HomeSurat Cityસુરત: લીંબાયતમાં વેપારીની હત્યા મામલે રોષ, હત્યારાઓના એન્કાઉન્ટરની માંગ સાથે રજૂઆત

સુરત: લીંબાયતમાં વેપારીની હત્યા મામલે રોષ, હત્યારાઓના એન્કાઉન્ટરની માંગ સાથે રજૂઆત

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

સુરતના લીંબાયત વિસ્તારમાં થયેલી કાપડ વેપારી આલોક કુમારની ક્રૂર હત્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને અગ્રવાલ સમાજમાં ભારે રોષ પ્રવર્ત્યો હતો. આ મામલે ન્યાયની માંગ સાથે અગ્રવાલ સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આલોક કુમારની જાહેરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

તેમ છતાં આ ઘટનાના મુખ્ય આરોપીઓ અસ્ફાક અને અબરાર પાંચ દિવસ વીતી જવા છતાં પોલીસ પકડથી દૂર છે. પોલીસની આ ધીમી કામગીરીથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચેલા અગ્રવાલ સમાજના લોકોએ માંગણી કરી હતી કે પોલીસ આરોપીઓને ઝડપી પાડીને તેમનું એન્કાઉન્ટર કરે. આ પ્રકારની માંગણી એ દર્શાવે છે કે લોકો કાયદાની પ્રક્રિયા પરનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે અને આવા ગંભીર ગુનાઓ માટે કડક અને તાત્કાલિક સજાની અપેક્ષા રાખી રહ્યા છે.

આ ઘટનાએ સુરત પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા હતા. પાંચ દિવસ વીતી ગયા બાદ પણ મુખ્ય આરોપીઓ પકડાયા નથી. જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શા માટે તેઓ હજુ સુધી પકડાયા નથી તે અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે

Subscribe

Latest stories