Home Blog Page 386

ગુજરાતમાં મહિલા દૂધ મંડળીઓની આવકમાં ઐતિહાસિક ઉછાળો, આવક રૂ. 9,000 કરોડને પાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ભાર મૂક્યો છે કે ખરેખર આત્મનિર્ભર ભારત પ્રાપ્ત કરવા માટે મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિઝનના ભાગ રૂપે, તેમણે ગ્રામીણ અર્થતંત્રમાં મહિલા નેતૃત્વને મજબૂત બનાવવા માટે સહકારી મોડેલને પ્રાથમિકતા આપી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વિઝનને આગળ ધપાવતા, ગુજરાતે તેના સમૃદ્ધ સહકારી ક્ષેત્ર દ્વારા આ વિઝનને વાસ્તવિકતામાં ફેરવ્યું છે.

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લાં 5 વર્ષમાં (2020થી 2025 સુધી) મહિલાઓની આગેવાની હેઠળની દૂધ સહકારી મંડળીઓ 21% વધીને 3,764 થી 4,562 થઈ ગઈ છે. આ દર્શાવે છે કે રાજ્યમાં સહકારી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.

મિલ્ક યુનિયનમાં 25% મહિલા બોર્ડ સભ્યો અને લગભગ 12 લાખ ઉત્પાદક મહિલા સભ્યો
ગુજરાતના સહકારી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, મિલ્ક યુનિયનમાં પણ મહિલાઓની આગેવાનીમાં વધારો થયો છે. વર્ષ 2025માં મિલ્ક યુનિયનના બોર્ડમાં 82 ડિરેક્ટર્સ તરીકે 25% મહિલા સભ્યો છે, જે મિલ્ક યુનિયનની નીતિ ઘડવામાં તેમની સક્રિય ભાગીદારી દર્શાવે છે. ગુજરાતની દૂધ સહકારી મંડળીઓમાં પણ મહિલા સભ્યોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં લગભગ 36 લાખ દૂધ ઉત્પાદક સભ્યોમાંથી લગભગ 12 લાખ એટલે કે 32% દૂધ ઉત્પાદક સભ્યો મહિલાઓ છે.

ગુજરાતનું સહકારી મૉડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ

  • 36 લાખ દૂધ ઉત્પાદક સભ્યોમાંથી લગભગ 12 લાખ એટલે કે 32% મહિલા સભ્યો
  • 2025માં વિવિધ મિલ્ક યુનિયન બોર્ડમાં 82 ડિરેક્ટર્સ તરીકે 25% મહિલા સભ્યો
  • મહિલા સંચાલિત દૂધ મંડળીઓનો દૂધ સંગ્રહ 39% વધીને 57 લાખ લિટર પ્રતિ દિવસ સુધી પહોંચ્યો
  • મહિલા દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં 43%નો નોંધપાત્ર વધારો, આવક ₹9,000 કરોડને પાર

એટલું જ નહીં આ જ સમયગાળા દરમ્યાન ગ્રામીણ સ્તરની સહકારી મંડળીઓની મેનેજમેન્ટ સમિતિઓમાં પણ મહિલાઓની ભાગીદારી 14% વધી છે. આ મેનેજમેન્ટ સમિતિઓમાં મહિલાઓની સંખ્યા 70,200થી વધીને 80,000 થઈ ગઈ છે. આ મહિલાઓ હવે ગ્રામીણ સ્તરની સહકારી મંડળીઓમાં નીતિ નિર્માણ, સંચાલન અને દેખરેખ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહી છે.

“પાકિસ્તાન બની ગયું છે ચીની હથિયારોનું પરીક્ષણ ક્ષેત્ર”, ભારતીય સેનાના ડેપ્યુટી ચીફનો મોટો ખુલાસો

0

પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા કોઈથી છુપાયેલી નથી. ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહે એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે અમે ઓપરેશન સિંદૂરમાંથી ચોક્કસપણે ઘણા પાઠ શીખ્યા છીએ. લેફ્ટનન્ટ જનરલ સિંહે FICCI ના એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે યુદ્ધ એક સરહદ પર થઈ રહ્યું હતું પરંતુ વિરોધીઓ ત્રણ હતા. પાકિસ્તાન મોરચે હતું પરંતુ ચીન તેને શક્ય તેટલી મદદ કરી રહ્યું હતું. જોકે, આમાં આશ્ચર્યજનક કંઈ નથી. છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાન જે શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યું છે તેમાંથી 81 ટકા શસ્ત્રો ચીનના છે.

તુર્કીએ પણ પાકિસ્તાનને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
તેમણે કહ્યું કે ચીન તેના શસ્ત્રોનું પરીક્ષણ અન્ય શસ્ત્રો સાથે કરી રહ્યું છે. તે લાઈવ લેબ જેવા તેના શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યું છે. તુર્કીએ પણ પાકિસ્તાનને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે સતત પાકિસ્તાન સાથે હતું. તેમણે કહ્યું કે જ્યારે ભારત અને પાકિસ્તાન બંને તરફથી DGMO સ્તરની વાતચીત ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાનને ચીન તરફથી અમારા વેક્ટર્સના લાઈવ અપડેટ્સ મળી રહ્યા હતા. આપણને એક મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીની જરૂર છે જેથી ભવિષ્યમાં આવા પડકારોનો સામનો કરી શકાય. રાહુલ આર. સિંહે કહ્યું કે આ સમય દરમિયાન આપણા કેટલાક સ્વદેશી શસ્ત્રો સારી રીતે કામ કરી શક્યા. પરંતુ કેટલાક ન કરી શક્યા.

આપણે ભવિષ્ય માટે તૈયાર રહેવું પડશે!
તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્તાનને ચીન તરફથી લાઈવ ઇનપુટ્સ મળી રહ્યા હતા. આપણે તેના પર ઝડપથી કામ કરવું પડશે. જ્યાં સુધી ઇલેક્ટ્રોનિક યુદ્ધનો સવાલ છે. આપણે આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવી પડશે. આપણી પાસે ઇઝરાયલ જેવી આયર્ન ડોમ નથી. આપણી પાસે તે પ્રકારની લક્ઝરી નથી કારણ કે આપણો દેશ ખૂબ મોટો છે અને આ વસ્તુઓ માટે ઘણા પૈસા ખર્ચ થાય છે. આપણે ભવિષ્ય માટે તૈયારી કરવી પડશે અને ભવિષ્ય માટે તૈયાર રહેવું પડશે.

ભારતીય સેનાએ 7 મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું
તમને જણાવી દઈએ કે 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ 7 મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. આ અંતર્ગત, ભારતીય સેનાએ પાકિસ્તાન અને Pok માં 9 આતંકવાદી ઠેકાણાઓને ઉડાવી દીધા હતા. આનાથી હતાશ થઈને, પાકિસ્તાની સેનાએ ભારતીય લશ્કરી અને નાગરિક લક્ષ્યોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. ચાર દિવસના લશ્કરી મુકાબલા પછી, 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી.

ચીન તરફથી પાકિસ્તાનને સતત લશ્કરી સહાય
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (SIPRI) અનુસાર, 2015 થી, ચીને પાકિસ્તાનને લગભગ $8.2 બિલિયનના શસ્ત્રો વેચ્યા છે. 2020-2024 વચ્ચે, ચીનની શસ્ત્ર નિકાસનો 63% હિસ્સો ફક્ત પાકિસ્તાનને જ ગયો છે. પાકિસ્તાનના ફાઇટર એરક્રાફ્ટના કાફલાનો અડધાથી વધુ ભાગ ચીનથી આવ્યો છે, જેમાં JF-17 થંડર (ચીન-પાકિસ્તાન સહ-વિકસિત) અને J-10C મલ્ટીરોલ ફાઇટરનો સમાવેશ થાય છે. હવે પાકિસ્તાન 40 શેનયાંગ J-35 સ્ટીલ્થ ફાઇટરનો પણ સમાવેશ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ શસ્ત્રો દ્વારા, પાકિસ્તાનને સ્ટીલ્થ ક્ષમતા મળશે, જે અત્યાર સુધી માત્ર થોડી વૈશ્વિક શક્તિઓ પાસે જ છે.

2027માં ગુજરાતમાં AAPની પુરી બહુમતીથી સરકાર બનાવશે: કેજરીવાલનો દાવો

આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાની વાત કરતા કહ્યું કે, વિસાવદરમાં જે પેટાચૂંટણી થઈ તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જનતાએ જબરદસ્ત બહુમતથી જીત આપી. અગાઉની તુલનામાં ત્રણ ગણા વધુ માર્જિનથી અમને જીત મળી છે. વિસાવદરની જીત કોઈ સામાન્ય જીત નથી, આ જીત 2027ની વિધાનસભાની ચૂંટણીનું સેમીફાઇનલ હતું. છેલ્લા 30 વર્ષથી સરકારે ગુજરાતને બરબાદ કરીને રાખ્યું છે.

સુરતમાં જે પૂર આવ્યું છે તેમાં કરોડો રૂપિયાના ઘરોમાં પણ પાણી ઘૂસીને લોકોના ફર્નિચર અને ટીવી પાણીમાં તરતા હતા. આજથી 10 વર્ષ પહેલા સુરતનું આવું હાલત નહોતું. સુરતમાં જે પૂર આવ્યું છે તે ભાજપના ભ્રષ્ટાચારને કારણે આવ્યું છે. તે પહેલાં પણ વડોદરા અને જૂનાગઢમાં પૂર આવ્યું હતું, જેના પાછળનું કારણ પણ ભાજપની નીતિઓ છે. કારણ કે ભાજપે બિલ્ડરો સાથે મળી પાણીની નિકાસ માટેની જગ્યાઓ બંધ કરી દીધી, જેના કારણે પાણી સીધા લોકોના ઘરોમાં ઘૂસી ગયું.

ગુજરાતની રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ છે, ખેડૂતોની પરિસ્થિતિ પણ દયનીય બની ગઈ છે. ગુજરાતના ખેડૂતોને તેમની પાકની યોગ્ય કિંમત મળતી નથી, વીજળી મળતી નથી, પાણી મળતું નથી અને ખાતર પણ મળતું નથી. ગુજરાતના ખેડૂતો દરદર ઠોકરો ખાઈ રહ્યા છે. ગુજરાતના યુવાઓ પરેશાન છે કારણ કે અહીં વારંવાર પેપર લીક થાય છે. ગુજરાત સરકારથી એક પેપર પણ યોગ્ય રીતે યોજાતું નથી.

સરકારમાં અડધાથી વધુ જગ્યાઓ ખાલી પડી છે, છતાંય સરકાર યુવાઓને રોજગાર આપતી નથી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે યુવાઓનું શોષણ થાય છે. આજે ગુજરાતમાં કોઈ પણ વર્ગ ખુશ નથી. છતાંય ભાજપ સતત ચૂંટણી જીતી રહી છે, તેનું માત્ર એક જ કારણ છે કે ગુજરાતના લોકો પાસે હજુ સુધી કોઈ વિકલ્પ નહોતો. ગુજરાતના લોકો ભાજપને હરાવા માંગતા હતા પણ બધાને ખબર છે કે કોંગ્રેસ ભાજપની ખિસ્સામાં છે. દર વખતે કોંગ્રેસ ભાજપને જીતાડવાનો કોન્ટ્રાક્ટ લે છે અને કોંગ્રેસ ખુબ સારી રીતે ભાજપને જીતાડે છે. લોકોને ખબર છે કે કોંગ્રેસના ઉમેદવાર જીતશે નહીં અને જો જીત્યા પણ તો જીત્યા પછી ભાજપમાં જોડાઈ જશે.

પરંતુ હવે ગુજરાતની રાજકારણમાં આમ આદમી પાર્ટી આવી ગઈ છે અને લોકોને આમ આદમી પાર્ટી એક વિકલ્પ રૂપે દેખાઈ રહી છે. વિસાવદરમાં જેમ લોકોએ મતદાન કર્યું તેવો જ માહોલ અને તેવો જ ગુસ્સો સમગ્ર ગુજરાતના લોકોમાં છે. પહેલા 30 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું પછી લોકોને કોંગ્રેસને ઉખાડી ફેંકી દીધી અને હવે ભાજપના પણ 30 વર્ષ થઈ ગયા છે. લોકો ભાજપને પણ કોંગ્રેસની જેમ ઉખાડી ફેંકશે. 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. આગામી 2.5 વર્ષ સુધી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ઘરમાં ઘરમાં જશે અને પ્રચાર કરશે. આજથી અમે ‘ગુજરાત જોડો અભિયાન’ શરૂ કરી રહ્યા છીએ. 9512040404 નંબર પર મિસ કોલ કરીને તમે આમ આદમી પાર્ટીના સભ્ય બની શકો છો. ગુજરાતના વધારેમાંથી વધારે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય એવી મારી અપીલ છે. સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દરેક ઘરમાં જશે અને આગામી ચૂંટણી પહેલા દરેક ઘરમાં પાંચ વખત જઈ ચુક્યા હોઈશું, એવો અમારો લક્ષ્ય છે.

ખેડા: રાઈસ મીલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ, સ્થાનિકોમાં ભયનો માહોલ

ખેડાની રાઈસ મીલમાં સ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર ઉડતા દેખાયા હતાં. રાઈસ મીલમાં ભીષણ આગ લાગવાથી ભારે નુકસાન પહોંચ્યું છે. આગ લાગતાં જ અફરા તફરી મચી જવા પામી હતી. કોલ મળતાની સાથે જ ખેડા અને નડિયાદ સહિતના અલગ અલગ સ્થળેથી આઠથી 10 જેટલા ફાયર ફાઈટરો રવાના થયાં હતાં. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. અત્યાર સુધીમાં આ બનાવમાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ખેડામાં જય અંબે રાઈસ મીલમાં આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. રાઈસ મીલમાં આગ લાગવાથી મોટુ નુકસાન થયું છે. કંપનીમાં આગની ઘટનાથી ભારે નુકસાન પહોંચ્યું છે. આગનો કોલ મળતાંની સાથે જ ખેડા અને નડિયાદના 8થી 10 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં છે.

આસપાસ રહેતા ઝુંપડાના લોકોમાં ફફડાટ ફેલાયો
આગ લાગતાં જ કંપનીની આસપાસ રહેતા ઝુંપડાના લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખેડાના પ્રાંત અધિકારી અને ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચી ગયાં છે. આગ એટલી ભીષણ છે કે, તે અન્ય જગ્યાએ પ્રસરે નહીં તે માટે ફાયરના જવાનો દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. સુત્રો જણાવી રહ્યાં છે કે, આગને કારણે એક ઝૂંપડામાં નુકસાન થયું છે અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવાયો છે. ફાયરના જવાનો દ્વારા ભીષણ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે.

ઇતિહાસ સર્જાયો: આસ્થા પુનિયા ભારતીય નૌકાદળની પહેલી મહિલા ફાઇટર પાઇલટ

0

ભારતીય નૌસેનામાં પહેલી વખત કોઈ મહિલાને ફાઈટર પાયલટનો દરજ્જો આપવામાં આવ્યો છે. સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયાને નૌસેનાનાં ફાઈટર પાયલટ પદે નિમવામાં આવ્યા છે અને આવું કરનાર તે પહેલી ભારતીય મહિલા છે. ઈન્ડિયન નેવીના ટોહી વિમાન અને હેલિકોપ્ટર સ્ટ્રીમમાં વીમેન પાયલટ પહેલાંથી પણ આસ્થા ફાઈટર પ્લેન ઉડાવશે. નૌસેના દેશની સુરક્ષામાં અહમ ભૂમિકા નિભાવે છે અને હવે આસ્થાની ભૂમિકા આમાં વધુ મહત્ત્વની બની જશે. નૌસેનાએ આને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી છે.

ઈન્ડિયન નેવીએ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં આસ્થા પુનિયાના ફોટોનો સમાવેશ પણ થાય છે. નેવીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે નેવલ એવિએશનમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારતીય નૌસેનાએ ત્રીજી જુલાઈ, 2025ના ઈન્ડિયન નેવલ એર સ્ટેશનમાં દ્વિતીય બેઝિક હોક કન્વર્ઝન કોર્સના સમાપન સાથે જ એક હિસ્ટોરિકલ માઈલસ્ટોન ઉમેરાયું છે. લેફ્ટનન્ટ અતુલ કુમાર ઢુલ અને એસએલટી આસ્થા પુનિયાને રેર એડમિરલ જનલ બેવલી, એસીએનએસ (વાયુ)એ વિંગ્સ ઓફ ગોલ્ડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

આસ્થાને કયુ ફાઈટર એરક્રાફ્ટ આપવામાં આવશે, એ અંગે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. ભારતીય નૌસેના પાસે કેટલાક ખાસ એરક્રાફ્ટ છે, જે આઈએનએસ વિક્રમાદિત્ય અને આઈએનએસ વિક્રાંત પરથી ટેક ઓફ કરી શકે છે. નૌસેનાના મિગ-29 ફાઈટર એરક્રાફ્ટ છે. આ ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. એની કોમ્બેટ રેન્જ 722 કિલોમીટરની છે, જ્યારે સામાન્ય રેન્જ 2346 કિલોમીટરની છે. આ 450 કિલોગ્રામના ચાર બોમ્બ, મિસાઈલ અને અન્ય હથિયારનું વહન કરવામાં સક્ષમ છે.

“તાકાત હોય તો મરાઠીમાં અજાન પઢાવો”: મંત્રી નિતેશ રાણેનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ

0

મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી ભાષા મુદ્દે વિવાદ વધી રહ્યો છે. મરાઠી ભાષાનો મોરચો લઈને કેટલાક નેતાઓ-કાર્યકરો તથા અસામાજિક તત્વો મરાઠી ન બોલવા બદલ લોકોની ધોલાઈ કરી રહ્યા હોવાના અનેક બનાવો બની રહ્યા છે. મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો દ્વારા એક દુકાનદાર પર મરાઠી ભાષા બોલવા દબાણ કર્યું હતું. તેમજ ન બોલવા પર તેની ધોલાઈ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નિતેશ રાણેએ જણાવ્યું કે, આ ઘટનાના દોષિતોને સજા મળશે. જેમણે પણ હિન્દુઓ પર હાથ ઉગામ્યો છે, તેમની વિરૂદ્ધ અમારી સરકાર કામ કરશે અને સજા અપાવશે. ઠાકરે બ્રધર્સ પર પ્રહાર કરતાં રાણેએ કહ્યું કે, તેમણે ભાષાના નામ પર ગરીબ હિન્દુઓ પર હુમલો કર્યો છે. ઠાકરે બંધુઓને મારો પડકાર છે કે, તેઓ મુસ્લિમો પાસે મરાઠીમાં અજાન પઢાવે. આ પ્રકારની તાકાત બતાવી જ હોય તો તેમણે નલ બજાર, ભિંડી બજાર, મોહમ્મદ અલી રોડ, બમ્બોરામાં જવુ જોઈએ. ત્યાંના લોકો મરાઠીમાં વાત કરતા નથી. તેઓ તો માત્ર ઉર્દૂમાં જ વાત કરે છે.

હિન્દુઓને શા માટે ટાર્ગેટ બનાવો
રાણેએ આગળ કહ્યું કે, મુમરામાં જઈને કોઈ નથી કહેતું કે, મરાઠીમાં વાત કરો. મુમરા પણ આપણા મહારાષ્ટ્રમાં જ છે. શું તે પાકિસ્તાનમાં છે? જાવેદ અખ્તરને પણ કોઈ નથી કહેતું કે, તમે સ્ટેજ પર મરાઠીમાં શાયરી બોલો. ત્યારે બધા ચૂપ રહે છે. તો પછી હિન્દુઓને શા માટે ટાર્ગેટ કરી રહ્યા છે. ગરીબ હિન્દુઓને કેમ માર મારી રહ્યા છો. આવા લોકોને કેમ ખુલ્લા મુકવામાં આવ્યા છે?

મરાઠી સમાજે પણ કર્યો વિરોધ
મહારાષ્ટ્રમાં ભાષા પર થઈ રહેલી રાજનીતિનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો છે. મરાઠી સમાજ પણ આ પ્રકારની ઘટનાની નિંદા કરી રહ્યુ હોવાના અહેવાલો મળ્યા છે. આ પ્રકારના લોકો હિન્દુ રાષ્ટ્રને તોડવાનું કામ કરી રહ્યા હોવાનો આરોપો મૂકાયા છે. રાણેએ કહ્યું હતું કે, જે લોકો પોતાને મરાઠીના ટોર્ચ બેયરર્સ જણાવી રહ્યા છે. તે હિન્દુ રાષ્ટ્રને તોડવાનું કામ કરી રહ્યા છે. આ સરકાર હિન્દુઓએ બનાવી છે. હિન્દુત્વની વિચારધારા છે. આથી જો કોઈ આ પ્રકારની હિંમત બતાવશે તો અમારી સરકાર તેને છોડશે નહીં.

સીએમ યોગી આદિત્યનાથનું પાત્ર નિભાવનાર અનંત જોશી કોણ છે? જાણો તેમના વિશે બધું

ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ ની રિલીઝ ડેટ ફાઇનલ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત આ બહુપ્રતિક્ષિત બાયોપિકની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં યોગી આદિત્યનાથની ભૂમિકા અનંત જોશી ભજવી રહ્યા છે. તેમણે પોતાના પાત્રમાં ફિટ થવા માટે ખૂબ મહેનત પણ કરી છે, પોતાનું માથું પણ મુંડાવ્યું છે.

ઉત્તર પ્રદેશના રાજકારણ પર આધારિત આ ફિલ્મનું ટીઝર બુધવાર, 2 જુલાઈના રોજ રિલીઝ થયું છે. ત્યારથી લોકો અનંતને મુખ્યમંત્રી તરીકે જોયા બાદ તેમની પ્રશંસા કરી રહ્યા છે. અનંતે ‘વર્જિન ભાસ્કર’માં એક પ્રામાણિક યુવાન લેખકની ભૂમિકા ભજવી હતી, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ પછી તે ઘણી વેબ સીરિઝ, ટીવી શો અને ફિલ્મોમાં દેખાયો. 2023માં તેણે વિક્રાંત મેસીની ’12મી ફેલ’માં પ્રીતમ પાંડેની મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી હતી.

અનંતે પોતાનું માથું મુંડાવ્યું
આ વર્ષે જૂનમાં સીએમ આદિત્યનાથના જન્મદિવસ નિમિત્તે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે, એક નવું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.આ ફિલ્મ 1 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. યોગી આદિત્યનાથ જેવા દેખાવા માટે અનંતે પોતાનું માથું પણ મુંડાવ્યું.એક એવું પગલું જેને તેમણે ભાવનાત્મક રીતે મુશ્કેલ ગણાવ્યું, કારણ કે તેમને તેમના વાળ ખૂબ જ ગમે છે.

અનંત જોશીએ જણાવ્યું કે વાળ કાપવા એ ફક્ત બાહ્ય પરિવર્તન નહોતું. તે મારા એક ભાગને છોડી દેવા જેવું હતું. આ મારા માટે ફક્ત એક દેખાવ નહોતો, પણ યોગીજીની ભૂમિકાને સંપૂર્ણપણે સ્વીકારવાનો એક રસ્તો હતો. પરંતુ આ પાત્ર માટે આ બલિદાન જરૂરી હતું. હું તેને નકલી બનાવવા માંગતો ન હતો. મારે તે જીવવું હતું. મારે યોગી બનવું હતું, ફક્ત તેનું અભિનય કરવું નહોતું.

આ બાયોપિકની નવી ઝલક આપતા, પ્રોડક્શન હાઉસે જૂન મહિનામાં સોશિયલ મીડિયા પર તેનું નવું પોસ્ટર શેર કર્યું. આ સાથે લખ્યું હતું કે, “તેમણે દુનિયા છોડી દીધી, ભગવો પહેર્યો, અને સેવામાં ડૂબી ગયા. એક યોગી – જે એકલા એક આખી ચળવળ બની ગયા! યોગીજીની જન્મજયંતિ પર, અમે તે વાર્તાનો અંત રજૂ કરીએ છીએ.”

વડોદરામાં એક જ દિવસમાં બીજી સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, સર્ચ ઓપરેશન શરૂં

વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકીનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હરણીની સિગ્નસ સ્કૂલ બાદ હવે અકોટા વિસ્તારમાં આવેલી અમીન સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકીનો ઈ-મેલ મળતા પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગત અઠવાડિયે ગુજરાતમાં 13 ધમકીભર્યા ઇ-મેલ મોકલવા બદલ ચેન્નઈની IT એન્જિનિયર રેની જોશીલ્ડાની ધરપકડ કરાઈ હતી, જોકે તેની ધરપકડ પછી પણ આ પ્રકારની ધમકીઓ ચાલુ રહી છે અને હવે મદ્રાસ ટાઇગર્સના નામથી વડોદરાની સિગ્નસ સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી મળી છે.

વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે, નવા ઇ-મેલનું કન્ટેન્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈ-મેલ જેવું જ છે, પરંતુ આ વખતે ધમકી ‘મદ્રાસ ટાઇગર્સ’ તરફથી આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે. સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ- ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

મેસેજમાં RDXથી આખી સ્કૂલ ઉડાવી દઈશુંની ધમકી મળી
આ અંગે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આ પ્રકારનો મેસેજ મળતાં જ તાત્કાલિક અમારી ટીમો ઘટનાસ્થળે પહોંચી કામગીરી કરી રહી છે.

આ મેસેજમાં RDX મુકાયું અને આખી સ્કૂલ ઉડાવી દઈશું એવી ધમકી આપવામાં આવી છે. હાલમાં બોમ્બ-સ્ક્વોડ અને ડોગ્સ-સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે. તાત્કાલિક વાલીઓને પણ જાણ કરી વિદ્યાર્થીઓને સેફલી ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહરેમાં છેલ્લા 12 દિવસમાં શહેરની ત્રણ અલગ અલગ સ્કૂલોને ધમકીભર્યો ઇ-મેઈલ મળ્યા છે.આ પહેલા શહેરની નવરચના સ્કૂલને ઉડાવવાની ધમકી મળ્યાના સતત બીજા દિવસે વડોદરાની વધુ એક રિફાઇનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 4 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 4 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 199 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે રાજકોટના જામકંડોળામાં 6 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 6 ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5 ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ 5.6 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઈંચ,બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઈંચ, જામનગરના જોડિયામાં ચાર ઈંચ, કચ્છના મુન્દ્રામાં ચાર ઈંચ, જામનગરના લાલપુરમાં 3.86 ઈંચ, રાજકોટના જેતપુરમાં 3.46 ઈંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.31 ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 3.31 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3.2 ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 3.2 ઈંચ, કચ્છના ગાંધીધામમાં 3.2 ઈંચ, તાપીના સોનગઢમાં 2.95 ઈંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 2.95 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 2.83 ઈંચ, રાજકોટના ગોંડલમાં 2.83 ઈંચ,મહેસાણાના વડનગરમાં 2.76 ઈંચ,જામનગરના કાલાવડમાં 2.7 ઈંચ,અરવલ્લીના ભિલોડામાં 2.6 ઈંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2.5 ઈંચ,જૂનાગઢના વંથલીમાં 2.48 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ, રાજકોટ શહેરમાં 2.5 ઈંચ, જૂનાગઢ શહેરમાં 2.36 ઈંચ, જૂનાગઢ તાલુકામાં 2.36 ઈંચ, બોટાદના રાણપુરમાં 2.32 ઈંચ, બનાસકાંઠાના ડીસામાં 2.2 ઈંચ, જૂનાગઢના કેશોદમાં 2.2 ઈંચ, તાપીના વ્યારામાં 2.13 ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ
હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.

વડોદરાની વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન શરૂં

વડોદરામાં વધુ એક ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હરણી રોડ પર આવેલી સિગ્નસ વર્લ્ડ સ્કુલને બોમ્બથી ઉડાવી દેવાનો ઇમેલ મળતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો શાળાએ દોડી ગયો છે. અને શાળાનું સઘન સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. જેની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે.

બોમ્બની શોધમાં ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમોએ સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં અગાઉ પણ કેટલીય સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.બોમ્બની ધમકીના પગલે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી બહાર નીકાળ્યા છે. સાથે સાથે સ્કૂલનો સ્ટાફ પણ ભયમાં જોવા મળ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહરેમાં છેલ્લા 12 દિવસમાં શહેરની ત્રણ અલગ અલગ સ્કૂલોને ધમકીભર્યો ઇ-મેઈલ મળ્યા છે.આ પહેલા શહેરની નવરચના સ્કૂલને ઉડાવવાની ધમકી મળ્યાના સતત બીજા દિવસે વડોદરાની વધુ એક રિફાઇનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.