Home Blog Page 1198

16 જાન્યુઆરી 2023, રાશિફળ : આ સાત રાશિઓ પર મહાદેવ રહેશે અતિપ્રસન્ન

16 January 2023, Horoscope Gujarat Guardian

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ-શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ
માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમ ભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુનઃ
આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદાકારક સાબિત થાય. ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનંુ વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ
સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહાકર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ
વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ
ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઈસ્ક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થેની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકરઃ
માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઈ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. ‌સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારું રહેશે.

આ પણ વાંચો :-

THAR ને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી 5-ડોર SUV : માત્ર 11000માં કરાવી શકાશે બુકિંગ

0

Maruti launches 5-door SUV to compete with THAR

  • મારૂતિ સુઝુકીએ પોતાની ધાંસૂ 5-ડોર ઓફ રોડિંગ SUV જિમ્નીને ગ્લોબલ ડિબ્યૂટ કરી દીધી છે. ગ્રાહક હવે તેને માત્ર 11,000માં બુક કરી શકશે. આ ધાંસૂ SUV અપરમિંગ 5-ડોર મહિન્દ્રા થારને ટક્કર આપશે.

ઓટો એક્સપો 2023માં (Auto Expo 2023) મારૂતિ સુઝુકીએ (Maruti Suzuki) પોતાની 5 ડોર જિમ્ની પરથી પડદો ઉઠાવ્યો હતો. મારૂતિએ ઓટો એક્સપો 2023ના બીજા દિવસે 12 જાન્યુઆરીએ પોતાની ધાંસૂ ઓફ રોડિંગ SUV 5-ડોર જિમ્નીને (Jimny) ગ્લોબલી લોન્ચ કરી દીધી છે. આ  SUVની ટક્કર ભારતીય બજારમાં આવનાર ફોર્સ ગુરખા 5-ડોર અને 5-ડોર મહિન્દ્રા થાર SUVથી થશે.

મારૂતિએ 4X4 ઓલ વ્હીલ ડ્રાઈવ વેરિએન્ટની સાથે તેને લોન્ચ કરી છે. જે ઓફ રોડિંગ કરનાર ગ્રાહકોને ફાયદો આપશે. મારૂતિએ આ ટૂ વ્હીલ ડ્રાઈવ 4X2 ઓપ્સન સાથે પણ રજૂ કરી છે.

Image

શું છે ખાસ? 

તેમાં તમને ફ્લેટ રિક્લાઈન સીટ્સ જોવા મળશે. તે ઉપરાંત તેમાં તમને સાઈટ કર્ટન એરબેગ જોવા મળશે. મારૂતિ જિમ્ની 5 કલર ઓપ્શનની સાથે આવે છે. તેના ઈન્ટીરિયરની વાત કરવામાં આવે તો તમને જિમ્મીમાં બ્લેક ઈન્ટિરિયર જોવા મળશે.

ઘણા સેફ્ટી ફિચર્સથી હશે સજ્જ  :

જો તમે ઓફ રોડિંગના શોખીન છો તો જિમ્ની 5-ડોર તમારા માટે બેસ્ટ રહેશે. તેમાં તમને 6 એરબેગ, બ્રેક, લિમિટેડ સ્લિપ ડિફરેંશિયલ, હિલ હોલ્ડ આસિસ્ટની સાથે ઈએસપી, હિલ ડિસેંટ કંટ્રોલ, રિયર-વ્યૂ કેમેરા જેવા ફિચર્સ જોવા મળશે. તેમાં ઈબીડી, એબીએસની સાથે ઘણા સેફ્ટી ફિચર્સ જોવા મળશે.

મારૂતિ જિમ્ની 5 ડોર એન્જિન, ટ્રાન્સમિશન  : 

જિમ્નીમાં મારુતિનું K-સીરિઝ 1.5 લીટર એન્જિન જોવા મળશે. આ ઓફ રોડ કારમાં 1.5 લીટર, 4 સિલિંડર K-15-B પેટ્રોલ એન્જિન હશે. આ 6,000 RPM પર 101 BHPનું પાવર અને 4,000 RPM પર 130 NMનું ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. કારમાં 5-સ્પીડ મેનુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે.

ફ્રોંક્સ અને જિમ્નીનું બુકિંગ શરૂ  :

તમને જણાવી દઈએ કે કંપનીએ જિમ્નીની સાથે કંપનીએ પોતાની વધુ એક  SUV ફ્રોંક્સને પણ અનવીલ કર્યું છે. તેના હાઈ-એન્ડ પાવરટ્રેન ટેક્નોલોજીની સાથે લોન્ચ કર્યુ છે. સ્પોર્ટી કોમ્પેક્ટ  SUV ફ્રોક્સની સાથે કંપનીએ દેશની  SUV સેગમેન્ટમાં નવી ડિઝાઈન ટ્રેન્ડની શરૂઆત કરી છે.

ફ્રોંક્સ અને જિમ્ની માટે બુકિંગની આજથી શરૂઆત થઈ રહી છે. તમે ઘરે બેઠા મારૂતિની ઓફિશિયલ સાઈટથી માત્ર 11,000 રૂપિયામાં આ બુકિંગ કરી શકો છો.

આ પણ વાંચો :-

એકસાથે ધસી શકે છે જોશીમઠનો મોટો વિસ્તાર : સેટેલાઈટ ઈમેજ દ્વારા ISROએ આપી ચેતવણી જુઓ તસ્વીરો

0

A large area of Joshimath may collapse simultaneously

  • સેટેલાઇટ દ્વારા દર્શાવવામાં આવેલી પરિસ્થિતિ મુજબ આખું જોશીમઠ શહેર પડી ભાંગશે. તમે અહી દર્શાવેલ ફોટામાં જોઈ શકો છો કે આખું જોશીમઠ શહેર પીળા વર્તુળની અંદર છે.

છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોની હેડલાઈનમાં રહેલા જોશીમઠને (Joshimath) લઈ હવે ઈસરો એ તેના સેટેલાઇટથી નિરીક્ષણ કર્યું છે. જોકે આ નિરીક્ષણમાં ચિંતા અને ચોંકાવનારી વાત સામે આવી છે. સેટેલાઈટ (Satellite) દ્વારા દર્શાવવામાં આવેલી પરિસ્થિતિ મુજબ આખું જોશીમઠ શહેર પડી ભાંગશે. તમે અહી દર્શાવેલ ફોટામાં જોઈ શકો છો કે આખું જોશીમઠ શહેર પીળા વર્તુળની અંદર છે. આમાં સેનાના હેલિપેડ અને નરસિંહ મંદિરને (Narasimha Temple) ચિહ્નિત કરવામાં આવ્યા છે.

ISROના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર એટલે કે NRSC એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ જાહેર થતાંજ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. જોકે કદાચ તેના આધારે જ રાજ્ય સરકાર લોકોને જોખમી ક્ષેત્રમાંથી બહાર કાઢી રહી છે. વાત જાણે એમ છે કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આખું જોશીમઠ શહેર પડી ભાંગશે.

શું કહે છે ઈસરો ? 

ઈસરો એ જણાવ્યું કે એપ્રિલથી નવેમ્બર 2022 સુધી જમીન ધસી જવાનો મામલો ધીમો હતો. જોશીમઠ આ સાત મહિનામાં -8.9 સેમી ધસી ગયું છે. પરંતુ 27 ડિસેમ્બર 2022 થી 8 જાન્યુઆરી 2023 સુધીના 12 દિવસમાં જમીનમાં ઘટાડો થવાની તીવ્રતા વધીને -5.4 સે.મી. એટલે કે તે ખૂબ જ ઝડપી ગતિએ વધી રહ્યો છે. તમે  ચિત્રમાં જોશો કે લાલ રંગના પટ્ટાઓ રસ્તાઓ છે અને વાદળી રંગની પૃષ્ઠભૂમિ જોશીમઠ શહેર હેઠળની ડ્રેનેજ સિસ્ટમ છે.

તે કુદરતી અને માનવસર્જિત બંને હોઈ શકે છે. તમે જ વિચારો કે જ્યાં આટલી બધી ગટર હશે ત્યાંની માટી ધસી જશે. આને ઘટાડવા માટે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે, ઢાળની મજબૂતાઈ જાળવવા માટે તિરાડોનું દબાણ ઘટાડવું પડશે. મતલબ કે, પાણીનો પ્રવાહ ઓછો થવો જોઈએ. જો પાણી ઢોળાવની અંદર જાય તો તે તિરાડ નહીં હોય.

જોશીમઠનો કયો ભાગ સૌથી વધુ કયો ભાગ પ્રભાવિત :

જોશીમઠનો મધ્ય ભાગ એટલે કે મધ્ય વિસ્તાર નીચે જવાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ ડિપ્રેશનનો ઉપરનો ભાગ જોશીમઠ-ઓલી રોડ પર આવેલ છે. વૈજ્ઞાાનિક ભાષામાં તેને સબસિડન્સનો તાજ કહેવામાં આવે છે. એટલે કે ઓલી રોડ પણ તૂટી જવાનો છે. જોશીમઠનો બાકીનો નીચેનો ભાગ એટલે કે અલકનંદા નદીની ઉપરનો આધાર પણ ડૂબી જશે. જોકે આ ઈસરોનો પ્રાથમિક અહેવાલ છે. હાલમાં InSAR રિપોર્ટનો અભ્યાસ હજુ ચાલુ છે. ભૂસ્ખલન ગતિશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

તો શું આ કારણોસર ડૂબી રહ્યું છે જોશીમઠ ? 

પ્રાચીન ભૂસ્ખલનના કાટમાળ પર સ્થિત જોશીમઠનો મોટાભાગનો ભાગ ઢોળાવ પર છે. ઢોળાવની ટોચની માટી નબળી છે. તેની ઉપર પણ ઘણું વજન છે. જેના કારણે તે લપસી રહ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હતી અને ગંદુ પાણી ઘરો અને હોટલોમાંથી નીકળે છે. તેઓ જમીનની અંદર ઘૂસતા રહ્યા. જેના કારણે જમીનનો ઉપરનો પડ નબળો પડતો ગયો.

પાણીના સતત પ્રવાહને કારણે જમીનના સ્તરોમાં હાજર સુંવાળા ખનિજો ધોવાઇ ગયા હતા. જેના કારણે જમીન નબળી પડતી ગઈ. આ પ્રાચીન કાટમાળ ઉપરથી સતત બાંધકામનું વજન સહન કરી શકતો ન હતો.મહત્વનું છે કે, 2021માં ધૌલીગંગા-ઋષિગંગા દુર્ઘટનાના કારણે થયેલા કાટમાળને કારણે જોશીમઠના નીચેના ભાગમાં અલકનંદા નદીના ડાબા કાંઠે પગના જમીનનું ઘણું ધોવાણ થયું હતું. જેના કારણે શહેરનો પાયો હચમચી ગયો હતો. એણે જોશીમઠના ઢોળાવને હચમચાવી નાખ્યો.

જોશીમઠના નાજુક ઢોળાવને બરબાદ કરવા માટે સપાટી પરનું પાણી, કુદરતી ગટરના કારણે જમીનનું આંતરિક ધોવાણ, ભારે ચોમાસાનો વરસાદ, ધરતીકંપના આંચકા, આડેધડ અને અવૈજ્ઞાનિક બાંધકામો જવાબદાર છે. તમે તેની મર્યાદાથી વધુ પાણીથી ડોલ ભરી શકતા નથી. પર્વતોનું પણ એવું જ છે.

આ પણ વાંચો :-

BHIM UPI અને Rupay Card પર કેટલું મળશે સરકારી પ્રોત્સાહન ? અહીં જાણી લો ડિટેલ્સ

0

How much government incentive will be available on BHIM UPI and Rupay Card

  • કેન્દ્રીય કેબિનેટે આજે દેશમાં સામાન્ય જનતા માટે ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધારવા માટે 2600 કરોડ રૂપિયાનાં ઈન્સેન્ટિવનું એલાન કર્યું છે.

મોદી કેબિનેટે ઓછા ખર્ચવાળા ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transactions) માટે 2600 કરોડ રૂપિયાના પ્રોત્સાહનને પેકેજને મંજૂરી આપી હોવાથી હવેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનાર લોકોને રોકડનો લાભ મળશે. Rupay Cardની મદદથી અનેક ફાયદા થશે. જેની માહિતી કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે (Bhupendra Yadav) આપી હતી.

  1. કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે Rupay Card થકી ડિજિટલ પેમેન્ટ્સ પર 0.4%નું ઈન્સેન્ટિવ આપવામાં આવશે.
  2. BHIM UPIની મદદથી 2000 રૂપિયાથી ઓછી રકમનાં ટ્રાન્ઝેક્શન પર 0.25%નું ઈન્સેન્ટિવ અપાશે.
  3. ભીમ UPIની મદદથી ઈન્ડસ્ટ્રીનાં ઉપયોગ માટે થતાં ડિજિટલ પેમેન્ટ્સ જેવા કે ઈન્શોરન્સ, મ્યૂચુલ ફંડ્સ, જ્વેલરી અને અન્ય સેગમેન્ટ માટે આ ઈન્સેન્ટિવ 0.15%નું નક્કી કરવામાં આવ્યું છે.
  4. કેન્દ્રીય કેબિનેટ આ નિર્ણય અંતર્ગત બેંકોને પણ ફાઈનેંશિયલ ઈન્સેન્ટિવ આપશે જેની મદદથી પૉઈન્ટ ઑફ સેલ PoS અને ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન જે Rupay Cardથી થશે તેના પર અલગ-અલગ પ્રકારનાં ઈન્સેન્ટિવ આપવામાં આવશે. ઓછી વેલ્યૂનાં BHIM-UPI પર પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
  5. UPI પેમેન્ટથી થનારા ટ્રાન્ઝેક્શનની સંખ્યા ડિસેમ્બરમાં 12 લાખ કરોડ રૂપિયા સુધી આવી ગઈ હતી જે દેશની કુલ GDPનું આશરે 54%ની આસપાસ આવે છે. આ આંકડાને વધુ વધારવા માટે વધુમાં વધુ ઈન્સેન્ટિવ આ 2600 કરોડ રૂપિયાની મદદથી કરવામાં આવશે.

ત્રણ બહુસ્તરીય સહકારી મંડળીઓની રચના :

કેન્દ્રીય કેબિનેટે બીજો એક મોટો નિર્ણય લેતા ત્રણ બહુસ્તરીય સહકારી મંડળીઓની રચનાને પણ મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો :-

આટલાં વર્ષનાં બાળકોને પણ સ્કૂલમાં મળશે એડમિશન, સરકારે બદલ્યો નિયમ

0

Children of this age will also get admission in schools

  • સરકારે નવા સત્ર પહેલાં જ નિયમો જાહેર કરી દીધા છે. ગુજરાતમાં સીબીએસઈમાં આ નિયમોને આધારે જ પ્રવેશ અપાય છે. જેને પગલે સરકારે સરકારી સ્કૂલમાં પણ આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારે (Gujarat Govt) હવે 6 વર્ષથી નાના બાળકો માટે એક નવો રસ્તો કાઢી લીધો છે. બાળકોને ભણાવવામાં આવશે અને સ્કૂલમાં દાખલ પણ કરાશે પણ તેઓ ધોરણ 1માં નહીં ભણી શકે  ધો.૧માં પ્રવેશ માટે આગામી શૈક્ષણિક વર્ષથી (Academic Year) છ વર્ષનો નિયમ લાગુ થનાર છે અને ૧લી જુને છ વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને ધો.૧માં પ્રવેશ નહી મળે. જેને પગલે રાજ્યના અંદાજે ૩ લાખ જેટલા બાળકોને અસર થશે. હવે રાજ્ય સરકાર આ મામલે ભરાઈ જતાં મોદી સરકારના અધિકારીઓ પાસે પણ મદદ માગી હતી.

નોટિફિકેશન જાહેર થયા બાદ પણ સ્કૂલો અને વાલીઓએ આ મામલે વિરોધ કરતાં સરકાર ભરાઈ ગઈ હતી.  હવે પાંચથી-છ વર્ષના આ બાળકો માટે પ્રી-પ્રાયમરીમાં ત્રીજુ વર્ષ ઉમેરવાની યોજના ઘડી રહી છે અને ત્રીજા વર્ષ તરીકે આ બાળકોએ ધો.૧ પહેલા બાલવાટિકામાં ભણવુ પડશે. સરકારી અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં બાલવાટિકાઓ બનાવાશે. જેને પગલે બાળકોનું ભવિષ્ય પણ નહીં બગડે અને સરકારના નિયમો પણ પાળવામાં આવશે.

સરકારે નવા સત્ર પહેલાં જ નિયમો જાહેર કરી દીધા છે. ગુજરાતમાં સીબીએસઈમાં આ નિયમોને આધારે જ પ્રવેશ અપાય છે. જેને પગલે સરકારે સરકારી સ્કૂલમાં પણ આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 3 લાખ બાળકોને આ નિયમથી સીધી અસર થવાની સંભાવના છે. હવે સવાલ એ પણ છે કે શિક્ષકોની આટલી બધી ઘટ છે ત્યારે નવા બાળકો માટે બનાવેલી બાલવાટિકામાં કેવી રીતે શિક્ષકો ભણાવશે એ ચર્ચાનો વિષય છે.

આ નવા નિયમથી ધો.૧માં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં ઘટે તેમ હોવાથી શિક્ષકો ફાજલ થવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બાલવાટિકામાં આ બાળકોને ભણાવાશે અને જેઓને ધો.૧થી૫ના જ શિક્ષકો ભણાવશે. રાજ્ય સરકારે ગત ૨૦૨૦માં નોટિફિકેશન કરીને આરટીઈ એક્ટમાં સુધારા રૃપે ધો.૧માં પ્રવેશ માટે છ વર્ષનો નિયમ ફરજીયાત કર્યો છે. જો કે આ નિયમ જુન ૨૦૨૩થી લાગુ થનાર છે.૨૦૨૦-૨૧,૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ એમ ત્રણ શૈક્ષણિક વર્ષ માટે આ નિયમનો અમલ થયો ન હતો અને છ વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને પણ ધો.૧માં પ્રવેશ અપાયો છે.

સંચાલકોએ પણ આ મામલે ઝૂકાવતાં સરકાર ભીંસમાં મૂકાઈ ગઈ હતી. જો કે નિયમમાં છુટ કે રાહત આપવાની સરકારની કોઈ યોજના નથી. જેથી આ નિયમનો તોડ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા રૃપે રાજ્ય સરકાર ધો.૧ પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.

આ નવા નિયમથી અંદાજે ૩ લાખથી વધુ બાળકોને અસર થાય તેમ છે કે જેઓને જુનિયર કેજી અને સીનિયર કેજી પુરુ કર્યા બાદ પણ ૧લી જુને છ વર્ષ પુરા ન થતા હોય કે છ વર્ષમાં થોડા દિવસો બાકી હોય.હવે સરકારે બાલવાટિકા માટેની ફીના ધોરણથી માંડી પ્રવેશના નિયમો પણ નક્કી કરવા પડશે. જેને પગલે નવી કવાયત શરૂ થશે.

આ પણ વાંચો :-

‘રાણા’ને હજુ પણ રહેવું પડશે જેલમાં ! દેવાયત ખવડના જામીન અંગે સૌથી મોટા સમાચાર 

0

‘Rana’ still has to stay in jail

  • દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે કરેલી અરજીને કોર્ટ દ્વારા પેન્ડિંગમાં રાખવામાં આવી છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડને જામીન મળવામાં વાર લાગી શકે છે.

મયૂરસિંહ રાણા (Mayur Singh Rana) પર હુમલાના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે જામીન અરજીને (Bail application) કોર્ટ દ્વારા પેન્ડિંગ રાખવામાં આવી છે. જેથી દેવાયત ખવડને જામીન મળવામાં વાર લાગી શકે છે. જો દેવાયત ખવડને રાજકોટ કોર્ટ દ્વારા જામીન નહીં અપાય તો તેઓ હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. મહત્વનું છે કે મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં દેવાયત ખવડ જેલ હવાલે છે.

દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર :

રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.

શું હતો સમગ્ર મામલો ? 

દેવાયત ખવડ અને તેના સાથીદારોએ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો.  સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

આ પણ વાંચો :-

આજે રાત્રે ગોવિંદજી ટી 10 ચેમ્પિયન ટ્રોફીની બે સેમીફાઈનલ મેચો રમાશે

0

આજે ગુરૂવાર તા. 12 મીએ રાત્રે 8.30 કલાકે મોટીવેડ ખાતે ગોવિંદજી ટી 10 ચેમ્પિયન ટ્રોફીની બે સેમીફાઇનલ મેચો રમાશે. ગુજરાત ગાર્ડિયન અને સુરતીઝ આ ટ્રોફીમાં મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા છે.

IMG_20230112_171355

ગઇ તા. 1 લીએ સ્વ. કુસુમબેન ચંદુભાઇ પટેલ ( સીંગણપોર )ના પરિવારના સૌજન્યથી ગોવિંદજી ટી 10 ચેમ્પિયન ટ્રોફીનો પ્રારંભ થયો હતો. અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરતના મોટીવેડ ખાતેના સરદાર પટેલ ગ્રાઉન્ડ ખાતે ઉદ્ઘાટન સમારોહ બાઆ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. બાર દિવસથી ચાલતી ગોવિંદજી પટેલ ટી 10 ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટ હવે સેમીફાઇનલના તબક્કે પહોંચી છે. આજે મોટીવેડ ખાતે બે સેમીફાઇનલ મેચો રમાશે.

IMG-20230112-WA0153

આજે રાત્રે 8.30 કલાકે ગોવિંદજી ટી 10 ચેમ્પિયન ટ્રોફીની પહેલી સેમીફાઇનલ મેચ સરદાર પટેલ ગ્રાઉન્ડ ખાતે ભરીમાતા સ્ટ્રાઇકર અને દેવ ઇલેવન સિંગણપોર વોરિયર્સ વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમીફાઇનલ મેચ રાત્રે 9.30 કલાકે જે.એસ. ઓલ સ્ટાર અને વિક્ટોરિયસ વેડ વચ્ચે રમાશે. ગુજરાત ગાર્ડિયન ટ્રોફીમાં મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા છે.

ઝૂનઝૂનવાલા હયાત ન હોવાં છતાં પણ એમની આ ટિપ્સથી હજુ કરોડો કમાય છે લોકો !

0

Even though Zhunzhunwala is not alive

  • શેરબજારના દિગ્ગજ રોકાણ રાકેશ ઝુનઝુનવાલા ભલે આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેમના દ્વારા સૂચવવામાં આવેલી ટિપ્સ લોકોના મનમાં હજુ પણ તાજી છે. આજે પણ લોકો શેરબજારમાં રોકાણ કરવા માટે રાકેશ ઝુનઝુનવાલાની કેટલીક ટિપ્સ ફોલો કરે છે. જેના કારણે તેઓ સારી કમાણી પણ કરે છે.

ઘણા લોકો શેર માર્કેટમાં (share market) રોકાણ કરે છે. તે જ સમયે શેર માર્કેટમાં નફો મેળવવો એટલો સરળ નથી. આ માટે બજારની મહત્વની બાબતો પર ધ્યાન અને સમજ હોવી ખૂબ જ જરૂરી છે. બીજી તરફ શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) ભલે આજે આપણી વચ્ચે નથી.

પરંતુ તેમણે સૂચવેલી ટિપ્સ લોકોના મનમાં હજુ પણ તાજી છે. આજે પણ લોકો શેરબજારમાં રોકાણ કરવા માટે રાકેશ ઝુનઝુનવાલાની કેટલીક ટિપ્સ ફોલો કરે છે. જેના કારણે તેઓ સારી કમાણી પણ કરે છે. આવો જાણીએ રાકેશ ઝુનઝુનવાલાની શેર માર્કેટ સાથે જોડાયેલી ટિપ્સ વિશે..

રાકેશ ઝુનઝુનવાલા સલાહ આપે છે કે મ્યુચ્યુઅલ ફંડ અથવા શેરોમાં રોકાણ કરતા પહેલા માર્કેટ રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે. તમારે તમારી મહેનતની કમાણીનું યોગ્ય સંશોધન વિના ક્યારેય રોકાણ કરવું જોઈએ નહીં. શેરબજારને ઝડપી પૈસા કમાવવાનું સ્થળ ગણી શકાય નહીં. આ કોઈ જુગાર નથી.

રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે રોકાણ કરતા પહેલા સંપૂર્ણ સંશોધન કરવાની જરૂર છે. લોકો તરફથી મળેલા મૈત્રીપૂર્ણ સૂચનો પણ આંખ આડા કાન ન કરવા જોઈએ. કોઈપણ સ્ત્રોત પાસેથી સ્ટોક ટીપ્સ ક્યારેય ન લો. વ્યક્તિએ પોતાના સંશોધન અને વિશ્લેષણ પર આધાર રાખવો જોઈએ. જો તમે રોકાણ કરતા પહેલા શેરબજારનું વિશ્લેષણ કરી શકતા નથી. તો તમારે મ્યુચ્યુઅલ ફંડની શોધ કરવી જોઈએ.

આ સિવાય રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે ઐતિહાસિક ડેટા પર ક્યારેય નિર્ભર ન રહો. ઝુનઝુનવાલા કહેતા હતા કે વર્તમાન વિશે નિર્ણય લેવા માટે તમારે ક્યારેય ભૂતકાળના ડેટા પર આધાર રાખવો જોઈએ નહીં. બજારને સંપૂર્ણપણે સમજવું અને પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. જ્યારે કોઈ ઐતિહાસિક માહિતી પર આધાર રાખે છે ત્યારે શક્ય છે કે લાગણી અને અતાર્કિક વિચારસરણી ભૂમિકા ભજવી શકે. ભૂતકાળના પુનરાવર્તનની અપેક્ષા ન રાખવી જોઈએ.

રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે શેરબજાર વિવિધ ક્ષેત્રો જેમ કે અર્થતંત્ર અને ખરીદીની પેટર્ન વગેરે માટે ખૂબ જ સંવેદનશીલ છે. ચોક્કસ સ્ટોક વિશેની ઐતિહાસિક માહિતી તમારા વર્તનને પ્રભાવિત કરી શકે છે. તમે બિન-કાર્યક્ષમ રોકાણોને વળગી રહેવા માટે લલચાવી શકો છો જે તમને આશા આપશે કે શ્રેષ્ઠ આવવાનું બાકી છે. ઐતિહાસિક ડેટા તમને વધુ રોકાણ કરવા માટે પ્રેરિત કરશે અને તમે કારણ વગર ભટકતા રહેશો. આવી સ્થિતિમાં જૂના ડેટા જોઈને રોકાણ કરવાનો નિર્ણય ન લો.

આ પણ વાંચો :-

નવા વર્ષે WhatsAppએ કર્યું ખોટું, સરકારની ફટકાર બાદ શાન ઠેકાણે આવી, માંગી માફી

WhatsApp did wrong in New Year

  • આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે વોટ્સએપની આ ભૂલ જોઈ અને તેમણે વોટ્સએપને તાત્કાલિક સુધારવા માટે કહ્યું. આ પછી વ્હોટ્સએપે માફી માંગી ટ્વીટ ડિલીટ કરી દીધી.

નવા વર્ષ પહેલા વોટ્સએપ (WhatsApp) દ્વારા શેર કરવામાં આવેલો વિશ્વનો નકશો વિવાદમાં આવ્યો હતો. વોટ્સએપની આ ભૂલ પર આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે (IT Minister Rajeev Chandrasekhar) વોટ્સએપને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો તમારે ભારતમાં કામ કરવું હોય તો તમારે દેશના સાચા નકશાને અનુસરવું પડશે. વાસ્તવમાં નવા વર્ષ પહેલા વોટ્સએપે વિશ્વનો નકશો (Map) શેર કર્યો હતો.

આ મેપ સાથે વોટ્સએપે ટ્વીટ કર્યું છે કે નવા વર્ષની શુભેચ્છા આપવા માટે તમારે અડધી રાત સુધી રાહ જોવાની જરૂર નથી. તમે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમારું લાઈવ સ્ટ્રીમ જોઈ શકો છો અને નક્કી કરી શકો છો કે ક્યારે નવા વર્ષની શુભેચ્છાઓ માટે WhatsApp સંદેશાઓ મોકલવા.

વોટ્સએપે ખોટો નકશો શેર કર્યો છે :

કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ અંગે વોટ્સએપને ચેતવણી આપી હતી. વાસ્તવમાં વોટ્સએપે આ લાઈવ સ્ટ્રીમના ટ્વીટમાં ભારતનો ખોટો નકશો બતાવ્યો હતો. વોટ્સએપ દ્વારા શેર કરવામાં આવેલા ગ્રાફિક્સ મેપમાં પીઓકે અને ચીનના દાવાના કેટલાક હિસ્સાને ભારતથી અલગ બતાવવામાં આવ્યા હતા.

વોટ્સએપને ટેગ કરીને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વીટ કર્યું, “ભારતમાં કામ કરતા અથવા કામ કરવા માંગતા તમામ પ્લેટફોર્મે ભારતના સાચા નકશાનો ઉપયોગ કરવો જોઈએ.”

તેણે મેટા, જે વોટ્સએપની માલિકી ધરાવે છે અને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને પણ ટેગ કર્યા છે. રાજીવ ચંદ્રશેખરે લગભગ 4 વાગ્યાની આસપાસ વોટ્સએપનું આ ટ્વીટ જોયું અને તેને ચેતવણી આપી.

ત્યારે સમાચાર લખાય છે ત્યાં સુધી વોટ્સએપે તેની ટ્વીટ હટાવી દીધી છે. કૃપા કરીને જણાવો કે ભારતના ખોટા નકશાનો ઉપયોગ કંપની પર બોજ બની શકે છે. આ મામલે કંપની પર પોલીસ કેસ પણ થઈ શકે છે.

કેન્દ્રીય મંત્રીના ટ્વીટના જવાબમાં વોટ્સએપે લખ્યું, ‘અમારી ભૂલ દર્શાવવા બદલ તમારો આભાર. અમે આ સ્ટ્રીમિંગ દૂર કર્યું છે અને ભૂલ માટે માફી માંગીએ છીએ. અમે ભવિષ્યમાં તેનું ધ્યાન રાખીશું.

આ પણ વાંચો :-

શરૂ થયો મોટર-શો  : મારુતિએ પહેલી ઈલેક્ટ્રિક કારથી ઉઠાવ્યો પડદો, 550 કિમીની રેન્જ

Motor-show begins

  • Auto Expo 2023નુ સ્ટેજ તૈયાર છે. ત્રણ વર્ષના ગેપ બાદ આ મોટર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. એક વખતના ઓટો-એક્સપોમાં મારૂતિ સુઝુકીથી લઈને ટાટા મોટર્સ વગેરે સહિત ઘણા મોટા બ્રાન્ડ્સ પોતાના નવા મોડલોને લોન્ચ કરશે. મારૂતિ સૂઝુકીએ આ એક્સપોમાં પોતાની નવી ઈલેક્ટ્રિક એસયુવી કોન્સેપ્ટ eVXને લોન્ચ કરી છે.

2023 Auto Expoની શરૂઆત થઈ ચુકી છે. આજે એટલે કે 11 જાન્યુઆરીથી મીડિયા માટે આ મોટર શો શરૂ કરવામાં આવ્યો છે. ઈવેન્ટના પહેલા દિવસે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ (Maruti Suzuki) પોતાની પહેલી ઈલેક્ટ્રિક એસયુવી કોન્સેપ્ટ Maruti eVXને લોન્ચ કરી છે.

આકર્ષક લુક અને દમદાર ઈલેક્ટ્રિક મોટર અને બેટરી પેકથી સજ્જ આ એસયુવીને જલ્દી જ વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડાના ઈન્ડિયા એક્સપો માર્ટમાં આયોજીત વાહનોના આ પ્રદર્શનમાં સુઝુકીથી લઈને ટાટા મોટર્સ, કિયા ઈન્ડિયા સહિત ઘણા દિગ્ગજ બ્રાન્ડ ભાગ લઈ રહ્યા છે.

કેવી છે Maruti eVX Electric SUV : 

મારૂતિ સુઝૂકીનું કહેવું છે કે આ કારને સુઝૂકી મોટર કોર્પોરેશન દ્વારા ડિઝાઈન અને ડેવલોપ કરવામાં આવી છે. Maruti eVX ઈલેક્ટ્રિક કોન્સેપ્ટમાં કંપની 60kWhની ક્ષમતાની બેટરી પેકનો ઉપયોગ કરી રહી છે. જે સિંગલ ચાર્જમાં 550 કિમી સુધીની ડ્રાઈવિંગ રેંજ આપશે. આ કારની લંબાઈ 4,300mm, પહોળાઈ 1,800mm અને ઉંચાઈ 1,600 mm છે. આ કારને સંપૂર્ણ રીતે નવા ડેડિકેટેડ ઈલેક્ટ્રિક પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે.

Maruti eVX Electric ઈલેક્ટ્રિક કોન્સેપ્ટને કંપનીના એક સિગ્નેચર એસયુવી ડિધાઈન કરી છે. જે સારા એયરોડાયનમિકના સિલ્હુટની સાથે આવે છે. તેમાં સારી લાંગ વ્હીલબેસની સાથે જ ગ્રાઉન્ડ ક્લીયરન્સને પણ ઉંચુ રાખવામાં આવ્યું છે.

કંપનીનું કહેવું છે કે આ એસયુવી બ્રાંડ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ ફ્યુચરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ નવા કોન્સેપ્ટ ઉપરાંત કંપનીએ વૈગનઆર ફ્લેક્સ ફ્યુલ અને બ્રેઝા સીએનજી જેવા મોડલોને પણ પ્રદર્શિત કર્યા છે.

આ વાહનો લોન્ચ થશે :

મારૂતિ સુઝુકી ઉપરાંત મોરિસ ગેરાજેજ (MG), અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ, બિલ્ડ યોર ડ્રિમ, ટોર્ક મોટર્સ, ઓકિનાવા ઓટોટેક, હીરો ઈલેક્ટ્રિક, હુન્ડાઈ, કિયા ઈન્ડિયા, ટોયોટા અને જેબીએમ જેવા બ્રાન્ડ્સ પણ પોતાના વાહનોને લોન્ચ કરશે. ત્રણ વર્ષની લાંબી રાહ જોયા બાદ આખરે એક વખત ફરીથી નોએડાના ઈન્ડિયા એક્સપો માર્ટમાં વાહનો લોન્ચ થવા તૈયાર છે.

આ પણ વાંચો :-