપ્રિય વેગનઆરનું ફ્લેક્સ-ફ્યુઅલ વેરિઅન્ટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોન્ચ કર્યું હતું. બીજી તરફ, હીરો મોટોકોર્પ પણ ઇથેનોલ આધારિત ફ્લેક્સ-ફ્યુઅલ મોટરસાઇકલની નવી શ્રેણી રજૂ કરી ચૂકી છે, જેમાં સ્પ્લેન્ડર અને HF ડિલક્સનો સમાવેશ થાય છે.

આગામી બે મહિનામાં આવશે નવા વાહનો
ગડકરીએ જણાવ્યું કે, “આગામી બે મહિનામાં અનેક ઓટોમોબાઇલ કંપનીઓ 100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનો લોન્ચ કરશે.” તેમના જણાવ્યા મુજબ ટોયોટા, સુઝુકી, એમજી અને હ્યુન્ડાઇ જેવી કંપનીઓ પણ આગામી દોઢ મહિનામાં ઇથેનોલ કમ્પ્લાયન્ટ વાહનો બજારમાં ઉતારી શકે છે.

સરકારના ઇથેનોલ મિશનને ગતિ આપવા માટે દેશભરમાં વિશેષ ઇથેનોલ પેટ્રોલ પંપનું નેટવર્ક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હાલમાં મોટા શહેરોમાં ઇથેનોલ પંપ શરૂ કરવામાં આવી રહ્યા છે અને વર્ષ 2027 સુધીમાં તેમની સંખ્યા વધારીને 5,000 સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

તેલ આયાતમાં ઘટાડો અને ખેડૂતોને ફાયદો
ભારત દર વર્ષે મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરે છે, જેના પર વિદેશી મુદ્રાનો ભારે ખર્ચ થાય છે. સરકારનું માનવું છે કે પેટ્રોલના મજબૂત વિકલ્પ તરીકે ઇથેનોલને અપનાવવાથી તેલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે. તેના કારણે વિદેશી મુદ્રાની બચત થશે, ખેડૂતોની આવકમાં વધારો થશે અને દેશની ઊર્જા સુરક્ષા પણ વધુ મજબૂત બનશે.

સોમવતી અમાસે ચિત્રકૂટમાં આસ્થાનો મહાસાગર, લાખો શ્રદ્ધાળુઓએ મંદાકિનીમાં લગાવી પવિત્ર ડૂબકી

0

જ્યેષ્ઠ માસની પવિત્ર સોમવતી અમાસના શુભ અવસરે ધર્મનગરી ચિત્રકૂટ આસ્થાના જનસાગરથી છલકાઈ ઉઠી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર મંદાકિની ગંગામાં સ્નાન કરીને પુણ્ય લાભ મેળવ્યો હતો અને ભગવાન કામતાનાથ સ્વામીના દર્શન કરીને પરિક્રમા પૂર્ણ કરી હતી.

સવારે વહેલી સવારથી જ રામઘાટ, પરિક્રમા માર્ગ, કામતાનાથ મંદિર અને અન્ય મુખ્ય ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. લાખો ભક્તોએ વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરીને પોતાના પરિવારના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર ચિત્રકૂટ “જય શ્રીરામ” અને “કામતાનાથ મહારાજ કી જય”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જે આ પવિત્ર અવસરની ભવ્યતાને દર્શાવતું હતું.

સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના ખાસ બંદોબસ્ત
શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વાહનવ્યવહાર વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક જોવા મળ્યું હતું. સતના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ રામઘાટ, પરિક્રમા માર્ગ, મુખ્ય ચોક-ચોરાહા અને સંવેદનશીલ સ્થળોએ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ભીડ નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈપણ શ્રદ્ધાળુને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું વિશેષ મહત્વ
સોમવતી અમાસને હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા મુજબ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને મંદાકિની નદીમાં સ્નાનને અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ જ કારણ છે કે દર સોમવતી અમાસે ચિત્રકૂટમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે.

હવામાં બે હેલિકોપ્ટર વચ્ચે ભીષણ ટક્કર, ફેમસ સિંગર સહિત 6 લોકોના મોત

રવિવારે સવારે બ્રાઝિલના રિયો ડી જાનેરોના પશ્ચિમી વિસ્તારમાં બે હેલિકોપ્ટર અથડાયા હતા, જેમાં ગાયક ઓલિવર ટ્રી સહિત તમામ છ લોકોના મોત થયા હતા. રિયો ડી જાનેરો લશ્કરી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, એક હેલિકોપ્ટર એક કાર શોરૂમમાં અથડાયું હતું જ્યાં ઘણા ઇલેક્ટ્રિક વાહનો પાર્ક કરેલા હતા, જેના કારણે આગ લાગી હતી જેને બાદમાં બુઝાવી દેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટક્કરનું કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક મીડિયા આઉટલેટ્સ અનુસાર, સિંગર-ટ્રી તેમના હેલિકોપ્ટરમાં ચાર અન્ય લોકો સાથે હતા: મુસાફરો લુકાસ વિગ્નેલ, ગાસ્પર પ્રિમ, લુકાસ બ્રિટો ચાવેસ અને પાઇલટ એલેક્ઝાન્ડ્રે સોઝા. પાઇલટ ચાર્લ્સ માર્સિલેક બીજા હેલિકોપ્ટરમાં એકલા હતા.

બે હેલિકોપ્ટર અથડાયા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર એરબસ H125 અને બેલ 206B જેટ રેન્જર હતા. સ્થાનિક મીડિયા અહેવાલો દર્શાવે છે કે આ અકસ્માત સવારે 8:59 વાગ્યે થયો હતો. ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર ક્રેશ થયા પછી ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા 20 વાહનો લપેટમાં આવી ગયા હતા.

ઓલિવર ટ્રી કોણ છે?
ટ્રીને પહેલી વાર 2010 માં ઓળખ મળી, જ્યારે તે માત્ર 17 વર્ષનો હતો, તેણે સ્ક્રિલેક્સ અને ઝેડ્સ ડેડ સાથે “ટ્રી” નામથી કામ કર્યું. તેણે 2013 માં એક સ્વતંત્ર આલ્બમ બહાર પાડ્યું, ત્યારબાદ તેણે સંગીત ટેકનોલોજીનો અભ્યાસ કરવા માટે ઉદ્યોગમાંથી વિરામ લીધો.

યુદ્ધવિરામની જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1,080 અંક ઉછળ્યો

0

આજે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. સાથે સાથે ડોલર સામે રૂપિયો 53 પૈસા મજબૂત બન્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધ સમાપ્ત થવાની જાહેરાત બાદ ભારત સહિત એશિયાના અન્ય શેરબજારોમાં પણ તેજી જોવા મળી હતી.

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 1,080 અંકના જંગી ઉછાળા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી-50માં 330 અંકની તેજી નોંધાઈ હતી.

સેન્સેક્સમાં આ શેરોએ દેખાડી સૌથી વધુ તેજી
સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 કંપનીઓમાંથી ઇન્ડિગો, ઈટરનલ લિમિટેડ, બજાજ ફાયનાન્સ અને એશિયન પેઈન્ટ્સના શેરોમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો. રોકાણકારોના ઉત્સાહને કારણે આ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી.

નિફ્ટીમાં ટોચના ગેઇનર્સ
નિફ્ટી-50માં સૌથી વધુ તેજી સાથે ટ્રેડ થયેલા શેરોમાં શ્રીરામ ફાયનાન્સ, ઇન્ડિગો, ઈટરનલ લિમિટેડ, બજાજ ફાયનાન્સ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સનો સમાવેશ થયો હતો. આ પાંચેય શેરો દિવસ દરમિયાન ટોચના ગેઇનર્સ તરીકે ઉભરી આવ્યા હતા.

યુદ્ધવિરામની જાહેરાત બાદ વૈશ્વિક બજારોમાં વધેલી આશાવાદી ભાવનાનો સીધો લાભ ભારતીય શેરબજારને મળ્યો હોવાનું બજાર નિષ્ણાતોનું માનવું છે.