Home Blog Page 224

બાંગ્લાદેશના પહેલા મહિલા વડાપ્રધાન ખાલિદા શેખનું નિધન

બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું આજે 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાલમાં જ તેમના પુત્ર વર્ષો બાદ બાંગ્લાદેશ પરત ફર્યા હતા. બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ X પર પોસ્ટ કરી જણાવ્યું, કે આજે ફજરની નમાઝ બાદ સવારે 6 વાગ્યે ખાલિદા ઝિયાએ અંતિમ શ્વાસ લીધા.

નોંધનીય છે કે ખાલિદા ઝિયાને લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગની બીમારી હતી અને છેલ્લા દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના નિધન બાદ હવે BNPની કમાન તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં રહેશે. તેઓ અત્યાર સુધી કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ જેલની સજાના ડરથી શેખ હસીના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશ છોડી જતાં હતા. જોકે હાલમાં જ તેઓ 17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત આવ્યા છે.

શેખ હસીના સાથે રાજકીય દુશ્મનાવટ હતી
બાંગ્લાદેશના રાજકારણમાં ત્રણ દાયકાથી બે બેગમ વચ્ચે લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું હતું. યુદ્ધના મુખ્ય પાત્રો હતા બે શક્તિશાળી મહિલા નેતા: શેખ હસીના વાજેદ (અવામી લીગ) અને બેગમ ખાલિદા ઝિયા (બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી-BNP). એક સમયે બંને સામૂહિક રીતે સરમુખત્યારશાહી સામે લડી હતી, પણ સત્તાની લાલચમાં બંને એકબીજાની દુશ્મન બની બેઠી. જોકે હવે શેખ હસીના ભારતમાં છે જ્યારે આજે ખાલિદા ઝિયાનું નિધન થયું છે. એવામાં હવે બાંગ્લાદેશમાં નવા જ પ્રકારનું રાજકારણ જોવા મળશે.

ખલિદા ઝિયાએ પતિના નિધન બાદ રાજકારણમાં પગ મૂક્યો હતો
30 મે, 1981ના રોજ, પૂર્વ રાષ્ટ્રપતિ અને ખાલિદા ઝિયાના પતિ, જનરલ ઝિયાઉર રહેમાનની પણ ચિત્તગોંગમાં લશ્કરી બળવાખોરોએ હત્યા કરી દીધી. એ સમયે ખાલિદા ઝિયા ગૃહિણી હતા. પતિના અવસાન પછી તેમણે પતિએ સ્થાપેલી પાર્ટી BNPનું સુકાન સંભાળ્યું અને રાજકારણમાં પગ મૂક્યો.

જ્યારે શેખ હસીના અને ખાલિદા ઝિયા એક થયા હતા!
વર્ષ 1978માં જનરલ ઝિયાઉર રહેમાન દ્વારા બાંગ્લાદેશ સેનાના પ્રમુખ બનાવાયેલા હુસૈન મુહમ્મદ ઇર્શાદને ઝિયાઉર રહેમાનની હત્યા બાદ સત્તાલાલસા જાગી. તેમણે 1982માં સૈન્ય તખ્તાપલટ કરીને તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ સત્તારની સરકાર ગબડાવી દીધી અને પોતે રાષ્ટ્રપતિ બનીને સંપૂર્ણ અધિકારો હાંસલ કરી લીધા. માર્શલ લૉ લાદીને તેમણે રાજકીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો, રાજકીય પક્ષો ભંગ કર્યા અને વિરોધી નેતાઓને જેલમાં ધકેલી દીધા. પોતાની સરમુખત્યારશાહી પર ઢાંકપિછોડો કરવા તેમણે 1983માં ‘જાતીય પક્ષ’ નામની પાર્ટીની સ્થાપના કરી. ઇર્શાદને સત્તા પરથી હટાવવા માટે શેખ હસીના વાજેદ અને ખાલિદા ઝિયા એક થયા. 1987માં શરુ થયેલા આ આંદોલનને વ્યાપક લોકસમર્થન મળ્યું. આખરે 4 ડિસેમ્બર 1990ના રોજ ઇર્શાદે રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપવું પડ્યું. 1991માં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ તેમની ધરપકડ થઈ.

શેખ હસીના અને ખાલિદા ઝિયા વચ્ચે સત્તા માટે લડાઈ
ઇર્શાદના પતન પછી બંને બેગમો વચ્ચે સત્તા માટે સીધી હરીફાઈ શરુ થઈ, જેમાં બંનેએ વારાફરતી સત્તા મેળવી.

  • 1991માં ખાલિદા ઝિયા (BNP) બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
  • 1996માં શેખ હસીના (અવામી લીગ) પહેલીવાર બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા.
  • ખાલિદા ઝિયા 2001થી 2006 સુધી ફરી સત્તામાં રહ્યા.
  • શેખ હસીનાએ 2009થી 2024 સુધી સતત 15 વર્ષ સુધી સત્તા ભોગવી. તેઓ 2009, 2014 અને 2018માં સતત ત્રણ ચૂંટણી જીત્યા હતા.

ખાલિદા ઝિયાને જેલ થઈ, પુત્ર પહેલા જ લંડન ભાગી ગયા હતા
વર્ષ 1991થી 2024ના દરમિયાન બંને બેગમોના પક્ષની દુશ્મનાવટ ઉગ્ર બની. બંનેએ એકબીજા પર ભ્રષ્ટાચાર, આપખુદ શાસન અને હિંસા ફેલાવવાના આરોપ મૂક્યા. 2004માં શેખ હસીના પર ગ્રેનેડ હુમલો થયો, જેમાં 24 લોકો માર્યા ગયા. હસીનાએ આ હુમલા માટે ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનને દોષી ઠેરવ્યા. હસીના સરકાર જેલમાં નાંખી દેશે એવા ડરથી તારિક 2008માં લંડન ભાગી ગયા. 2018માં હસીના સરકારે ભ્રષ્ટાચારના કેસમાં ખાલિદા ઝિયાને જેલમાં ધકેલી દીધા.

2024ના વિદ્યાર્થી આંદોલને કર્યું હસીનાના શાસનનું પતન
2024ના ઉનાળામાં સરકારી નોકરીઓમાં જૂની ‘ક્વોટા સિસ્ટમ’ બંધ કરવા માટે શાંતિપૂર્ણ વિદ્યાર્થી આંદોલન શરુ થયું, જે પછીથી શેખ હસીના સરકાર સામે વ્યાપક વિરોધ બની ગયું. આંદોલનકારીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે સરકાર પર લોકશાહીનું દમન, મીડિયા દમન અને ચૂંટણીમાં ગોટાળાના આરોપ મૂક્યા. જુલાઈ-ઑગસ્ટમાં થયેલી હિંસક ઘટનાઓમાં સેંકડો લોકો માર્યા ગયા. દબાણ વધતું જતાં 5 ઑગસ્ટ 2024ના રોજ શેખ હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું. જીવ પર ખતરો લાગતા તેમણે ભારતમાં શરણ લીધી.

પતન બાદ બાંગ્લાદેશમાં આવેલા રાજકીય પરિવર્તનો

  • ખાલિદા ઝિયાને જેલમાંથી મુક્ત કરાયા.
  • નોબેલ વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનાવાયા.
  • અવામી લીગ પર પ્રતિબંધ મૂકાયો. હસીના પર માનવતા વિરુદ્ધના ગુના માટે કેસ ચાલ્યો.
  • નવેમ્બર 2025માં ટ્રિબ્યુનલે શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં જ મૃત્યુદંડની સજા ફટકારી.
  • શેખ હસીના હજુ પણ ભારતમાં છે. તેમના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશ સરકારની માંગણીનો ભારતે હજુ સુધી સ્પષ્ટ જવાબ આપ્યો નથી.

વાંસદામાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતા

દક્ષિણ ગુજરાતના વાંસદામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી 62 km દુર નોંધાયું. સવારે 9:24 મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભા કોંગ્રેસના દંડક પદેથી આપશે રાજીનામુ

પાટણમાં કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરવાના મામલે રાજકીય ગરમાવો વધ્યો છે. આ ઘટનાક્રમ વચ્ચે ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભા કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ આજે બપોરે 3 વાગ્યે પોતાનું રાજીનામું સત્તાવાર રીતે આપશે. પક્ષના સંગઠનમાં થયેલી નિમણૂકોથી કિરીટ પટેલ નારાજ હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને એસસી મોરચાના પ્રમુખપદે જયા શાહને ફરીથી રિપીટ કરાતા વિરોધ ઊઠ્યો છે. આ મામલે કિરીટ પટેલે વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના અન્ય અગ્રણીઓ સાથે ચર્ચા અને વાતચીત પણ શરૂ રાખી છે. ઘટનાને પગલે કોંગ્રેસના આંતરિક રાજકારણમાં અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે.

EDની કડક કાર્યવાહી: UAEમાં છુપાયેલા ગુનેગાર ઈન્દ્રજીત સામે મોટી કાર્યવાહી, 10 ઠેકાણે દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં છુપાયેલા વોન્ટેડ ગુનેગાર ઇન્દ્રજીત સિંહ યાદવ અને તેના સાથીઓ પર પકડ મજબૂત બનાવતા મોટી માત્રામાં રોકડ અને લક્ઝરી સામાન જપ્ત કર્યો છે. 26 અને 27 ડિસેમ્બરના રોજ દિલ્હી, ગુરુગ્રામ અને રોહતક સહિત 10 સ્થળોએ હાથ ધરવામાં આવેલા મોટા સર્ચ ઓપરેશન બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા.

જપ્ત કરાયેલી મિલકત

  • ૫ લક્ઝરી કાર
  • ૧૭ લાખ રૂપિયાની રોકડ રકમ
  • શંકાસ્પદ વ્યવહારો સાથે જોડાયેલા બેંક લોકર્સ
  • દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને ડેટાને ગુનાહિત બનાવવા

કોની સામે કાર્યવાહી કરવામાં આવી?
આ કેસ ઇન્દરજીત, તેના સહયોગીઓ, એપોલો ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય સંબંધિત સંસ્થાઓ અને વ્યક્તિઓ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 ની જોગવાઈઓ હેઠળ ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે.

હરિયાણા પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસે ઈન્દરજીત વિરુદ્ધ 15 થી વધુ FIR નોંધી છે અને આર્મ્સ એક્ટ, 1959, BNS, 2023 અને IPC, 1860 ની વિવિધ કલમો હેઠળ હત્યા, ખંડણી, ખાનગી ફાઇનાન્સરો દ્વારા આપવામાં આવેલી લોનની બળજબરીથી પતાવટ, છેતરપિંડી, બનાવટી, ગેરકાયદેસર જમીન પચાવી પાડવા અને હિંસક ગુનાઓ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ ચાર્જશીટ દાખલ કરી છે.

દરોડામાં પાંચ લક્ઝરી કાર મળી આવી
EDના જણાવ્યા અનુસાર, ઇન્દરજીત વિરુદ્ધ હત્યા, ખંડણી, ખાનગી ફાઇનાન્સરો દ્વારા આપવામાં આવેલી લોનની બળજબરીથી પતાવટ, છેતરપિંડી, બનાવટી, ગેરકાયદેસર જમીન પચાવી પાડવા અને હિંસક ગુનાઓ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર: થાનગઢની GIDCમાં સ્ટીકરના કારખાનામાં લાગી ભીષણ આગ

સુરેન્દ્રનગરના થાન બાયપાસ રોડ પર GIDCમાં આવેલા સ્ટીકરના કારખાનામાં આગ લાગતા દોડધામ મચી હતી. આગના બનાવને લઈને સુરેન્દ્રનગર સહિતની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, થાનગઢની GIDCમાં સ્ટીકરના કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આમ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

આગ દુર્ઘટનાને લઈને મેજર કોલ આપતા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારની ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. વીડિયોમાં જોવા મળે છે કે, આગ ફાટી નીકળવાના કારણે ઘટનાસ્થળે ધુમાડાના ગોટેગોટા દેખાય છે.

અર્જુન જ્વેલર્સના કેશિયરે ગ્રાહકોને સ્કીમની લાલચ આપી 1.99 કરોડની ઉચાપત કરી

0

રાજકોટ સહિત રાજ્યભરમાં સોની વેપારીઓ સાથે કામ કરતા કારીગરો સોના-ચાંદીના દાગીના લઈને નાસી છૂટયા હોવાના કિસ્સા અવારનવાર પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. આવા જ એક બનાવમાં રાજકોટના જાણીતા અર્જુન જ્વેલર્સ શો રૂમના માલિકે પોતાના ત્રણ વર્ષ જૂના કેશિયર પર વિશ્વાસ મૂકી તેને ઠંડ કેશિયરનું પ્રમોશન આપ્યું હતું. જોકે, આ વિશ્વાસ માલિકને ભારે પક્યો. ડેડ કેશિયરે ગ્રાહકોને વિવિધ આકર્ષક યોજનાઓની લાલચ આપી રૂપિયા 1.74 કરોડ મેળવ્યા. ત્યારબાદ 25.57 લાખના દાગીનાના બોગસ વાઉચર અને બિલ બનાવી કુલ રૂપિયા 1.99 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેને પગલે ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, નાનામવા મેઈન રોડ પર શાંકેત પાર્કમાં રહેતા અને રાજકોટ તથા જામનગરમાં અર્જુન જજ્વેલર્સના શો રૂમ ધરાવતા મનીષભાઈ નથુભાઈ ઘાડીયાએ આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે શો રૂમના ડેડ કેશિયર હિતેશ શૈલેષભાઈ પરમાર (રહે. બાલાજી ડોલ, રાજકોટ; મૂળ વતન ખોરસદ, તા. બોરસદ) વિરુદ્ધ ઉચાપતનો આરોપ લગાવ્યો છે.

ફરિયાદ મુજબ, હિતેશ પરમારને 12 ઓગસ્ટ, 2022ના રોજ નાનામવા રોડ પર આવેલા અર્જુન જવેલર્સ પ્રાઈવેટ લિમિટેડના શો રૂમમાં કેશિયર તરીકે નોકરીએ રાખવામાં આવ્યો હતો. ત્રણ વર્ષથી વધુ સમય સુધી નોકરી પર રહ્યા બાદ, કંપનીના નિયમ મુજબ તેને અનુભવના આધારે કેશિયરના ડેડ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ 26 ડિસેમ્બર, 2024ના રોજ તેની બદલી મવડી રોડ પર આવેલા અર્જુન જવેલર્સમાં કેશિયર હેડ તરીકે કરવામાં આવી હતી. કંપનીની જરૂરિયાત મુજબ તે જુદી જુદી બ્રાન્ચમાં કાર્યભાર સંભાળતો હતો. પોતાના વાકચાતુર્યથી તેણે ગ્રાહકોનો વિશ્વાસ જીતી લીધો હતો અને કંપનીના મોબાઈલ ફોનમાંથી સીધા ગ્રાહકોનો સંપર્ક કરીને તેમને પણ વિશ્વાસમાં લીધા હતા.

તારીખ 17 જુલાઈ, 2025ના રોજ અર્જુન જવેલર્સે જામનગરમાં પણ નવી બ્રાન્ચ ખોલી હતી અને હિતેશ પરમારને ત્યાં કેશિયર તરીકે ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યો હતો. ત્યાં પણ તેને વિશ્વાસુ વ્યક્તિ તરીકે સંપૂર્ણ જવાબદારી સોંપાઈ હતી. જોકે, તેની ગેરવર્તણૂકને કારણે આખરે 05 ઓગસ્ટ, 2025ના રોજ તેને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો.

તુર્કીમાં પોલીસ–ISIS વચ્ચે ભારે અથડામણ, 6 આતંકી ઠાર, 3 સુરક્ષા જવાનો શહીદ

અંકારા: ઉત્તરપશ્ચિમ તુર્કીમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના આતંકવાદીઓ અને પોલીસ વચ્ચે ઘાતક અથડામણ થઈ. તુર્કી પોલીસે આ અથડામણમાં છ આતંકવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે, જ્યારે તેના ત્રણ સૈનિકો પણ માર્યા ગયા છે. તુર્કીના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે સોમવારે ઉત્તરપશ્ચિમ તુર્કીમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ પોલીસ અધિકારીઓ અને છ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઘટનામાં ઓછામાં ઓછા આઠ અન્ય પોલીસ અધિકારીઓ અને એક નાઇટ ગાર્ડ ઘાયલ થયા છે.

ઇસ્તંબુલના દક્ષિણમાં આવેલા યાલોવા પ્રાંતના એલમાલી જિલ્લામાં પોલીસે એક ઘરમાં દરોડા પાડ્યા ત્યારે ગોળીબાર થયો હતો જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા. પડોશી બુર્સા પ્રાંતના ખાસ દળોને ઓપરેશનને મજબૂત બનાવવા માટે મોકલવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે યાલોવામાં આ ઓપરેશન દેશભરના 15 પ્રાંતોમાં IS શંકાસ્પદો સામે એકસાથે કરવામાં આવેલા સોથી વધુ દરોડાઓમાંનું એક હતું. યેરલિકાયાએ જણાવ્યું હતું કે યાલોવામાં આ ઓપરેશન “ખૂબ સાવધાની” સાથે હાથ ધરવામાં આવ્યું હતું કારણ કે આતંકવાદીઓ જે ઘરમાં છુપાયેલા હતા ત્યાં મહિલાઓ અને બાળકો હાજર હતા. તેમણે કહ્યું કે પાંચેય મહિલાઓ અને છ બાળકોને ઘરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે બધા આતંકવાદીઓ તુર્કીના નાગરિક હતા. તેમણે કહ્યું કે આ ઓપરેશન સ્થાનિક સમય મુજબ સવારે 2 વાગ્યે શરૂ થયું હતું અને સત્તાવાર રીતે સવારે 9:40 વાગ્યે પૂર્ણ થયું હતું.

આ વિસ્તારની શાળાઓ બંધ હતી
દરમિયાન, યાલોવા ચીફ પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસે તપાસ શરૂ કરી છે અને પાંચ ફરિયાદીઓને તપાસનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. ન્યાય પ્રધાન યિલમાઝ ટુન્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે તપાસના ભાગ રૂપે પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે, પરંતુ શંકાસ્પદો વિશે વધુ વિગતો આપી નથી. શેરીમાં અથડામણ થતાં આ વિસ્તારની પાંચ શાળાઓ દિવસભર માટે બંધ રાખવામાં આવી હતી. અહેવાલો અનુસાર, સાવચેતી તરીકે કુદરતી ગેસ અને વીજળીનો પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો હતો, જ્યારે નાગરિકો અને વાહનોને વિસ્તારમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે, પોલીસે એક સાથે ડઝનેક દરોડા પાડ્યા હતા અને એક ઉગ્રવાદી જૂથના 115 આતંકવાદીઓને અટકાયતમાં લીધા હતા જેઓ કથિત રીતે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને લક્ષ્ય બનાવીને હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જૂથે ખાસ કરીને ઉજવણી દરમિયાન બિન-મુસ્લિમો સામે કાર્યવાહી કરવાની હાકલ કરી હતી. તાજેતરના વર્ષોમાં IS એ તુર્કીમાં ઘણા ઘાતક હુમલાઓ કર્યા છે, જેમાં 1 જાન્યુઆરી, 2017 ના રોજ નવા વર્ષની ઉજવણી દરમિયાન ઇસ્તંબુલ નાઇટક્લબમાં ગોળીબારનો સમાવેશ થાય છે, જેમાં 39 લોકો માર્યા ગયા હતા.

અલથાણમાં તસ્કરોનો તરખાટ, મેડિકલ સ્ટોરને નિશાન બનાવ્યું, ઘટના CCTV કેમેરામાં કેદ

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોરમાં ચોરીની ઘટના બની છે. ત્રણ તસ્કરો મેડિકલ સ્ટોરનું શટર તોડી અંદર પ્રવેશ્યા હતા, અને મેડિકલ સ્ટોરમાંથી રૂ. 48 હજાર રોકડા તેમજ 6 નંગ આઈસ્ક્રીમની ચોરી કરી ફરાર થયા હતા. આ સમગ્ર બનાવ સ્ટોરના CCTV કેમેરામાં કેદ થયો છે. બીજી તરફ આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મૅડિકલ સ્ટોરમાં તસ્કરો ત્રાટકયા
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા મહાવીર ડાઈટ્સમાં સ્થિત ડરિઓમ મૅડિકલ કેર ફાર્મસીમાં ચોરીની ઘટના બની છે. ગત 27 તારીખે વહેલી સવારે 4 વાગ્યા બાદ તસ્કરોએ મેડિકલ સ્ટોસ્તે નિશાન બનાવ્યું હતું. મેડિકલ સ્ટોરનું શટર તોડી અંદરના કાચના દરવાજાનું લોક તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

રોકડ રકમ અને મોબાઈલની ચોરી
બીજા દિવસે મેડીકલ સ્ટોરના માલિકને ચોરીની જાણ થઈ હતી. તસ્કરો મેડીકલ સ્ટોરમાં રહેલા રોકડા રૂપિયા 48 હજાર, એક મોબાઈલ ફોન તેમજ 6 નંગ ચોકોબાર આઈસ્ક્રીમની પણ ચોરી કરી ગયા હતા. તસ્કરો મેડિકલ સ્ટોરમાંથી કુલ 56,175 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

બીજા દિવસે મેડીકલ સ્ટોરના માલિકને ચોરીની જાણ થઈ હતી. તસ્કરો મેડીકલ સ્ટોરમાં રહેલા રોકડા રૂપિયા 48 હજાર, એક મોબાઈલ ફોન તેમજ 6 નંગ ચોકોબાર આઈસ્ક્રીમની પણ ચોરી કરી ગયા હતા. તસ્કરો મૅડિકલ સ્ટોરમાંથી કુલ 56,175 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ઇન્ડોનેશિયામાં નિવૃત્તિ ગૃહમાં ભીષણ આગ, 16 વૃદ્ધોના કરુણ મોત

માનાડો (ઇન્ડોનેશિયા): રવિવારે સાંજે ઇન્ડોનેશિયામાં એક નિવૃત્તિ ગૃહમાં ભીષણ આગ લાગવાથી 16 વૃદ્ધોના દુઃખદ મોત થયા. પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર સુલાવેસી પ્રાંતના માનાડોમાં એક માળના મકાનમાં આગ લાગી હતી, જ્યારે રહેવાસીઓ સૂતા હતા. ઘટનાસ્થળે હાજર ટીમે મૃત્યુઆંક 16 બતાવ્યો છે. ઉત્તર સુલાવેસી પોલીસ પ્રવક્તા આલમસ્યાહ હસીબુઆને જણાવ્યું હતું કે તેમાંથી 15 વૃદ્ધોના આગમાં મોત થયા છે, જ્યારે એક વૃદ્ધ વ્યક્તિનો મૃતદેહ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

હસીબુઆને જણાવ્યું હતું કે 15 બચી ગયેલા લોકો માનાડોની બે હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિવારોની મદદથી પીડિતોના મૃતદેહોને ઓળખ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે નજીકના રહેવાસીઓએ કટોકટી સેવાઓને જાણ કર્યા પછી, છ ટ્રકનો ઉપયોગ કરીને અગ્નિશામકોએ આગ ઓલવવામાં બે કલાકથી વધુ સમય લીધો હતો.

આગ કેવી રીતે લાગી
રવિવારે ઇન્ડોનેશિયન ટીવી રિપોર્ટ્સમાં તેજસ્વી જ્વાળાઓ દેખાઈ હતી, જેમાં ગભરાટ અને ચીસો પણ હતી. રાત્રિનું આકાશ જ્વાળાઓ અને ધુમાડાથી ભરેલું હતું. નિવૃત્તિ ગૃહની બહાર મૃતદેહોની બેગ લાઇનમાં હતી. પડોશીઓએ ઘણા રહેવાસીઓને બચાવવામાં મદદ કરી હોવાના અહેવાલ છે. પ્રારંભિક પોલીસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આગ ઇલેક્ટ્રિકલ ખામીને કારણે લાગી હતી, પરંતુ અધિકારીઓએ પછીથી કહ્યું કે કારણ હજુ તપાસ હેઠળ છે.

આંધ્રપ્રદેશઃ ટાટા એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના બે કોચમાં લાગી ભીષણ આગ, એકનું મોત, અનેક ઘાયલ

0

ભારતમાં ફરી એક વાર ગોઝારી ટ્રેન દુર્ઘટના બની છે. ઝારખંડના સ્ટીલ શહેર ટાટાથી કેરળના એર્નાકુલમ જઈ રહેલી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસને આંધ્રપ્રદેશમાં અકસ્માતનો સામનો કરવો પડ્યો. ટાટા એર્નાકુલમ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી. બે કોચ નાશ પામ્યા અને એક મુસાફરનું મોત થયું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ટ્રેન આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં યલામાંચીલી નજીકથી પસાર થઈ રહી હતી.

ટાટા એર્નાકુલમ એક્સપ્રેસના B1 અને M2 કોચમાં આગ લાગી. બંને કોચ નાશ પામ્યા. આગ લાગતા જ ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો. લોકો પાઈલટને તાત્કાલિક આગની જાણ કરવામાં આવી. માહિતી મળતાં જ લોકો પાઈલટે તાત્કાલિક ટ્રેન રોકી દીધી અને ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. મુસાફરોને બહાર કાઢવા દરમિયાન કોચમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. અનકાપલ્લેના પોલીસ અધિક્ષક તુહિન સિંહાએ આ વાતની પુષ્ટિ કરી. મૃતકની ઓળખ થઈ નથી.

આગ લાગતાની સાથે જ ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો. ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો. ગભરાટમાં ફસાઈ ગયેલા મુસાફરો ટ્રેનમાંથી સલામત સ્થળે દોડી ગયા અને સ્ટેશન પરિસર તરફ પ્રયાણ કર્યું. આખું રેલ્વે સ્ટેશન ધુમાડામાં લપેટાઈ ગયું હતું. અનકાપલ્લે, એલામંચિલી અને નક્કાપલ્લેથી અનેક ફાયર એન્જિનોએ ભારે પ્રયાસો પછી આગને કાબુમાં લીધી.

તપાસમાં શું બહાર આવ્યું?
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે B-1 એસી કોચના બ્રેક જામ થવાને કારણે આગ લાગી હતી. B-1 કોચમાં મુસાફરી કરી રહેલા વિશાખાપટ્ટનમના રહેવાસી 70 વર્ષીય ચંદ્રશેખર સુંદરનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. લગભગ બે ડઝન મુસાફરોને પણ સામાન્ય દાઝી ગયા હતા. અકસ્માતમાં તમામ મુસાફરોનો સામાન પણ નાશ પામ્યો હતો.

અકસ્માતને કારણે, વિશાખાપટ્ટનમ-વિજયવાડા રેલ માર્ગ પર ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે વૈકલ્પિક ટ્રેનો અને બસોનો ઉપયોગ કરીને સવારે 3:30 વાગ્યા પછી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગૃહમંત્રી અનિતાની પ્રતિક્રિયા
આંધ્રપ્રદેશના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાએ એર્નાકુલમ એક્સપ્રેસમાં આગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે અધિકારીઓ સાથે ફોન પર વાત કરી, સંપૂર્ણ માહિતી મેળવી અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવા નિર્દેશ આપ્યો. મંત્રીએ કહ્યું કે શક્ય તેટલી વહેલી તકે રેલ સેવાઓ ફરી શરૂ કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.

રેલવે અધિકારીઓનું નિવેદન
સહાયક લોકો પાયલટ શ્રીનિવાસએ જણાવ્યું હતું કે એલામંચીલી નજીક ટ્રેનના બ્રેક જામ થઈ ગયા હતા. નિરીક્ષણ બાદ, કોચમાં આગ લાગી હતી, જેના પગલે ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી. દરમિયાન, ડીઆરએમ મોહિતે જણાવ્યું હતું કે બંને અસરગ્રસ્ત કોચના મુસાફરોને બસો દ્વારા અનાકાપલ્લી લઈ જવામાં આવી રહ્યા છે. ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવા અને તેને તેના માર્ગ પર મોકલવાની તૈયારી ચાલી રહી છે. હાલમાં, રેલ્વે અને વહીવટી ટીમો આ મામલાની વિગતવાર તપાસમાં રોકાયેલી છે.