Home Blog Page 1140

Karnataka: અમિત શાહે યેદીયુરપ્પાનો ન સ્વીકાર્યો પ્રથમ ગુલદસ્તો, આ એક ‘ઈશારા’એ રાજકીય સમીકરણ બદલ્યા

0

Karnataka: Amit Shah

  • Karnataka Election 2023 : ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)આજે કર્ણાટકના (Karnataka) ભૂતપૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના (BS Yediyurappa) ઘરે બ્રેકફાસ્ટ મીટિંગ માટે પહોંચ્યા હતા. તેમના સ્વાગત દરમિયાન રાજ્યની જનતાને સંદેશ આપતા તેમણે ભાજપના (BJP)નેતાઓ અને કાર્યકરોને ઈશારામાં સમજાવ્યું કે તેઓ કેટલા મહત્ત્વના છે.

Amit Shah B S Yediyurappa Meeting : કર્ણાટકમાં (Karnataka)આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપ (BJP) દક્ષિણ ભારતના મજબૂત ગઢને બચાવવા માટે સતત રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. આ કડીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)આજે સવારે કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા (B. S. Yediyurappa) ના ઘરે બ્રેકફાસ્ટ મીટિંગ માટે પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી બોમાઈ (CM Basavraj Bommai)  અને અન્ય કેટલાક બીજેપી નેતાઓ હાજર હતા.

‘ભાજપ માટે યેદિયુરપ્પા કેટલા મહત્વપૂર્ણ છે’ :

અમિત શાહ અને યેદિયુરપ્પાની ચૂંટણીની તૈયારીઓ પહેલા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વાસ્તવમાં આગામી ચૂંટણીમાં ભાજપ બીએસ યેદિયુરપ્પાના ચહેરાને આગળ કરવાની યોજના બનાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર 80 વર્ષીય યેદિયુરપ્પા ચાર વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ પ્રભાવશાળી લિંગાયત સમુદાયમાં નોંધપાત્ર અનુયાયીઓ ધરાવે છે. આવી સ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં યેદિયુરપ્પા મોટી ભૂમિકા ભજવે.

‘અમિત શાહે ઈશારામાં ઘણું કહ્યું’ :

આ બેઠક અને યેદિયુરપ્પાનું મહત્વ એ વાત પરથી સમજી શકાય છે કે જ્યારે યેદિયુરપ્પા તેમના ઘરે અમિત શાહને આવકારવા માટે ફૂલોનો ગુલદસ્તો આપવા આગળ વધે છે ત્યારે શાહે ઈશારો કરીને કહ્યું હતું કે, ગુલદસ્તો વિજયેન્દ્રને આપી દો ! આ સાંભળીને યેદિયુરપ્પા તેમના પુત્ર વિજેન્દરને ગુલદસ્તો આપે છે અને અમિત શાહ તેમના હાથમાંથી ગુલદસ્તો લઈ વિજેન્દરને ગળે લગાવે છે. આ પછી યેદિયુરપ્પાએ બીજો પુષ્પગુચ્છ આપીને શાહનું સ્વાગત કર્યું.

પ્રતિકાત્મક રીતે અમિત શાહે કર્ણાટક અને ખાસ કરીને લિંગાયત સમુદાયને આ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે, જો કે યેદિયુરપ્પા આ વખતે ચૂંટણી લડી રહ્યા નથી તેમ છતાં તેઓ પક્ષ માટે મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તેમની યુવા પેઢી જે અત્યાર સુધી પાર્ટી માટે કામ કરી રહી છે તેને મહત્વ આપવામાં આવશે.

આ પણ વાંચો :-

સૌથી સસ્તી SUV : કિંમત 6 લાખથી શરૂ અને સેફટી રેટિંગમાં 5 સ્ટાર, જુઓ કારનું લિસ્ટ

Cheapest SUV: Price starting from 6 lakhs and 5 stars in safety rating

  • ટાટા પંચના CNG વેરિઅન્ટને કંપની દ્વારા છેલ્લા ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. એવી અપેક્ષા છે કે કંપની ટૂંક સમયમાં બજારમાં પંચ CNG પણ લોન્ચ કરશે. તાજેતરમાં મારુતિ બ્રેઝા સીએનજી પણ લોન્ચ કરવામાં આવી હતી.

હાલમાં ભારતમાં સીએનજી કારની (CNG car) માંગમાં વધારો થયો છે. લોકો હવે ધીરે ધીરે સીએનજી વાહનોનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે જો તમે પણ સીએનજી કાર (CNG car) લેવાનું વિચારી રહ્યા હોવ તો આજે અમે તમને જરૂરી માહિતી આપવા જઈ રહ્યા છીએ. કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ (SUV Segment) ભારતીય બજારમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે.

ઓછી કિંમત, સારી માઈલેજ અને સ્પોર્ટી ડ્રાઈવિંગ અનુભવને કારણે લોકો આ સેગમેન્ટની કારને વધુ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ સસ્તી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમારા માટે આવા વાહનોનું લિસ્ટ લાવ્યા છીએ. આ કારોની ખાસ વાત એ છે કે તેની કિંમત રૂ. 6.50 લાખથી પણ ઓછી છે અને તે વધુ સારા પ્રદર્શન માટે પણ જાણીતી છે. તો ચાલો આ SUV પર એક નજર કરીએ.

Nissan Magnite : Rs 6 Lakh 

આ કોમ્પેક્ટ SUV 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ મેન્યુઅલ (72PS પાવર અને 96Nm ટોર્ક), 1.0-લિટર ટર્બો-પેટ્રોલ મેન્યુઅલ (100PS પાવર અને 160Nm ટોર્ક) સાથે આવે છે. અને 1.0-લિટર ટર્બો-પેટ્રોલ CVT એન્જિન સાથે આવે છે. તે 8-ઈંચની ટચસ્ક્રીન, 7-ઈંચ TFT સાથે સંપૂર્ણ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, પુશ-બટન સ્ટોપ/સ્ટાર્ટ, JBL સાઉન્ડ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ મેળવે છે.

નિસાન મેગ્નાઇટ સેફ્ટી ફીચર્સ જેમ કે આ નાની SUVને ASEAN NCAP ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ વાહનમાં ડાયનેમિક્સ કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ABS, રિવર્સ પાર્કિંગ કેમેરા, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ જેવા ફીચર્સ છે. તમને જણાવી દઈએ કે Nissan Magnite અને Renault Kiger બંને એક જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યા છે અને બંને SUVમાં ઘણી સમાનતા છે. તેની કિંમત રૂ. 6 લાખથી રૂ. 10.94 લાખ (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

Tata Punch : Rs 5.99 Lakh 

હાલ આ કારની ડિમાન્ડ પણ વધારે છે. આ કારમાં પેટ્રોલ એન્જિન જે 86PSનો પાવર અને 113Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સથી સજ્જ છે. સુવિધાઓની દ્રષ્ટિએ SUVમાં 7-ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ, ઓટો એર કન્ડીશનીંગ, ઓટોમેટિક હેડલાઇટ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓ છે.

સુરક્ષાની વાત કરીએ તો તેમાં તમને ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, રીઅર ડિફોગર, રીઅર પાર્કિંગ સેન્સર્સ, રીઅર-વ્યુ કેમેરા અને ISOFIX એન્કર મળે છે. સુરક્ષામાં તે 5 સ્ટાર રેટિંગ ધરાવે છે. તેની કિંમત રૂ. 5.99 લાખથી રૂ. 9.54 લાખ (એક્સ-શોરૂમ) છે. આ કાર 18.97 Kmpl માઈલેજ આપે છે.

આ પણ વાંચો :-

Colon Cancer : યુવાનોમાં ઝડપથી વધી રહ્યું છે આંતરડાનું કેન્સર, સાચવજો આ છે લક્ષણો અને બચવાના ઉપાયો

Colon Cancer  

  • Colon Cancer Symptoms : લગભગ એક તૃતીયાંશ કેસમાં કોલોન કેન્સર જિનેટિક ફેક્ટર સાથે સંબંધ ધરાવે છે. શરીરનું વધારે વજન પણ કોલોન કેન્સરનું જોખમ વધારે છે. નાની ઉંમરે કોલોન કેન્સરના સૌથી સામાન્ય લક્ષણોમાં પેટમાં દુખાવો, અચાનક વજન ઘટવું, ગુદામાર્ગમાં રક્તસ્ત્રાવ વગેરે છે.

કોલોન કેન્સર (Colon Cancer) મોટાભાગે વૃદ્ધ લોકોને થાય છે તેવું માનવામાં આવે છે. જો કે અમેરિકન કેન્સર (American Cancer) સોસાયટી દ્વારા પ્રકાશિત તાજેતરના અભ્યાસ મુજબ દર પાંચ નિદાન કરાયેલા કેસમાંથી એક દર્દી 55 વર્ષથી ઓછી ઉંમરના છે. આનું કારણ શું છે તે સ્પષ્ટ નથી. પરંતુ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા પેપર પર્યાવરણ અને જિનેટિક ફેક્ટર (Genetic factor) જેવા ઘણા સંભવિત કારણો સૂચવે છે.

કોને છે જોખમ વધારે ?

લગભગ એક તૃતીયાંશ કોલોન કેન્સર કૌટુંબિક ઇતિહાસ સાથે સંબંધિત છે. શરીરનું વધુ વજન કોલોન કેન્સરનું જોખમ વધારે છે. એક અભ્યાસ અનુસાર, 5 ટકા કોલોન કેન્સર શરીરના વધુ વજનને કારણે થાય છે. આ ઉપરાંત, વધારાનું વજન પણ મુખ્યત્વે આંતરડાની જમણી બાજુની ગાંઠો સાથે જોડાયેલું છે.

કેવી રીતે અસર કરે છે?

આ તમામ જોખમી પરિબળો માઈક્રોબાયોમ પર અસર કરે છે. માઇક્રોબાયોમ એ બેક્ટેરિયા અને અન્ય સુક્ષ્મસજીવોની વસ્તી છે જે માનવ પાચનતંત્રમાં રહે છે. કોલોન કેન્સર ત્યારે શરૂ થાય છે જ્યારે કોલોન અથવા ગુદામાર્ગના અસ્તરમાં તંદુરસ્ત કોષો બદલાય છે અને નિયંત્રણ બહાર વધે છે અને ગાંઠો બનાવે છે.

કોને છે વધારે જોખમ :

જો કેન્સરની વહેલી ખબર પડી જાય તો જીવિત રહેવાનો દર 90 ટકા છે. દર્દીઓ માટે ગુદામાર્ગના રક્તસ્રાવ અને આયર્નની ઉણપ જેવા લક્ષણો અને ચિહ્નો જોવા મળે તો આ અંગે તપાસ કરવી મહત્વપૂર્ણ છે. નાની ઉંમરે કોલોન કેન્સરના સૌથી સામાન્ય લક્ષણોમાં પેટમાં દુખાવો, અચાનક વજન ઘટવું, ગુદામાર્ગમાં રક્તસ્ત્રાવ વગેરે છે.

આ લક્ષણોને હળવાશથી ન લો :

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મેડિસિનના પ્રોફેસર એન્ડ્રુ ચાને જણાવ્યું હતું કે યુવાનોમાં એવું માનવાની વૃત્તિ છે કે તેઓ યુવાન અને સ્વસ્થ છે અને જો તેમનામાં કેટલાક લક્ષણો હોય તો તે ક્ષણિક છે અથવા કેન્સર સંબંધિત નથી. પરંતુ પેટમાં દુખાવો, અચાનક વજન ઘટવું, ગુદામાર્ગમાં રક્તસ્ત્રાવ જેવા લક્ષણોને હળવાશથી લેવા જોઈએ નહીં. તુરંત ડોક્ટરી તપાસ કરાવવી જોઈએ.

આ પણ વાંચો :-

સાંજ પડે અને ઘરમાં ઘુસવા લાગે છે મચ્છર ? તો અજમાવો આ 4 ઘરગથ્થુ ઉપાય

Mosquitoes start entering the house  

  • Home Remedies For Mosquito : વાતાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે એક તરફ વાઇરલ બીમારીઓનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ ઘરમાં મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો છે. સાંજ પડે એટલે બારી દરવાજામાંથી મચ્છરના ઝુંડ ઘરમાં ઘૂસવા લાગે છે.

વાતાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે એક તરફ વાઈરલ બીમારીઓનો (Viral illness) પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ ઘરમાં મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો છે. સાંજ પડે એટલે બારી દરવાજામાંથી મચ્છરના (Mosquito) ઝુંડ ઘરમાં ઘૂસવા લાગે છે.

ઘણી વખત તો મચ્છર માટે લિક્વિડ રેપેલેન્ટ અને કોઈલ કરવામાં આવે તો પણ મચ્છરનો ત્રાસ ઓછો થતો નથી. જો મચ્છરોનો આ ત્રાસ તમને પણ સતાવી રહ્યો હોય તો મચ્છરથી મુક્તિ મેળવવાના ચાર અચૂક ઉપાય તમને જણાવીએ. આ અસરકારક ઉપાય કરવાથી ઘરમાંથી મચ્છરનો સફાયો થઈ જશે.

મચ્છર ભગાડવાના અચૂક ઉપાય :

1. ઘરમાં મચ્છર ને આવતાં રોકવા માટે લીંબુ અસરકારક છે. તેના માટે લીંબુના ટુકડા કરી તેમાં લવિંગ રાખી દેવા. હવે આ લીંબુ ને ઘરની એવી જગ્યાઓ પર રાખી દ્યો જ્યાં મચ્છર સૌથી વધુ આવતા હોય. આ લીંબુ રાખ્યા પછી મચ્છર દૂર ભાગી જશે.

2. મચ્છરને ઘરમાંથી ભગાડવા માટે લસણ પણ ઉપયોગી છે. તેના માટે લસણ ને પહેલા બાફી લેવું અને પછી તેની પેસ્ટ બનાવી તેને પાણીમાં ઉમેરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી અને ઘરની એવી જગ્યા ઉપર છાંટી દો જ્યાં મચ્છર બેસતા હોય. આ ઉપાય કરવાથી મચ્છર ભાગી જશે.

3. તુલસી આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે અને તે મચ્છર ભગાડવામાં પણ કામ લાગે છે. તેના માટે તુલસીના જે પાન સુકાઈ અને ખરી જાય તેને એકત્ર કરી અને સાંજના સમયે ઘરમાં સળગાવો. તેનાથી થતા ધુમાડાથી મચ્છર ભાગી જાય છે

4. લીમડાના પાન પણ મચ્છર ભગાડવા માટે ઉપયોગી છે. તેના માટે એક માટીનું વાસણ લેવું અને તેમાં સૂકા લીમડાના પાન મુકવા. તેની અંદર થોડું કપૂર લવિંગ અને તમાલપત્ર ઉમેરી સાંજના સમયે ઘરમાં સળગાવો. થોડીવાર માટે ઘરના બારી દરવાજા બંધ રાખવા. આ ઉપાય કરશો એટલે મચ્છર ઘરમાંથી ભાગી જશે.

આ પણ વાંચો :-

Chaitra Navratri 2023 : ગુજરાતનું એવું મંદિર જ્યાં ગમે ત્યારે સિંહો આવી ચઢે છે, અહીં દર્શન કરવા

Chaitra Navratri 2023

  • Chaitra Navratri 2023 : કનકાઈ માતાનું મંદિર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ગીર જંગલની વચ્ચોવચ આવેલું છે. આ મંદિર જંગલની વચ્ચોવચ આવેલું હોવાથી અહી તમને હિંસક પ્રાણીઓ આરામથી ફરવા જોવા મળી શકે છે.

હાલ ચૈત્રી નવરાત્રિ (Chaitri Navratri) ચાલી રહી છે. આવામાં ભક્તો માતાજીના મંદિરોના દર્શન કરે છે. ગુજરાતમાં અનોખા મંદિર આવેલા છે. જ્યાં ચૈત્રી નવરાત્રિએ બારેમાસ ભીડ રહેતી હોય છે. આવામાં ગીર જંગલની વચ્ચોવચ આવેલું કનકાઈ માતાનું મંદિર (Temple of Kankai Mata) શક્તિની આરાધનાનું કેન્દ્ર છે. આ મંદિર શક્તિપૂજાનું અનોખું સ્થળ છે. જ્યાં ચારેબાજુ હરિળાળી છવાયેલી છે. આ મંદિર ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે.

જ્યાં પરમિશન લઈને જવા મળે છે. જામવાળા ચેકપોષ્ટ, અમરેલીથી આવતા સાપનેસ ચેકપોષ્ટ અને વિસાવદરથી આવતા મેલડીઆઈ ચેકપોષ્ટ પરથી વન વિભાગની પરમીટ મેળવી જંગલનો રસ્તો કાપી આવી શકાય છે. જોકે, આ મંદિરની અન્ય ખાસિયત એ પણ છે કે અહીં બારેમાસ સિંહો આવતા હોય છે. તેથી જો તમને અહી દર્શને આવતા સિંહો દેખાઈ જાય તો નવાઈ નહિ.

કનકાઈ માતાનું મંદિર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ગીર જંગલની વચ્ચોવચ આવેલું છે. આ મંદિર જંગલની વચ્ચોવચ આવેલું હોવાથી અહી તમને હિંસક પ્રાણીઓ આરામથી ફરવા જોવા મળી શકે છે. આ મંદિરનો ઈતિહાસ જાજરમાન છે. કહેવાય છે કે આ આખી નગર સોનાની હતી. ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાનાં પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે ક્નકાઈ (કનકાવટી) નગરીની સ્થાપના કરી હતી. મા કનકાઈને આ નગરીનાં અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં. અહી એટલુ સોનું હતું કે તેનો ઈતિહાસમા ઉલ્લેખ કરાયેલો છે. કહેવાય છે કે, આ નગરીમાં ક્યારેય દુકાળ નથી પડ્યો.

નવરાત્રિના દિવસોમાં આ મંદિરનું અનેરું મહત્વ હોય છે. કનકાઈ મંદીરનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત 1864માં કરવામાં આવ્યો હતો. આ જીર્ણોધાર કોણે કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી. ત્યાર બાદ લગભગ 142 વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો.

કેવી રીતે જઈ શકાય :

આ મંદિર તુલસીશ્યામથી 22 કિમી દૂર જંગલમાં આવેલું છે. કનકાઈ સાસણથી 24,વિસાવદર 32,જામવાળાથી 27, ઉનાથી 72 અને અમરેલી 75 કિલોમીટર દુર મધ્ય ગીરમાં આવેલુ છે. નજીકનું રેલવે સ્ટેશન સોમનાથ અને એરપોર્ટ દિવનું છે. વરસાદની ઋતુમાં વાહન વ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે. કારણકે જંગલ ખાતાની ચેક પોસ્ટથી સાંજનાં 5 વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે ગિરનું આ જંગલ એશિયાટિક સિંહોનું રહેઠાણ છે.

આ પણ વાંચો :-

આ રાજ્યોની પથારી ફેરવશે વિનાશક વરસાદ, જાણો ગુજરાતના શું થશે હાલ

0

Destructive rains will change

  • Imd Weather Alert : હરિયાણા સહિત આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં કેટલાંક સ્થળોએ તો ભારે પવન સાથે વરસાદ પડશે અને આકાશમાંથી કરા પડશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જાણો કેવું રહેશે તમારા શહેરનું હવામાન.

Weather Update : આજે પણ દેશના ઘણા રાજ્યોમાં વરસાદ (Rain) પડયો છે. શુક્રવારે સવારે હરિયાણાના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડયો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દેશના ઘણા રાજ્યોમાં હવામાનની (Weather) પેટર્ન બદલાઈ ગઈ છે. હરિયાણાના ઘણા જિલ્લામાં આજે સવારે ભારે વરસાદ પડયો છે. ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડયો છે.

હવામાન વિભાગે પણ કરા પડવાની ચેતવણી જારી કરી છે. તે જ સમયે, આજે સાંજથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે તેવી પણ આગાહી કરાઈ છે. 25-27 માર્ચ દરમિયાન મધ્ય અને પૂર્વ ભારતમાં વરસાદની સંભાવના છે. આ સાથે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કારણકે આ માવઠાની મારના કારણે પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.

ખાસ કરીને હવામાન વિભાગે ખેડૂતો માટે એડવાઈઝરી જારી કરી છે. દેશના કેટલાંક રાજ્યોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ભોપાલ અને નર્મદાપુરમ વિભાગમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ધાર, બડવાની, સાગર, શાજાપુર, ખરગોન, દેવાસ, ઉમરિયા, અગર અને કટની જિલ્લામાં વરસાદની સંભાવના છે. ખેડૂતોના પાકને ફરી વાવાઝોડાની અસર થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી, નોઈડા સહિત ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સિઝનની સરેરાશ કરતાં બે ડિગ્રી ઓછું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવાર અને રવિવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં વરસાદની સાથે કરા પડી શકે છે. તે જ સમયે ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી ગતિવિધિઓ રહેશે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદની સંભાવના છે. યુપી-બિહારમાં આજે હળવો વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે. તે જ સમયે, આગામી પાંચ દિવસ સુધી તમિલનાડુ, તેલંગાણા, કેરળ અને કર્ણાટકમાં વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-

Fact Check : મહિલાઓને મફત સિલાઈ મશીન માટે સરકાર આપી રહી છે 9 હજાર રૂપિયા ?

0

Fact Check: Government is giving 9 thousand rupees

  • યુ-ટ્યુબ પર વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તરફથી ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મહિલાઓે 9000 રૂપિયા મળી રહ્યા છે. તેના માટેનો માર્ગ પણ બતાવવામાં આવ્યો છે.

ગરીબો માટે કેન્દ્ર સરકાર (Central Govt) તરફથી અનેક પ્રકારની અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાંથી કેટલીક યોજનાઓ અંતર્ગત સરકાર સીધી મદદ લોકો સુધી પહોંચાડે છે. કૃષિથી લઈને રોજગાર (Employment) શરૂ કરવા સુધીમાં સરકાર પોતાની આ યોજનાઓ દ્વારા ગરીબોને મદદ કરે છે. આવી યોજનાને લઈને સોશિયલ મીડિયા (Social media) પર પણ તમામ પ્રકારની જાણકારી વાયરલ થતી રહે છે. હવે આવો જ એક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર મહિલાઓને મફત સિલાઈ મશીન (Free sewing machine) આપવા જઈ રહી છે.

શું છે વાયરલ વીડિયો :

યુ-ટ્યુબ પર વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તરફથી ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મહિલાઓે 9000 રૂપિયા મળી રહ્યા છે. તેના માટેનો માર્ગ પણ બતાવવામાં આવ્યો છે. VK Hindi World” નામની એક યુ-ટ્યુબ ચેનલે એક વીડિયોમાં દાવો કર્યો છે કે પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન અને તેમના ખાતામાં 9000 રૂપિયા મળી રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. થોડાક મહિના પહેલાં અપલોડ થયેલા આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે અને હવે ફરીથી તેને શેર કરવામાં આવી રહ્યો  છે.

શું છે વીડિયોની હકીકત :

હવે આ વાયરલ વીડિયોની શું હકીકત છે તે પણ જાણી લો. વીડિયોમાં જે માહિતી આપવામાં આવી છે તે તમામ ખટી છે. કેન્દ્ર સરકાર તરફથી આવી કોઈ જ યોજના ચલાવવામાં આવી રહી નથી. આ દાવો સંપૂર્ણ  રીતે ખોટો છે. સરકારે કોઈપણ યોજના અંતર્ગત મહિલાઓના ખાતામાં 9000 રૂપિયા નાંખવાની વાત કહી નથી.

પીઆઈબી તરફથી તેનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ જાણકારી સંપૂર્ણ રીતે ભ્રામક છે. જો તમારી પાસે આવો કોઈ વીડિયોનો મેસેજ આવે છે તો તેના પર વિશ્વાસ ન કરશો. તેના માટે તમે સરકારની વેબસાઈટ્સ પર જઈને ચેક કરી શકો છો.

આ પણ વાંચો :-

જેના ફોલોવર્સની સંખ્યા કરોડોમાં છે તે સલમાન ખાન ઈન્સ્ટાગ્રામ પર 36 લોકોને જ કરે છે ફોલો, નામ વાંચીને જ ચોંકી જશો

Salman Khan, whose number of followers   Instagram

  • Salman Khan follows 36 people on Instagram : સલમાન હંમેશા ઈન્સ્ટા એકાઉન્ટ પર પોતાના ફેન્સ માટે અપડેટ શેર કરે છે. એટલું જ નહીં ઈન્સ્ટા પર તે પોતાના ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ઈન્સ્ટા પર ભાઈજાનને લગભગ 6 કરોડ લોકો ફોલો કરે છે. પરંતુ સલમાન પોતે 36 લોકોને જ ફોલો કરે છે.

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) દુનિયાભરમાં ગજબની ફેન ફોલોઈંગ છે. ભાઈજાનને પ્રેમ કરનારા લોકોની ઘટ નથી એટલે જ તો લોકો તેમની ફિલ્મની રાહ આતુરતાથી જોતા હોય છે. સલમાન ખાન પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્ટાગ્રામથી (Instagram) હંમેશા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. સલમાન હંમેશા ઈન્સ્ટા એકાઉન્ટ પર પોતાના ફેન્સ માટે અપડેટ દેતા રહે છે. એટલું જ નહીં ઈન્સ્ટા પર પોતાના ફોટો અને વીડિયો પોસ્ટ (Video post) કરતા રહે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ઈન્સ્ટા પર ભાઈજાનને લગભગ 6 કરોડ લોકો ફોલો કરે છે.

રંતુ શું તમે એ જાણો છો કે સલમાન ખાન પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોને કોને ફોલો કરે છે? નથી જાણતા તો આવો આજે તમને આ નામ જણાવીએ. જ્યારે અમે સલમાન ખાનના ઈન્ટા એકાઉન્ટની તપાસ કરી તો જાણવા મળ્યુ કે તે કુલ 36 લોકોને ઈન્ટાગ્રામ પર ફોલો કરે છે. જેમાં અમુક તેમના ખાસ મિત્ર છે. અને અમુક તેમના પરિવારના સભ્ય છે. તો ચાલો જણાવીએ એ 36 લોકોના નામ.

સલમાન ખાન જે 36 લોકોને ફોલો કરે છે તેમાં સૌથી પહેલા નંબર પર કૈટરિના કૈફ, બીજા નંબર પર જૈકલીન ફર્નાડીઝ, ત્રીજા નંબર પ્રોડ્યુસર રાજીવ રાય છે. ચોથા નંબર પર infinity Platter, તેના પછી સાઉદી એડવાઈઝર તુર્કી અલલશિખ, Being Human Clothing, BollyCoin, અયાન અગ્નિહોત્રી, અલિજેહ અગ્નિહોત્રી, અરહાન ખાન, નિર્વાણ ખાન, frshgrooming.

આ ઉપરાંત આ લિસ્ટમાં આ નામ પણ છે, ફઝ્ઝા, રાજેશ રાય, Being Strong Fitness Equipment, શેરા, હુસૈન દલાલ, પ્રશાંત ગુંઝાલકર, કમાલ ખાન, જોર્ડી પટેલ, સંગીતા બિજલાની, ડેઝી શાહ, સૂરજ પંચોલી, નિકેતન મધોક, ઝહીર ઈકબાલ, અભિરાજ મીનાવાલા, સાજનસિંહ, વાલુશ્ચા ડી સૂસા, આયુષ શર્મા, અતુલ અગ્નિહોત્રી, અર્પિતા ખાન શર્મા, સોલેહ ખાન, અરબાઝ ખાન, Renaye’s bakesale, યૂલિયા વી વંતૂર અને ઈસાબેલ કૈફ.

આ પણ વાંચો :-

રાઘવ ચઢ્ઢા મુંબઈમાં પરિણીતી ચોપરા સાથે જોવા મળ્યા, ડેટિંગની અટકળો થઈ તેજ

0

Raghav Chadha spotted with Parineeti

  • બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા તાજેતરમાં જ ડિનર પછી AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે લંચ કરતી જોવા મળી હતી. જે બાદ તેમના અફેરની અટકળોએ જોર પકડયું હતું.

જોકે બે માંથી કોઈ પણે સાથે પોઝ આપ્યો ન હતો. પરંતુ બંને વચ્ચે કઈક રંધાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પરિણીતી ચોપરા (Parineeti Chopra) ફરી એકવાર મુંબઈમાં (Mumbai) આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા (MP Raghav Chadha) સાથે લંચ કરતી જોવા મળી છે. વાયરલ થયેલી આ તસવીરોમાં પહેલા રાઘવ બહાર આવે છે અને પછી પરિણીતી તેની પાછળ રેસ્ટોરન્ટમાંથી બહાર આવતી જોવા મળે છે.

રાઘવ પાપારાઝીને જોઈને કેમેરાથી બચતો જોવા મળે છે. બંનેએ સાથે પોઝ આપ્યો ન હતો.જોકે પાપારાઝીના કહેવા પર પરિણીતી ચોપરાએ એકલા કેટલાક પોઝ આપ્યા હતા. આ લંચ ડેટ પર પરિણીતી કેઝ્યુઅલ લુકમાં આવી હતી.તેણીએ કાળા ક્રોપ ટોપ સાથે લૂઝ પેન્ટ પહેર્યું હતું અને કાળા શેડ્સ અને ખુલ્લા વાળ સાથે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાઘવની વાત કરીએ તો તે બેજ શર્ટ સાથે બ્લેક જીન્સ પહેરીને એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.

જાણો કોણ છે રાઘવ ચઢ્ઢા :

રાઘવ ચઢ્ઢા હાલ રાજ્યસભાના સાંસદ છે અને તેઓ ચાર્ટડ એકાઉન્ટન્ટની પ્રેકટિસ કરે છે. તેઓ પંજાબ આમ આદમી પાર્ટીના કો ઈન ચાર્જ છે. નેશનલ એક્ઝક્યુટિવ કમિટીના સભ્ય છે. અને આમ આદમી પાર્ટીના પ્રવકતા છે.આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાઘવ ચઢ્ઢાને સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો :-

અકસ્માતમાં પગ ગુમાવ્યો, પછી 4 વખત આ*ઘાતનો પ્રયાસ, પરંતુ કૃદરતને મંજૂર નહોતું અને આજે…

0

Lost a leg in an accident

  • નેહા ભટ્ટ મૂળ મહુવાના સામાન્ય પરિવારની દીકરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેણે 12 ધોરણ પછી અભ્યાસ છોડવો પડયો. PTCનો કોર્સ કરી જયારે શાળામાં નોકરી મેળવી તો તેને થયું કે હવે ગરીબીથી આંશિક રાહત મળશે.

સોશિયલ મીડિયા ઉપર નેહા ભટ્ટને (Neha Bhatt) આપે જરૂરથી જોઈ હશે. 2021માં અમદાવાદથી મહુવા જતા સમયે તેનો અકસ્માત થયો જેમાં તેનો એક પગ કાપવો પડયો હતો. તેણે જણાવ્યું કે મેં પહેલા ચાર વખત આપઘાત કરવાના પણ પ્રયત્ન કર્યા છે. પણ કહેવાય છે ને કે કુદરત ઘણી વખત આપણી પાસે કંઈક જુદુ જ કરાવવાનું નક્કી કર્યું હોય છે. નેહાને ચાનો ઘણો શોખ છે. તેથી તેણે એમ્પ્યુટી (Amputee) નામે ચાની સ્ટૉલ શરુ કરી. આજે સૌ કોઈ તેને હિંમત આપી બિરદાવી રહ્યા છે.

કોણ છે નેહા ભટ્ટ? 

નેહા ભટ્ટ મૂળ મહુવાના સામાન્ય પરિવારની દીકરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેણે 12 ધોરણ પછી અભ્યાસ છોડવો પડયો. PTCનો કોર્સ કરી જયારે શાળામાં નોકરી મેળવી તો તેને થયું કે હવે ગરીબીથી આંશિક રાહત મળશે. ભાડાના નાના ઘરને બદલે તેણે પોતાનું ઘર લેવાનું નક્કી કર્યું. અને બેન્ક લોન માટે એપ્લાય કર્યું. પણ કદાચ વિધાતાને આ મંજુર ન હતું.

કઈ રીતે થયો અકસ્માત?

બેન્ક લોન માટે મહુવાની ખાનગી બેન્કમાંથી નેહાને કોલ આવ્યો અને તે અમદાવાદથી મહુવા જવા નીકળી હતી. બગોદરા પાસે તેની ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ.

હોસ્પિટલમાં એક પગ કાપવો પડયો. 

અકસ્માતના કારણે નેહાને બગોદરા, બગોદરાથી અમદાવાદની સોલા સિવિલ અને ત્યારબાદ તેને અસારવા સિવિલ ખસેડવાની ફરજ પડી હતી. આ દરમિયાન તેના એક પગને કાપવો પડયો. આ તકલીફ વેઠવી તેની માટે ઘણી મુશ્કેલ રહી.

શું છે એપ્મ્યુટી?

એમ્પ્યુટી એક ગ્રુપ છે જેમાં અકસ્માતને કારણે જેમણે પોતાના હાથ પગ ગુમાવવા પડયાં હોય તેવા સભ્યો એક બીજાને પ્રોત્સાહન આપે છે. નેહાનું કહેવું છે કે તે આગળ જતા સમયે તેની જેમ અન્ય લોકો જે અકસ્માતનો ભોગ બન્યા છે તેમને એમ્પ્યુટીના નામે નવું સ્ટાર્ટઅપ શરુ કરવા મદદ કરશે.

આ પણ વાંચો :-