Home Blog Page 305

ફિલિપાઇન્સમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7.2ની તીવ્રતા, સુનામીની અપાઈ ચેતાવણી

ફિલીપાઇન્સમાં શુક્રવારની સવારે ભૂકંપ આવ્યો હતો અને ધરતી ધ્રૂજી ઉઠી હતી. લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 નોંધાઈ હતી, જેના કારણે સમુદ્રમાં એક મીટરથી ઊંચી લહેરો ઉઠવાની અને સુનામી આવવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે, હાલ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનની માહિતી મળી નથી, પરંતુ ફિલીપાઇન્સના ભૂકંપ વૈજ્ઞાનિકોએ લોકોને આફ્ટરશોક્સ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે.

લોકોને ઊંચી જગ્યાએ જવાની સલાહ

માહિતી મુજબ, મિન્ડાનાઓ અને આસપાસના વિસ્તારોમાં રહેનારા લોકોને સમુદ્રી લહેરોથી નુકસાન થવાની શક્યતા હોવાથી, સમુદ્ર કિનારે રહેનારા લોકોને ઊંચી જગ્યાએ ખસવાની સલાહ આપવામાં આવી છે. એટલો શક્તિશાળી ભૂકંપ આવવાથી લોકો ભયભીત થઈ ગયા છે અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા છે. પોલીસ, પ્રશાસન અને રાહત બચાવ દળોની ટીમો મેદાનમાં ઉતરી ગઈ છે, કારણ કે કેટલાક સ્થળોએ ઘરો અને ઇમારતોમાં તિરાડો પડવાની માહિતી મળી રહી છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) મુજબ, ફિલીપાઇન્સના દક્ષિણ ટાપુ મિન્ડાનાઓ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક સમય અનુસાર, આજે 10 ઓક્ટોબર 2025, શુક્રવારના રોજ સવારે લગભગ 9 વાગીને 43 મિનિટે ધરતી ધ્રૂજી ઉઠી હતી. યુરોપિયન-ભૂમધ્યસાગરીય ભૂકંપીય કેન્દ્ર (EMSC) મુજબ ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી છે, જ્યારે ફિલીપાઇન્સની ભૂભૌતિક એજન્સી ફિલવોલ્ક્સ મુજબ તીવ્રતા 7.6 નોંધાઈ છે. ફિલીપાઇન્સના દાવાઓ ઓરિયેન્ટલ પ્રાંતના મનાય શહેર નજીક સમુદ્રમાં 10 થી 58 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર આવેલું હતું.

પ્રશાંત કિશોરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, આ ભોજપુરી ગાયક, કિન્નરને ટિકિટ આપી

0

બિહાર ચૂંટણી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે, પહેલા તબક્કાનું મતદાન 6 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ થશે, એ પહેલા ચૂંટણીમાં ભાગ લઇ રહેલા તમામ રાજકીય પક્ષો ઉમેદવારોનાં નામ નક્કી કરવા કવાયત કરી રહ્યા છે. એવામાં પ્રશાંત કિશોરની રાજકીય પાર્ટી જન સૂરજ પક્ષે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે.

અગાઉ ચર્ચા હતી કે રોહતાસ જિલ્લાની કરગહર વિધાનસભા બેઠકપર પ્રશાંત કિશોર પોતે ચૂંટણી લડશે, પણ ઉમેદવારની પહેલી યાદીમાં જન સૂરજએ કરગહર બેઠક પરથી ભોજપુરી ગાયક રિતેશ પાંડેને ટીકીટ આપી છે.

થર્ડ જેન્ડરના ઉમેદવારને તક:
જન સૂરજ પક્ષે ગોપાલગંજ જિલાની ભોરે વિધાનસભા બેઠક પર થર્ડ જેન્ડરના ઉમેદવારને તક આવામાં આવી છે, આ બેઠક પર પ્રીતિ કિન્નર પક્ષના ઉમેદવાર રહેશે. દરભંગા સદર બેઠક પરથી આરકે મિશ્રા, સહરસા શહેરથી કિશોર મુન્ના, છાપરા શહેરથી ભૂતપૂર્વ એડીજી જેપી સિંહ અને ઇમામગંજથી અજિત રામને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

જન સૂરજ પક્ષે કુમ્હાર બેઠક પરથી કેસી સિંહા અને શેરઘાટી બેઠક પરથી પવન કિશોરને ટીકીટ આપી છે. સારણ જિલ્લાની માંઝી બેઠક પર વાયવી ગિરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

પ્રશાંત કિશોર ક્યાંથી ચૂંટણી લડશે?
જન સૂરજ પક્ષની પહેલી યાદીમાં પ્રશાંત કિશોરનું નામ સામેલ નથી. પ્રશાંત કિશોરે અગાઉ કહ્યું હતું કે તેઓ તેમન જન્મસ્થળ કરગહર અથવા તેમના કર્મસ્થળ રાઘોપુરથી જ ચૂંટણી લડશે. પેહલી યાદીમાં કરગહરથી રિતેશને ટીકીટ આપવામાં આવી છે, હવે પ્રશાંત કિશોર રાઘોપુરથી ચૂંટણી લડે એવી શક્યતા છે. જો કે એ અગાળની યાદીમાં જાહેર કરવામાં આવશે.

જૂતું ફેંકવાની ઘટના પર જસ્ટિસ ગવઈએ આપી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

0

ભારતના મુખ્ય ન્યાયધીશ (CJI) બીઆર ગવઈ તાજેતરમાં એક કેસની સુનાવણી કરી રહ્યા હતાં ત્યારે એક વકીલે તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની સમગ્ર દેશમાં ટીકા કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના લોકોએ વખોડી હતી. આ ઘટનાના બે દિવસ બાદ સીજેઆઈ બીઆર ગવઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જાણીએ શું કહ્યું સીજેઆઈએ.

તેઓ CJI છે કોઈ મજાકની વાત નથી
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) પર જૂતું ફેકવાની ઘટનાને લઈને સમગ્ર દેશનું ન્યાયતંત્ર હચમચી ગયું છે. આ ઘટનાને સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ સર્વોચ્ચ અદાલતનું અપમાન ગણાવી રહ્યા છે. જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેઓ CJI છે. આ મજાકની વાત નથી. આ ઘટના અંગે મારો પોતાનો વિચાર છે.

પોતાના સહયોગી જસ્ટિસે આપેલી પ્રતિક્રિયા તથા પોતાના પર વકીલ દ્વારા જૂતુ ફેંકવાની ઘટનાને લઈને એક સુનાવણી દરમિયાન સીજેઆઈ બીઆર ગવઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સીજેઆઈ બીઆર ગવઈએ જણાવ્યું કે સોમવારે જે થયું તેનાથી હું અને મારા વિદ્વાન ભાઈ(જસ્ટિસ) ઘણા સ્તબ્ધ છીએ. અમારા માટે તે એક ભૂલાયેલો અધ્યાય છે. આટલું કહીને સીજેઆઈ બીઆર ગવઈએ કોર્ટની કાર્યવાહીને આગળ હાથ ધરી હતી.

તુષાર મહેતાએ કરી CJIની પ્રસંશા
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ આ ઘટનાને ભૂલાયેલો અધ્યાય ગણાવી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ આ ઘટનાને અક્ષમ્ય ગણાવી હતી. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, “ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પર થયેલો હુમલો અક્ષમ્ય છે. જોકે, આ ઘટનાને લઈને CJIની ઉદારતાની પણ તુષાર મહેતાએ પ્રસંશા કરી છે.

ઉલ્લેખનીય છે કે, 6 ઓક્ટોબર, 2025ને સોમવારના સુપ્રિમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન રાકેશ કિશોર નામના વકીલે CJI બીઆર ગવઈ પર જૂતું ફેંક્યું હતું. જૂતું ફેક્યા બાદ આ વકીલે સનાતન ધર્મનું અપમાન સહન કરવામાં નહીં આવે એવી બૂમો પાડી હતી. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જસ્ટિસ ગવઈએ શાંતિ જાળવી રાખી હતી અને કોર્ટમાં સુનાવણી યથાવત ચાલુ રાખી હતી. તેમણે કોર્ટમાં હાજર અન્ય વકીલોને કહ્યું: “આ બધા પર ધ્યાન ન આપો. અમને ફરક પડતો નથી. આ વાતો મને અસર કરતી નથી.

ઉત્તરપ્રદેશમાં મિની જેટ રનવે પરથી નીચે સરકી, ઉદ્યોગપતિ સાથે વિમાન દુર્ઘટના ટળી!

0

આજે ગુરુવારે ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જીલ્લામાં એક વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. ફરુખાબાદ જિલ્લાના ખિમસેપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એર સ્ટ્રીપ પર પ્રાઈવેટ મીની જેટ વિમાન ટેક ઓફ કરતી વખતે રનવે પરથી લપસી ગયું હતું અને બાજુમાં આવેલી ઝાડીઓમાં ફસડાઈ પડ્યું હતું.

અહેવાલ મુજબ આ પ્રાઈવેટ મીની જેટમાં ઉદ્યોગપતિ સવાર હતાં. અધિકારીઓના જણાવ્યા મુજબ વિમાન જેટ સર્વિસ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ નામની કામનીનું છે, જેનો રજીસ્ટ્રેશન નંબર VT-DEZ છે. સવારે લગભગ 10.30 વાગ્યે મોહમ્મદાબાદ હવાઈ પટ્ટી પરથી ઉતરીને નજીકની ઝાડીઓમાં ફસાઈ ગયું હતું. વિમાન અહીંથી મધ્યપ્રદેશના ભોપાલ જવાનું હતું.

સવારે 10:30 વાગ્યે ભોપાલ જવા રવાના થયા હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોહમ્મદાબાદ શહેરમાં સ્થિત સરકારી હવાઈ પટ્ટી પર ખિમસેપુર ઔદ્યોગિક વિસ્તારમાં બની રહેલી બીયર ફેક્ટરીના ડીએમડી અજય અરોરા, એસબીઆઈ હેડ સુમિત શર્મા, બીપીઓ રાકેશ ટીકુ ફેક્ટરીના બાંધકામ કાર્યનું નિરીક્ષણ કરવા માટે ગઈકાલે બપોરે 3:00 વાગ્યે ભોપાલથી આવ્યા હતા, જેઓ આજે સવારે 10:30 વાગ્યે જેટ સર્વિસ એવિએશન પ્રાઈવેટ લિમિટેડના ખાનગી જેટ વીટી ડેઝ દ્વારા ભોપાલ જવા રવાના થયા હતા.

રનવે પર લગભગ 400 મીટર સુધી જેટ વિમાને રન કર્યું હતું
ટેક ઓફ કરતી વખતે જેટ વિમાન બેકાબૂ થઈને નજીકની ઝાડીઓમાં ઘૂસી ગયું. જેટ રનવે પર લગભગ 400 મીટર દોડ્યું હતું, ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી. ફ્લાઈટના વ્હીલ્સમાં હવા ઓછી હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પાઈલટની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. પાયલટને વ્હીલ્સમાં હવા ઓછી હોવાની પહેલાથી જ જાણ હતી. ઉત્તર પ્રદેશ પ્રોજેક્ટ હેડ મેનેજર મનીષ કુમાર પાંડેએ જણાવ્યું કે, ફ્લાઇટ અહીંથી ભોપાલ જઈ રહી હતી.

CBI કરશે કફ સિરપથી થયેલા મોતની તપાસ? સુપ્રીમ કોર્ટમાં કાલે સુનાવણી

0

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઝેરી કફ સિરપને કારણે બાળકોનાં મોત થયાના મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. દવા સલામતી તંત્રની નિષ્ફળતા અંગે દાખલ થયેલી એક જાહેર હિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા સંમત થઈ છે. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ, જસ્ટિસ ઉજ્જ્વલ ભુયન અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે આ જાહેર હિત અરજીને તાત્કાલિક સુનાવણી લાયક ગણાવી છે. આ PIL વકીલ વિશાલ તિવારીએ દાખલ કરી હતી. પીઠે આ અરજીની સુનાવણી 10 ઓક્ટોબરે કરવાની સંમતિ આપી છે.

આ અરજીમાં માગ કરવામાં આવી છે કે આ ઘટનાઓની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ન્યાયિક પંચ અથવા નિષ્ણાત સમિતિ રચવાની વિનંતી પણ કરવામાં આવી છે. જાહેર હિત અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે રાજ્યોમાં ઝેરી કફ સિરપને કારણે થયેલા બાળકોના મોત સંબંધિત બધી બાકી FIR અને તપાસોને CBIને ટ્રાન્સફર કરવામાં આવે. તપાસમાં નિષ્પક્ષતા અને એકરૂપતા જળવાઈ રહે તે માટે આ તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખ હેઠળ થાય તેવી માગ પણ કરવામાં આવી છે.

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ રાજ્યોની તપાસને કારણે જવાબદારી વિખેરાઈ ગઈ છે, જેના કારણે વારંવાર ભૂલો થઈ રહી છે અને ખતરનાક ફોર્મ્યુલેશન બજારમાં પહોંચી જાય છે. આ અરજી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી આવેલી એવી ખબર વચ્ચે દાખલ થઈ છે કે જ્યાં કહેવાય છે કે એક ખાસ પ્રકારની કફ સિરપ પીવાથી અનેક બાળકોનાં મોત થયાં છે.

કોર્પોરેટર રાજેશ મોરડિયા પર ભ્રષ્ટાચારનો ગુનો, 29.78 લાખની અપ્રમાણસર મિલકતનો આરોપ

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.-2ના કોર્પોરેટર રાજેશભાઇ રાઘવભાઇ મોરડિયા વિરુદ્ધ એ.સી.બી. પો.સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, રાજેશ મોરડિયાએ 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2025 દરમિયાન પોતાના સેવા કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે આવક મેળવીને કાયદેસરની આવકની સરખામણીમાં 68.50% જેટલી વધુ એટલે કે રૂપિયા 29,78,772ની અપ્રમાણસર મિલકત એકત્ર કરી છે. એ.સી.બી.ની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે આ સંપત્તિ મેળવી હતી.

AAPએ આર્થિક ગેરરીતિના આરોપે સસ્પેન્ડ કર્યા હતા
રાજેશ મોરડિયાની રાજકીય કારકિર્દી વિવાદોથી ભરેલી રહી છે. તેઓ મૂળ આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર તરીકે કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. પરંતુ આર્થિક ગેરરીતિના આરોપોને કારણે AAPએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.

AAPના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, મોટા વરાછા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર પાસેથી ઉઘરાણી કરવા બદલ તેમની સામે ખંડણીનો ગુનો પણ નોંધાયો હતો. ઉપરાંત, આશરે સવા વર્ષ પહેલાં AAPમાંથી ભાજપમાં જોડાવા માટે નાણાંની લેવડદેવડનો એક ઓડિયો ક્લિપ વાઇરલ થયો હતો. આ બાદ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.

હાલમાં રાજેશ મોરડિયા કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી અને અપક્ષ કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે. જોકે, હવે તેમના પર રૂ. 29.78 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થતા તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.

કલેક્ટર સૌરભ પારધીએ BOB સાથે સ્પેશિયલ સેલેરી પેકેજ અંતર્ગત MoU કર્યો

સુરત રાજ્યના સરકારના અધિકારી અને કર્મચારીઓને બેંક ઓફ બરોડાના કસ્ટમાઇઝડ સેલરી ખાતા શરૂ કરવા અને તેના વિવિધ લાભો મળી રહે તેવા શુભ આશયથી જિલ્લાના સમાહર્તા અને કલેક્ટર ડો.સૌરભ પારધી અને બેંક ઓફ બરોડાના રીજનલ હેડશ્રી મુકેશ નવલ આદર્શએ જિલ્લા કલેકટર કચેરી ખાતે “બરોડા સ્પેશિયલ સેલેરી પેકેજ” અંતર્ગત મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કર્યા હતા.

આ એમઓયુ પર હસ્તાક્ષર થતા સરકારી અધિકારી અને કર્મચારીઓને બરોડા સ્પેશિયલ સેલેરી પેકેજ અંતર્ગત નાણાકીય સુવિધા અને આધુનિક બેન્કિંગ સુવિધાઓનો વિશેષ લાભ મળશે.

રાજય સરકારના અધિકારી-કર્મચારીઓને નીચે મુજબના લાભો અને સુરક્ષા કવચ પ્રાપ્ત થશે.

  • બેંક ઓફ બરોડામાં પગાર જમા થવાથી અધિકારી અને કર્મચારીઓને રૂ.૧.૨૫ કરોડનો વ્યક્તિગત અકસ્માત વીમો, (દરેક પગાર શ્રેણી માટે).
  • હવાઈ દુર્ઘટનામાં વ્યક્તિગત અકસ્માત કવર રૂપિયા બે કરોડ.
  • અકસ્માતમાં પૂર્ણ વિકલાંગતા પામેલ કર્મચારી ને રૂા. એક કરોડ મળવાપાત્ર
  • આંશિક વિકલાંગતા પામેલ કર્મચારીઓને રૂા.૭૫ લાખ મળવાપાત્ર.
  • રૂા.૧૦ લાખનું જીવન વીમા કવર
  • રૂા.૬૦,૦૦૦ નો હોસ્પિટલ કેશ બેનિફિટ (દરરોજ રૂ.૨૦૦૦ લેખે એક વર્ષમાં મહતમ ૩૦ દિવસ સુધી )
  • રૂા.૧૦ લાખ દીકરીના મેરેજ ખર્ચ માટે.
  • રૂા.૧૦ લાખ સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે ત્રણ લાખ સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા
  • આજીવન એટીએમ કાર્ડ ફ્રી, કોઈ પણ એટીએમમાંથી અમર્યાદિત ઉપાડની સુવિઘા
  • આજીવન ક્રેડિટ કાર્ડ ફ્રી.
  • લોન તથા લોકર અને બીજા બેન્ક ચાર્જીસ પર છૂટછાટ જેવા ઘણા લાભો પ્રાપ્ત થશે.
  • કોઈ મીનીમમ બેલેન્સની જરૂરિયાત નહી

આ પ્રસંગે લીડ બેંક મેનેજર શ્રી દિનેશ રોહિત અને બેંક ઓફ બરોડા ની રિજિયોનલ ટીમ અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ MOU થી જે અધિકારી અને કર્મચારીઓ પોતાનું સેલરી ખાતું બેંક ઓફ બરોડામાં ખોલાવવા ઉત્સુક હોય તેમણે નજીકની બેંક શાખાનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

આ અવસરે બેંક ઓફ બરોડાના સુરત સિટીના રીજનલ હેડ શ્રી મુકેશ નવલે જણાવ્યું હતું કે, બેંક ૧૯૦૮ થી દેશના ગ્રાહકોની સેવામાં સમર્પિત છે આ એમઓયુ થી બેંકને સરકારી કર્મચારીઓને વધુ સારી સુવિધા આપવાની તક મળશે. વધુમાં વધુ કર્મચારી તથા અધિકારીશ્રીઓને બરોડા સેલરી પેકેજનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. બેંક દ્વારા કેમ્પેઇન મોડ ઉપર દરેકનું ખાતું ખોલી આપવાની વ્યવસ્થા બેક દ્વારા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ક્રિકેટર રિંકુ સિંહને અંડરવર્લ્ડની ખંડણીની ધમકી, પોલીસ સુરક્ષા વધારી

0

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહને અંડરવર્લ્ડ તરફથી રૂ. પાંચ કરોડની ખંડણીની ધમકી મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે ખુલાસો કર્યો છે કે આ ધમકી કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં, પરંતુ ફરાર ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ગેંગ એટલે કે ‘ડી કંપની’ તરફથી અપાઈ હતી. માહિતી મુજબ, રિન્કુ સિંહની પ્રમોશનલ ટીમને ફેબ્રુઆરીથી એપ્રિલ 2025 વચ્ચે ત્રણ અલગ-અલગ ધમકીભર્યા સંદેશ મોકલવામાં આવ્યા હતા.

રિન્કુ સિંહને નહીં, પરંતુ તેમની ટીમને બનાવાઈ ટારગેટ
આ ધમકીભર્યા સંદેશ સીધા રિન્કુ સિંહને નહીં પરંતુ તેમની પ્રમોશનલ ટીમને મોકલવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે આ કેસ એક વિશાળ રેકેટ સાથે જોડાયેલો છે, કારણ કે આ જ પ્રકારના ધમકીભર્યા ઈમેઈલ જિશાન સિદ્દીકીને પણ મળ્યા હતા. જિશાન સિદ્દીકીના પિતા અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા પછી તેમને રૂ. 10 કરોડની ખંડણી માટે ધમકી મળી હતી. આ કેસમાં ઈન્ટરપોલની મદદથી ત્રિનિદાદ અને ટોબેગોથી આરોપી મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ નવેદને પહેલેથી જ પકડવામાં આવ્યા છે. જિશાનને આ ધમકીભર્યા ઈમેઈલ 19થી 21 એપ્રિલ દરમિયાન મળ્યા હતા, જેમાં ખંડણી ન આપવાની સ્થિતિમાં ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી હતી.

સામાન્ય પરિવારમાંથી આવે છે રિન્કુ સિંહ
ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરના રહેવાસી રિન્કુ સિંહનો ભારતીય ટીમ સુધીનો સફર સંઘર્ષોથી ભરેલો રહ્યો છે. તેમના પિતા ખાનચંદ સિંહ, એક સમય ગેસ સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા. ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને કારણે રિન્કુ સિંહને બાળપણમાં તેમના પિતાથી માર પણ પડતો, પરંતુ તેણે હાર માની નહોતી અને પોતાની મહેનતને બળે પહેલાં IPL અને ત્યાર બાદ ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતુ.

તુર્કીયેમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતા

તુર્કીયેમાં ગત મોડી રાત્રે તુર્કીયેની ધરતી કંપી ઉઠી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ આપેલી માહિતી મુજબ 4.7 ની તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો હતો. અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી, પરંતુ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

તુર્કીયેમાં આવેલા ભૂકંપની તીવ્રતાGFZએ શરૂઆતમાં 5.33 જણાવી હતી. જોકે, પછીથી તીવ્રતા 4.7 હોવાનું જણાવવામાં આવ્યું. GFZ એ આપેલી માહિતી મુજબ ભૂકંપ સ્થાનિક સમય મુજબ 2:54 વાગ્યે આવ્યો હતો અને તેનું સેન્ટર સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ તુર્કીયેમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.9 હોવાનું જણાવ્યું છે. USGSના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ એમેટ શહેરથી 17 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં અને 7.4 કિલોમીટરની ઊંડાઈએ હતું.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

મુખ્ય સચિવ પંકજ જોષીનું નિવૃત્તિ 31મીએ, કાર્યકાળ વધારવાના મુદ્દે અનિશ્ચિતતા

0

રાજય સરકારમાં આજની સ્થિતિએ આઇ.એ.એસ., આઇ.પી.એસ. આઇ.એફ.એસ. અધિકારીઓમાં દબદબો ચાલી રહ્યો છે. રાજય સરકારમાં 2025ની સ્થિતિએ આઇ.એ.એસ. અધિકારીઓની સંખ્યા કુલ 269ની છે.

રાજયના મુખ્ય સચિવશ્રી પંકજકુમાર જોષી આ માસના અંતમાં નિવૃત્ત થઇ રહ્યા છે.

હવે એ જોવાનું રહ્યું કે તેમને એકસ્ટેશન આપવામાં આવે છે કે નહિં. તેમના નિવૃત બાદ સિનિયોરીટી મુજબ સિનિયર આઇ.એ.એસ. અને હાલ દિલ્હી ખાતે મિનિસ્ટરી ઓફ હાઉસીંગ અને અર્બન અઔંસમાં સેવાઓ આપી રહ્યા છે તેમનો ક્રમ આવે છે.

શ્રીનિવાસ અનિચ્છા દર્શાવે તો સિનિયર આઇ.એ.એસ. સુનયના તોમરનો ક્રમ આવે છે. શ્રી નિવાસ વર્ષ ર૦ર૭ના જુલાઈ માસમાં નિવૃત થાય છે.

આમ જોઇએ તો હવે 30 જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ અને ર30 જુનિયર આઇ.એસ. અધિકારીઓ છે.