Home Blog Page 306

મુખ્ય સચિવ પંકજ જોષીનું નિવૃત્તિ 31મીએ, કાર્યકાળ વધારવાના મુદ્દે અનિશ્ચિતતા

0

રાજય સરકારમાં આજની સ્થિતિએ આઇ.એ.એસ., આઇ.પી.એસ. આઇ.એફ.એસ. અધિકારીઓમાં દબદબો ચાલી રહ્યો છે. રાજય સરકારમાં 2025ની સ્થિતિએ આઇ.એ.એસ. અધિકારીઓની સંખ્યા કુલ 269ની છે.

રાજયના મુખ્ય સચિવશ્રી પંકજકુમાર જોષી આ માસના અંતમાં નિવૃત્ત થઇ રહ્યા છે.

હવે એ જોવાનું રહ્યું કે તેમને એકસ્ટેશન આપવામાં આવે છે કે નહિં. તેમના નિવૃત બાદ સિનિયોરીટી મુજબ સિનિયર આઇ.એ.એસ. અને હાલ દિલ્હી ખાતે મિનિસ્ટરી ઓફ હાઉસીંગ અને અર્બન અઔંસમાં સેવાઓ આપી રહ્યા છે તેમનો ક્રમ આવે છે.

શ્રીનિવાસ અનિચ્છા દર્શાવે તો સિનિયર આઇ.એ.એસ. સુનયના તોમરનો ક્રમ આવે છે. શ્રી નિવાસ વર્ષ ર૦ર૭ના જુલાઈ માસમાં નિવૃત થાય છે.

આમ જોઇએ તો હવે 30 જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ અને ર30 જુનિયર આઇ.એસ. અધિકારીઓ છે.

અમિત શાહે Gmail છોડી Zoho Mail પર સ્વિચ કર્યું, જાહેર કર્યું નવું ID, સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા શીખો

0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમનું ઇમેઇલ એકાઉન્ટ બદલ્યું છે અને મેડ ઇન ઇન્ડિયા પ્લેટફોર્મ Zoho Mail પર એક નવું એકાઉન્ટ બનાવ્યું છે. તેમણે પોતે X (ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. શાહે કહ્યું કે ભવિષ્યમાં બધા સત્તાવાર ઇમેઇલ હવે આ નવા આઈડી પર મોકલવા. તેમણે X પર તેમનું નવું ઇમેઇલ આઈડી પણ શેર કર્યું.

આ પગલું માત્ર ડિજિટલ આત્મનિર્ભરતા તરફ એક મજબૂત સંદેશ જ નથી આપતું, પરંતુ એ પણ દર્શાવે છે કે ભારતમાં વિકસિત ટેકનોલોજી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ છે. ભારતીય ટેક કંપની ઝોહો કોર્પોરેશન દ્વારા વિકસિત ઝોહો મેઇલને જીમેલ અને માઈક્રોસોફ્ટ આઉટલુક જેવા વિદેશી પ્લેટફોર્મનો સ્વદેશી વિકલ્પ માનવામાં આવે છે.

ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુએ પણ અમિત શાહના આ પગલા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ ભારતના ટેકનોલોજીકલ સ્વનિર્ભરતાના મિશન માટે ગર્વની ક્ષણ છે. ઝોહોની ચેટિંગ એપ, અરટ્ટાઈ, પણ તાજેતરમાં સમાચારમાં છે, ખાસ કરીને જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડ ઇન ઇન્ડિયા એપ્સના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું આહ્વાન કર્યું હતું.

Gmail થી Zoho Mail પર કેવી રીતે સ્વિચ કરવું?

  • ઝોહો મેઇલ સાઇટની મુલાકાત લો અને મફત અથવા પેઇડ પ્લાન પસંદ કરીને સાઇન અપ કરો. તમારો મોબાઇલ નંબર અને પુનઃપ્રાપ્તિ ઇમેઇલ સરનામું સેટ કરો.
  • Gmail → સેટિંગ્સ → ફોરવર્ડિંગ અને POP/IMAP પર જાઓ અને IMAP સક્ષમ કરો. આનાથી Zoho તમારા Gmail ડેટાને ઍક્સેસ કરી શકશે અને સ્થાનાંતરણ કરી શકશે.
  • ઝોહો મેઇલમાં, સેટિંગ્સ → આયાત/નિકાસ અથવા સ્થળાંતર વિઝાર્ડ પર જાઓ. અહીંથી, તમે Gmail માંથી ઇમેઇલ્સ, ફોલ્ડર્સ અને સંપર્કો આયાત કરી શકો છો. મોટા મેઇલબોક્સ માટે આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે, તેથી ધીરજ રાખો.
  • Gmail સેટિંગ્સમાં જાઓ અને તમારા નવા Zoho સરનામાં પર ફોરવર્ડિંગ સક્ષમ કરો જેથી આવનારા બધા ઇમેઇલ્સ Zoho પર પહોંચાડાય. ચકાસવાનું ભૂલશો નહીં.
  • તમારા બેંક, સેવાઓ, સોશિયલ મીડિયા અને સબ્સ્ક્રિપ્શન્સ સાથે તમારા નવા ઝોહો ઇમેઇલ સરનામાંને અપડેટ કરો. ઉપરાંત, તમારા સંપર્કોને એક નોંધ મોકલીને તમારું નવું ID શેર કરો.
  • ગૂગલ ટેકઆઉટ સાથે બેકઅપ લો. ઝોહોમાં 2-FA (ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન) સક્ષમ કરો અને સિગ્નેચર/ઓટો-રેસ્પોન્ડર સેટ કરો.

કર્ણાટકમાં BJP નેતાને માર માર્યા પછી હત્યા, પોલીસનો ખુલાસો

0

કર્ણાટકના ગંગાવતીથી મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ વેંકટેશ કુરુબારાની લાકડીઓ વડે માર મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે હત્યા પાછળ જૂની દુશ્મનાવટ છે. છેલ્લા ચાર દિવસમાં આ ત્રીજી ઘટના છે જ્યારે ભાજપના નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ પહેલા પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ભાજપ સાથે જોડાયેલા લોકોની હત્યા કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, આ ઘટના કોપ્પલ જિલ્લાના શકંગનાવતીમાં બની હતી. વેંકટેશન જિલ્લાની લીલાવતી એલુબુ કિલુ હોસ્પિટલની બહાર કોઈ કામ પર ઉભા હતા. અચાનક, હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો. વેંકટેશન પ્રતિક્રિયા આપે તે પહેલાં, હુમલાખોરોએ તેમને લાકડીઓ, લાતો અને મુક્કાઓથી માર માર્યો. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક સાથે લાંબા સમયથી દુશ્મનાવટ હતી. પોલીસને આ કેસમાં જુગારનો વિવાદ અને ગેંગ વોર હોવાની પણ શંકા છે. પોલીસ મૃતકના ગુનાહિત રેકોર્ડની પણ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

હવે પિન વગર થશે UPI પેમેન્ટ, આજથી ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નિશનથી થશે ટ્રાન્ઝેક્શન

BHIM UPI પેમેન્ટ માટે હવે તમને PIN યાદ રાખવાની જરૂર નહીં રહે. સરકારે UPIમાં નવા ફીચર્સ ઉમેર્યા છે. હવે યુઝર્સ ફક્ત ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નિશન દ્વારા પણ પેમેન્ટ કરી શકશે. નવા ફીચર્સ 8 ઓક્ટોબર, 2025થી અમલમાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, દેશની આધાર સિસ્ટમમાં આ બદલાવ બાયોમેટ્રિક ડેટા દ્વારા અમલમાં લાવવામાં આવશે. એટલે કે, હવે યુઝર્સને માત્ર પોતાના ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશનથી જ ઓથન્ટિકેશન કરાવવું પડશે.

આ સુવિધાનો શુભારંભ નાણાકીય સેવા વિભાગના સચિવ એમ. નાગરાજૂએ કર્યો. એનપીસીઆઈ અનુસાર, આ નવી ટાઈપ-પિન સિસ્ટમ વધુ સુરક્ષિત, અસરકારક અને યુઝર-ફ્રેન્ડલી છે.

નવું UPI ફીચર કેવી રીતે કામ કરશે?
યુઝર નવા યુપીઆઈ ફીચરનો ઉપયોગ ન માત્ર પેમેન્ટ કરવા, પણ યુપીઆઈ પીન સેટ કે રિસેટ કરવા માટે પણ કરી શકે છે. સાથે જ, તેનાથી યુઝર્સ ATM માંથી રોકડ રકમ ઉપાડવા માટે પણ યુપીઆઈનો ઉપયોગ કરી શકશે.

યુપીઆઈની નવી સર્વિસ સંપૂર્ણપણે વૈકલ્પિક છે. જો કોઇ યુઝર્સ ઇચ્છે તો બાયોમેટ્રિક સિસ્ટમ અપનાવી શકે છે, આ સાથે જ જુની યુપીઆઈ પીન સિસ્ટમ પર ચાલુ રાખી શકે છે. એનપીસીઆઈ એ કહ્યું કે, પ્રત્યેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને બેંક દ્વારા ક્રિપ્ટોગ્રાફિક સિક્યોરિટી ચેક થી વેરિફાઇ કરાશે, જેથી પુરતી સાયબર સુરક્ષા પ્રાપ્ત થાય છે.

સિનિયર સિટિઝન માટે સુવિધાજનક
NPCI એ જણાવ્યું કે, નવા ફીચરથી સિનિયર સિટિઝનને યુપીઆઈન ઉપયોગ કરવામાં સરળતા રહેશે. સિનિયર સિટિઝનને UPI PIN યાદ રાખવાની અને પીન દાખલ કરવાની કંટાળાજનક કામમાંથી મુક્તિ મળશે. હવે આધાર બેઝ્ડ ફેસ ઓથેન્ટિફિકેશન પ્રક્રિયા દ્વારા ઝડપી અને સરળતાથી યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે.

ઓનલાઈન ઠગાઈ રોકવાનો પ્રયાસ
હકીકતમાં, RBI છેલ્લા થોડા સમયથી UPI ઠગાઈ અને PIN સંબંધિત ઘટનાઓ અંગે ચિંતિત છે. તેથી, તેણે બેંકો અને ફિનટેક કંપનીઓને PIN અથવા OTPની બદલે બાયોમેટ્રિક્સ અને વર્તન આધારિત ઓથન્ટિકેશન પદ્ધતિ અપનાવવાની સલાહ આપી છે.

મજૂરાગેટ ITI ખાતે ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ’ યોજાયો

સુરત: ‘વિકાસ સપ્તાહ’ ઉજવણી અંતર્ગત મજૂરાગેટ સ્થિત જિલ્લા રોજગાર કચેરી- સુરત દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI) ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો હતો. જેમાં આયોજિત ભરતી મેળામાં ૪૫૭ ઉમેદવારોને રોજગારપત્રો અને ૯૫૯ ITI તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટરનું વિતરણ કરાયું હતું. સાથે જ ITI અપગ્રેડેશન માટે વિવિધ કંપની સાથે ૧૮ MOU કરાયા હતા.

આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની સંખ્યા અને ગુણવત્તામાં ઉત્તરોઉત્તર વિકાસ થયો છે. દરેક સુવિધાથી સુસજ્જ એવા મોર્ડન ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. વડાપ્રધાન દ્વારા સ્કીલને પ્રાધાન્ય આપી યુવાનોના રોજગારલક્ષી પ્રોફેશનલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવે છે. આવનાર યુગમાં AI જેવી ટેકનોલોજીનું મહત્વ વધવાથી તે પ્રમાણેનું ટેકનિકલ જ્ઞાન વિદ્યાર્થીઓને મળે તેવા સતત પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઉદ્યોગોની માંગને આધારે ઉમેદવારોને રોજગાર મળે તે માટે સાંસદશ્રીએ યુવાઓને સમય સાથે ટેકનિકલી અપડેટ રહેવા પ્રોત્સાહન આપ્યું હતું. વડાપ્રધાનશ્રીના ‘હર હાથ કો કામ, હર કામ કો સન્માન’ના સૂત્રને સાર્થક કરવા યુવાઓને શિક્ષણ દ્વારા સ્કીલ, ઉર્જા અને સમયનો સમન્વય કરી રોજગારી મેળવવા અને શ્રેષ્ઠ દેખાવ કરવા અનુરોધ કર્યો હતો.

પાકિસ્તાનમાં ટીટીપીનો હુમલો, 11 સૈનિકોના મોત

0

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 11 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. ડોનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, સેનાના મીડિયા અફેર્સ વિભાગે બુધવારે જણાવ્યું હતું કે ખૈબર પખ્તુનખ્વાના ઓરકઝાઈ જિલ્લામાં ગુપ્તચર-આધારિત ઓપરેશન (આઈબીઓ) દરમિયાન એક લેફ્ટનન્ટ કર્નલ અને એક મેજર સહિત 11 સૈનિકો શહીદ થયા હતા.

એક કર્નલ અને એક મેજર સહિત ૧૧ સૈનિકો માર્યા ગયા
ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સમર્થિત ફિત્ના અલ-ખ્વારીજ સાથે જોડાયેલા આતંકવાદીઓની હાજરીના અહેવાલના આધારે સુરક્ષા દળોએ ગઈકાલે રાત્રે ઓરકઝાઈ જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન શરૂ કર્યું હતું. ISPR એ વધુમાં જણાવ્યું હતું કે ગોળીબાર દરમિયાન, 39 વર્ષીય લેફ્ટનન્ટ કર્નલ જુનૈદ આરિફ, તેમના સેકન્ડ-ઇન-કમાન્ડ, 33 વર્ષીય મેજર તૈયબ રહત, તેમના નવ સાથીદારો સાથે શહીદ થયા હતા.

પાકિસ્તાનમાં ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં વધારો જોવા મળ્યો છે, જેમાં મુખ્યત્વે પોલીસ, કાયદા અમલીકરણ કર્મચારીઓ અને સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા છે. 2022 માં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ સરકાર સાથેના યુદ્ધવિરામ કરારનો ભંગ કર્યા પછી હુમલાઓમાં વધારો થયો.

પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ અને સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ દ્વારા દેશમાં આતંકવાદી હિંસા અંગે ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલા બે અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે 2025 ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં 2024 જેટલા હિંસા જોવા મળી હતી.

પાકિસ્તાની સેનાએ ભારત પર આરોપ લગાવ્યો
એક નિવેદનમાં પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે તે આ વિસ્તારમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે એક કાર્યવાહી કરી રહી છે. તેણે આરોપ લગાવ્યો હતો કે આ હુમલા પાછળ ભારતનો હાથ છે. પાકિસ્તાની સેનાએ ભારતની સંડોવણીના કોઈ પુરાવા આપ્યા નથી. અગાઉ, પાકિસ્તાની સેનાએ 14 TTP આતંકવાદીઓને મારી નાખ્યા હતા. હવે, TTP એ 11 પાકિસ્તાની સૈનિકોને મારીને બદલો લીધો છે.

છત્તીસગઢ: બોઇલર મરામત દરમિયાન લિફ્ટ તૂટી પડતા ચાર મજૂરોનાં મોત, સાતથી વધુ ઘાયલ

0

છત્તીસગઢમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. સક્તી જિલ્લામાં એક પ્રાઈવેટ પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના ઉચ્ચપિંડા ગામના ડભરા વિસ્તારમાં આવેલા આરકેએમ પાવરજેન પ્રાઈવેટ લિમિટેડ પ્લાન્ટમાં બની છે.

માહિતી મુજબ મજૂરો બોઇલર મશીનની મરામત માટે ઊંચાઈ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક લિફ્ટનો સ્ટીલ વાયર તૂટી ગયો અને લિફ્ટ નીચે પડી ગઈ. ઘટના એટલી ભયાનક હતી કે બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે બે અન્ય મજૂરોએ સારવાર દરમિયાન દમ તોડ્યો.

ગંભીર રીતે ઘાયલ મજૂરોને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. અકસ્માતની જાણ થતાં જ એડિશનલ એસપી હરીશ યાદવ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે જણાવ્યું કે લિફ્ટ તૂટવાથી ત્રણ મજૂરોનાં મોત થયા છે અને સાતથી વધુ ઘાયલ છે. તમામ ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. સ્થળ પર શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દળની તૈનાતી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં ગાયને બચાવવા જતાં માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા

0

રાજસ્થાનના સીકરના શ્રીમાધોપુર વિસ્તારમાં એક ગંભીર રેલ દુર્ઘટના સર્જાઈ છે. શ્રીમાધોપુર ન્યૂ રેલવે સ્ટેશન નજીક ફુલૅરાથી રેવાડી જતી માલગાડીના કુલ 36 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. અનેક ડબ્બા એકબીજા પર ચડી જતા રેલવે ટ્રેક સંપૂર્ણપણે અવરોધિત થઈ ગયો છે.

અકસ્માત બાદ રેલવે અધિકારીઓ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. હાલ રેલવે કર્મચારીઓ ડબ્બાઓને ટ્રેક પરથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કારણે આ માર્ગ પર ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે બંધ છે.

બચાવ કાર્ય ચાલુ, જાનહાનિના કોઈ સમાચાર નથી
રેલવે કર્મચારીઓ હાલમાં ડબ્બાઓને હટાવવાનું કામ કરી રહ્યા છે, જેના કારણે આ ટ્રેક પર હાલમાં ટ્રેન અવરજવર બંધ છે. રેલવે પ્રશાસને મુસાફરો અને સ્થાનિકોને ટ્રેક પર ન જવાની અને અધિકારીઓના નિર્દેશોનું પાલન કરવાની વિનંતી કરી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ, જાનહાનિના કોઈ સમાચાર નથી. દુર્ઘટનાના કારણ અને ડબ્બાઓના નુકસાનનું આંકલન હજી ચાલુ છે.

દુર્ઘટનાના કારણો વિશે હજુ જાણ નથી
દુર્ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને તકનીકી ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયા. આખી રાત રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી, જેમાં રેલવે કર્મચારીઓએ પાટા પરથી ઉતરેલા ડબ્બાઓને હટાવવા માટે ક્રેન અને ભારે મશીનરીનો ઉપયોગ કર્યો. સંતોષની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ હજુ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કારણ જાણી શકાયું નથી.

રેલવે વ્યવહાર ખોરવાયો
આ દુર્ઘટનાના પરિણામે, રીંગસ-શ્રીમાધોપુર કોરિડોર પરનો રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ઘણી ટ્રેનોનું સંચાલન રદ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય કેટલીકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓએ માહિતી આપી છે કે કાટમાળ હટાવવામાં કેટલાક કલાકોનો સમય લાગી શકે છે, જેના પછી જ સમારકામનું કામ શરૂ થઈ શકશે. સ્થાનિક પ્રશાસન પણ ઘટનાસ્થળે હાજર રહીને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં આજે તા.૭ થી આગામી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ થયો છે. જે સંદર્ભે નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સદન ખાતે જિલ્લાના અધિકારી-કર્મચારીઓએ મન-વચન અને કમર્થી દેશના વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરવા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.

આ પ્રતિજ્ઞામાં ઉચ્ચ અધિકારીઓએ ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી. સાથોસાથ ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવીને જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્રસેવા-જનસેવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા.

આ વેળાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એમ.બી. પ્રજાપતિ, સંયુક્ત માહિતી નિયામકશ્રી અમિત ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ ગઢવી, પ્રાંત અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત વિકાસ પ્રતિજ્ઞા

  • હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..
  • મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
  • હું સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
  • હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.
  • હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.

જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકિસત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ.

“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ.
‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.

સુરેન્દ્રનગરમાં ભયંકર અકસ્માત: ડમ્પર સાથે અથડાઇ ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત

સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે એક પુરુષને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક ડમ્પર અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ચાર મહિલાનાં મોત થયાં છે. સ્થાનિકોએ જાણ કરતાં બજાણા પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

ચારેય મહિલાના ઘટનાસ્થળે મોત
આ અકસ્માતની ઘટનામાં અલટ્રોજ કાર માલવણથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, જ્યારે સામે સુરેન્દ્રનગરથી માલવણ તરફ માંતેલા સાંઢની માફક પૂરઝડપે આવતા ડમ્પર સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ચાર મહિલાનાં સારવાર મળે એ પહેલાં જ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઈ ગયાં હતાં.

મંદિરે દર્શન કરવા જતી વેળાએ અકસ્માત થયો
આ તમામ લોકો પાટડી તાલુકાના ધામા સ્થિત શક્તિ માતા મંદિરથી દર્શન કરી વણા શક્તિ માતાના મંદિરે દર્શન કરવા જતા સમયે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એમાં અકસ્માતનો ભોગ બનનારી ચાર મહિલામાં બે મહિલા મૂળ ડેરવાળાનાં વતની અને હાલ અમદાવાદ રહેતાં હોવાનું સામે આવ્યુ છે, જ્યારે અન્ય બે મૃતક મહિલા અમદાવાદના તેમના પાડોશી હોવાનું હાલ સામે આવ્યું છે.