સુરતના લીંબાયત વિસ્તારમાં થયેલી કાપડ વેપારી આલોક કુમારની ક્રૂર હત્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને અગ્રવાલ સમાજમાં ભારે રોષ પ્રવર્ત્યો હતો. આ મામલે ન્યાયની માંગ સાથે અગ્રવાલ સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આલોક કુમારની જાહેરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
તેમ છતાં આ ઘટનાના મુખ્ય આરોપીઓ અસ્ફાક અને અબરાર પાંચ દિવસ વીતી જવા છતાં પોલીસ પકડથી દૂર છે. પોલીસની આ ધીમી કામગીરીથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચેલા અગ્રવાલ સમાજના લોકોએ માંગણી કરી હતી કે પોલીસ આરોપીઓને ઝડપી પાડીને તેમનું એન્કાઉન્ટર કરે. આ પ્રકારની માંગણી એ દર્શાવે છે કે લોકો કાયદાની પ્રક્રિયા પરનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે અને આવા ગંભીર ગુનાઓ માટે કડક અને તાત્કાલિક સજાની અપેક્ષા રાખી રહ્યા છે.
આ ઘટનાએ સુરત પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા હતા. પાંચ દિવસ વીતી ગયા બાદ પણ મુખ્ય આરોપીઓ પકડાયા નથી. જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શા માટે તેઓ હજુ સુધી પકડાયા નથી તે અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે
રાષ્ટ્રીયતાના પર્વ, સ્વચ્છતાના સંકલ્પ સાથે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વને યાદગાર બનાવવા સમગ્ર ભારત સહિત સુરતમાં “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ કેન્દ્રીય ઓધોગિક સુરક્ષા બળ CISF યુનિટ સુરત એરપોર્ટ દ્વારા સવારે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સુરત એરપોર્ટથી ડુમસ બીચ થી ફરી એરપોર્ટ સુધી બાઇક રેલી યોજાઈ હતી.
સુરત એરપોર્ટના CISF કર્મચારીઓ ઉપરાંત, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સુરત એરપોર્ટ, સુરત મનપા (SMC) અને અન્ય એરપોર્ટ સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓએ હાથમાં તિરંગા સાથે રેલીમાં સક્રિયપણે ભાગ લીધો હતો. રેલીમાં કુલ ૧૫૦ કર્મચારીઓએ ‘ભારત માતા કી જય, વંદે માતરમ’ના નારા સાથે વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. સ્થાનિક નાગરિકોમાં ભારત સરકારના “હર ઘર તિરંગા” અભિયાન, સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રધ્વજ (ત્રિરંગા)ના મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવી હતી.
ભારતના આઝાદી પર્વ આડે એક સપ્તાહનો સમય બાકી છે.આ દિવસે ઠેર- ઠેર ભારતના તિરંગાને સલામી અપાશે.ભારતના રાષ્ટ્ર ધ્વજનો પણ એક રસપ્રદ ઈતિહાસ છે. ભારતનો પ્રથમ રાષ્ટ્ર ધ્વજ બનાવનાર મેડમ ભીખાઈજી કામા હતા અને તેમના વંશજો પૈકીનો એક પરિવાર વડોદરા જિલ્લાના ડભોઈ જિલ્લાના બાણેજ ગામમાં રહે છે.
ભીખાઈજી કામાના વંશજો સુધી તિરંગાની પરંપરા
ભીખાઈજી કામા મુંબઈના હતા અને તેમા લગ્ન મુંબઈના વકીલ રુસ્તમજી કામા સાથે થયા હતા.રુસ્તમજી કામાના પરિવારના મૂળ ભરુચમાં હતા. ભીખાઈજી કામાના શ્વસુર પક્ષના ઘણા સભ્યો ધંધા રોજગાર માટે ગુજરાતના વિવિધ હિસ્સાઓમાં વસ્યા હતા.આ પૈકીના એક દોરાબજી કામાને મહારાજા સયાજીરાવ ગાયકવાડે બાણજ ગામમાં ૪૫૦ વીઘા જમીન આપી હતી.તેઓ આ ગામના ૨૦ વર્ષ સુધી સરપંચ રહ્યા હતા.
દોરાબજી કામાના બીજા પત્ની પારસી નહોતા અને તેમનાથી તેમને બે સંતાનો થયા હતા.આ પૈકીના તેમના એક પુત્ર જમશેદજીના પાંચ સંતાનો હતા.જેમાં ત્રણ ભાઈઓ અને બે બહેનોનો સમાવેશ થતો હતો.આ બે બહેનો વિદેશમાં છે જ્યારે ત્રણ ભાઈ પૈકી બેનું નિધન થઈ ચૂકયું છે.બાકી રહેલા મનેશભાઈ છે.જેમણે પણ બિન પારસી મહિલા સાથે લગ્ન કર્યા હતા.મનેશ ભાઈ , તેમના પત્ની શકુંતલાબેન અને પુત્ર હોમીભાઈ બાણજ ગામમાં જ રહે છે.મનેશભાઈ કામા અને તેમનો પરિવાર આજે પણ પારસી પરંપરાઓનું પાલન કરે છે.જોકે મનેશભાઈને તેમના દાદા અને રુસ્તમજી કામા વચ્ચે શું સબંધ હતો તેની જાણકારી નથી.કામા પરિવાર પાસે આજે ૫૨ વીઘા જમીન રહી છે. આ જમીન તેઓ ખેતી માટે ભાડા પટ્ટે આપીને જીવન નિર્વાહ કરી રહ્યા છે.
રાષ્ટ્રધ્વજની વારસાગાથા
ભારતમાં બ્રિટિશ શાસન એ માનવતાના નામ પર કલંક છે. આપણા મહાન ભારત દેશના સર્વાંગી હિતોનું બ્રિટિશ સરકાર દ્વારા નુકશાન થઇ રહ્યું છે . આગળ વધો આપણે હિન્દુસ્તાની છીએ અને હિન્દુસ્તાન હિન્દુસ્તાનીઓનું છે….વંદે માતરમ !!!” આમ બુલંદ ભાષણ કરી ભારત ના દેશવાસીઓને અંગ્રેજોની કારમી ગુલામી માંથી મુક્તિ અપાવવા માટે સભામાં ઉપસ્થિત સભાસદો પાસે સહયોગ માગ્યો અને “વંદે માતરમ” લખેલો આપણા દેશનો સર્વપ્રથમ રાષ્ટ્રધ્વજ પુરા રાષ્ટ્રાભિમાન સાથે ભરસભામાં સૌપ્રથમ વાર ફરકાવ્યો અને અંગ્રેજ શાસન સામે હિંદ સ્વરાજ્ય માટે પડકાર આપ્યો અંગ્રેજો સામે લાલ આંખ કરી સ્વરાષ્ટ્રં માટે પડકાર ફેંકનાર હતા આપણા દેશના પ્રથમ મહિલા ક્રાંતિકારી મેડમ ભીખાઈજી કામા..!!
એમનો જન્મ જ આઝાદ હિંદ માટેના નિર્માણ માટે થયો ! મેડમ કામા એ રાષ્ટ્રનું અને રાષ્ટ્રજનોનું કલ્યાણ કરવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું ! આજે ૨૪ સપ્ટેમ્બર ઇસ 1861ની સાલમાં મુંબઈના સમૃદ્ધ પારસી પરિવારમાં સોરાબજી અને જીજીબાઈને ત્યાં વ્હાલસોયી બાળકીનો જન્મ થયો જનસેવા અને રાષ્ટ્રસેવાની લગન બાળપણથી જ લાગી અને આગળ વધતા ભવિષ્યમાં આ બાળકી આપણા ભારતના સ્વતંત્રતાસંગ્રામના ખુબ જાણીતા અને પ્રથમ મહિલા ક્રાંતિકારી બન્યા.
મુંબઈની એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ હાઈસ્કૂલમાં તેમણે શાળાકીય શિક્ષણ મેળવ્યું. શાળા જીવનમાં જ તે ક્લાસમાં પ્રથમ ક્રમે આવતા સૌને તેમની તેજસ્વીતાની ઓળખ થવા લાગી હતી.બાળપણમાં સેવાકીય પ્રવૃત્તિઓ અને દેશપ્રેમ ના કર્યોમાં ઝીણવટ પૂર્વક રસ લેતા.એ સમયમાં આપણા હિન્દુસ્તાનમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવતા અન્યાયોને ધ્યાનથી જોતા અને આ અન્યાયો સામે અવાજ ઉઠાવવાનું મનોમન નક્કી કરતા. એવામાં કોલેજ માં પ્રવેશ્યા એમના કોલેજકાળ દરમિયાન 1897માં મુંબઈમાં પ્લેગનો ચેપી મહારોગ ફેલાયો તેમણે જોયું કે પ્લેગથી પીડાતા લોકો અસહ્ય વેદનાથી ટળવળે છે ! રોગ ચેપી હોવા છતાં પોતાના સ્વાસ્થ્ય અને પ્રાણોની ચિંતા કર્યા વિના મેડમ કામાએ દિવસ રાત એક કરીને પ્લેગના દર્દીઓની સેવા કરી. પ્લેગનો ચેપ મેડમ કામાને પણ લાગ્યો એમની પ્રતિકારશક્તિના લીધે પ્લેગ હાર્યો. જેમ જેમ જીવનમાં વર્ષો ઉમેરાતા ગયા એમ એમ એમના મનમાં સમાજસેવા અને રાષ્ટ્રસેવા માટે આત્મસમર્પણની ભાવના પણ વધતી રહી. જનકલ્યાણ અને રાષ્ટ્રકલ્યાણ માટે સમર્પણ કરવા તૈયાર થયેલા મેડમ કામાએ પિતાની લાગણીને માન આપીને લગ્ન તો કર્યા પણ એમનું લગ્નજીવન અલ્પ જ રહ્યું એમનું મન લોકસેવાને રાષ્ટ્રપ્રેમ ના રંગે રંગાયેલું હતું. મેડમ કામાએ પોતાનો તમામ સમય ,શક્તિ ,સંપત્તિ અને સર્વસ્વ દેશ માટે સમર્પિત કરવાનો દઢ સંકલ્પ કર્યો.
ઇસ ૧૯૦૨ માં તેઓ લંડન આવ્યા અને લંડનમાં પણ એમને ભારતને આઝાદ કરવા માટેના સ્વતંત્રતા સંગ્રામના કામોને વધુ ઉત્તેજન આપ્યું. મેડમ કામા એ ઇસ ૧૯૦૫માં “વંદે માતરમ” અને ” તલવાર” સમાચાર પત્રો શરુ કર્યા અને એ સમયે દુનિયામાં ચાલી રહેલા સામ્રાજ્યવાદ ને પોષનારા દેશોને ખુલ્લા પાડ્યા. દુનિયાભરના લોકોને સામ્રાજ્યવાદીઓ વિરુદ્ધ જગાડવાનું ભગીરથ કામ એમણે કર્યું. આ માટે એમણે લંડન, જર્મની, અમેરિકા દેશોમાં પ્રવાસ કરીને સ્વરાષ્ટ્રં માટે વિદેશની ધરતી પર ખુબ પરિશ્રમ કર્યો. આ પરિશ્રમના કારણે તેમની તબિયત બગડતા તેઓ સારવાર માટે ઇંગ્લેન્ડ ગયા ત્યાં એમની મુલાકાત શ્યામજી કૃષ્ણ વર્મા સાથે થઇ એ સમયે ત્યાં “અભિનવ ભારત” કરીને ક્રાંતિકારી સંગઠન ચાલતું હતું મેડમ કામા જોડાયા આમ વિદેશની ધરતી પર મેડમ કામાનો પ્રભાવ સતત વધતો જતો હતો. તેઓ જયારે ફ્રાન્સ માં હતા ત્યારે બ્રિટિશ સરકારે તેમને ફ્રાન્સમાંથી ભારત કાઢી મુકવા માટે કાવતરા ઘડ્યા મેડમ કામાની તમામ સંપત્તિઓ જપ્ત કરવા માટેના પ્રયત્નો કર્યા પણ બ્રિટિશ સરકારના આ કાવતરા ને ફ્રાન્સ ની સરકારે દાદ ના આપી. આ ગૌરવવાન ભારતીય નારીના સ્વરાષ્ટ્ર્ના સપનાને કચડી નાખવા માટે અંગ્રેજો એ આવા અનેક પ્રયત્નો કર્યા પણ મેડમ કામાએ મક્કમ મનોબળ સાથે સ્વરાષ્ટ્રં માટેનો સંઘર્ષ ચાલુ રાખ્યો.
તેમણે વર્ષો પહેલા વિદેશની ધરતી પરથી ભારતનો પહેલ વહેલો ઝંડો ફરકાવતા જયઘોષ કર્યો હતો કે” આ ભારતની સ્વતંત્રતાનો ધ્વજ છે. હું દુનિયાના તમામ સ્વતંત્રતા પ્રેમીઓને આ ધ્વજ સાથે સ્વરાષ્ટ્રં માટે સહભાગી થવા માટે આહવાન કરું છું….વંદે માતરમ..!!” આ ધ્વજમાં સૂર્ય,ચંદ્ર અને તારાના પ્રતિકો હતા અને ધ્વજના મધ્યભાગે દેવનાગરી લિપિમાં “વંદે માતરમ ” લખેલું શોભતું હતું. સરદારસિંહ રાણા અને મેડમ કામા દ્વારા બનાવવામાં આવેલો આ ભારતનો પ્રથમ રાષ્ટ્ર ધ્વજ ગુજરાતના ભાવનગર સ્થિત સરદારસિંહ રાણાના પૌત્ર શ્રી રાજેન્દ્ર સિંહ રાણાના નિવાસ સ્થાને આજે પણ સુરક્ષિત છે.
મેડમ કામા એ યુરોપ અને અમેરિકા માં સ્વતંત્રતા માટે જીવનપર્યંત સક્રિય રહ્યા ! એમના ચાહકો એમને ” ભારતીય ક્રાંતિ ના માતા” કહી ને એમના રાષ્ટ્રપ્રેમ ને આજે પણ યાદ કરે છે .ઇસ ૧૯૩૫માં જયારે તેઓ 74 વર્ષની ઉંમરે વિદેશની ધરતી પર સ્વરાષ્ટ્ર માટે તપ કરી ને પાછા ફર્યા ત્યારે તેમના સામાન માંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્ર ધ્વજો , આઝાદી માટે ના સાહિત્યો મળ્યા જે અંગ્રેજો દ્વારા સળગાવી દેવામાં આવ્યા . અંગ્રેજો એ મેડમ કામા એ બનાવેલા ધ્વજો તો સળગાવ્યા પણ મેડમ કામાએ દેશ અને વિદેશ માં જગાડેલી સ્વરાષ્ટ્ર્ની આગને કાબુમાં લેવાની અંગ્રેજોની શક્તિ બહારની વાત હતી આમ મેડમ ભીખાઈજી કામાની રાષ્ટ્રભક્તિ અને શૂરવીરતાના પ્રસંગો આજે પણ આપણું રાષ્ટ્ર ગૌરવ વધારે છે ..!!
સુરત મહાનગરપાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસમાં રક્ષાબંધનના દિવસે વિના મુલ્યે મુસાફરીની જાહેરાત કરી છે. આગામી શનિવારે રક્ષાબંધન છે તે દિવસે બહેનો અને 15 વર્ષ સુધીના બાળકો પાલિકાની બસમાં વિના મુલ્યે મુસાફરી કરી શકશે આ તકનો લાભ લેવા માટે પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે અપીલ કરી છે.
સુરત પાલિકાએ એક અખબારી યાદી જાહેર કરી છે તેમાં જણાવ્યું છે કે સુરત પાલિકા ભારતનો સૌથી લાંબો 108 કિલોમીટરનો બીઆરટીએસ રૂટ ધરાવે છે. બીઆરટીએસના 13 રૂટ અને સીટી બસના 45 રૂટ પર રોજ બે લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે.
સુરત પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની સુચના મુજબ આગામી રક્ષાબંધનના દિવસે અંગત વર્ષની જેમ જ સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ અને સીટી બસમાં મહિલા અને બાળકોને વિના મુલ્યે મુસાફરી કરી શકશે. આગામી શનિવારે રક્ષાબંધન છે અને તે દિવસે પાલિકાની સીટી અને બીઆરટીએસ બસમાં 15 વર્ષ સુધીના બાળકો અને મહિલાઓ વિના મુલ્યે મુસાફરી કરી શકશે. વધુમાં વધુ મહિલાઓ આ તકનો લાભ ઉઠાવે તેવી અપીલ કરવામાં આવી છે.
અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે કરોડોના ઇનામની જાહેરાત કરી છે. ટ્રમ્પ સરકારે જણાવ્યુ છે કે, માદુરોના ધરપકડની માહિતી આપનારને હવે 50 મિલિયન ડૉલર એટલે કે 438 કરોડ રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો દુનિયાના સૌથી મોટા નશા-તસ્કરોમાંના એક છે.
438 કરોડનું ઇનામ જાહેર
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર પ્રથમ વખત વર્ષ 2020માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન આરોપો લગાવવામાં આવ્યા હતા. ન્યૂયોર્કના મૈનહટ્ટનની સંધીય કાર્ટમાં નાર્કો-ટેરરિઝમ અને કોકીન આયાતના ષડયંત્રના આરોપો લાગ્યા હતા. તે સમયે માદુરો પર 15 મિલિયન ડૉલરનું ઇનામ લગાવવામાં આવ્યુ હતુ. બાદમાં બિડેન સરકારે તેમાં વધારો કર્યો હતો. અને 25 મિલિયન ડૉલરની જાહેરાત કરી હતી. આ રકમ એ જ છે આતંકી લાદેન વખતે રાખવામાં આવી હતી. પરંતુ ટ્ર્મ્પ સરકારે તેમાં વધારો કરીને 438 કરોડનું ઇનામ જાહેર કર્યુ છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર આટલા ગંભીર આરોપો અને કરોડોનું ઇનામ હોવા છતાં તેઓ સત્તા પર કાયમ છે. અમેરિકા, યૂરોપીય સંઘ અને લેટિન અમેરિકા દેશોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની જીતને દગાબાજી ગણાવી છે.
વેનેઝુએલાના વિદેશ મંત્રીનું નિવેદન
વેનેઝુએલાના વિદેશ મંત્રી ઇવાન ગિલે આ કરોડોના ઇનામને ‘દયનીય’ સ્થિતિ ગણાવી છે. તેઓએ નિવેદન આપ્યુ છે કે, આ પ્રકારની જાહેરાત ‘સસ્તી રાજનૈતિક પ્રચાર’નું માધ્યમ છે. ઇવાન ગિલે વધુમાં કહ્યુ હતુ કે, આ આરોપો એવા વ્યક્તિ લગાવી રહ્યા છે જેઓએ ‘એપ્સ્ટીનની સીક્રેટ લિસ્ટ’ના ખોટા વચનો આપ્યા હતા. અને રાજનૈતિક અહેસાનો માટે કોભાંડમાં ડૂબેલા રહે છે. આરોપો લગાવનાર વ્યક્તિ માત્ર પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યો છે.
અભિનેતા અને રાજ્યસભા સાંસદ કમલ હાસન ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. કમલ હાસને તાજેતરમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા, ત્યારબાદ પીએમ મોદી સાથે આ તેમની પહેલી મુલાકાત હતી. તેમણે આની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ અભિનેતા એક ખાસ હેતુ માટે પીએમને મળવા આવ્યા હતા. જાણો તેમણે શું ચર્ચા કરી.
કમલ હાસન પીએમ મોદીને મળ્યા
વાસ્તવમાં કમલ હાસન કીલાડીની ઐતિહાસિક પ્રાચીનતાને માન્યતા આપવાની માંગ કરવા માટે પીએમ મોદીને મળ્યા હતા. કમલ હાસને તેમના એક્સ એકાઉન્ટ પર પ્રધાનમંત્રી સાથેની ઘણી તસવીરો શેર કરી હતી. તસવીરોમાં તેઓ પીએમ મોદી સાથે વાત કરતા જોવા મળે છે. કમલે પીએમને કીલાડી ગામ સંબંધિત એક ખાસ સ્મૃતિચિહ્ન પણ ભેટમાં આપ્યું હતું.
કીલાડી ગામ તમિલનાડુના મદુરાઈથી લગભગ 12 કિમી દૂર વૈગઈ નદીના કિનારે આવેલું છે અને તેને સંગમ યુગની સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે. પોસ્ટમાં કમલ હાસને લખ્યું છે કે આજે મને ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને મળવાનું સન્માન મળ્યું. તમિલનાડુના લોકોના પ્રતિનિધિ અને એક કલાકાર તરીકે, મેં તેમની સાથે કેટલાક મહત્ત્વના વિષયો પર ચર્ચા કરી હતી. આમાં સૌથી અગત્યની કીલાડીની પ્રાચીનતાને ઓળખવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો વિનંતી હતી.
તેમણે વધુમાં કહ્યું, “મેં પ્રધાનમંત્રીને વિનંતી કરી હતી કે તેઓ તમિલ લોકોને ટેકો આપે જેથી તમિલ સભ્યતા અને તમિલ ભાષાની ભવ્યતા વૈશ્વિક મંચ પર રજૂ થઈ શકે.” ઉલ્લેખનીય છે કે કીલાડી ખોદકામ અંગે કેન્દ્ર અને તમિલનાડુની ડીએમકે સરકાર વચ્ચે પહેલેથી જ મતભેદો રહ્યા છે.
કમલ હાસન રાજ્યસભાના સભ્ય બન્યા
કમલ હાસને ગયા મહિને રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. તેમણે તમિલ ભાષામાં શપથ લીધા હતા, જેને ગૃહમાં જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા. આ પહેલી વાર છે જ્યારે કમલે રાષ્ટ્રીય સ્તરની સંસદીય ભૂમિકા ભજવી છે. તેમને ડીએમકે ગઠબંધનના સમર્થનથી આ બેઠક મળી છે, જેણે 2024ની લોકસભા ચૂંટણીમાં એમએનએમના સમર્થનના બદલામાં રાજ્યસભા બેઠકનું વચન આપ્યું હતું.
બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની હત્યાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગઇકાલે સાંજે હુમા કુરેશીના પિતરાઇ ભાઈની હત્યા થયા બાદ હવે ઘટનાના CCTV વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને આરોપીઓ આસિફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા જોઈ શકાય છે. પ્રાથમિક વિગતો મુજબ પાર્કિંગની બાબતમાં આ હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, નિઝામુદ્દીન પોલીસ સ્ટેશન વિસ્તારના જંગપુરા ભોગલ બજારની ગલીમાં ગુરુવારે મોડી રાત્રે પાર્કિંગને લઈને વિવાદ થયો હતો. એવું કહેવાય છે કે બે યુવાનોએ આસિફના ઘરની સામે સ્કૂટી પાર્ક કરી હતી. આસિફે તેમને સ્કૂટી પાર્ક કરવા દેવાની ના પાડી દીધી. આ બાબતે વિવાદ વધ્યો અને બંનેએ આસિફ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો. હુમલામાં આસિફ ગંભીર રીતે ઘાયલ થયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ આસિફને મૃત જાહેર કર્યો.
આરોપી કોણ છે?
આરોપી ગૌતમ અને ઉજ્જવલ ભાઈઓ છે. ગૌતમ ડ્રગ્સનો વ્યસની છે. તે વિસ્તારમાં તેના ઝઘડાળુ સ્વભાવ માટે જાણીતો છે. તે ઘણીવાર પડોશમાં ઝઘડો કરે છે. બંનેની ધરપકડ કરવામાં આવી છે. આસિફના પિતાની ફરિયાદ પર પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 103(1)/3(5) હેઠળ FIR નંબર 233/25 નોંધી છે.
પત્નીએ ઘટનાનો સમગ્ર ક્રમ જણાવ્યો.
આસિફની પત્ની સૈનાઝે તેના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે પડોશીઓએ તેમના ઘરની બહાર તેમની સ્કૂટી પાર્ક કરી હતી. આસિફે તેમને ફક્ત સ્કૂટી બાજુ પર ખસેડવા કહ્યું, જેનાથી દલીલ શરૂ થઈ. થોડીવારમાં, દલીલ હિંસક બની ગઈ અને બંને યુવાનોએ પહેલા એકબીજાને ધક્કો માર્યો અને પછી અચાનક હુમલો કર્યો.
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં 8 દિવસ પહેલા શરૂ કરાયેલું ઓપરેશન કુલગામ આજે 8મા દિવસે પણ ચાલુ છે. દસ વર્ષમાં આ સૌથી લાંબુ એન્કાઉન્ટર છે. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 2 થી 3 આતંકવાદીઓ હજુ પણ આ વિસ્તારમાં છુપાયેલા હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 9 સેનાના જવાનો ઘાયલ થયા છે. સતત 8 દિવસથી ચાલી રહેલા આ એન્કાઉન્ટરને કારણે, અખાલ ગામના મોટાભાગના રહેવાસીઓને સલામત સ્થળોએ મોકલી દેવામાં આવ્યા છે.
આતંકવાદીઓને ખતમ કરવા માટે બધા સાથે મળીને કામ કરી રહ્યા છેત્રણ જિલ્લાઓની પોલીસના પેરા, આર્મી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત CRPF કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓને મારવા માટે મોરચો સંભાળી રહ્યા છે. જ્યારે સમગ્ર વિસ્તાર પર હેલિકોપ્ટર, ક્વોડ કોપ્ટર અને હેક્સાકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જેથી જો આતંકવાદીઓ કોઈ પ્રવૃત્તિ કરે તો તેમની ઓળખ થઈ શકે.
આતંકવાદીઓ પોતાનું સ્થાન બદલી રહ્યા છે
જંગલો અને ટેકરીઓના આ વિસ્તારમાં, દેવદારના ઝાડ પાછળ છુપાયેલા આતંકવાદીઓ પોતાના સ્થાન બદલી રહ્યા છે. જેના કારણે સુરક્ષા દળોને આ આતંકવાદીઓને ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. આતંકવાદીઓને બીજો ફાયદો એ થઈ રહ્યો છે કે આતંકવાદીઓ ટેકરીના ઊંચા ભાગમાં છુપાયેલા છે, જ્યાંથી તેઓ સુરક્ષા દળોની ગતિવિધિઓ પર સરળતાથી નજર રાખી રહ્યા છે.
થોડા દિવસો પહેલા સેનાને બીજી સફળતા મળી હતી. સેનાએ ઓપરેશન મહાદેવ દ્વારા પહેલગામ હુમલાના 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે પોતે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે સંસદમાં કહ્યું હતું કે 22 એપ્રિલે IB ને માનવ ગુપ્ત માહિતી દ્વારા આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારથી અમારી સેના તે આતંકવાદીઓને ખતમ કરવાની યોજના બનાવી રહી હતી.
મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં બે ટ્રક અને અર્ટિગા કાર અથડાયા હતા આ દરમિયાન આગ લાગતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જેમાં, ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનો સામવેશ થાય છે. તો કારમાં સવાર 2 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે. પાંચ બાળક સહિત સાત લોકો ફસાયેલા હોવાથી બચાવાયા છે.અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જ્યો હતો.
રાજ્યામાં અવાર નવાર ડુપ્લીકેટ વસ્તુઓ પકડાઈ રહી છે. લોકો ગમે તે વસ્તુની નકલ કરીને બસ પૈસા છાપવાના વિચાર સાથે અનેક ડુપ્લીકેટ વસ્તુઓ બનાવી રહ્યા છે. ત્યાર હવે સુરતમાંથી ડુપ્લીકેટ ઓઇલનું કારખાનું ઝડપાયું છે. આ કારખાનું છેલ્લા 1 વર્ષથી ધમધમી રહ્યું હતું, ત્યારે હવે સુરત ઝોન 1 LCBની ટીમે આ ડુપ્લીકેટ ઓઇલનું કારખાનું ઝડપી પાડ્યું છે.
સુરતના લસકાણા વિસ્તારમાં રેડ પાડવામાં આવી
ડુપ્લિકેશન માટે વરાછા, સરથાણા અને લસકાણા હબ બની રહ્યું છે, ત્યારે સુરત ઝોન 1 LCBની ટીમે સુરતના લસકાણા વિસ્તારમાં રેડ પાડીને આ એક વર્ષથી ચાલતા ડુપ્લીકેટ ઓઇલના કારખાનાને ઝડપી પાડ્યું છે. LCB ટીમે ડુપ્લીકેટ ઓઇલનું કારખાનું ચલાવનાર આરોપી નવનીતભાઈ જસમતભાઈ ઠુમ્મરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના નામે વેચતો હતો ઓઇલ
આરોપી નવનીત છેલ્લા 1 વર્ષથી આ કારખાનું ચલાવતો હતો અને અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના ઓઇલનું ડુપ્લીકેશન કરી સુરતના અલગ અલગ વિસ્તારોમાં વેચતો હતો. પોલીસે આરોપી પાસેથી જુદી-જુદી કંપનીઓના ડુપ્લીકેટ એન્જીન ઓઈલ સહિત કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથધરી છે.