Home Blog Page 1158

વ્યક્તિના કપાળમાં ઘૂસી ગયું તીર, પાડોશીએ ગુસ્સામાં અર્જુનની જેમ નિશાન તાક્યું

0

An arrow penetrated  

  • Arrow Penetrated Forehead : છોટાઉદેપુરમાં પાડોશીએ ધનુષ-બાણથી હુમલો કરતાં વ્યક્તિના કપાળમાં તીર ઘૂસી ગયું. મગજ-આંખની નસો સુધી પહોંચી ગયું, 3 કલાક ઓપરેશન કરાયું.

વડોદરાની (Vadodara) સયાજી હોસ્પિટલમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો. સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) એક યુવક કપાળમાં ખૂંપાયેલા તીર સાથે આવ્યો હતો. જે જોઈને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. મહાભારત-રામાયણમાં જેમ બાણવીરો નિશાન તાકતા તેમ તીર બરાબર કપાળની વચ્ચોવચ ભ્રમર પર ભોંકાયેલું હતું. જોકે સયાજી હોસ્પિટલના તબીબોએ 3 કલાક સર્જરી કરીને યુવકનો જીવ બચાવી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના કવાંટ પાસેના ઉગલીયા કામના દિલીપભાઈ ધમાક પર તેમના પાડોશીએ હુમલો કર્યો હતો. પાડોશીએ તીર અને ધનુષથી હુમલો કરીને દિલીપભાઈના કપાળ પર બાણ ચલાવ્યુ હતું. અને સીધું તેમના કપાળમાં તીર ભોંક્યું હતું. ત્યારે ઘાયલ દિલીપભાઈને તીરની સાથે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

તબીબોએ તપાસ કરતા જોયું કે તીર દિલીપભાઈના આંખની ઉપર ભ્રમરમાં ઘૂસી ગયુ હતું. કપાળના ભાગે ખુંપી ગયેલા તીરે આંખને વિંધીને સીધી મગજમાં ઇજા પહોંચાડી હતી. જેથી ન્યુરોસર્જન અને ઓપ્થોમોલોજીસ્ટની ટીમ દ્વારા તેમનું ઓપરેશન કરાયું હતું. આ ઓપરેશન સફળ રહ્યું હતું.

લગભગ ત્રણ કલાકની સર્જરી બાદ દિલીપભાઈનો જીવ બચાવી લેવાયો હતો. સયાજી હોસ્પિટલના ડો.પાર્થ મોદી, ડોક્ટર અંકિત શાહ, ડો. વિનય અને ડો. શ્રુતિબ જુનેજાએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું હતું.

આ પણ વાંચો :-

હોળી પર છેડતી અને સતામણીનો સામનો કરનાર જાપાની મહિલાએ ભારત છોડ્યું

0

Japanese woman leaves India  

  • હોળીની ઉજવણી દરમિયાન દિલ્હીમાં પુરુષોના જૂથ દ્વારા એક જાપાની મહિલાની છેડતી અને સતામણીનો વીડિયો સામે આવ્યા બાદ..

Japanese woman harassed : હોળીની ઉજવણી દરમિયાન દિલ્હીમાં (Delhi) પુરુષોના જૂથ દ્વારા એક જાપાની મહિલાની છેડતી અને સતામણીનો વીડિયો (Harassment video) સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તેઓએ જાપાની દૂતાવાસને (Japanese Embassy) પત્ર લખીને તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદની વિનંતી કરી છે. ડીસીપીએ પીટીઆઈને જણાવ્યું હતું કે જાપાની દૂતાવાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે તેમની પાસે આવી કોઈ ઘટના વિશે કોઈ માહિતી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર મહિલા જાપાની પ્રવાસી છે જે રાષ્ટ્રીય રાજધાનીના પહાડગંજમાં રહેતી હતી અને હવે તે બાંગ્લાદેશ જવા રવાના થઈ ગઈ છે.

પોલીસે જણાવ્યું કે, એક કિશોર સહિત ત્રણ છોકરાઓની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓએ આ ઘટનાની કબૂલાત કરી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) સંજય કુમાર સૈને જણાવ્યું હતું કે, વિગતોની ખાતરી કરવા માટે વીડિયોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

જાપાની દૂતાવાસને એક ઈમેલ મોકલવામાં આવ્યો :

“પહેરગંજ પોલીસ સ્ટેશનમાં કોઈપણ વિદેશી સાથેના કોઈપણ પ્રકારના ગેરવર્તણૂકને લગતી કોઈ ફરિયાદ અથવા કૉલ પ્રાપ્ત થયો નથી. જાપાની દૂતાવાસને એક ઈમેલ મોકલવામાં આવ્યો છે જેમાં છોકરીની ઓળખ અથવા ઘટના વિશે અન્ય કોઈપણ વિગતો સ્થાપિત કરવામાં મદદની વિનંતી કરવામાં આવી છે,” પોલીસે જણાવ્યું હતું.

માથા પર ઈંડું ફોડ્યું :

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં પુરૂષોનું એક જૂથ એક મહિલા પર રંગ લગાવતા દેખાતું હતું, જે તેમની આસપાસ અન્કમ્ફર્ટેબલ લાગતી હતી. તેમાં એક પુરુષ તેના માથા પર ઈંડું મારતો પણ દેખાઈ છે.

ડીપી એક્ટ હેઠળ કાર્યવાહી :

પોલીસે જણાવ્યું કે પકડાયેલા છોકરાઓ ડીપી એક્ટ હેઠળ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. ત્રણેય પહાડગંજ નજીકના વિસ્તારના રહેવાસી છે. આગળની કાયદેસરની કાર્યવાહી યોગ્યતાના આધારે અને છોકરીની ફરિયાદના આધારે નક્કી કરવામાં આવશે. જો કોઈ હોય તો પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

Nails Cutting : આ 3 દિવસે ભૂલથી પણ ન કાપવા જોઈએ નખ ! બાકી થઈ જશો બરબાદ

Nails Cutting: Do not cut nails
  • Nail don’t Cutting Days : શું તમે જાણો છો કે અઠવાડિયાના 3 દિવસ એવા હોય છે જેમાં આપણને નખ ન કાપવાનું કહેવામાં આવે છે. છેવટે તે દિવસો કયા છે અને તે દિવસે નખ ન કાપવાનું કેમ કહેવામાં આવે છે. આજે અમે તમને આના કારણો જણાવીશું.

તમે ઘરના વડીલો પાસેથી ઘણી વાર સાંભળ્યું હશે કે અઠવાડિયામાં અમુક દિવસોમાં નખ (Nail) ન કાપવા જોઈએ. આ સાથે આ દિવસે વાળ કાપવાની (Hair Cut) પણ મનાઈ કરવામાં આવે છે. આખરે બધા ઘરોમાં આવું કેમ બોલાય છે.

જ્યોતિષના મતે અઠવાડિયાના તમામ દિવસોનો અલગ-અલગ ગ્રહો સાથે સીધો સંબંધ હોય છે. જો આપણે મંગળવાર, ગુરૂવાર અને શનિવારે નખ કાપીએ તો તેનાથી ગ્રહદોષ થાય છે. આ જ કારણ છે કે આ 3 દિવસમાં નખ ન કાપવાનું કહેવામાં આવે છે.

મંગળવારે નખ કાપશો નહીં :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર મંગળ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. કહેવાય છે કે મંગળનો સંબંધ રક્ત સાથે છે. આ જ કારણ છે કે મંગળવારે નખ કાપવાથી લોહી સંબંધિત વિકારો થઈ શકે છે. તેથી આ દિવસે નખ, વાળ અને દાઢી કાપવાનું ટાળવું જોઈએ.

પૈસાની ખોટ સહન કરવી પડશે :

ગુરુવારને દેવ ગુરુ બૃહસ્પતિની પૂજાનો દિવસ કહેવામાં આવે છે. તે બુદ્ધિ, જ્ઞાન, શિક્ષણ અને શુભ કાર્યોનો કારક છે. એવી માન્યતા છે કે ગુરુવારના દિવસે ભૂલથી પણ નખ ન કાપવા જોઈએ. આ સાથે વાળ કાપવા અને શેવિંગ કરવાનું પણ ટાળવું જોઈએ. આમ કરવાથી લોકોને ધનનું નુકસાન સહન કરવું પડી શકે છે.

કટોકટી શરૂ થશે :

શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષમાં શનિનો સંબંધ માણસના હાડકાં, સ્નાયુઓ અને કફ સાથે જણાવવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે જે લોકો શનિવારે નખ, વાળ અને દાઢી કાપે છે તેમને શનિ દોષનો સામનો કરવો પડે છે. આનાથી તેના જીવનમાં સંકટનો સમયગાળો શરૂ થાય છે.

આ પણ વાંચો :-

હવે આ નથી રહ્યું ગાંધીનું ગુજરાત, ડ્રગ્સ અને દારૂની રેલમછેલના આંકડા સરકારે આપ્યા

0

Now this is not happening Gandhi’s Gujarat 

  • Gujarat Crime : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૯૭ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. વિધાનસભામાં રજૂ થયેલી વિગતોની વિસ્તૃત વિગતો બહાર આવી. જેમાં સરકારે કબૂલ્યુ કે, ભારતમાં બનેલી વિદેશી દારૂની ૧.૬૬ કરોડથી વધુ બોટલ ગુજરાતમાંથી ઝડપાઈ છે.

એક સમય હતો જ્યારે ગુજરાતના દારૂબંધીની (Prohibition of alcohol) મિશાલ અપાતી હતી. પરંતુ હવે આ મામલે ગુજરાતની છબી ખરડાઈ ચૂકી છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ (Alcohol and drugs) એટલું પકડાય અને પીવાય છે કે સરકારી દાવા પણ પોકળ સાબિત થયા છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં સત્ર દરમિયાન સરકારે તેના આંકડા આપ્યા. ગુજરાતમાંથી કેટલું દારૂ અને ડ્રગ્સ પકડાયું તે અંગે ગુજરાત સરકારે (Gujarat Govt) વિધાનસભામાં આંકડા આપ્યા. જે આ મુજબ છે.

સરકારે વિધાનસભામાં કહ્યું કે ગુજરાતમાં અને દરિયાઈ સીમામાંથી હજાર કરોડથી વધારાનું ડ્રગ્સ પકડાયું છે. વિધાનસભાની પ્રશ્નાતરીમાં ઉમેશ મકવાણા દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે કે અદાણી પોર્ટ ઉપરથી 375 કરોડ 50 લાખનું હેરોઈન 75 કિલો પકડાયું છે. જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત અન્ય એક પ્રશ્નમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ભારતીય જળ સીમામાંથી ગુજરાત એટીએસ દ્વારા 924 કરોડ 97 લાખની કિંમતનું 184.994 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું છે. ભારતીય જળસીમાંથી પકડાયેલા ડ્રગ્સ માટે જવાબદાર 40 આરોપીઓને એટીએસએ પકડી પાડ્યા છે. જેમાં 32 પાકિસ્તાની 1 અફઘાનિસ્તાન અને 7 ભારતીય હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો.

તો સરકારે માહિતી આપી કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૯૭ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. વિધાનસભામાં રજૂ થયેલી વિગતોની વિસ્તૃત વિગતો બહાર આવી. જેમાં સરકારે કબૂલ્યુ કે ભારતમાં બનેલી વિદેશી દારૂની ૧.૬૬ કરોડથી વધુ બોટલ ગુજરાતમાંથી ઝડપાઈ છે. રાજ્યમાં ૩.૯૪ કરોડનો દેશી દારૂ પણ ઝડપાયો છે.

આ પણ વાંચો :-

 

માનવામાં ન આવે તેવો કિસ્સો, Online Shopping માં ગુજરાતી યુવકોએ મંગાવી….

0

Unbelievable case

  • Online Shopping : લોકો ઓનલાઈન શોપિંગમાં ઘરવખરી અને ફેશનની વસ્તુઓ મંગાવે, પણ અમરેલીના ટાબરિયાઓએ નકલી ચલણી નોટો ઓર્ડર કરી દીધી.

અમરેલીના (Amreli) નાના ભંડારીયા ગામનાં બે યુવાનો અને એક સગીરાએ સાથે મળીને એવું ઓનલાઈન શોપિંગ (Online shopping) કર્યું કે પોલીસ દોડતી થઈ. યુવકોએ ઓનલાઈન શોપિંગ ફેસેલિટીનો (Shopping facility) ગજબનો ફાયદો ઉઠાવ્યો. લોકો પોતાના કામની વસ્તુઓ ઓનલાઈન શોપિંગમાં મંગાવે. કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓના બદલે બનાવટી ચલણી નોટો જ મંગાવી લે તો ! અને એ પણ કેશ ઓન ડિલીવરી (Cash on delivery). અમરેલીમાં જે થયું તેનાથી સતર્ક થઈ જવું પડે.

ઓનલાઈન શોપિંગ કરવાનો આજકાલ જબરો ક્રેઝ છે, પગરખાંથી લઈને લીંબુપાણી સુધી આપણે ઓનલાઈન મંગાવી લઈએ છીએ. પરંતુ અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામનાં બે યુવાનો અને એક બાળ કિશોરે એ તો હદ જ કરી નાંખી. અમરેલી એસઓજીના જાપ્તામાં રહેલ આ બંને યુવાનો અને એક ટાબરિયાની ત્રીપુટીએ બનાવટી ભારતીય ચલણી નોટો જ ઓનલાઈન ઓર્ડર કરી દીધી, એ પણ થોડી ઘણી નહી. બે લાખની.

સોશિયલ મીડિયા પર ફેક કરન્સી નામની એક રીલ્સ જોયા બાદ આ ત્રિપુટીએ જે તે વેબસાઈટનો સંપર્ક કરીને બે લાખ ની બનાવટી ચલણી નોટોનો ઓર્ડર પણ આપી દીધો. જેમાં કેશ ઓન ડિલીવરીમાં 50 હજાર ચૂકવીને 2 લાખની બનાવટી નોટો મેળવી હતી.

જોકે આ ત્રિપુટી આખરે અમરેલી એસઓજીના હાથે ઝડપાઇ ગઈ છે. હાલ આરોપીઓ પાસેથી રૂપિયા ૨૦૦ ના દરની ૮૩ નોટો અને રૂપિયા ૫૦૦ ના દરની ૧૯૭ બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે. જેની માર્કેટ કિંમત ૧,૧૫,૧૦૦ થાય છે. તેમજ એક ફોન મળી કુલ ૧,૩૩,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અમરેલીના નાના ભંડારીયા ગામનાં આરોપીઓ : 

(૧) અમિત વિનુભાઇ માધડ ઉવ.-૨૧, ધંધો-પ્રા.નોકરી, રહે.ભંડારીયા, તા.જિ.અમરેલી
(૨) કાયદાનાં સંધર્ષમાં આવેલ બાળકિશોર, ૧૬ વર્ષ ૯ માસ ૧૩ દિવસ ધંધો-મજુરી, રહે, ભંડારીયા, તા.જિ.અમરેલી
(૩) ધર્મેશભાઇ દાનાભાઇ રાઠોડ, ઉંવ-૨૩. ધંધો-હીરા ધસવાનો, રહે.સાળવા દલીતવાસ, તા.ખાંભા, હાલ રહે.સુરત, કતારગામ, શ્યામ મારબલની બાજુમાં, તીવારી શેઠનાં હીરાનાં કારખાનામાં તા.જિ.સુરત..

અમરેલી એસઓજીના પીઆઈ એસજી દેસાઈએ જણાવ્યું કે, આ તમામ આરોપીઓએ ૨ લાખ રૂપિયાની કિંમતની બનાવટી ભારતીય ચલણની નોટો ઓનલાઈન મંગાવી હતી.

જેમાંથી એસઓજી પોલીસને ૧,૧૫,૧૦૦ ની કિંમતની બનાવટી નોટો કબજે કરી છે. આ સિવાયની અન્ય બનાવટી ચલણી નોટો આરોપીઓ એ ક્યાં ખર્ચ કરી તે માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

લેડી ડોન બનવાના અભરખા સાથે ભાવલી સડકો ઉપર મચાવતી હતી આતંક, પોલીસે કર્યા આવા હાલ

0

Bhavli was creating terror on the

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં હવે લેડી ડોનનો આતંક પણ વધવા લાગ્યો છે.

સુરત શહેરના વરાછા કાપોદ્રા (Varachha Kapodra) પુના વિસ્તારમાં ગેંગ બનાવીને ફરતી લેડી ડોન ભૂરી પછી વધુ એક લેડી ડોન નું નામ ભાવના ઉર્ફે ભાવલીવાળાના નામ સામે આવ્યો છે. ભાવલીએ (Bhavli) સુરતમાં રોડ પર આવરગીરી શરૂ કરી હતી અને વિડીયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થતાં કાપોદ્રા પોલીસે યુવતીની કરી ધરપકડ કરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં લેડી ડોન ભાવલીએ હાથમાં લાકડાના ફટકા લઇ મિત્રો સાથે યુવતીની આવારાગીરી , ગાડીના કાચ તોડ્યા તો રસ્તામાં જતા લોકોને હેરાન કર્યા. ધમાલના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, કાપોદ્રા પોલીસે યુવતીની કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં વધુ એક યુવતીને લેડી ડોન બનવાના અભરખા ભારે પડી રહ્યા છે. લોકોમાં ભય ઉપજાવા અને પોતાનો ડર બનાવી રાખવા હવે યુવતીઓ પણ અસામાજિક પ્રવૃત્તિમાં આગળ આવી રહી છે. ચાર દિવસ પહેલા સોશિયલ મીડિયામાં કાપોદ્રા વિસ્તારમાં જાહેરમાં ધમાલ મચાવતી યુવતી સાથે કેટલાક યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે કાપોદ્રા પોલીસે ભાવના ઉર્ફે ભાવલી વાળા નામની યુવતીની બે જુદાજુદા ગુનામાં ધરપકડ કરી છે. જાહેરમાં લોકોને હેરાન કરવા બાબતે અને રાયોટિંગના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હથ ધરી છે.

ભાવલીની ઉમર ફક્ત 24 વર્ષ :

ભાવલી ઉર્ફે ભાવના જેની ઉંમર હાલ 24 વર્ષની જાણવા મળી છે. આ ઉંમરમાં લેડી ડોન બનવાના અભરખા ઉભા થયા છે. ભાવલીએ અભ્યાસ છોડી દીધો છે. હાલ કોઈ જ કામકાજ કરતી નથી. શહેરના લુખ્ખાતત્વો કે જેઓ કોઈ જ કામ ધંધો નથી કરતા અને માત્ર અસામાજિક પ્રવૃત્તિ કરી લોકોમાં ડર ઉભો કરે છે.

તેવા અલગ અલગ યુવાનો સાથે ગ્રુપ બનાવીને ફર્યા કરે છે. તેમની સાથે મળી ભાવલી પણ કાપોદ્રા, પુણા, યોગીચોક સહિતના વિસ્તારમાં ધમાલ કરી, લોકોને હેરાન કરી. ધાક ધમકીઓ આપી લોકોમાં ડર ઉભો કરે છે અને પોતાનો હાવ બનાવવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો :-

 

 પૈસા રાખો તૈયાર ! આગામી સપ્તાહે આવશે દમદાર IPO, ઈશ્યૂ પ્રાઈઝ પણ નક્કી, જાણો વિગત

0

Keep the money ready!

  • નાણાકીય વર્ષ 2022માં કંપનીનું રેવેન્યૂ 190.31 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે એક વર્ષ પહેલાં તે 175.37 કરોડ રૂપિયા હતું. આ સમયમાં નેટ પ્રોફિટ પાછલા વર્ષના 33.93 કરોડ રૂપિયાથી વધી 35.63 કરોડ રૂપિયા થઈ ગયો હતો.

Global Surfaces IPO : ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (Initial Public Offering) પર દાંવ લગાવી કમાણીની યોજના બનાવી રહ્યાં છો તો પૈસા તૈયાર રાખો. આ એટલે માટે કહી રહ્યાં છીએ કારણ કે Global Surfaces એ આઈપીઓ માટે ઈશ્યૂ પ્રાઈઝ નક્કી કરી દીધી છે. Global Surfaces આઈપીઓની ઈશ્યૂ પ્રાઈઝ 133-140 રૂપિયા પ્રતિ શેર છે.

ક્યારે ખુલશે આઈપીઓ : કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આઈપીઓ 13 માર્ચે ખુલશે અને 15 માર્ચે બંધ થશે. આઈપીઓ હેઠળ 85.20 લાખ ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવાની સાથે ડાયરેક્ટર મયંક શાહ અને શ્વેતા શાહ દ્વારા 25.5 લાખ સુધીના ઈક્વિટી શેરનું વેચાણ (ઓએફએસ) કરવામાં આવી રહ્યું છે.

શું થશે પૈસાનું : IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ દુબઈમાં કંપનીની સૂચિત એન્ટિટી – ગ્લોબલ સરફેસ FZEની સ્થાપના માટે કરવામાં આવશે. કંપની કુદરતી પથ્થરોની પ્રક્રિયા અને કૃત્રિમ પથ્થરના ઉત્પાદનના ક્ષેત્રમાં છે.

કેવી છે નાણાકીય સ્થિતિ : તમને જણાવી દઈએ કે કંપનીનું નાણાકીય પ્રદર્શન નિરાશાજનક રહ્યું કારણ કે તેના માર્જિનમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2022માં કંપનીનું રેવેન્યૂ 190.31 કરોડ રૂપિયા રહ્યું. જ્યારે એક વર્ષ પહેલા 175.37 કરોડ રૂપિયા હતું. આ સમયમાં નેટ પ્રોફિટ પાછલા નાણાકીય વર્ષના 33.93 કરોડ રૂપિયાથી વધારી 35.63 કરોડ રૂપિયા થઈ ગયો હતો.

પરંતુ EBITDA માર્જિન છેલ્લા એક વર્ષમાં 27.05 ટકાથી ઘટી 21.97 ટકા થઈ ગયો. સપ્ટેમ્બર 2022 સુધી કંપનીનું શુદ્ધ ઋણ 50.68 કરોડ રૂપિયા હતું, જે માર્ચ 2022 સુધી 37.29 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચો :-

Most Dirty Trains in India : આ ટ્રેનોમાં ભૂલથી પણ ટિકિટ બુક ન કરાવતા! જાણો ભારતની 10 સૌથી ગંદી ટ્રેન વિશે 

0

Most Dirty Trains in India

  • Most Dirty Trains in India : ભારતીય રેલવેમાં સતત સુધારી થઈ રહ્યો છે. તેમ છતાં પણ ટ્રેનોમાં ગંદકીની સમસ્યા જતી નથી. જાણો ભારતની 10 સૌથી ગંદી ટ્રેન વિશે. જેમાં મુસાફરોની યાત્રા બેરંગ બની.

રાજધાની એક્સપ્રેસથી (Rajdhani Express) ગરીબ રથ અને અન્ય એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો તેમાં ફેલાયેલી ગંદકીના કારણે પરેશાન છે. સોશિયલ મીડિયા (Social Media) ઉપરાંત રેલ મદદ એપ પર પણ લોકો ભારતીય રેલવેને આ અંગે ફરિયાદ કરી રહ્યાં છે. જાણો આ 10 ટ્રેનો વિશે જેમાં છે ગંદકી. રેલવેને ગંદકીની (The Dirt) સૌથી વધુ ફરિયાદો મળી છે. જો તમે પણ આ ટ્રેનોમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યાં છો.

ભૂલથી પણ ન કરો આ ટ્રેનમાં મુસાફરી :

રેલ મદદ એપ પર મળેલી ફરિયાદો અનુસાર સહરસા-અમૃતસર ગરીબ રથ ટ્રેન ગંદકીના સંદર્ભમાં પ્રથમ ક્રમે છે . તે ભારતની સૌથી ગંદી ટ્રેન છે. આ ટ્રેન પંજાબના અમૃતસરથી બિહારના સહરસા જિલ્લા સુધી જાય છે. આ ટ્રેન બંને બાજુથી ભરચક દોડે છે. આ ટ્રેનમાં ગંદકીની સૌથી વધુ 81 ફરિયાદો મળી છે. કોચથી લઈને સિંક અને ટોઈલેટ કેબીન સુધી ગંદકી ફેલાઈ રહી હોવાની લોકોએ ફરિયાદ કરી છે. આ ટ્રેનની ગણતરી દેશની સૌથી ખરાબ સુવિધાઓમાં થાય છે.

આ ટ્રેનોમાં પણ ગંદકીની ફરિયાદો મળી હતી :

ત્યાર બાદ  જોગબની-આનંદ વિહાર સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનમાં 67, શ્રી માતા વૈષ્ણોદેવી-બાંદ્રા સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં 64, બાંદ્રા-શ્રી માતા વૈષ્ણોદેવી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં 61 અને ફિરોઝપુર-અગરતલા ત્રિપુરા સુંદરી એક્સપ્રેસ ટ્રેનમાં 57 ફરિયાદો મળી છે. . મુસાફરોએ આ ટ્રેનોમાં ગંદકી અને સ્વચ્છતાના અભાવની ફરિયાદ કરી છે.

આ ટ્રનો પણ ગંદકીની બાબતમાં આગળ :

જ્યારે દિલ્લીથી બિહાર જતી આનંદ વિહાર-જોગબની સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનમાં 52, અમૃતસર ક્લોન સ્પેશિયલ ટ્રેનમાં 50, અજમેર-જમ્મુ તાવી પૂજા એક્સપ્રેસ ટ્રેનમાં 40 અને નવી દિલ્હી-ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં 35 ફરિયાદો મળી છે.

આ 10 ટ્રેનોમાં એક મહિનામાં રેલવેને કુલ 1079 ફરિયાદો મળી છે. જેમાં ગંદકી, પાણી ન મળવું, ધાબળા-ચાદરની ગંદકી અને ફાટેલી બેઠકોની ફરિયાદોનો સમાવેશ થતો હતો.

રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં પણ ફરિયાદ સામે આવી છે :

ખાસ વાત એ છે કે ગંદકીની સૌથી વધુ ફરિયાદો પૂર્વ ભારત તરફ જતી ટ્રેનોમાંથી આવી હતી. ગંદકીની વાત કરીએ તો ટોચની 10 ટ્રેનોમાં 7 ટ્રેનો ઉત્તર અને પૂર્વ ભારતને જોડતી હતી. જ્યારે મુંબઈથી માતા વૈષ્ણોદેવી કટરા જતી ટ્રેનો પણ ગંદી જોવા મળી હતી. એક્સપ્રેસ ટ્રેનોની સાથે રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં પણ લોકોએ ગંદકીની ફરિયાદ કરી હતી.

રેલવે અધિકારીઓનું કહેવું છે કે ગંદકી દૂર કરવા માટે હવે ટ્રેનોમાં ઓન બોર્ડ હાઉસ કીપિંગ સેવા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ફરિયાદ મળતાની સાથે જ તેનો ટ્રેનમાં નિકાલ કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

Twitterનું કામ તમામ.? Meta લાવી રહ્યું છે નવી એપ, એલન મસ્કના ટેન્શનનો પારો હાઈ

All of Twitter’s work.? Meta

  • ફેસબુકની પેરેન્ટ કંપની META હવે એક નવા એપ પર કામ કરી રહી છે. આ એપ હવે Twitterનું સ્થાન લેવાની તૈયારી કરી રહ્યું છે.

એલોન મસ્કની એન્ટ્રી, નવી પોલિસી, પેઈડ સર્વિસ જેવા અનેક પગલાંઓ બાદ લોકો Twitterનું અલ્ટરનેટિવ શોધી રહ્યાં છે. મેટા આ મોકા પર પોતાની નવી એપ પર કામ કરી રહ્યું છે. FB, Instagram બાદ હવે મેટા નવું સોશિયલ મીડિયા એપ તૈયાર કરી રહ્યું છે જે ઘણું ખરું ટ્વિટર જેવું જ કામ કરી શકે છે. આ એપ પર લોકો ટેક્સટ બેઝ્ડ અપડેટ પોસ્ટ કરી શકશે.

ટેક્સટ અપડેટ્સ શેર કરવા તૈયાર થાય છે એપ :

કંપનીએ સૂત્રોને જણાવ્યું કે ‘અમે ટેક્સટ અપડેટ્સ શેર કરવા માટે એક સ્ટેન્ડઅલોન ડિસેન્ટ્રાલાઈઝ્ડ સોશિયલ નેટવર્ક તૈયાર કરી રહ્યાં છીએ.’ તેમણે જણાવ્યું કે ‘અમને લાગે છે કે હાલમાં એક સ્પેસ હાજર છે જ્યાં ક્રિએટર્સ અને પબ્લિક ફિગર્સ પોતાના ઈન્ટરેસ્ટનાં વિશે સમય-સમય પર વાત શેર કરી શકશે.’

એપ હજુ પોતાના શરૂઆતી સમયમાં :

તેને P92 કોડનેમથી સ્પોટ કરવામાં આવ્યું છે જેમાં યૂઝર્સ instagram ક્રેડેંશિયલ્સની મદદથી લોગ ઈન કરી શકશે. પ્રોજેક્ટનાં વિશે હાલમાં ઘણી ઓછી માહિતી મળી આવી છે કારણકે એપ હજુ પોતાના શરૂઆતી સમયમાં છે. રિપોર્ટ્સ અનુસાર આ એપને લઈને કોઈપણ પ્રકારની ટાઈમફ્રેમ તૈયાર કરવામાં આવી નથી પરંતુ લીગલ અને રેગ્યુલેટરી ટીમ્સએ કામ શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટને ઈન્સ્ટાગ્રામનાં પ્રમુખ Adam Mosseri લીડ કરી રહ્યાં છે.

એપનું નેટવર્ક ડિસેંટ્રલાઈઝ્ડ હશે :

આ પ્રોજેક્ટ અંગે સૌથી સારી વાત તો એ છે કે Meta તેનો નેટવર્ક ડિસેંટ્રલાઈઝ્ડ રાખશે. મેટાનું આ પગલું અન્ય સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મને ચેલેન્જ કરવામાં મદદરૂપ રહેશે. પહેલાં પણ ડિસેંટ્રલાઈઝ્ડ એપને લઈને માગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ એપનાં નેટવર્કનું ડિસેંટ્રલાઈઝ્ડ થવાનો અર્થ છે કે તેનો ડેટા કોઈ એક જગ્યા કે સર્વર પર સ્ટોર કે કંટ્રોલ કરવામાં આવશે નહીં. એટલે કે તેનું કોઈ કેન્દ્ર રહેશે નહીં.

આ પણ વાંચો :-

સુંદર મહિલાના ચક્કરમાં ફસાયો સુરતનો રત્નકલાકાર : રૂમમાં ઉતાર્યો બીભત્સ વીડિયો પછી..

0

Jeweler of Surat caught

  • સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય રત્નકલાકાર 6 મહિના અગાઉ પલસાણા ખાતે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે વેળાએ તેઓની મોપેડમાં પેટ્રોલ પૂર્ણ થઇ ગયું હતું આ દરમ્યાન એક ઇસમ ત્યાં આવ્યો હતો.

શહેરમાં રત્નકલાકારને મળવાના બહાને બોલાવી હનીટ્રેપમાં (Honeytrap) ફસાવી તોડ કરતી ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી છે.

સુરતના મહિધરપુરા (Mahidharpura) વિસ્તારમાં રહેતા 38 વર્ષીય રત્નકલાકાર 6 મહિના અગાઉ પલસાણા ખાતે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે વેળાએ તેઓની મોપેડમાં પેટ્રોલ પૂર્ણ થઇ ગયું હતું આ દરમ્યાન એક ઇસમ ત્યાં આવ્યો હતો અને પોતાની બાઈકમાંથી પેટ્રોલ (Petrol) કાઢી રત્નકલાકારને આપ્યું હતું અને બાદમાં પોતાનું નામ જીતું જણાવી રત્નકલાકારનો નબર મેળવી લીધો હતો અને બાદમાં અવાર નવાર રત્નકલાકારને ફોન કરીને વાતચીત કરતો હતો.

આ દરમ્યાન રૂમમાં એક મહિલા હાજર હતી. દરમ્યાન થોડી જ વારમાં અજણ્યા ત્રણ થી ચાર ઈસમો રૂમમાં પ્રવેશ્યા હતા જેમાં બે ઈસમોએ હથકડી અને પોલીસના લોગો વાળા માસ્ક પહેર્યા હતા. આ ઈસમોએ રત્નકલાકારને ધાક ધમકીઓ આપી માર માર્યો હતો તેમજ મહિલા સાથે તેનો બીભત્સ વિડીયો ઉતારી લીધો હતો.

એટલું જ નહી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ડરી ગયેલા રત્નકલાકારે મિત્ર હસ્તક 50 હજાર રૂપિયા મંગાવી આપી દીધા હતા તેમજ અન્ય આરોપીઓએ તેની પત્નીનું ક્રેડીટ કાર્ડ પણ લઇ લીધું હતું અને માર મારી તેનો નબર મેળવી તેમાંથી 18,999 રૂપિયા પણ ઉપાડી લીધા હતા. બાદમાં રત્નકલાકારને કોઈને કહેશે તો જાનથી મારી નાખીશું તેમ કહી ધમકીઓ આપી હતી.

જો કે આ સમગ્ર મામલે રત્નકલાકારે હિમ્મત ભેગી કરી ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ઉધના પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓના નામ :

  • જીતું ઉર્ફે જીતેન્દ્ર ઓમપ્રકાશ શર્મા [ઉ.૨૭]
  • રાજેશ ઉર્ફે રાજ શંભુભાઈ પાટીલ [ઉ.૨૮]
  • સુનીલ પુન્જુ સૂર્યવંશી [ઉ.૨૮]
  • જ્ગેશ્વર ઉર્ફે રાજા રામનરેશ ચૌધરી [ઉ.૩૨]
  • સુમા મિરાજ મહેબુબ શેખ

આ પણ વાંચો :-