Home Blog Page 240

‘સરદાર સર્કીટ’નું નિર્માણ કરવા બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાની સંસદમાં રજૂઆત

ભારતરત્ન, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીને અનુલક્ષીને સરદાર સાહેબે રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને બિરદાવવા ‘સરદાર સર્કિટ’ના નિર્માણની રજૂઆત બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ સંસદમાં કરી છે. તેમણે સરદાર પટેલના જીવન, વિચારધારા અને યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડી શકાય એ માટે સરદાર સર્કિટ થકી બારડોલી, સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર) અને નડિયાદ જેવા સરદાર સાહેબ સાથે સંકળાયેલા ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સ્થળોને પરસ્પર જોડવાની માંગ કરી છે.

પ્રભુભાઈ વસાવાએ સંસદમાં નિયમ ૩૭૭ હેઠળ રજૂઆત કરતા કહ્યું કે, બારડોલી નગર સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક છે, જ્યાં ૧૯૨૮માં સરદાર સાહેબે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કરી અંગ્રેજોના અસહ્ય કરવધારા સામે લડવા માટે ખેડૂતોને સંગઠિત કર્યા હતા. બારડોલીના આ આંદોલને સમગ્ર દેશને પ્રેરણા આપી હતી. બીજી તરફ, એકતા નગર ખાતે સ્થાપિત વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટર ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સરદાર પટેલના આદર્શ વ્યક્તિત્વ અને રાષ્ટ્રીય એકતાનું વૈશ્વિક પ્રતિક બની છે, જ્યારે નડિયાદ સરદાર સાહેબની જન્મભૂમિ હોવાના કારણે વિશેષ ઐતિહાસિક અને ભાવનાત્મક મહત્વ ધરાવે છે.

આ ત્રણેય સ્થળોને જોડતી ‘સરદાર ટુરિઝમ સર્કિટ’ વિકસાવવામાં આવે તો તે સ્થાનિક પ્રદેશની સામાજિક તથા આર્થિક રચનામાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે. સાથે સાથે રાષ્ટ્રીય એકતા, આત્મનિર્ભરતા અને સમૂહિક શક્તિનો સંદેશ દેશ-વિદેશ સુધી પહોંચાડવામાં સહાયક બનશે એમ જણાવી સરદાર સર્કિટના વિકાસને પ્રાથમિકતા આપવા વિનંતી કરી તેમણે બારડોલીથી એકતા નગર અને નડિયાદ સુધી સરદાર ટુરિઝમ સર્કિટ નિર્માણ કરવાની માંગ કરી છે.

‘ઓપરેશન કારાવાસ’માં મોટી સફળતા: પત્નીની હત્યામાં સજા પામેલો કેદી 9 વર્ષ બાદ હરિયાણાથી ઝડપાયો

સુરતના સચિન વિસ્તારમાં વર્ષ 2007માં પતિએ પત્નીની હત્યા કરી હતી, જેમાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા તે લાજપોર જેલમાં હતો. આ દરમ્યાન વર્ષ 2016થી આરોપી પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયો હતો. આ દરમ્યાન સચિન પોલીસની ટીમે આરોપીને કરિયાણાથી ઝડપી પાડયો હતો. આરોપીએ બીજી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું
સુરતના સચિન વિસ્તારમાં વર્ષ 2007માં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માએ તેની પત્નીની હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ગુનામાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી અને આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં કેદ હતો. આ દરમ્યાન વર્ષ 2016માં આરોપી 28 દિવસની પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 9 વર્ષથી આરોપી ફરાર હતો.

આ દરાયાન સુરતમાં પોલીસ દ્વારા ઓપરેશન કારાવાસ અંતર્ગત એટલે કે જે પેરોલ ફર્લો રજા પરથી ફરાર થયા કોય એવા આરોપીઓને પકડવા સઘન ઝુંબેશ શરુ કરવામાં આવી હતી. જે અંતર્ગત સચિન પોલીસ દ્વારા આ આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી અને ગત 6 ડિસેમ્બર 2025ના રોજ આરોપીના વતન ઉતર પ્રદેશના કવી ચિત્રકૂટ જિલ્લામાં ગઈ હતી. જ્યાં આરોપીના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો ન હતો અને તેના પરિવારની પૂછપરછ કરતા પરિવારે જણાવ્યું હતું કે છેલ્લા 7 થી 8 વર્ષથી પરિવારના સંપર્કમાં નથી અને કાં રહે છે તેની પણ ખબર નથી.

આથી પોલીસે કર્વી ખાતેના રિક્ષા સ્ટેન્ડો ઉપર આરોપીના ફોટો તેમજ નામથી ઓળખ માટેની પૂરી કોશિશ કરી હતી. જ્યાંથી પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી 6 મહિના અગાઉ કુર્વીમાં જોવા મળ્યો હતો અને તે તેના સાળાના લગ્ન પ્રસંગે શંકરગજ ખાતે આવ્યો હતો અને આશરે આઠેક વર્ષ પહેલા નવી દુનિયા બનકટ તરીકે ભાડૂઆત તરીકે રડતો હતો.

આથી પોલીસે તે જગ્યાએ તપાસ કરતા આરોપી હાલમાં શું કામ ધંધો કરે છે તેની કોઈ માહિતી મળી ન હતી, પરંતુ આરોપી બીજા લગ્ન કરીને પરિવાર સાથે કરિયાણા ગુરુગ્રામ ઘાટા ગામ ખાતે રહેતો હોવાની માહિતી મળી હતી.

આથી પોલીસની ટીમ યુપીથી કરિયાણા ગઈ હતી. જ્યાં ગત 12 ડિસેમ્બરના રોજ આરોપીની વોચમાં હતી અને 8 કલાક વેશ પલટો કરીને આરોપીના વોચમાં બેસી હતી દરમ્યાન આરોપી આરોપી રાત્રીના દસેક વાગ્યે પોતાના ઘરે આવ્યો હતો અને પોતાના બાળકને લઈને દુકાને કઈક વસ્તુ લેવા જતા આરોપીને પકડી પાકયો હતો.

ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસનો કહેર: માર્ગ અકસ્માતોમાં 24 લોકોના મોત, અનેક ઘાયલ

0

ઉત્તર પ્રદેશમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. સવારે ધુમ્મસને કારણે દૃશ્યતામાં ઘટાડો થવાને કારણે મંગળવારે અનેક અકસ્માતો થયા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક વાહનો એકબીજા સાથે અથડાયા, જેમાં 24 લોકોના મોત થયા.

મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં ૧૩ લોકોના મોતની પુષ્ટિ ડીએમએ અત્યાર સુધીમાં કરી છે. ડીએમએ જણાવ્યું હતું કે ત્રણ મૃતકોની ઓળખ થઈ ગઈ છે. બાકીના દસ મૃતકોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. આ અકસ્માતમાં લગભગ ૬૦ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે ૪ વાગ્યે મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ધુમ્મસને કારણે ૭ બસો અને ૨ કાર એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર થતાં જ વાહનોમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં ઘણા લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ૨૦ એમ્બ્યુલન્સમાં ૧૫૦ લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

ઉન્નાવમાં ગાઢ ધુમ્મસને કારણે મોટો અકસ્માત સર્જાયો. મંગળવારે સવારે લગભગ 6:30 વાગ્યે ઉન્નાવના બાંગરમાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ઝડપથી દોડી રહેલી ફોર્ચ્યુનર કારનું ટાયર ફાટ્યું, જેના કારણે કાર નિયંત્રણ બહાર ગઈ અને મધ્ય ડિવાઇડર પરના પથ્થર સાથે અથડાઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના એરબેગ્સ ખુલી ગયા હોવા છતાં, ચારેય મુસાફરોના મોત થયા. ચારેય મૃતકો ગાઝિયાબાદના રહેવાસી હતા.

ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનના રહેવાસી 55 વર્ષીય અશોક કુમાર અગ્રવાલ તેમના સાથીઓ, ગોવિંદપુરી મોદીનગરના રહેવાસી 20 વર્ષીય અભિનવ અગ્રવાલ અને મોદીનગરના રહેવાસી 25 વર્ષીય આકાશ અગ્રવાલ સાથે કાર દ્વારા લખનૌ જઈ રહ્યા હતા. કારમાં સવાર ચોથા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. કાર અશોક અગ્રવાલની હોવાનું કહેવાય છે, પરંતુ ઘટના સમયે અભિનવ અગ્રવાલ તેને ચલાવી રહ્યા હોવાનું કહેવાય છે.

દરમિયાન, ફતેહપુરમાં ભારે ધુમ્મસને કારણે દૃશ્યતા ઘટી ગઈ. એક અજાણ્યા વાહને એક બાઇક સવારને કચડી નાખ્યો. યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ધુમ્મસ એટલું ગાઢ હતું કે સ્થાનિક લોકો તેને ટક્કર મારનાર વાહન પણ જોઈ શક્યા નહીં.

IPL મિનિ ઓક્શનમાં નવો નિયમ: 30 કરોડની બોલી છતાં વિદેશી ખેલાડીને મળશે માત્ર 18 કરોડ

0

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના ખેલાડીઓની મિનિ નીલામી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. આ મિનિ ઓક્શન પહેલા એક એવા નિયમની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેની અસર વિદેશી ખેલાડીઓ પર પડશે. IPL ગવર્નિંગ કાઉન્સિલના નિયમો અનુસાર, મિનિ ઓક્શનમાં કોઈપણ વિદેશી ખેલાડી મહત્તમ ₹18 કરોડ જ કમાઈ શકે છે, ભલે ફ્રેન્ચાઇઝી ટીમ તેના પર તેનાથી વધુની બોલી કેમ ન લગાવે.

નિયમ પ્રમાણે, જો કોઈ વિદેશી ખેલાડી પર ₹18 કરોડથી ઉપરની બોલી લગાવવામાં આવે, તો પણ ખેલાડીને માત્ર ₹18 કરોડ જ મળશે. આ નિયમ IPL 2025 માટે યોજાયેલા મેગા-ઓક્શનમાં પહેલીવાર લાગુ કરવામાં આવ્યો હતો અને હવે તેને મિનિ ઓક્શનમાં પણ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનો ઉદ્દેશ નાણાકીય અનુશાસન જાળવવાનો અને મિનિ ઓક્શનમાં થતી અત્યંત મોંઘી બોલીઓ પર નિયંત્રણ રાખવાનો છે.

ઉદાહરણ તરીકે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પર ₹30 કરોડની બોલી લાગે છે, તો પણ તેમની IPL સેલરી માત્ર ₹18 કરોડ જ રહેશે. વધારાના ₹12 કરોડ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના પ્લેયર્સ વેલ્ફેર ફંડમાં જમા થશે. જોકે, ફ્રેન્ચાઇઝી ટીમે ₹30 કરોડની સંપૂર્ણ રકમ તેના પર્સમાંથી ચૂકવવી પડશે.

મિનિ ઓક્શન માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પાસે સૌથી વધુ ₹64.3 કરોડ રૂપિયાનું બજેટ છે. જ્યારે પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) પાસે ₹43.6 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે. બંને ટીમો પાસે મોટું બજેટ છે, તેમ છતાં વિદેશી ખેલાડીઓનો પગાર ₹18 કરોડથી વધારે નહીં હોય.

પાકિસ્તાનમાં ફરી એકવાર તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા

પાકિસ્તાન ફરી એકવાર ભૂકંપથી હચમચી ગયું. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સોનમિયાની વિસ્તારમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપના આંચકા રાત્રે 1:21 વાગ્યે અનુભવાયા હતા. જોકે, ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા.

ભૂકંપનું કેન્દ્રબિંદુ સોનમિયાની હતું.
સોનમિયાની એ દક્ષિણપૂર્વ બલુચિસ્તાનમાં આવેલું એક દરિયાકાંઠાનું ગામ છે, જે કરાચીથી લગભગ 87 કિલોમીટર દૂર છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી. સોમવારે અગાઉ, બલુચિસ્તાનના સિબી શહેર અને આસપાસના વિસ્તારોમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

બલુચિસ્તાન અને દક્ષિણ પાકિસ્તાનના કેટલાક ભાગો ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ છે. ભારત-ઓસ્ટ્રેલિયન ટેક્ટોનિક પ્લેટ ધીમે ધીમે યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે, જેના કારણે આ પ્રદેશમાં સમયાંતરે ભૂકંપ આવે છે.

  • ૨૮ ડિસેમ્બર, ૧૯૭૪: રિક્ટર સ્કેલ પર ૬.૨ ની તીવ્રતાનો આ ભૂકંપ હુન્ઝા (ઉત્તરીય ક્ષેત્ર) માં આવ્યો. સ્વાત, હજારા અને હુન્ઝા જિલ્લાઓને ભારે નુકસાન થયું. લગભગ ૫,૩૦૦ લોકો મૃત્યુ પામ્યા.
  • ૮ ઓક્ટોબર, ૨૦૦૫: આ ભૂકંપે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ખૈબર પખ્તુનખ્વામાં ભારે વિનાશ મચાવ્યો. તે પાકિસ્તાનમાં નોંધાયેલો સૌથી વિનાશક ભૂકંપ હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૬ માપવામાં આવી હતી. આશરે ૮૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા (કેટલાક અંદાજ મુજબ આ સંખ્યા ૧,૦૦,૦૦૦ થી વધુ છે). મુઝફ્ફરાબાદ અને બાલાકોટ સૌથી વધુ અસરગ્રસ્ત હતા.
  • ૨૯ ઓક્ટોબર, ૨૦૦૮: ઝિયારત (બલુચિસ્તાન) માં ૬.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જેમાં ૨૧૫ લોકો માર્યા ગયા. ક્વેટાની આસપાસના અનેક ગામો નાશ પામ્યા.
  • ૧૮ જાન્યુઆરી, ૨૦૧૧: ૭.૨ ની તીવ્રતાનો આ ભૂકંપ દાલબંદીન (બલુચિસ્તાન) માં આવ્યો. દૂરસ્થ સ્થાનથી બહુ ઓછું નુકસાન થયું.
  • ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૩: આવરાન (બલુચિસ્તાન) માં ૭.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જેમાં લગભગ ૩૮૬ લોકો માર્યા ગયા અને હજારો ઘરોને નુકસાન થયું.
  • ૨૬ ઓક્ટોબર, ૨૦૧૫: હિન્દુ કુશ પ્રદેશ (ઉત્તરીય પાકિસ્તાનને અસર કરતો) ૭.૫ ની તીવ્રતાનો ભૂકંપ (કેન્દ્ર અફઘાનિસ્તાનમાં) આવ્યો. પાકિસ્તાનમાં સેંકડો લોકો માર્યા ગયા.

નાઈટ ક્લબના માલિક લૂથરા બંધુઓને થાઈલેન્ડથી દિલ્હી લવાયા, ગોવા પોલીસે કરી ધરપકડ

0

ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભયાનક આગ બાદ ફરાર સૌરભ અને ગૌરવ લુથરાને ભારત પાછા લાવવામાં આવ્યા છે. દિલ્હીમાં તેમની ફ્લાઇટ લેન્ડ થતાં જ ગોવા પોલીસ એરપોર્ટ પર પહેલેથી જ હાજર હતી. તેઓ ઉતર્યા પછી તરત જ તેમની ધરપકડની પ્રક્રિયા શરૂ થઈ ગઈ.

લુથરા બંધુઓને આજે થાઈલેન્ડથી દિલ્હી લાવવામાં આવ્યા. તેઓ ઈન્ડિગોની ફ્લાઇટ 6E-1064 માં ભારત આવ્યા. તેમના પરત ફરવા માટે સંપૂર્ણ સુરક્ષા અને કાનૂની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લુથરા બંધુઓને ફ્લાઇટમાંથી ઉતરતાની સાથે જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ધરપકડ બાદ, બંનેની તબીબી તપાસ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે દિલ્હીની પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

લુથરા બંધુઓને 11 ડિસેમ્બરે થાઈલેન્ડના ફુકેટમાં હોટેલ ઈન્ડિગોમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 12 ડિસેમ્બરે તેમને ફુકેટથી બેંગકોક પ્રત્યાર્પણ કરવામાં આવ્યા, જ્યાં ઔપચારિક પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ થઈ હતી. 11 ડિસેમ્બરે, ગોવા પોલીસની પહેલ પર લુથરા બંધુઓના પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે, રોહિણી કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી, અને તેમને કોઈ રાહત મળી ન હતી.

તપાસમાં જાણવા મળ્યું છે કે નાઈટક્લબમાં આગ લાગી તે જ સમયે માલિકોએ થાઈલેન્ડ જવાની તૈયારી કરી લીધી હતી. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, લુથરા બંધુઓએ 7 ડિસેમ્બરના રોજ સવારે 1:17 વાગ્યે ટ્રાવેલ પોર્ટલ દ્વારા ફુકેટ માટે ટિકિટ બુક કરાવી હતી. ગોવા પોલીસે 8 ડિસેમ્બરના રોજ બંને આરોપીઓ સામે લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો જેથી તેઓ દેશ છોડીને ભાગી ન જાય.

ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરના રોજ મધ્યરાત્રિ પછી ગોવાના અરપોરા સ્થિત નાઈટક્લબ ‘બિર્ચ બાય રોમિયો લેન’માં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 25 લોકોના મોત થયા હતા. ત્યારથી, લુથરા બંધુઓની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે.

‘જી રામ જી’ બિલ પર લોકસભામાં હોબાળો, પ્રિયંકા ગાંધીએ નામ બદલવા પર ઉઠાવ્યા સવાલો

0

લોકસભામાં મનરેગાનું નામ બદલવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. હવે તેનું નામ VB-જી રામ જી હશે અને સંસદમાં તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ બિલ દ્વારા કેન્દ્ર સરકારની સત્તાઓ તો વધારવામાં આવી રહી છે, પરંતુ તેના ભંડોળમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે દરેક યોજનાનું નામ બદલવાની ઘેલછા સમજાતી નથી. જ્યારે પણ આવું કરવામાં આવે છે, ત્યારે સરકારે પૈસા ખર્ચવા પડે છે. તેમણે કહ્યું કે નવું બિલ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ બિલમાં મજુરીના દિવસો 100 થી વધારીને 125 કરવાની વાત તો કરી જ છે, પરંતુ માનદ વેતન વધારવા અંગે કોઈ વાત નથી કરી.

પ્રિયંકા ગાંધીએ યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવાનો વિરોધ કર્યો. આ દરમિયાન ભાજપના સભ્યોએ ટિપ્પણી કરી, તો પ્રિયંકાએ જવાબ આપ્યો કે મહાત્મા ગાંધી તેમના પરિવારના સભ્ય નહોતા, પરંતુ પરિવારના સભ્ય જેવા જ હતા. તેમણે ઉમેર્યું કે એક વ્યક્તિની ઇચ્છાના આધારે કોઈપણ યોજનામાં ફેરફાર ન કરવા જોઈએ. ગૃહમાં આ બિલ પર કોઈ ચર્ચા થઈ નથી. તેથી, મારો મત એ છે કે પહેલા સંસદમાં ચર્ચા થવી જોઈએ અને પછી જરૂરી સૂચનોનો સમાવેશ કરીને એક નવું બિલ લાવવું જોઈએ. આ બિલ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં સંસદમાં તેની ચર્ચા ચાલી રહી છે.

ટીએમસી સાંસદ સૌગત રોયે પણ યોજનાના નામકરણ સામે વાંધો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ભગવાન રામ પૂજનીય છે, પરંતુ મહાત્મા ગાંધી આ સમયે વધુ સુસંગત છે. તેમણે કહ્યું કે બિલમાં ઉમેરવામાં આવેલી જોગવાઈઓ રાજ્યો પર બોજ વધારશે. તેથી, અમે આનો વિરોધ કરીએ છીએ છે. વિરોધ પક્ષોની દલીલ છે કે આ બિલ હવે રાજ્ય સરકારો પર ભંડોળનો 40% બોજ નાખશે, જે પહેલા 10 ટકા જ હતું. આનાથી રાજ્ય સરકારો પર બોજ વધશે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે બિલને સ્થાયી સમિતિમાં મોકલવામાં આવે અને તમામ જરૂરી સૂચનોનો સમાવેશ કર્યા પછી, તેને ગૃહમાં પાછું રજૂ કરવામાં આવે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પણ યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે શિવરાજ સિંહ ચૌહાણને મહાત્મા ગાંધીનું નામ હટાવનારા મંત્રી તરીકે યાદ કરવામાં આવશે. આ કાર્યવાહી ખોટી અને અપમાનજનક છે. દરમિયાન, સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે પણ કહ્યું કે યોજનામાંથી નામ દૂર કરવું એ મહાત્મા ગાંધીનું સીધું અપમાન છે.

સાબરકાંઠામાં ભયાનક ત્રિપલ અકસ્માત: ચાર યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત

0

સાબરકાંઠા જિલ્લામાંથી એક ભયંકર અકસ્માતના સમાચાર આવ્યા છે. જ્યાં ઈડર-ભિલોડા નેશનલ હાઈવે પર રેવાસ નજીક વહેલી સવાર અકસ્માત સર્જાયો હતો. એક રીક્ષા અને કાર વચ્ચેની ટક્કરમાં કુલ ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

જોકે, આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની લાપરવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, આ જીવલેણ અકસ્માત પાછળનું મુખ્ય કારણ હાઇવેનું અધૂરું અને ધીમી ગતિએ ચાલતું કામ છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોડનું કામ સંભાળતા કોન્ટ્રાક્ટરની ધીમી અને બેદરકારીભરી કામગીરીને કારણે હાઇવે પર ઠેરઠેર અવ્યવસ્થા છે, જેના પરિણામે વારંવાર અકસ્માતો સર્જાય છે.

સ્થાનિકોએ આ અંગે અગાઉ અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કામગીરીમાં કોઈ ઝડપ આવી નથી. સ્થાનિકોનો આરોપ છે કે, રોડના અધૂરા કામને કારણે સર્જાયેલી અવ્યવસ્થા જ આ જીવલેણ અકસ્માતોનું કારણ બની રહી છે.

અર્જુન રામપાલ માટે કઈ ભૂમિકા સૌથી મુશ્કેલ? તાજેતરમાં કર્યો ખુલાસો

અર્જુન રામપાલ ફિલ્મ “ધુરંધર”માં તેના શાનદાર અભિનય માટે હેડલાઇન્સમાં છે. તે તેના અંગત જીવન માટે પણ હેડલાઇન્સમાં છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો કે તેણે ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે સગાઈ કરી છે.

અર્જુન રામપાલએ સમજાવ્યું કે તેની પહેલી પત્નીથી છૂટાછેડા પછી, તે તેની પુત્રીઓનો ઉછેર કરી રહ્યો છે. તેમને ઉછેરવાથી સંબંધો પ્રત્યેની તેની સમજ બદલાઈ ગઈ છે.

અર્જુન રામપાલની ગર્લ ફ્રેન્ડ કોણ છે?
2018 માં તેની ભૂતપૂર્વ પત્ની મેહર જેસિયાથી અલગ થયા પછી, અર્જુન રામપાલ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે જોડાયા. આ દરમિયાન, તેણે તેની પુત્રીઓ,મહિકા અને માયરાનો ઉછેર કરવાનું ચાલુ રાખ્યું. છ વર્ષ સાથે રહ્યા પછી, હવે તેઓ સગાઈ કરી ચૂક્યા છે. રિયા ચક્રવર્તી સાથેની વાતચીતમાં,અર્જુન રામપાલે સમજાવ્યું કે બાળકોનો ઉછેર એ જીવનનો સૌથી મુશ્કેલ ભાગ છે.

ધુરંધર એક્ટરએ કહ્યું, “બાળકોનો ઉછેર કરવો એ દુનિયાનો સૌથી મોટો પડકાર છે. તેમને નાની નાની બાબતો માટે પણ તમારી સાથે રહેવું પડે છે અને તેઓ હંમેશા તમારી આસપાસ હોય છે. તમે તેમના માટે બધું જ છો. જ્યારે તેઓ મોટા થઇ જાય છે અને તમારા માળામાંથી ઉડવાનું શરૂ કરે છે, ત્યારે તમે અચાનક તેના વાલી બની જાઓ છો.”

અભિનેતાએ ભાર મૂક્યો કે પેરેન્ટીંગના અર્થમાં નિયંત્રણ નથી. તેણે કહ્યું, “તેઓ (બાળકો) જાણે છે કે તમે હંમેશા તેની સાથે રહેશો. પરંતુ તે સરળ નથી. તેઓ બોયફ્રેન્ડ, મિત્રો, તેના જીવન વિશે વાત કરે છે. જોકે તમે તેની દુનિયામાં પ્રવેશી શકતા નથી.” તેણે કહ્યું કે જ્યારે આપણે બાળકો હોઈએ છીએ, ત્યારે આપણને લાગે છે કે આપણે બધું કરી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણા બાળકો આવે છે, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વસ્તુઓ એટલી સરળ નહોતી. પછી આપણે આપણા માતાપિતા પાસે પાછા જઈએ છીએ.

પોતાના પારિવારિક જીવનની સાથે, અર્જુન રામપાલ પણ એક સફળ વ્યાવસાયિક કારકિર્દીનો આનંદ માણી રહ્યો છે. તે હાલમાં આદિત્ય ધરની ફિલ્મ “ધુરંધર” ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. 5 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. અર્જુન રામપાલ મેજર ઇકબાલની ભૂમિકા ભજવે છે.

મેક્સિકોમાં પ્રાઇવેટ જેટ દુર્ઘટના: ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન બિલ્ડિંગ સાથે અથડાતા 7 લોકોનાં મોત

0

મેક્સિકોના મધ્યમમાં સોમવારે (15 ડિસેમ્બર) એક નાનું ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સૈન માટેઓ એન્ટેકો વિસ્તારમાં થઈ હતી, જે ટોલુકા એરપોર્ટથી આશરે 5 કિલોમીટર અને રાજધાની મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે.

અહેવાલો અનુસાર, આ વિમાન મેક્સિકોના પ્રશાંત તટથી અકાપુલ્કોથી ઉડાન ભરી રહ્યું હતું. મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઑર્ડિનેટર એડ્રિયન હર્નાંડેઝે જણાવ્યું કે, ‘વિમાનમાં આઠ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. અત્યાર સુધી સાત મૃતદેહો મળી આવ્યા છે, જોકે હજુ તપાસ અને રેસ્ક્યુની કામગીરી શરૂ છે.’

શોધ અને બચાવ કામગીરી ચાલુ છે
વિમાન મેક્સિકોના પેસિફિક કિનારા પર આવેલા એકાપુલ્કોથી ઉડાન ભરી રહ્યું હતું. મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઓર્ડિનેટર એડ્રિયન હર્નાન્ડેઝે જણાવ્યું હતું કે વિમાનમાં આઠ મુસાફરો અને બે ક્રૂ સભ્યો હતા. અત્યાર સુધીમાં સાત મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.