Home Blog Page 1200

JIO ના એક રિચાર્જમાં ચાલશે ચાર લોકોના ફોન, પાછું Amazon-Netflix તો ફ્રી

Phones of four people

  • જીયોના પોર્ટફોલિયોમાં તમને ઘણા રિચાર્જ પ્લાન્સ મળે છે. કંપનીના પોર્ટફોલિયોમાં અમુક ખૂબ જ ખાસ રિચાર્જ પ્લાન્સ છે. આ પ્લાન્સમાં યુઝર્સને ફક્ત એક રિચાર્જમાં ચાર સિમ યુઝ કરવા મળી શકે છે.

Jioના પોર્ટફોલિયોમાં (portfolio) તમને ઘણા પ્લાન્સના ઓપ્શન મળે છે. કંપની સસ્તા અને મોંઘા બન્ને પ્રકારના રિચાર્જ પ્લાન્સ ઓફર (Recharge plans offered) કરે છે. જો તમારી ફેમિલીમાં ચાર લોકો છે તો કંપનીની પાસે એક ખૂબ જ ખાસ પ્લાન છે. આ પ્લાન હેઠળ દરેક યુઝર્સ માટે તમે ફક્ત એક જ રિચાર્જ જ ખરીદી શકો છો.

એટલે કે જીયોની પાસે એક એવો ફેમિલી પ્લાન છે જેમાં ચાર લોકોના ફોન ચાલી શકે છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કોલિંગ, ડેટા, SMSની સાથે OTT બેનિફિટ્સ પણ મળે છે. આવો જાણીએ જીયોના આ રિચાર્જ પ્લાન્સની ડિટેલ્સ.

JIOના ફેમિલી રિચાર્જ પ્લાન :

જો તમે ચાર લોકો માટે એક રિચાર્જ પ્લાન મેળવવા માંગો છો તો આને ટ્રાય કરી શકો છો. JIOના આ પ્લાન પોસ્ટપેડ પોર્ટફોલિયોનો ભાગ છે. તેના માટે યુઝર્સને 999 રૂપિયા બિલિંગ સાયકલિંગમાં ખર્ચ કરવાના રહેશે. આ રિચાર્જ પ્લાનની સાથે યુઝર્સને 200GB ડેટા મળે છે.

બીજા મહિને પણ યુઝ કરી શકાય છે ડેટા :

ડેટા લિમિટ પુરી થયા બાદ યુઝર્સને 10 રૂપિયા પ્રતિ GBના રેટથી ડેટા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 500GB સુધી ડેટા રોલ ઓવરની પણ સુવિધા મળે છે. એટલે કે યુઝર્સ પોતાના બાકીના ડેટાને આવતા મહિને પણ યુઝ કરી શકે છે.

ચાર સીમ ચાલી શકશે :

આ પ્લાનમાં મેઈન યુઝર ઉપરાંત ત્રણ અન્ય કનેક્શન પણ યુઝ કરવામાં આવી શકે છે. કન્ઝ્યુમર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 SMS ડેટા મળે છે. પ્લાનને ખરીદનાર જીયો યુઝર્સ કંપનીની 5G સર્વિસ માટે એલિજીબલ હશે.

એક્સ્ટ્રા બેનિફિટ્સ :

JIOના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને Netflixનું સબ્સક્રિપ્શન મળે છે. આ ઉપરાંત યુઝર્સ એમેઝોન પ્લાઈમનું પણ સબ્સક્રિપ્શન મેળવી શકે છે. પ્લાનમાં યુઝર્સને એક વર્ષ માટે પ્રાઈમ વીડિયોનું પણ એક્સેસ મળે છે.

આ પણ વાંચો :-

BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો

Before this plan of BSNL

  • આ રિચાર્જ પ્લાનમાં તમે એક કે બે નહીં પરંતુ પુરા 3 મહિના માટે રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવો છો અને તેથી જ ગ્રાહકોને આ પ્લાન ઘણો પસંદ આવે છે.

સૌથી સસ્તો રિચાર્જ પ્લાન : Jio to Vi અને Airtel જેવી કંપનીઓ પણ રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે, પરંતુ જ્યારે ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને રિચાર્જ પ્લાનની વાત આવે છે. ત્યારે માત્ર થોડી કંપનીઓ જ આ કેટેગરીમાં ટકી શકે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે લાંબી વેલિડિટી પ્લાનની કિંમત ક્યારેક થોડી વધારે હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે BSNLનો એક એવો દમદાર રિચાર્જ પ્લાન લાવ્યા છીએ. જે ન માત્ર ખિસ્સાને અસર છે. પરંતુ તેની વેલિડિટી વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

જાણી લો કયો છે રિચાર્જ પ્લાન  :

BSNL રિચાર્જ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં તમને 1GB ડેટા આપવામાં આવે છે. જેના કારણે તમે તમારી ઈન્ટરનેટ જરૂરિયાતો પૂરી કરી શકો છો. એટલું જ નહીં આ પ્લાનમાં તમને 24 દિવસ માટે અમર્યાદિત વોઇસ કોલિંગની ઓફર પણ આપવામાં આવે છે. આ બધું તમે માત્ર રૂ.107 ખર્ચીને મેળવો છો. અમને લાગે છે કે આ પ્લાન સસ્તો છે પરંતુ તમારા માટે શ્રેષ્ઠ પ્લાન પણ સાબિત થઈ શકે છે. જો તમને લાગે છે કે આ પ્લાનની ઓફર્સ હવે પૂરી થઈ ગઈ છે. તો એવું નથી કારણ કે આ પ્લાનમાં કેટલીક અન્ય ઓફર્સ છે. જેના વિશે અમે તમને હવે જણાવીશું.

આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ઉપલબ્ધ લાંબી વેલિડિટી છે. આ વેલિડિટી આખા 84 દિવસ એટલે કે લગભગ 3 મહિના માટે છે. આ માન્યતાનો લાભ લઈને તમે તમારા ફોનને રિચાર્જ કર્યા વિના સરળતાથી 3 મહિના સુધી સક્રિય રાખી શકો છો. આ પ્લાનની આ તમામ વિશેષતાઓને કારણે તે સૌથી દમદાર છે.

આ પણ વાંચો :-

11 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : લક્ષ્મીજીની કૃપાથી આ રાશિઓનું બદલાશે ભાગ્ય અને તંગીમાંથી મળશે રાહત

11 January 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ :
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના ભાઈ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ, સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાય.

વૃષભ :
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુન :
સ્વભાવમાં જીદ્દીપણું વધતું જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદ્‍ભવે. આરોગ્ય સારું રહેશે.

કર્ક :
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ છે. પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહ :
પૂર્વજન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વામાની, અધિકારીની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીનતત્વ અને શારીરિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્સચેન્જ તથા કેમિસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યા :
વિદેશથી સારા સમાચાર મળે. એક્સપોર્ટ, ઈમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.

તુલા :
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણીશીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિક :
દામ્પત્યસુખમાં ઉણપ આવે. પત્ની સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિથી થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જૂના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારું રહે.

ધન :
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારું રહેશે.

મકર :
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભ :
આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારું રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીન :
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સરસ દિવસ. જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

સેલ્ફ બેલેન્સિંગ સ્કૂટર જાતે જ કંટ્રોલ થશે, હવે ટેન્શન લેવાની જરૂર નહીં..!!!

Self balancing scooter will control itself

  • વર્ષ 2019માં મુંબઇ સ્થિત લાઈગર મોબિલિટીએ સેલ્ફ બેલેન્સિંગ અને સેલ્ફ પાર્કિંગ ટેકનોલોજીથી સજ્જ સ્કૂટર રજૂ કર્યું હતું. હવે કંપનીએ પુષ્ટિ કરી છે કે આ પ્રોડક્શન રેડી ઈલેક્ટ્રિક સ્કૂટર 2023માં ઓટો એક્સ્પોમાં ગ્લોબલ ડેબ્યૂ કરશે.

વર્ષ 2019માં મુંબઈ (Mumbai) સ્થિત લાઈગર મોબિલિટીએ સેલ્ફ બેલેન્સિંગ અને સેલ્ફ પાર્કિંગ ટેકનોલોજીથી સજ્જ સ્કૂટર રજૂ કર્યું હતું. હવે કંપનીએ પુષ્ટિ કરી છે કે આ પ્રોડક્શન રેડી ઈલેક્ટ્રિક સ્કૂટર (production ready electric scooter) 2023માં ઓટો એક્સ્પોમાં ગ્લોબલ ડેબ્યૂ કરશે.

સેલ્ફ બેલેન્સિંગ ટેકનોલોજીથી સજ્જ સ્કૂટર.
સ્કૂટર ચાલકને મળી રહેશે સુરક્ષા.
લાઇગર મોબિલિટી કંપનીની આગવી પહેલ.

લાઈગર મોબિલિટી કંપનીએ બેલેન્સિંગ ટેકનોલોજીને ઈન હાઉસ ડેવલપ કરી છે. આ ટેકનોલોજી સ્કૂટરનું ઓટોમેટિક બેલેન્સ કરશે. જેના કારણે ચાલકને સુરક્ષા મળી રહેશે. કંપનનીનો દાવો છે કે ઓટો બેલેન્સિંગ ટેકનોલોજીથી રાઇડિંગનો અદ્દભૂત આનંદ મળશે.

રેટ્રો સ્ટાઈલમાં જોવા મળતું આ સ્કૂટર આધુનિક ફિચર્સથી સજ્જ છે. સ્કૂટરનું ફ્રન્ટ એપ્રન પર ડેલ્ટા શેપ એલઈડી હેડલેમ્પ છે. જેના ફ્રન્ટમાં ટોપ ફેયરિંગ અને હોરિઝન્ટલ એલઈડી ડેટાઈમ રનિંગ લાઈટ આપવામાં આવી છે.

સેલ્ફ બેલેન્સિંગ સ્કૂટરના ફીચર્સની વાત કરીએ તો આ ઈલેક્ટ્રિક સ્કૂટર ઓલ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ, એલઈડી ટેલ-લાઈટ, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેંશનસ અને એલોય વ્હિલ્સ જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ થશે. બ્રેક માટે સ્કૂટરના ફ્રંટમાં ડિસ્ક બ્રેક અને બેક સાઈડમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

આ વર્ષે આ IPO કરાવશે તગડી કમાણી ! ચૂકશો તો ફરી નહીં મળે મોકો

0

This year this IPO will make heavy earnings

  • જ્યારે શેરબજારમાં કોઈ કંપનીનો IPO આવે છે ત્યારે તે પોતાની સાથે પૈસા કમાવવાની તક પણ લઈને આવે છે. વર્ષ 2023 ની શરૂઆત સાથે રોકાણકારોની નજર આ વર્ષે કમાણીની આગામી તકો પર રહેશે.

છેલ્લા કેટલાક મહિનાઓથી IPOમાં રોકાણ કરવું રોકાણકારો માટે ફાયદાકારક સોદો નથી રહ્યો. ઉદાહરણ તરીકે LIC અને Paytmનો IPO ખરીદનારા રોકાણકારોને (Investors) ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. જો તમે આ વર્ષે પ્રારંભિક પબ્લિક ઓફર એટલે કે IPOમાં નાણાંનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો. તો આ વર્ષ 2023 તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે.

તમને IPO માર્કેટમાં પૈસા કમાવવાની મોટી તકો મળવાની છે. અને તેમના આગમનથી બજારમાં ધૂમ મચાવવાની ખાતરી છે. તેમાં Tata Technologies & Tata Play, Oyo Rooms, Ola, Swiggy, Byju’s, Boat, Mobikwik, Mamaearth, Ixigo, Go first જેવી ફ્લિપકાર્ટ કંપનીઓનો સમાવેશ થાય છે.

તગડી કમાણીની તક :

જ્યારે શેરબજારમાં કોઈ કંપનીનો IPO આવે છે ત્યારે તે પોતાની સાથે પૈસા કમાવવાની તક પણ લઈને આવે છે. વર્ષ 2023 ની શરૂઆત સાથે રોકાણકારોની નજર આ વર્ષે કમાણીની આગામી તકો પર રહેશે. સારા આઈપીઓ રોકાણકારો માટે એક મહાન સોદો સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી IPOમાં રોકાણ કરવું રોકાણકારો માટે ફાયદાકારક સોદો નથી રહ્યો.

ઉદાહરણ તરીકે LIC અને Paytmનો IPO ખરીદનારા રોકાણકારોને ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. કેટલીક કંપનીઓ એવી પણ હતી જેમના IPOથી તેમના રોકાણકારોના ખિસ્સા ભરાયા હતા. આવો જાણીએ તે 11 કંપનીઓના IPO વિશે જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ફ્લિપકાર્ટ  :

સૌથી મોટા IPOમાંથી એક, ઈ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટનું નામ સામે આવી રહ્યું છે. ભારતીય ઈ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટે આંતરિક રીતે તેના એપ્રિલ 2022 IPO વેલ્યુએશનનું લક્ષ્ય $50 બિલિયન નક્કી કર્યું હતું. આ કંપની આ વર્ષે પોતાનો IPO લાવી શકે છે.

Swiggy  :

ફૂડ ડિલિવરી એપ Swiggy પણ Zomatoની જેમ આ વર્ષે તેનો IPO લાવી શકે છે. કંપનીનો બિઝનેસ દેશના 500થી વધુ શહેરોમાં છે. સ્વિગી સાથે 1.50 લાખ રેસ્ટોરાં સંકળાયેલા છે. કંપની દેશમાં સારો બિઝનેસ કરી રહી છે.

Ola  :

અન્ય IPO કે જે 2022 ના પ્રથમ છ મહિનામાં લોન્ચ થવાની ધારણા હતી પરંતુ થઈ શક્યું નથી તે છે રાઈડ-હેલિંગ એગ્રીગેટર Ola Cabs. ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલે આ પહેલા પણ ઘણી વખત આઈપીઓ લાવવાની વાત કરી છે. ઓલાનો આઈપીઓ આ વર્ષે માર્કેટમાં આવી શકે છે.

આ પણ વાંચો :-

SBI-PNB વેચાવાને આરે? આશ્ચર્યચકિત ગ્રાહકો, સરકારના આ ટ્વિટથી વાસ્તવિકતા બહાર આવી

0

SBI-PNB on the verge of sale

  • ઓગસ્ટ 2019 માં સરકારે ઘણી બેંકોનું મર્જર કર્યું. આ પછી દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા ઘટીને 12 થઈ ગઈ.

સરકાર દ્વારા IDBI બેંકના ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન કેટલાક મીડિયા ગૃહોએ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકો SBI અને PNB અને બેંક ઓફ બરોડાના ખાનગીકરણનો (Privatization) દાવો કરવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા પર આ સમાચાર ફેલાતાની સાથે જ આ બેંકોના કરોડો ગ્રાહકો ચોંકી ગયા હતા. પરંતુ હવે સરકારના સત્તાવાર ફેક્ટ ચેકર ‘PIB ફેક્ટ ચેક‘એ આ સમાચારનો પર્દાફાશ કર્યો છે.

વાયરલ પોસ્ટમાં શું હતી માહિતી ?

PIB દ્વારા કહેવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘણા મીડિયા અહેવાલો અને અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નીતિ આયોગે ત્રણ બેંકો SBI અને PNB અને બેંક ઓફ બરોડાના ખાનગીકરણને મંજૂરી આપી છે. યાદી શેર કરવામાં આવી છે. આ સમાચાર બેંક ગ્રાહકોમાં ઝડપથી ફેલાઈ ગયા. હવે PIB ફેક્ટ ચેક દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. નીતિ આયોગ દ્વારા આવી કોઈ યાદી જારી કરવામાં આવી નથી.

ઓગસ્ટ 2019માં સરકારે બેંકોનું મર્જર કર્યું હતું :

હકીકતમાં આ સમાચારને લોકોએ સાચા તરીકે પણ સ્વીકાર્યા કારણ કે ઓગસ્ટ 2019માં સરકારે ઘણી બેંકોને મર્જ કરી દીધી હતી. આ પછી દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા ઘટીને 12 થઈ ગઈ. જો કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણની યોજના બનાવવામાં આવી રહી છે.

કેન્દ્રના સત્તાવાર ફેક્ટ ચેકર ‘PIB ફેક્ટ ચેક‘એ લોકોને આવા ભ્રામક સંદેશાઓ ફોરવર્ડ કરવા સામે ચેતવણી આપી છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા જારી કરવામાં આવેલા ટ્વીટમાં સરકારે જણાવ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. આવા ભ્રામક મેસેજ ફોરવર્ડ ન કરો.

આ પણ વાંચો :-

પહેલીવાર ડાકોરમાં LED ધજાના દર્શન : ભરવાડ પરિવારે બે જ દિવસમાં કરાવી તૈયાર, જુઓ તસ્વીરો

0

LED Dhajan Darshan for the first time in Dakor

  • ડાકોરના ઠાકોરના દરવાજા જ્યારે બંધ હોય છે ત્યારે ભક્તો મંદિરની ધજાના દર્શન કરીને દર્શન કરવાનો લાભ લેતા હોય છે. ત્યારે હવે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં આધુનિક રોશનીથી ઝળહળતી ધજા જોવા મળી રહી છે. જે જોઈને ભક્તોમાં આનંદ છવાઈ ગયો છે.

તાજેતરમાં દ્વારકા (Dwarka) મંદિરમાં એક ભક્ત દ્વારા એક ડિજિટલ ધજા (Digital Dhaja) આરોહણ કરવામાં આવી હતી. આ જોઈને ડાકોરના લાલજીભાઈ અને તેમના પિતા નાગજીભાઈ ભરવાડે ડાકોરના ઠાકોર રણછોડજીને પણ એક આધુનિક રોશનીથી ઝળહળતી ધજા આપવાનું નક્કી કર્યું હતું. જેથી તેમણે ડાકોરમાં (Dakor) ધજા બનાવવાનું કામ કરતા મિત્રને તાત્કાલિક ધજા બનાવવા કહ્યું હતું. જેથી માત્રે 2 દિવસમાં આ ધજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ભક્તો અને યાત્રીઓમાં પણ ખુશી છવાઈ :

જેમાં ઝળહળતી લાઈટ સીરીઝ અને રણછોડજીની છબી બનાવી ગતરોજ પરંપરાગત રીતિ મુજબ આ ભરવાડ પરિવાર દ્વારા તેનું પૂજન કરવામાં આવ્યુ હતું. જે બાદ આ ધજાને ડાકોર મંદિરને અર્પણ કરવામાં આવી હતી. જોકે, સંધ્યા સમય થયો હોવાથી આ સમયે ધજા આરોહણ કરી શકાયું નહોતું. ત્યારે આજે આ ધજા આરોહણ કરવામાં આવી છે. ત્યારે આ વિશેષ ધજાને લઇ ભક્તો અને યાત્રીઓમાં પણ ખુશી છવાઈ ગઈ હતી.

રણછોડરાયજી મંદિરમાં ધજા ચઢાવવાનું વિશેષ મહત્વ : 

ડાકોર મંદિરના પુજારી દુશ્યતભાઈ સેવકે કહ્યું કે જે ભક્તોની મનોકામના પૂર્ણ થઈ હોય તેઓ ધજા લઈને મંદિરે આવે છે. કોઈ બાવન ગજની ધજા લઈને આવે છે. તો કોઈ ભક્ત સાદી ધજા લાવે છે. ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત દ્વારકા મંદિર પર LED ધજા ચઢાવવામાં આવી હતી. તે જોઈને ડાકોરના રહેવાસી લાલાભાઈને પણ ડાકોર મંદિર પર આવી ધજા ચઢાવવાની ઈચ્છા થઈ તેથી તેમણે LED ધજાની વ્યવસ્થા કરી.

આ પણ વાંચો :-

ફ્લેટની ચાવી કુંડા કે ડોરમેટ નીચે છુપાવીને જવાની આદત હોય તો ચેતજો, નહિ તો આવું થશે

If you have a habit of hiding

  • વલસાડમાં ફેલટ ધારકોમાટે લાલ બતી સમાન કિસ્સો આવ્યો સામે. વલસાડના છીપવાડ ખાતે દિયા એપાર્ટમેન્ટમાંથી તસ્કર 25 તોલા સોનું અને રોકડ રૂપિયા ચોરી કરી ગયો.

જો તમને ફ્લેટની બહાર જતી વખતે ચાવી કુંડા, ડોરમેટ કે બીજે ક્યાંક છુપાઈની જવાની આદત હોય તો ચેતી જજો. વલસાડમાં આવી રીતે ચાવી મૂકીને બહાર જવાનું પરિણામ એક પરિવારે ભોગલવ્યું. વલસાડમાં (Valsad) એક ફ્લેટમાં રહેતી મહિલાને ચાવી બુટમાં મૂકતા જોયા બાદ અજાણ્યા યુવકે ત્યાંથી ચાવી લઈ ફ્લેટમાં ચોરી કરી હતી. અજાણ્યા યુવક દ્વારા ફ્લેટમાં ઘૂસી 25 તોલા સોનું તથા 25 હજાર રોડક રૂપિયા ચોરી કરાઈ હતી. ચોરી કરવા આવેલો યુવાન સીસીટીવીમાં કેદ થયો છે.

વલસાડના છીપવાડમાં આવેલા દિયા એપાર્ટમેન્ટમાં તસ્કર ઘોળા દિવસે વેપારીના ફ્લેટનું તારું ખોલીને સોનાના દાગીના અંદાજિત 25 તોલા સોનું તથા રૂપિયા 25,000 રોકડા મળી કુલ 10.25 લાખની ચોરી કરી હતી. ચોરી કરીને ભાગતો ચોર એપાર્ટમેન્ટમાં લગાવેલા CCTV કેમેરા કેદ થયો છે.

પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડના છીપવાડમાં આવેલા દિયા રેસીડેન્સી એપાર્ટમેન્ટના બીજા માળે 205 નંબરના ઘરમાં કિશોરભાઈ જયંતીલાલ મોદી રહે છે. જેઓ શાકભાજીનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે બપોરે 12:00 વાગે કિશોરભાઈ દુકાન ઉપર હતા ત્યારે તેમના પત્ની વૈશાલીબેન ફ્લેટમાં તાળું મારીને ચાવી બુટમાં મૂકીને દુકાન ઉપર જતા હતા. ત્યારે એક યુવાન ફ્લેટ પાસે આવ્યો હતો. ત્યારે વૈશાલીબેને યુવાનને પૂછ્યું કે તમે શા માટે આવ્યા છો અહીં. તો યુવાને જણાવ્યુ હતું કે, હું અહીં ફર્નિચરનું કામ કરવા માટે આવ્યો છું.

આ દરમિયાન વૈશાલીબેને બુટમાં ચાવી મુકી બજાર જાવા માટે નીકળી ગયા હતા. ત્યારે ચાવી મુક્તા યુવાને જોયુ હતું. યુવાને બુટમાંથી ચાવી કાઢીને ફ્લેટ ખોલ્યો હતો. તેના બાદ બેડરૂમમાં મુકેલા કબાટને ચપ્પુ અને સાણસી વડે તોડી કબાટમાંથી સોનાના દાગીના ચોરી ગયો હતો. ચોરે સોનાના દાગીના મળીને અંદાજે 25 તોલા સોનું ચોરી કર્યુ હતું. જેની આશરે કિંમત 14 લાખ રૂપિયા થાય છે. તેમજ 25,000 રોકડા રૂપિયાની ચોરી કરીને ભાગી છુટ્યો હતો.

ઘટનાની જાણ થતા સિટી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં યુવક ચોરીને અંજામ આપી દિવાલ કૂદીને ભાગતો CCTV કેમેરામાં કેદ થયો હતો. જે અંગે પોલીસે સીસીટીવીના ફૂટેજ લઈને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

વિજય રૂપાણી અને નીતિન પટેલના આવશે ‘અચ્છે દિન’, જાણો દિગ્ગજ નેતાઓ માટે ભાજપનો શું છે પ્લાન

0

Vijay Rupani and Nitin Patel’s

  • ગુજરાતમાં નો રીપિટ થિયરી લાગુ થવાથી લાંબા સમય સુધી સરકારનો ચહેરો રહેલા વિજય રૂપાણી અને નીતિન પટેલના અચ્છે દિન આવવાના છે. હાલના સમયે ભૂતપૂર્વ બનીને ઘરે બેઠેલા બંને નેતાઓને ઓગસ્ટમાં રાજ્યસભાની ટિકીટ મળી શકે છે. રાજ્યમાં ખાલી થઈ રહેલી બેઠક માટે બંને નેતાઓના નામ સૌથી આગળ છે.

ગુજરાતમાં 5 વર્ષથી વધારે સમય સુધી મુખ્યમંત્રી (Chief Minister) અને નાયબ મુખ્યમંત્રીની (Deputy Chief Minister) જવાબદારીની સાતે કામ કરનારા વિજય રૂપાણી (Vijay Rupani) અને નીતિન પટેલનો (Nitin Patel) એકાંતવાસ ટૂંક સમયમાં પૂરો થઈ શકે છે. પાર્ટીના બંને નેતા 2023માં જ રાજ્યસભામાં પહોંચી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.

એવામાં જુલાઈના અંતમાં બંને નેતાઓને રાજ્યસભામાં મોકલવાની જાહેરાત થઈ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને નેતા ચૂંટણી લડ્યા ન હતા. બીજેપીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવ્યા હતા. તો નીતિન પટેલ પાસે હાલમાં કોઈ મોટી જવાબદારી નથી.

ગુજરાતમાં રાજ્યસભાની 11માંથી 8 સીટ ભાજપ પાસે :

ગુજરાતમાં રાજ્યસભાની હાલમાં 11 સીટ છે. જેમાંથી 8 ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 3 જ બેઠક છે. બીજેપીની 8માંથી 3 બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. હાલમાં આ બેઠક પર વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવડિયા છે. સંભાવના છે કે વિદેશ મંત્રી એસ. જયશંકર ફરીથી ગુજરાતમાંથી રાજ્યસભા જશે.

જ્યારે બીજી બે બેઠક માટે વિજય રૂપાણી અને નીતિન પટેલનું નામ સૌથી ઉપર છે. વિજય રૂપાણી એકવાર રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે 4 મુખ્યમંત્રીની સાથે કામ કરનારા નીતિન પટેલને તક મળશે તો તે પહેલીવાર રાજ્યસભા પહોંચશે.

2024માં ફરી ખાલી થશે બેઠક :

ઓગસ્ટ 2023માં જ્યાં 3 બેઠક ખાલી થઈ રહી છે. તો 2024ની લોકસભા ચૂંટણી પહેલાં એપ્રિલમાં બીજી 4 બેઠકનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જેમાંથી 2 કોંગ્રેસ પાસે છે અને 2 ભાજપ પાસે છે. કોંગ્રેસમાંથી પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવા અને અમી યાજ્ઞિક હાલમાં રાજ્યસભામાં છે. જ્યારે ભાજપ તરફથી મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા રાજ્યસભામાં છે.

બંને નેતાઓ ફરી રીપિટ થાય તેવી શક્યતા છે. એવામાં બીજેપી કોંગ્રેસના કબજાવાળી રાજ્યસભાની બેઠક પર લોકસભાની ચૂંટણી પહેલાં પોતાના બે નેતાને રાજ્યસભામાં મોકલી શકશે. ગુજરાતમાં બીજેપીની પ્રચંડ જીત પછી જૂન 2026માં બીજેપી તમામ 11 બેઠકો પર કબજો કરી લેશે.

આ પણ વાંચો :- 

ભારતીય મૂળનો યુએસમાં જલવો, આ મહિલા બન્યા અમેરિકાના પહેલા મહિલા શીખ જજ

Indian-origin Jalva in US

  • ભારતીય મૂળના મનપ્રીત મોનિકા સિંહ અમેરિકાના પહેલા મહિલા શીખ જજ બન્યા છે. તે ટેક્સાસ રાજ્યના હેરિસ કાઉન્ટીમાં જજ તરીકે પોતાની સેવા આપશે.

ભારતીય મૂળના મનપ્રીત મોનિકા સિંહ (Manpreet Monika Singh) અમેરિકાના પહેલા મહિલા શીખ જજ બન્યા છે. તે ટેક્સાસ (Texas) રાજ્યના હેરિસ કાઉન્ટીમાં (Harris County) જજ તરીકે પોતાની સેવા આપશે. જજ તરીકે પસંદગી થયા પછી મોનિકાએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી. મોનિકાએ લખ્યું કે મા, અમે કરી બતાવ્યું. સિવિલ કોર્ટ જજ (Civil Court Judge) બનીને હેરિસ કાઉન્ટીના લોકો માટે કામ કરવું મારા માટે ગર્વની વાત હશે. મોનિકાના જજ બનવાની સિરેમની દરમિયાન આખો કોર્ટ રૂમ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો.

અમેરિકામાં કોઈપણ શીખ જજ બની શકશે :

જજ બન્યા પછી મોનિકાએ કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ છે. એક દિવસ એવો આવશે જ્યારે કોઈ મહિલા અને શીખનું જજ બનવું સામાન્ય બની જશે. હું મારા 20 વર્ષના અનુભવનો સારો ઉપયોગ કરીશ. મને લાગે છે કે અભ્યાસ કરતાં બાળકો માટે જરૂરી છે કે તે જોઈ શકે કે હવે તે એવા પ્રોફેશન તરફ જઈ શકે છે જે પહેલાં તેમના એપ્રોચની બહાર હતા.

રવિ સાંડિલે કાર્યક્રમનું આયોજન કર્યુ :

મોનિકાના જજ બનવાની સિરેમનીનું નેતૃત્વ કરનારા જજ પણ ભારતીય મૂળના રવિ સાંડિલ હતા. સાંડિલે કહ્યું કે આ ક્ષણ અમેરિકામાં શીખ સમુદાય માટે અત્યંત મહત્વની છે. મનપ્રીત માત્ર શીખ સમુદાય જ નહીં પરંતુ અશ્વેત મહિલાઓ માટે એક રોલ મોડલ હશે.

અમેરિકામાં 5 લાખ શીખ લોકો રહે છે :

મોનિકા મનપ્રીત સિંહનો જન્મ અમેરિકાના હ્યુસ્ટનમાં થયો હતો. તે હવે પોતાના પતિ અને બે બાળકોની સાથએ બેલેયરમાં રહે છે. શીખ દુનિયાનો પાંચનો સૌથી મોટો ધર્મ છે. NBC ન્યૂઝના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં શીખ સમુદાયના લગભગ 5 લાખ લોકો રહે છે. તેમ છતાં અમેરિકામાં કોઈ મહિલા શીખ જજ ન હતા.

આ પણ વાંચો :-