Home Blog Page 332

અમેરિકા: પેન્સિલવેનિયામાં ગોળીબારમાં ત્રણ પોલીસ અધિકારીઓના મોત, બે ઘાયલ

પેન્સિલવેનિયા રાજ્યમાં ગોળીબારમાં ત્રણ પોલીસ અધિકારીઓનાં મોત થયાં છે અને બે ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ગોળીબાર કોડોરસ ટાઉનશીપમાં થયો હતો, જે દક્ષિણપૂર્વ પેન્સિલ્વેનિયાના યોર્ક કાઉન્ટી સમુદાયમાં આવેલું છે. રાજ્ય પોલીસ કમિશનર કર્નલ ક્રિસ્ટોફર પેરિસે જણાવ્યું હતું કે ઘટનામાં સામેલ અધિકારીઓ અગાઉના પોલીસ કામના સ્થળે પરત આવ્યા હતા.

“તેઓ ગઈકાલે શરૂ થયેલી એક તપાસને અનુસરી રહ્યા હતા,” એમ તેમણે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું. તેમણે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તપાસને “ઘરેલુ સંબંધિત” તરીકે વર્ણવી હતી.

“હું તમને ખાતરી આપી શકું છું કે પેન્સિલવેનિયા રાજ્ય પોલીસના તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,” પેરિસે કહ્યું, ગોળીબારનું સ્થળ હજુ પણ “ખૂબ જ સક્રિય દ્રશ્ય” હતું.

કમિશનરની સાથે પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરો પણ જોડાયા હતા, જેઓ ફિલાડેલ્ફિયાથી લગભગ 185 કિલોમીટર (115 માઇલ) પશ્ચિમમાં આવેલા નોર્થ કોડોરસ ટાઉનશીપમાં ઘટનાસ્થળે દોડી ગયા હતા અને માર્યા ગયેલા અને ઘાયલ પોલીસ અધિકારીઓના પરિવારોને મળ્યા હતા.

ત્રણ અધિકારીઓનાં મોત થયા અને ગોળી વાગેલા અન્ય બે અધિકારીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમને ગંભીર પરંતુ સ્થિર હાલતમાં રાખવામાં આવ્યા છે.

ઘાયલ અધિકારીઓની હાલત ગંભીર
ઘાયલ થયેલા બે અધિકારીઓને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર છે. અધિકારીઓએ હુમલાખોરની ઓળખ જાહેર કરી નથી, કે ન તો મૃત્યુ પામેલા પોલીસ અધિકારીઓ કઈ એજન્સીના હતા તે જણાવ્યું છે. એટર્ની જનરલ પામેલા બોન્ડીએ આ ઘટનાની નિંદા કરી છે અને તેને સમાજ માટે શ્રાપ ગણાવી છે. તેમણે કહ્યું કે અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. અગાઉ પણ પોલીસ પર હુમલા થયા છે.

આંદામાન નિકોબાર સહકારી બેંક છેતરપિંડી કેસમાં ભૂતપૂર્વ સાંસદ ઈડીએ સકંજામાં લીધા

0

આંદામાન અને નિકોબાર રાજ્ય સહકારી બેંક ગોટાળા કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં ઈડીએ બુધવારે આંદામાન અને નિકોબારના ભૂતપૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા કુલદીપ રાય શર્મા અને અન્ય બે લોકોની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશમાં મની લોન્ડરિંગ કાયદા હેઠળ તપાસ એજન્સી દ્વારા આ પ્રકારની પ્રથમ ધરપકડ છે.

બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને લોન અધિકારીની પણ ધરપકડ
કુલદીપ રાય શર્મા આંદામાન અને નિકોબાર રાજ્ય સહકારી બેંક ના ભૂતપૂર્વ ચેરમેન છે. તેમજ ધરપકડ કરાયેલા અન્ય બે વ્યક્તિઓમાં બેંકના મેનેજિંગ ડિરેક્ટર, કે. મુરુગન અને બેંકના લોન અધિકારી, કે. કલાઈવનનનો સમાવેશ થાય છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટે તેમને ત્રણથી આઠ દિવસ માટે ઈડી કસ્ટડીમાં મોકલ્યા છે. આ તપાસ આંદામાન અને નિકોબાર રાજ્ય સહકારી બેંકમાં કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે.

શેલ કંપનીઓ બનાવી લોન મંજૂર કરી હતી
આ કેસ આંદામાન અને નિકોબાર રાજ્ય સહકારી બેંક લિમિટેડના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ગોટાળા સાથે સંબંધિત છે. જેમાં કુલદીપ રાય શર્મા અને બેંક લોન મંજૂર કરવા માટે જવાબદાર અન્ય લોકોનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓએ તેમના સહયોગીઓ સાથે મળીને ઘણી શેલ કંપનીઓ બનાવી અને, બેંક નિયમો અને સ્થાપિત પ્રક્રિયાઓનો ભંગ કર્યો હતો. તેમજ તેમની નિયંત્રિત સંસ્થાઓ માટે મોટી લોન મંજૂર કરી હતી. જેનો એકમાત્ર હેતુ લોન નહી ચૂકવીને બેંકને નુકસાન પહોંચાડવાનો અને પોતાને ફાયદો કરાવવાનો હતો.

ઉત્તરાખંડ: ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, બે ગામ થયા જળમગ્ન, 9 લોકો ગુમ

0

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી બે ગામડા કુંત્રી અને ધૂર્મામાં ભારે વિનાશ સર્જાયો હતો. આ ઘટનામાં પાંચ લોકો ગુમ થયાના અહેવાલ છે, જેમાંથી બેને બચાવ ટીમો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને ત્રણની શોધખોળ હજુ ચાલુ છે. અકસ્માતની માહિતી મળતાં જ તબીબી ટીમો, NDRF અને SDRF ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

આ ઘટનાનું મુખ્ય કેન્દ્ર નંદપ્રયાગની નજીકના કુંતરી લગાફાલી વોર્ડમાં જોવા મળ્યું, જ્યાં ભારે વરસાદથી પર્વતોમાંથી આવેલા ધસમસતા પાણીના પ્રવાહથી છ ઘરોને તબાહ થઈ ગયા. આમાં પાંચ વ્યક્તિઓ ગુમ થયા હોવાની જાણકારી છે, જ્યારે બેને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ત્યારબાદ ધુર્મા ગામ પણ આ આફતથી પ્રભાવિત થયું હતું. જ્યાં લગભગ પાંચ ઘરોને નુકસાન પહોંચ્યું છે. આ બંને સ્થળોએ રાતના સમયે આવેલા આ પાણીના ભારે પ્રવાહએ લોકોના જીવનને જોખમમાં મુકી દીધા છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન દળોએ તરત જ રાહત અને બચાવ કાર્ય આદર્યું હતું. જ્યારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળની એક ટુકડી ગોતરથી નંદપ્રયાગ તરફ રવાના થઈ છે. મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે તબીબી ટીમ સાથે ત્રણ 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે, જેથી ઘાયલોને તાત્કાલિક મદદ મળી શકે. આ ટીમો કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવા અને ગુમ થયેલા લોકોની શોધ કરવાની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

મુખ્ય તબીબી અધિકારી (CMO) એ જણાવ્યું હતું કે ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે ત્રણ 108 એમ્બ્યુલન્સ અને એક તબીબી ટીમને સ્થળ પર મોકલવામાં આવી છે. નંદનગરમાં વાદળ ફાટવાથી અચાનક કાટમાળને કારણે વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું છે. કાટમાળથી ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રાત્રે બનેલી આ ઘટનાથી લોકોને સ્વસ્થ થવાની તક મળી નથી. બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધવા માટે કામ કરી રહી છે.

બનાસકાંઠાના વાવમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં રાત્રે 10:26 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ છે. સદનસીબે આ આંચકો ઓછી તીવ્રતાનો હોવાથી કોઈ મોટી જાનહાનિ કે નુકસાન થયું નથી. સિઝમોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી 25 કિલોમીટર દૂર નોંધાયું છે.

સુરતમાં LCB કોન્સ્ટેબલને લાંચ લેતા ACBએ સકંજામાં લીધા

સુરત જિલ્લામાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ એક મોટી કાર્યવાહી કરીને સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કોન્સ્ટેબલે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીના પતિ અને જમાઈ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ફરિયાદીના જમાઈની અટકાયત કરવામાં આવી હતી.

આ અટકાયત કરેલા આરોપીને પોલીસ માર ન મારે અને વોન્ટેડ આરોપીને હાજર કર્યા બાદ પણ માર ન મારે તે માટે કોન્સ્ટેબલે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

આરોપીને માર ન મારવા માગી હતી લાંચ
આ બાબતથી નારાજ થઈને ફરિયાદીએ તાત્કાલિક ACBનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. ફરિયાદીની ફરિયાદના આધારે ACB એ એક સુનિયોજિત છટકું ગોઠવ્યું. આ છટકા દરમિયાન જ્યારે કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો ત્યારે ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

ACBએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ACBએ આ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં વધુ તપાસ ચાલી રહી છે અને કોન્સ્ટેબલ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું દૂષણ હજી પણ વ્યાપક છે અને ACB જેવી સંસ્થાઓ તેને નાબૂદ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

આસામમાં જમીનના ગેરકાયદેસર સોદામાં મહિલા અધિકારી ઝડપાયા

0

આસામ સિવિલ સર્વિસ (ACS) ના મહિલા અધિકારી નુપુર બોરાની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન, અધિકારીઓને તેમના ઘરે અપ્રમાણસર સંપત્તિ મળી આવી.

નુપુર બોરા 2019 બેચના અધિકારી છે. તેઓ છેલ્લા છ મહિનાથી સ્પેશિયલ વિજિલન્સ સેલના દેખરેખ હેઠળ છે. તેમના પર જમીનના સોદાઓમાં ઉચાપત કરવાનો અને મોટી રકમ સ્વીકારવાનો આરોપ છે. તાજેતરમાં, તેમના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જે દરમિયાન પોલીસે મોટી માત્રામાં રોકડ અને દાગીના જપ્ત કર્યા હતા.

દરોડામાં શું મળ્યું?

  • ગુવાહાટીના ઘરમાંથી 72.50 લાખ રૂપિયાથી વધુ રોકડ મળી આવી
  • આશરે 1.5 કરોડ રૂપિયાના ઘરેણાં જપ્ત કરાયા
  • બારપેટામાં ભાડાના ઘરમાંથી 10 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા
  • આ અધિકારીએ માત્ર પાંચ વર્ષની સેવામાં જે અઢળક સંપત્તિ મેળવી તેનાથી સરકારથી લઈને સામાન્ય જનતા સુધી બધાને આશ્ચર્ય થયું.

મુખ્યમંત્રીએ શું કહ્યું?
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે, બારપેટામાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતી વખતે નુપુર બોરાએ હિન્દુઓની જમીન શંકાસ્પદ વ્યક્તિઓને ટ્રાન્સફર કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, ખાસ કરીને લઘુમતી બહુમતી ધરાવતા વિસ્તારોમાં, આવા ભ્રષ્ટાચારને સહન કરવામાં આવશે નહીં.

મુખ્યમંત્રી શર્માએ કહ્યું, “અમને જાણવા મળ્યું છે કે તેમણે તેમના જાણીતા આવકના સ્ત્રોતો કરતાં 400 ગણી વધુ સંપત્તિ એકઠી કરી છે. અમારું માનવું છે કે ફક્ત સસ્પેન્શન અથવા સેવામાંથી બરતરફી પૂરતું નથી. આપણે કાનૂની પ્રક્રિયા દ્વારા સજા સુનિશ્ચિત કરવી જોઈએ.” તેમણે જનતાને અપીલ પણ કરી કે તેઓ લાંચ માંગનારા કોઈપણ અધિકારીની તાત્કાલિક જાણ કરે.

તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે
પોલીસે નુપુર બોરાના કર્મચારી સુરજીત ડેકાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. તપાસકર્તાઓને શંકા છે કે બંનેએ બારપેટામાં જમીનના ઘણા ટુકડા ખરીદવા અને વેચવાનું કાવતરું ઘડ્યું હતું. તેમના બેંક સ્ટેટમેન્ટ અને તમામ જમીન વ્યવહારોની હવે તપાસ કરવામાં આવી રહી છે.

યુવાવયે હાર્ટએટેક : સુરતમાં ફાર્માસિસ્ટ અને રત્નકલાકાર સહિત ત્રણનાં મોત

0

શહેરમાં અચાનક બેભાન થયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આવા કિસ્સામાં વધુ ત્રણના મૃત્યુ થયા છે. સિંગણપોરમાં ફાર્માસિસ્ટનું બેભાન થયા બાદ મોત થયું હતું તથા અલથાણ ટેનામેન્ટમાં રહેતા રત્નકલાકારનું છાતીમાં દુખાવો બાદ બેભાન થતા મોત થયું હતું. સહારા દરવાજા સ્થિત રહેતો યુવક બેભાન થયા બાદ મોતને ભેટ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલા રાધાસ્વામી સોસાયટીમાં રહેતા 36 વર્ષીય કનૈયાભાઈ શંકરભાઈ મસ્કરા ફાર્માસિસ્ટ હતા. તેઓને સંતાનમાં બે પુત્રી છે. ગઈકાલે બપોરે કનૈયાભાઈ ઘરે બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. કનૈયાભાઈનું હાર્ટ એટેકની મોત નિપજ્યું હોવાની શક્યતા છે.

બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ભટાર અલથાણ ટેનામેન્ટ ખાતે રહેતા 35 વર્ષીય પ્રશાંત સુભાષ ભાવસાર હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પત્ની અને બે પુત્રી સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો.

ગઈકાલે રાત્રે પ્રશાંતને ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઈ ગયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ત્રીજા બનાવમાં મૂળ પશ્વિમ બંગાળના વતની અને હાલ સહારા દરવાજા નજીક સોનિયા નગરમાં રહેતા 36 વર્ષીય હરબેરીસિંગ રાજપુત હમાલી કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. આજે સવારે હરબેરી ઘરે એકાએક બેભાન થઈ ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હરબેરીસિંગનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની શક્યતા છે.

સુરતની સ્કૂલ બહાર ધોરણ 12ના વિદ્યાર્થી પર સળિયા વડે હુમલો, સુરક્ષા પર સવાલો

સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર સ્કૂલની બહાર ધોરણ 12ના એક વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થી દ્વારા સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાએ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી હિંસક ઘટનાની યાદ અપાવી છે, જેને પગલે શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર સ્કૂલના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં શાળા છૂટ્યા બાદ સ્કૂલથી માત્ર 100 મીટરના અંતરે ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12ના વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પીડિત વિદ્યાર્થીને માથા ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી સળિયો લઈ સ્કૂલે પહોંચ્યા
હુમલા બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યારબાદ, પુત્રનો સિટી સ્કેન રિપોર્ટ અને જે સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો તે લઈને તેઓ સીધા શાળાએ પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

વાલીઓમાં રોષ અને સુરક્ષા પર સવાલ
આ ઘટનાને પગલે અન્ય વાલીઓ પણ મોટી સંખ્યામાં શાળાએ એકઠા થઈ ગયા હતા અને શાળા પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શાળાની નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ વચ્ચે આવા હિંસક ઝઘડાઓ થઈ રહ્યા છે. રોષે ભરાયેલા વાલીઓએ હુમલો કરનાર વિદ્યાર્થીને તાત્કાલિક શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા તેની સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી હતી.આ ઘટનાએ ફરી એકવાર શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. હાલ આ મામલે શાળા પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

અમેરિકાની આ ગોરીને જોઈએ છે ભારતીય પતિ, જો પરણવાનું બાકી હોય તો વાત ચલાવો આગળ

આધુનિક દુનિયામાં લોકો પોતાનો જીવનસાથી શોધવા માટે ડેટિંગ એપ અથવા મેટ્રિમોનિયલ સાઈટની મદદ લેતા હોય છે, આ ઉપરાંત કેટલાય લોકો સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાનો મનપસંદ સાથે શોધવા નીકળી પડતા હોય છે, પણ તેનાથી અલગ અમેરિકામાં એક છોકરીએ પોતાના માટે ભારતીય પતિ શોધવા થોડી અલગ રીત અપનાવી હતી. તેની રીત એટલી ખાસ હતી કે અમુક લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો.

સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં એક છોકરી અમેરિકાના પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેયર પર હાથમાં એક પ્લે કાર્ડ લઈને ઊભી છે. તેના આ પ્લેકાર્ડ પર ભારતીય પતિની શોધ એવું લખેલું છે. ત્યાર બાદ ત્યાં સ્પાઈડર મેનનો સૂટ પહેલી ફરી રહેલો એક વ્યક્તિ મહિલાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિકત કરે છે. સોશિયલ મીડિયા પર આ રીલ ખૂબ વાયરલ થઈ રહી છે. તેને લઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ રીલ વાયરલ થયા બાદ કોમેન્ટ સેક્શનમાં લોકોને સૌથી મોટો સવાલ એ હતો કે આખરે આ છોકરી કોણ છે, જો કે તેની ઓળખ છતી કરવામાં આવી નથી. ત્યાર બાદ લોકોએ બીજો સવાલ કર્યો કે આખરે આ છોકરીને ભારતીય પતિ જ કેમ જોઈએ. તેનો જવાબ આપતા લોકો કહી રહ્યા છે કે ભારતીય પુરુષો પારિવારિક અને પરંપરાઓનું સન્માન કરનારા હોય છે. આવા સમયે બની શકે કે તે તેમની આ ખાસિયતથી પ્રભાવિત થઈને ભારતીય પુરુષ સાથે લગ્ન કરવા માગતી હોય. તો વળી ઘણા લોકો આ તર્કની મજાક ઉડાવતા કહે છે કે બોલિવૂડ ફિલ્મો, ક્રિકેટ સ્ટાર અને ભારતીય ભોજને આ છોકરીના વિચારોને પ્રભાવિત કર્યા હશે.

Vijaya Dashami 2025 Date: 1 કે 2 ઓક્ટોબર, વિજયાદશમી ક્યારે છે? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

0

હિંદુ ધર્મમાં દશેરાને ખાસ મહત્વ આપવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે આસો સુદ માસની દશમી તિથીએ ઉજવવામાં આવે છે. દશેરાને અધર્મ પર ધર્મની વિજય તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે દશેરા 2 ઓક્ટોબરે ઉજવાશે. માન્યતા મુજબ, આ જ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને પૃથ્વીને તેના અત્યાચારોથી મુક્ત કરી હતી. દેશભરમાં અનેક સ્થળોએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે અને રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. આ ઉપરાંત, દુર્ગા પૂજાના સમય દરમિયાન સ્થાપિત દેવી દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન પણ આ જ દિવસે કરવામાં આવે છે.

દશેરાનો ઇતિહાસ

હિંદુ મહાકાવ્ય રામાયણ મુજબ, અયોધ્યાના રાજા દશરથના પુત્ર ભગવાન રામને 14 વર્ષનું વનવાસ મળ્યું હતું. વનવાસ દરમિયાન, રાવણએ રામની પત્ની સીતાનું અપહરણ કર્યું હતું. સીતાને છોડાવવા માટે રામે લંકા પર આક્રમણ કર્યું હતું. જ્યાં તેમણે રાવણના ભાઈ કુંભકર્ણ અને રાવણનો વધ કરીને સીતાને મુક્ત કરી હતી.

માન્યતા છે કે ભગવાન રામે લંકા પર ચઢાઈ કરતા પહેલા 9 દિવસ સુધી શક્તિની આરાધના કરી હતી. એ જથી 9 દિવસીય નવરાત્રી પૂજાની શરૂઆત થઈ. અને જે દિવસે રામે રાવણનો વધ કર્યો તે દિવસને દશેરા તરીકે મનાવવામાં આવે છે. કેટલાક લોકો દશેરાનો તહેવાર દેવી દુર્ગા દ્વારા મહિષાસુર દૈત્યના વધની ખુશીમાં પણ ઉજવે છે.

દેવી દુર્ગાને વિદાય અપાય છે

દશેરા દુર્ગા પૂજાના ત્રણ દિવસીય સમાપન ઉત્સવ તરીકે પણ ઉજવાય છે. નવરાત્રીના અંતિમ ત્રણ દિવસ દેશભરમાં દુર્ગા પૂજા તરીકે મનાવવામાં આવે છે. આ દરમિયાન ભવ્ય પંડાલોમાં દુર્ગા પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. દશેરાના દિવસે આ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. વિજયાદશમીનો તહેવાર નવરાત્રી અને દુર્ગા પૂજાના સમાપનની નિશાની છે. આ દિવસે શસ્ત્રોની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. દશેરાના દિવસે કરવામાં આવેલી પૂજા શુભ ફળદાયી માનવામાં આવે છે.

દશેરા 2025નો શુભ મુહૂર્ત

જ્યોતિષ પંચાંગ મુજબ, આ વર્ષે દશમી તિથી 1 ઓક્ટોબર 2025 સાંજે 07:00 વાગ્યે શરૂ થશે અને 2 ઓક્ટોબર 2025 સાંજે 07:10 વાગ્યે પૂર્ણ થશે. એટલે કે વિજયાદશમીનો પર્વ ગુરુવાર, 2 ઓક્ટોબર ઉજવાશે. ખાસ વાત એ છે કે આ દિવસે રવિ યોગ પણ બનશે, જેના કારણે તહેવારનું મહત્વ વધુ વધશે.

દશેરાનું ધાર્મિક મહત્વ

શાસ્ત્રોમાં દશેરાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આ દિવસે દરેક શહેરમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળા દહનની પરંપરા છે. માન્યતા છે કે શુભ મુહૂર્તમાં રાવણ દહન કરવાથી શુભ અસર પડે છે. સાથે જ આ દિવસે શસ્ત્રોની પૂજાનું પણ ખાસ મહત્વ છે. આ આખો દિવસ શુભ માનવામાં આવે છે, એટલે કે આ દિવસે કોઈપણ વસ્તુ ખરીદવા માટે અલગ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી.

રાવણ દહનનો શુભ મુહૂર્ત

હિંદુ પંચાંગ મુજબ, વિજયાદશમીના દિવસે રાવણ દહન પ્રદોષ કાળમાં કરવાનો વિધાન છે. પ્રદોષ કાળનો સમય સૂર્યાસ્ત એટલે કે સાંજે 06:05 વાગ્યે રહેશે. એટલે કે રાવણ દહન સૂર્યાસ્ત પછી કરવામાં આવશે. દશેરાથી થોડા દિવસો પહેલા જ સ્થળ સ્થળે રામલીલાનું આયોજન શરૂ થાય છે. લગભગ 10 દિવસ ચાલતી રામલીલાનો સમાપન દશેરા દિવસે રાવણ દહન સાથે થાય છે.