Home Blog Page 239

અમદાવાદની સાથે ગાંધીનગરની કેટલીક સ્કૂલને પણ મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા હલચલ મચી ગઈ છે. ઈ-મેઈલમાં બપોરે 1.30 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં કલોલની આવિષ્કાર શાળા, ખોરજની જેમ્સ અને જેનેસિસ શાળાઓને પણ ધમકી મળી હતી. ધમકી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ સુરક્ષા બળોને તાત્કાલિક કાર્યવાહી માટે નિયુક્ત કરી.

પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે ધમકીભર્યો ઈ-મેઈલ ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલા ગ્રુપ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ ઇમેઇલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ લોરેન્સ બિશ્નોઇના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈ-મેઈલ શાળાઓને સવારે 8:33 મિનિટે મળ્યો હતો અને ત્યારબાદ બપોરે 1.11 કલાકે બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલ સુરક્ષા વધારીને તપાસ ચાલી રહી છે.

અમદાવાદમાં મહારાજા અગ્રસેન, ઝાયડસ, ઝેબર અને દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત કુલ 8 સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઇમેઇલ મળતા હલચલ મચી ગઈ છે. ધમકી મળતાં સ્કૂલ સંચાલકોએ તરત જ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પગલાં લીધાં અને સ્કૂલોને થોડીવાર માટે બંધ રાખી હતી. પોલીસ વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGની ટીમો દ્વારા સ્કૂલની તપાસ શરૂ કરી. સાઇબર ક્રાઇમ વિભાગે પણ ઇમેઇલની વિગતો એકત્ર કરી તપાસ હાથ ધરી છે. ધમકીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બપોરે 1.30 કલાકે સ્કૂલોમાં બ્લાસ્ટ કરવાની યોજના છે. આ પગલાંને ધ્યાનમાં રાખી સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને રજા આપી હતી. હાલ પોલીસ અને સલામતી બળો સુરક્ષાનું પૂરું આયોજન કરીને સ્કૂલ મોનિટરિંગ કરી રહ્યા છે અને સંબંધિત તપાસ ચાલુ છે.

ગુજરાતમાં જંત્રીના દરોમાં મોટો વધારો, ટૂંક સમયમાં અમલની શક્યતા

ગુજરાત સરકારે આવક વધારવા માટે જમીનની સૂચિત જંત્રી દરો જાહેર કર્યા હતા. જેના વિરોધ બાદ સરકારે જંત્રીના દર વધારા માટે સૂચનો મંગાવાની ફરજ પડી હતી. રાજ્યભરમાં વ્યાપક વિરોધને પગલે જંત્રીના દરો મોકૂફ રાખ્યા બાદ સુધારેલા જંત્રીના દરો જાન્યુઆરીમાં અમલમાં આવે તેવી શક્યતા છે. રાજ્ય સરકારે શરૂઆતમાં આ દરો બમણા કર્યા હતા, જેના કારણે તીવ્ર વિરોધ થયો હતો. સુધારેલા ફોર્મ્યુલા હેઠળ, જંત્રીના દરો હવે સમાન રહેશે નહીં, જેમાં કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં અમુક શહેરી વિસ્તારો કરતાં વધુ મૂલ્યાંકન જોવા મળશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર જંત્રીના નવા દર બજેટ સત્ર પહેલા લાગુ કરવા આતુર છે. એકવાર અમલમાં આવ્યા પછી, જમીન અને મિલકતના ભાવોમાં વધારો થવાની ધારણા છે. લાંબા સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતાએ પહેલેથી જ રિયલ એસ્ટેટ ક્ષેત્રને નુકસાન પહોંચાડ્યું છે. અનકે ડેવલપર્સ નવા દર જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી તેમણે કેટલાક પ્રોજેક્ટ સ્થગિત રાખ્યા છે. ઉદ્યોગ સંગઠનોએ સરકારને ઝડપી નિર્ણય લેવા વિનંતી કરી છે.

નવા જંત્રી માળખામાં બાંધકામના પ્રકારોની વધુ સ્પષ્ટ વ્યાખ્યાઓ પણ રજૂ કરવામાં આવશે, જેમાં ખુલ્લા પ્લોટ્સ, આર.સી.સી. સ્ટ્રક્ચર્સ, ભાર-વહન સ્ટ્રક્ચર્સ, આર.સી.સી. અને ટીન-રૂફ ઔદ્યોગિક શેડ્સનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હદો ઉપરાંત, શહેરી વિકાસ સત્તામંડળો, નગરપાલિકાઓ અને અન્ય સૂચિત ઝોન હેઠળના વિસ્તારોને પણ સુધારેલા દરોમાં ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ શહેરી હદોની બહારના પ્રદેશો તરીકે વ્યાખ્યાયિત ગ્રામીણ વિસ્તારો પણ આવરી લેવામાં આવશે.

બાંધકામના દરો શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અલગ-અલગ હશે. જૂના મકાનો માટે, મૂલ્યાંકન કુલ બજાર મૂલ્ય, કાર્પેટ એરિયા, બિલ્ટ-અપ એરિયા, બેઝમેન્ટ્સ અને વ્યક્તિગત માળ જેવા પરિબળોના આધારે અલગ-અલગ હશે. ગુજરાત રાજ્યમાં સુધારેલી જંત્રીમાં વ્યાપારી ઉપયોગ માટેના મૂલ્ય ઝોન, મિલકતોની આસપાસની ખાલી જમીન, કાર પાર્કિંગ વિસ્તારો, બિન-ખેતી ઉપયોગ માટે રૂપાંતરિત ખેતીની જમીન અને ગ્રામીણ વિસ્તારોમાં મંદિરો, ધર્મશાળાઓ અને હોસ્ટેલ સહિતની શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના બજાર દરો પણ આવરી લેવામાં આવશે.

જંત્રી એટલે જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં લઘુત્તમ ભાવ છે. જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી થશે. તે એક કાનૂની પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ, તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે. એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.

‘સરદાર સર્કીટ’નું નિર્માણ કરવા બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાની સંસદમાં રજૂઆત

ભારતરત્ન, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીને અનુલક્ષીને સરદાર સાહેબે રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને બિરદાવવા ‘સરદાર સર્કિટ’ના નિર્માણની રજૂઆત બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ સંસદમાં કરી છે. તેમણે સરદાર પટેલના જીવન, વિચારધારા અને યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડી શકાય એ માટે સરદાર સર્કિટ થકી બારડોલી, સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર) અને નડિયાદ જેવા સરદાર સાહેબ સાથે સંકળાયેલા ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સ્થળોને પરસ્પર જોડવાની માંગ કરી છે.

પ્રભુભાઈ વસાવાએ સંસદમાં નિયમ ૩૭૭ હેઠળ રજૂઆત કરતા કહ્યું કે, બારડોલી નગર સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક છે, જ્યાં ૧૯૨૮માં સરદાર સાહેબે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કરી અંગ્રેજોના અસહ્ય કરવધારા સામે લડવા માટે ખેડૂતોને સંગઠિત કર્યા હતા. બારડોલીના આ આંદોલને સમગ્ર દેશને પ્રેરણા આપી હતી. બીજી તરફ, એકતા નગર ખાતે સ્થાપિત વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટર ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સરદાર પટેલના આદર્શ વ્યક્તિત્વ અને રાષ્ટ્રીય એકતાનું વૈશ્વિક પ્રતિક બની છે, જ્યારે નડિયાદ સરદાર સાહેબની જન્મભૂમિ હોવાના કારણે વિશેષ ઐતિહાસિક અને ભાવનાત્મક મહત્વ ધરાવે છે.

આ ત્રણેય સ્થળોને જોડતી ‘સરદાર ટુરિઝમ સર્કિટ’ વિકસાવવામાં આવે તો તે સ્થાનિક પ્રદેશની સામાજિક તથા આર્થિક રચનામાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે. સાથે સાથે રાષ્ટ્રીય એકતા, આત્મનિર્ભરતા અને સમૂહિક શક્તિનો સંદેશ દેશ-વિદેશ સુધી પહોંચાડવામાં સહાયક બનશે એમ જણાવી સરદાર સર્કિટના વિકાસને પ્રાથમિકતા આપવા વિનંતી કરી તેમણે બારડોલીથી એકતા નગર અને નડિયાદ સુધી સરદાર ટુરિઝમ સર્કિટ નિર્માણ કરવાની માંગ કરી છે.

‘ઓપરેશન કારાવાસ’માં મોટી સફળતા: પત્નીની હત્યામાં સજા પામેલો કેદી 9 વર્ષ બાદ હરિયાણાથી ઝડપાયો

સુરતના સચિન વિસ્તારમાં વર્ષ 2007માં પતિએ પત્નીની હત્યા કરી હતી, જેમાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા તે લાજપોર જેલમાં હતો. આ દરમ્યાન વર્ષ 2016થી આરોપી પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયો હતો. આ દરમ્યાન સચિન પોલીસની ટીમે આરોપીને કરિયાણાથી ઝડપી પાડયો હતો. આરોપીએ બીજી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું
સુરતના સચિન વિસ્તારમાં વર્ષ 2007માં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માએ તેની પત્નીની હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ગુનામાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી અને આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં કેદ હતો. આ દરમ્યાન વર્ષ 2016માં આરોપી 28 દિવસની પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 9 વર્ષથી આરોપી ફરાર હતો.

આ દરાયાન સુરતમાં પોલીસ દ્વારા ઓપરેશન કારાવાસ અંતર્ગત એટલે કે જે પેરોલ ફર્લો રજા પરથી ફરાર થયા કોય એવા આરોપીઓને પકડવા સઘન ઝુંબેશ શરુ કરવામાં આવી હતી. જે અંતર્ગત સચિન પોલીસ દ્વારા આ આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી અને ગત 6 ડિસેમ્બર 2025ના રોજ આરોપીના વતન ઉતર પ્રદેશના કવી ચિત્રકૂટ જિલ્લામાં ગઈ હતી. જ્યાં આરોપીના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો ન હતો અને તેના પરિવારની પૂછપરછ કરતા પરિવારે જણાવ્યું હતું કે છેલ્લા 7 થી 8 વર્ષથી પરિવારના સંપર્કમાં નથી અને કાં રહે છે તેની પણ ખબર નથી.

આથી પોલીસે કર્વી ખાતેના રિક્ષા સ્ટેન્ડો ઉપર આરોપીના ફોટો તેમજ નામથી ઓળખ માટેની પૂરી કોશિશ કરી હતી. જ્યાંથી પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી 6 મહિના અગાઉ કુર્વીમાં જોવા મળ્યો હતો અને તે તેના સાળાના લગ્ન પ્રસંગે શંકરગજ ખાતે આવ્યો હતો અને આશરે આઠેક વર્ષ પહેલા નવી દુનિયા બનકટ તરીકે ભાડૂઆત તરીકે રડતો હતો.

આથી પોલીસે તે જગ્યાએ તપાસ કરતા આરોપી હાલમાં શું કામ ધંધો કરે છે તેની કોઈ માહિતી મળી ન હતી, પરંતુ આરોપી બીજા લગ્ન કરીને પરિવાર સાથે કરિયાણા ગુરુગ્રામ ઘાટા ગામ ખાતે રહેતો હોવાની માહિતી મળી હતી.

આથી પોલીસની ટીમ યુપીથી કરિયાણા ગઈ હતી. જ્યાં ગત 12 ડિસેમ્બરના રોજ આરોપીની વોચમાં હતી અને 8 કલાક વેશ પલટો કરીને આરોપીના વોચમાં બેસી હતી દરમ્યાન આરોપી આરોપી રાત્રીના દસેક વાગ્યે પોતાના ઘરે આવ્યો હતો અને પોતાના બાળકને લઈને દુકાને કઈક વસ્તુ લેવા જતા આરોપીને પકડી પાકયો હતો.

ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસનો કહેર: માર્ગ અકસ્માતોમાં 24 લોકોના મોત, અનેક ઘાયલ

0

ઉત્તર પ્રદેશમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. સવારે ધુમ્મસને કારણે દૃશ્યતામાં ઘટાડો થવાને કારણે મંગળવારે અનેક અકસ્માતો થયા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક વાહનો એકબીજા સાથે અથડાયા, જેમાં 24 લોકોના મોત થયા.

મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં ૧૩ લોકોના મોતની પુષ્ટિ ડીએમએ અત્યાર સુધીમાં કરી છે. ડીએમએ જણાવ્યું હતું કે ત્રણ મૃતકોની ઓળખ થઈ ગઈ છે. બાકીના દસ મૃતકોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. આ અકસ્માતમાં લગભગ ૬૦ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે ૪ વાગ્યે મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ધુમ્મસને કારણે ૭ બસો અને ૨ કાર એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર થતાં જ વાહનોમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં ઘણા લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ૨૦ એમ્બ્યુલન્સમાં ૧૫૦ લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

ઉન્નાવમાં ગાઢ ધુમ્મસને કારણે મોટો અકસ્માત સર્જાયો. મંગળવારે સવારે લગભગ 6:30 વાગ્યે ઉન્નાવના બાંગરમાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ઝડપથી દોડી રહેલી ફોર્ચ્યુનર કારનું ટાયર ફાટ્યું, જેના કારણે કાર નિયંત્રણ બહાર ગઈ અને મધ્ય ડિવાઇડર પરના પથ્થર સાથે અથડાઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના એરબેગ્સ ખુલી ગયા હોવા છતાં, ચારેય મુસાફરોના મોત થયા. ચારેય મૃતકો ગાઝિયાબાદના રહેવાસી હતા.

ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનના રહેવાસી 55 વર્ષીય અશોક કુમાર અગ્રવાલ તેમના સાથીઓ, ગોવિંદપુરી મોદીનગરના રહેવાસી 20 વર્ષીય અભિનવ અગ્રવાલ અને મોદીનગરના રહેવાસી 25 વર્ષીય આકાશ અગ્રવાલ સાથે કાર દ્વારા લખનૌ જઈ રહ્યા હતા. કારમાં સવાર ચોથા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. કાર અશોક અગ્રવાલની હોવાનું કહેવાય છે, પરંતુ ઘટના સમયે અભિનવ અગ્રવાલ તેને ચલાવી રહ્યા હોવાનું કહેવાય છે.

દરમિયાન, ફતેહપુરમાં ભારે ધુમ્મસને કારણે દૃશ્યતા ઘટી ગઈ. એક અજાણ્યા વાહને એક બાઇક સવારને કચડી નાખ્યો. યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ધુમ્મસ એટલું ગાઢ હતું કે સ્થાનિક લોકો તેને ટક્કર મારનાર વાહન પણ જોઈ શક્યા નહીં.

IPL મિનિ ઓક્શનમાં નવો નિયમ: 30 કરોડની બોલી છતાં વિદેશી ખેલાડીને મળશે માત્ર 18 કરોડ

0

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના ખેલાડીઓની મિનિ નીલામી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. આ મિનિ ઓક્શન પહેલા એક એવા નિયમની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેની અસર વિદેશી ખેલાડીઓ પર પડશે. IPL ગવર્નિંગ કાઉન્સિલના નિયમો અનુસાર, મિનિ ઓક્શનમાં કોઈપણ વિદેશી ખેલાડી મહત્તમ ₹18 કરોડ જ કમાઈ શકે છે, ભલે ફ્રેન્ચાઇઝી ટીમ તેના પર તેનાથી વધુની બોલી કેમ ન લગાવે.

નિયમ પ્રમાણે, જો કોઈ વિદેશી ખેલાડી પર ₹18 કરોડથી ઉપરની બોલી લગાવવામાં આવે, તો પણ ખેલાડીને માત્ર ₹18 કરોડ જ મળશે. આ નિયમ IPL 2025 માટે યોજાયેલા મેગા-ઓક્શનમાં પહેલીવાર લાગુ કરવામાં આવ્યો હતો અને હવે તેને મિનિ ઓક્શનમાં પણ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનો ઉદ્દેશ નાણાકીય અનુશાસન જાળવવાનો અને મિનિ ઓક્શનમાં થતી અત્યંત મોંઘી બોલીઓ પર નિયંત્રણ રાખવાનો છે.

ઉદાહરણ તરીકે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પર ₹30 કરોડની બોલી લાગે છે, તો પણ તેમની IPL સેલરી માત્ર ₹18 કરોડ જ રહેશે. વધારાના ₹12 કરોડ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના પ્લેયર્સ વેલ્ફેર ફંડમાં જમા થશે. જોકે, ફ્રેન્ચાઇઝી ટીમે ₹30 કરોડની સંપૂર્ણ રકમ તેના પર્સમાંથી ચૂકવવી પડશે.

મિનિ ઓક્શન માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પાસે સૌથી વધુ ₹64.3 કરોડ રૂપિયાનું બજેટ છે. જ્યારે પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) પાસે ₹43.6 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે. બંને ટીમો પાસે મોટું બજેટ છે, તેમ છતાં વિદેશી ખેલાડીઓનો પગાર ₹18 કરોડથી વધારે નહીં હોય.

પાકિસ્તાનમાં ફરી એકવાર તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા

પાકિસ્તાન ફરી એકવાર ભૂકંપથી હચમચી ગયું. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સોનમિયાની વિસ્તારમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપના આંચકા રાત્રે 1:21 વાગ્યે અનુભવાયા હતા. જોકે, ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા.

ભૂકંપનું કેન્દ્રબિંદુ સોનમિયાની હતું.
સોનમિયાની એ દક્ષિણપૂર્વ બલુચિસ્તાનમાં આવેલું એક દરિયાકાંઠાનું ગામ છે, જે કરાચીથી લગભગ 87 કિલોમીટર દૂર છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી. સોમવારે અગાઉ, બલુચિસ્તાનના સિબી શહેર અને આસપાસના વિસ્તારોમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

બલુચિસ્તાન અને દક્ષિણ પાકિસ્તાનના કેટલાક ભાગો ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ છે. ભારત-ઓસ્ટ્રેલિયન ટેક્ટોનિક પ્લેટ ધીમે ધીમે યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે, જેના કારણે આ પ્રદેશમાં સમયાંતરે ભૂકંપ આવે છે.

  • ૨૮ ડિસેમ્બર, ૧૯૭૪: રિક્ટર સ્કેલ પર ૬.૨ ની તીવ્રતાનો આ ભૂકંપ હુન્ઝા (ઉત્તરીય ક્ષેત્ર) માં આવ્યો. સ્વાત, હજારા અને હુન્ઝા જિલ્લાઓને ભારે નુકસાન થયું. લગભગ ૫,૩૦૦ લોકો મૃત્યુ પામ્યા.
  • ૮ ઓક્ટોબર, ૨૦૦૫: આ ભૂકંપે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ખૈબર પખ્તુનખ્વામાં ભારે વિનાશ મચાવ્યો. તે પાકિસ્તાનમાં નોંધાયેલો સૌથી વિનાશક ભૂકંપ હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૬ માપવામાં આવી હતી. આશરે ૮૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા (કેટલાક અંદાજ મુજબ આ સંખ્યા ૧,૦૦,૦૦૦ થી વધુ છે). મુઝફ્ફરાબાદ અને બાલાકોટ સૌથી વધુ અસરગ્રસ્ત હતા.
  • ૨૯ ઓક્ટોબર, ૨૦૦૮: ઝિયારત (બલુચિસ્તાન) માં ૬.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જેમાં ૨૧૫ લોકો માર્યા ગયા. ક્વેટાની આસપાસના અનેક ગામો નાશ પામ્યા.
  • ૧૮ જાન્યુઆરી, ૨૦૧૧: ૭.૨ ની તીવ્રતાનો આ ભૂકંપ દાલબંદીન (બલુચિસ્તાન) માં આવ્યો. દૂરસ્થ સ્થાનથી બહુ ઓછું નુકસાન થયું.
  • ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૩: આવરાન (બલુચિસ્તાન) માં ૭.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જેમાં લગભગ ૩૮૬ લોકો માર્યા ગયા અને હજારો ઘરોને નુકસાન થયું.
  • ૨૬ ઓક્ટોબર, ૨૦૧૫: હિન્દુ કુશ પ્રદેશ (ઉત્તરીય પાકિસ્તાનને અસર કરતો) ૭.૫ ની તીવ્રતાનો ભૂકંપ (કેન્દ્ર અફઘાનિસ્તાનમાં) આવ્યો. પાકિસ્તાનમાં સેંકડો લોકો માર્યા ગયા.

નાઈટ ક્લબના માલિક લૂથરા બંધુઓને થાઈલેન્ડથી દિલ્હી લવાયા, ગોવા પોલીસે કરી ધરપકડ

0

ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભયાનક આગ બાદ ફરાર સૌરભ અને ગૌરવ લુથરાને ભારત પાછા લાવવામાં આવ્યા છે. દિલ્હીમાં તેમની ફ્લાઇટ લેન્ડ થતાં જ ગોવા પોલીસ એરપોર્ટ પર પહેલેથી જ હાજર હતી. તેઓ ઉતર્યા પછી તરત જ તેમની ધરપકડની પ્રક્રિયા શરૂ થઈ ગઈ.

લુથરા બંધુઓને આજે થાઈલેન્ડથી દિલ્હી લાવવામાં આવ્યા. તેઓ ઈન્ડિગોની ફ્લાઇટ 6E-1064 માં ભારત આવ્યા. તેમના પરત ફરવા માટે સંપૂર્ણ સુરક્ષા અને કાનૂની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લુથરા બંધુઓને ફ્લાઇટમાંથી ઉતરતાની સાથે જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ધરપકડ બાદ, બંનેની તબીબી તપાસ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે દિલ્હીની પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

લુથરા બંધુઓને 11 ડિસેમ્બરે થાઈલેન્ડના ફુકેટમાં હોટેલ ઈન્ડિગોમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 12 ડિસેમ્બરે તેમને ફુકેટથી બેંગકોક પ્રત્યાર્પણ કરવામાં આવ્યા, જ્યાં ઔપચારિક પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ થઈ હતી. 11 ડિસેમ્બરે, ગોવા પોલીસની પહેલ પર લુથરા બંધુઓના પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે, રોહિણી કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી, અને તેમને કોઈ રાહત મળી ન હતી.

તપાસમાં જાણવા મળ્યું છે કે નાઈટક્લબમાં આગ લાગી તે જ સમયે માલિકોએ થાઈલેન્ડ જવાની તૈયારી કરી લીધી હતી. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, લુથરા બંધુઓએ 7 ડિસેમ્બરના રોજ સવારે 1:17 વાગ્યે ટ્રાવેલ પોર્ટલ દ્વારા ફુકેટ માટે ટિકિટ બુક કરાવી હતી. ગોવા પોલીસે 8 ડિસેમ્બરના રોજ બંને આરોપીઓ સામે લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો જેથી તેઓ દેશ છોડીને ભાગી ન જાય.

ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરના રોજ મધ્યરાત્રિ પછી ગોવાના અરપોરા સ્થિત નાઈટક્લબ ‘બિર્ચ બાય રોમિયો લેન’માં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 25 લોકોના મોત થયા હતા. ત્યારથી, લુથરા બંધુઓની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે.

‘જી રામ જી’ બિલ પર લોકસભામાં હોબાળો, પ્રિયંકા ગાંધીએ નામ બદલવા પર ઉઠાવ્યા સવાલો

0

લોકસભામાં મનરેગાનું નામ બદલવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. હવે તેનું નામ VB-જી રામ જી હશે અને સંસદમાં તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ બિલ દ્વારા કેન્દ્ર સરકારની સત્તાઓ તો વધારવામાં આવી રહી છે, પરંતુ તેના ભંડોળમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે દરેક યોજનાનું નામ બદલવાની ઘેલછા સમજાતી નથી. જ્યારે પણ આવું કરવામાં આવે છે, ત્યારે સરકારે પૈસા ખર્ચવા પડે છે. તેમણે કહ્યું કે નવું બિલ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ બિલમાં મજુરીના દિવસો 100 થી વધારીને 125 કરવાની વાત તો કરી જ છે, પરંતુ માનદ વેતન વધારવા અંગે કોઈ વાત નથી કરી.

પ્રિયંકા ગાંધીએ યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવાનો વિરોધ કર્યો. આ દરમિયાન ભાજપના સભ્યોએ ટિપ્પણી કરી, તો પ્રિયંકાએ જવાબ આપ્યો કે મહાત્મા ગાંધી તેમના પરિવારના સભ્ય નહોતા, પરંતુ પરિવારના સભ્ય જેવા જ હતા. તેમણે ઉમેર્યું કે એક વ્યક્તિની ઇચ્છાના આધારે કોઈપણ યોજનામાં ફેરફાર ન કરવા જોઈએ. ગૃહમાં આ બિલ પર કોઈ ચર્ચા થઈ નથી. તેથી, મારો મત એ છે કે પહેલા સંસદમાં ચર્ચા થવી જોઈએ અને પછી જરૂરી સૂચનોનો સમાવેશ કરીને એક નવું બિલ લાવવું જોઈએ. આ બિલ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં સંસદમાં તેની ચર્ચા ચાલી રહી છે.

ટીએમસી સાંસદ સૌગત રોયે પણ યોજનાના નામકરણ સામે વાંધો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ભગવાન રામ પૂજનીય છે, પરંતુ મહાત્મા ગાંધી આ સમયે વધુ સુસંગત છે. તેમણે કહ્યું કે બિલમાં ઉમેરવામાં આવેલી જોગવાઈઓ રાજ્યો પર બોજ વધારશે. તેથી, અમે આનો વિરોધ કરીએ છીએ છે. વિરોધ પક્ષોની દલીલ છે કે આ બિલ હવે રાજ્ય સરકારો પર ભંડોળનો 40% બોજ નાખશે, જે પહેલા 10 ટકા જ હતું. આનાથી રાજ્ય સરકારો પર બોજ વધશે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે બિલને સ્થાયી સમિતિમાં મોકલવામાં આવે અને તમામ જરૂરી સૂચનોનો સમાવેશ કર્યા પછી, તેને ગૃહમાં પાછું રજૂ કરવામાં આવે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પણ યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે શિવરાજ સિંહ ચૌહાણને મહાત્મા ગાંધીનું નામ હટાવનારા મંત્રી તરીકે યાદ કરવામાં આવશે. આ કાર્યવાહી ખોટી અને અપમાનજનક છે. દરમિયાન, સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે પણ કહ્યું કે યોજનામાંથી નામ દૂર કરવું એ મહાત્મા ગાંધીનું સીધું અપમાન છે.

સાબરકાંઠામાં ભયાનક ત્રિપલ અકસ્માત: ચાર યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત

0

સાબરકાંઠા જિલ્લામાંથી એક ભયંકર અકસ્માતના સમાચાર આવ્યા છે. જ્યાં ઈડર-ભિલોડા નેશનલ હાઈવે પર રેવાસ નજીક વહેલી સવાર અકસ્માત સર્જાયો હતો. એક રીક્ષા અને કાર વચ્ચેની ટક્કરમાં કુલ ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

જોકે, આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની લાપરવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, આ જીવલેણ અકસ્માત પાછળનું મુખ્ય કારણ હાઇવેનું અધૂરું અને ધીમી ગતિએ ચાલતું કામ છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોડનું કામ સંભાળતા કોન્ટ્રાક્ટરની ધીમી અને બેદરકારીભરી કામગીરીને કારણે હાઇવે પર ઠેરઠેર અવ્યવસ્થા છે, જેના પરિણામે વારંવાર અકસ્માતો સર્જાય છે.

સ્થાનિકોએ આ અંગે અગાઉ અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કામગીરીમાં કોઈ ઝડપ આવી નથી. સ્થાનિકોનો આરોપ છે કે, રોડના અધૂરા કામને કારણે સર્જાયેલી અવ્યવસ્થા જ આ જીવલેણ અકસ્માતોનું કારણ બની રહી છે.