Home Blog Page 1118

Top 5 Fundamental Picks : 1 વર્ષમાં મળશે 38% નું રિટર્ન, આ 5 સ્ટોકમાં લગાવો દાવ, જાણો વિગત

Top 5 Fundamental Picks
  • Stock Market : જો તમે શેર બજારમાં રોકાણ કરતા હોવ તો બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ દ્વારા કેટલાક શેરને બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે. આ શેર એક વર્ષમાં સારી કમાણી કરાવી શકે છે.

Top 5 Fundamental Picks : નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેર બજારમાં (Share Market) ઓછી તેજી છે. બજારના મુખ્ય સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યાં છે. બજારની નબળાઈમાં મોટો નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસે 5 સ્ટોક્સ પર બુલિશ રેટિંગ (Bullish Rating) આપ્યું છે. આ ફન્ડામેન્ટલ પિક્સમાં Vinati Organics, Indian Hotels, Sun Pharma, HDFC Bank અને Tata Motors પર ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજ રિપોર્ટ પ્રમાણે રોકાણકારોને 38 ટકા સુધીનું રિટર્ન મળશે.

Vinati Organics

Vinati Organics : શેર પર બ્રોકરેજે ખરીદીની સલાહ આપી છે. સાથે 2720 રૂપિયાનો અપસાઇડ ટાર્ગેટ આપ્યો છે. MOFSL પ્રમાણે રોકાણકારોને 38 ટકા સુધીનું પોઝિટિવ રિટર્ન આપી શકે છે.

Indian Hotels

Indian Hotels : હોટલ્સ સેક્ટરના આ સ્ટોક પર બ્રોકરેજે બુલિશ રેટિંગ આપ્યું છે. શેર પર 415 રૂપિયાનો અપસાઇડ ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ રિપોર્ટ પ્રમાણે 1 વર્ષના સમયમાં શેર 25 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે. નોંધનીય છે કે ઈન્ડિયન હોટલ્સના શેર રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala Portfolio Stocks) ના પોર્ટફોલિયોમાં પણ સામેલ છે.

આ પણ વાંચોઃ Gold Price: સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર, 10 ગ્રામનો ભાવ સાંભળીને તમે દંગ રહી જશો

Sun Pharma :

Sun Pharma: MOFSL એ શેર પર ખરીદીની સલાહ આપી છે. સાથે 1120 રૂપિયાનો અપસાઇડ ટાર્ગેટ આપ્યો છે. રિપોર્ટ પ્રમાણે શેર 1 વર્ષમાં ઈન્વેસ્ટરોને 20 ટકાનું રિટર્ન આપી શકે છે.

HDFC Bank :

HDFC Bank: દેશની સૌથી મોટી ખાનગી બેન્કના સ્ટોક પર MOFSL એ બાયનું રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ રિપોર્ટ પ્રમાણે શેર લગભગ એક વર્ષના સમયમાં 1930 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.

Tata Motors :

Tata Motors : ટાટા ગ્રુપની આ કંપની પર દિગ્ગજ ઈન્વેસ્ટર ઝુનઝુનવાલા પરિવારનો વિશ્વાસ છે. બ્રોકરેજ રિપોર્ટ પ્રમાણે ઓટો સેક્ટરના આ શેર પર 525 રૂપિયાનો અપસાઈડ ટાર્ગેટ આપ્યો છે.

(ડિસ્ક્લેમર:  અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ/એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે. શેર બજારના રોકાણમાં જોખમ રહેલું હોય છે. એટલે તમે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી શકો છો)

આ પણ વાંચો :-

IPL 2023ની આ ‘મિસ્ટ્રી ગર્લ’નું પંજાબ કિંગ્સ સાથે ખાસ કનેક્શન છે, દરેક મેચમાં લૂંટે છે મહેફિલ

mystery girl IPL 2023
  • Shashi Dhiman Punjab Kings IPL 2023 : IPL 2023 માં દર વખતની જેમ આ સિઝનમાં પણ ઘણી મિસ્ટ્રી ગર્લ્સ સમાચારોમાં છે. આ મિસ્ટ્રી ગર્લ્સને સોશિયલ મીડિયા પર ઘણી સર્ચ કરવામાં આવી રહી છે.

આ બધાની વચ્ચે પંજાબ કિંગ્સની (Punjab Kings) જર્સીમાં એક છોકરીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પંજાબ કિંગ્સની દરેક મેચમાં આ મિસ્ટ્રી ગર્લ (Mystery Girl) જોવા મળતી હતી. ચાલો તેની કેટલીક શ્રેષ્ઠ તસવીરો જોઈએ અને તમને આ મિસ્ટ્રી ગર્લ વિશે જણાવીએ.

પંજાબ કિંગ્સની દરેક મેચમાં સ્ટેડિયમમાં દેખાતી આ મિસ્ટ્રી ગર્લનું નામ છે શશિ ધીમાન (Shashi Dhiman). શશિ ધીમાન (Shashi Dhiman) ટીમના સોશિયલ મીડિયા પેજ માટે એન્કરિંગનું કામ કરી રહ્યા છે.

IPL 2022: Meet Punjab Kings' 'mystery girl' Shashi Dhiman who also a  stand-up comedian - In Pics | News | Zee News

શશિ ધીમાન (Shashi Dhiman) પંજાબ કિંગ્સની યુટ્યુબ ચેનલ, ઈન્સ્ટાગ્રામ વિડીયો અને રીલ્સમાં પણ દેખાય છે. આ સિવાય શશિ ધીમાન (Shashi Dhiman) પંજાબ કિંગ્સ ટીમના મેચ પહેલાં અને પોસ્ટના વીડિયો પણ એન્કર કરે છે. આ દરમિયાન શશિ તેની ટીમના નબળા અને મજબૂત પાસાઓ વિશે પણ ચર્ચા કરે છે.

શશિ ધીમાન (Shashi Dhiman) ચંડીગઢની રહેવાસી છે. શશિ ધીમાન વર્ષ 2020 થી મુંબઈમાં રહે છે. શશિ ધીમાન (Shashi Dhiman) એન્કરિંગ કરતા પહેલા સ્ટેન્ડ અપ કોમેડી કરતી હતી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા વીડિયો પણ શેર કર્યા છે. જે સ્ટેન્ડ અપ કોમેડી છે.

IPL Mystery Girl Know Who Is Shashi Dhiman Who Is Seen In Field In Every  Match | IPL Mystery Girl: जानें कौन है ये मिस्ट्री गर्ल, जो हर मैच में  पंजाब किंग्सશિ ધીમાને (Shashi Dhiman) મેડિકલ સાયન્સમાંથી અભ્યાસ કર્યો છે. શશી ધીમાન પણ ફાર્મા સાયન્ટિસ્ટ છે. તે ગયા વર્ષથી પંજાબ કિંગ્સ સાથે જોડાયેલી છે. મેચ બાદ તે ખેલાડીઓના ઈન્ટરવ્યુ પણ લે છે.

શશી ધીમાન (Shashi Dhiman) પંજાબી બોલતા પણ જાણે છે. આ કારણથી તે ઘણા વીડિયોમાં ખેલાડીઓ સાથે પંજાબીમાં વાત પણ કરે છે. શશિ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સ્ટેન્ડઅપ કોમેડી કરી રહ્યા છે. તેમણે દિલ્હી, ગુડગાંવ, જયપુર, બાંદ્રા અને થાણેમાં ઘણા શો કર્યા છે.

આ પણ વાંચો :-

લિફ્ટમાં રોકાઈ ગયા 8 લોકોના શ્વાસ ! 1.5 કલાક સુધી ફસાઈ રહી સોસાયટીની લિફ્ટ, આ રીતે બચ્યા જીવ

0
The breath of 8 people stopped

  • Greater Noida News : ગ્રેટર નોઈડામાં 8 લોકો લિફ્ટમાં ફસાઈ જવાના સમાચાર સામે આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે કોઈક રીતે લોકોને બહાર કાઢ્યા હતા. આઠ લોકો લગભગ 1.5 કલાક સુધી લિફ્ટમાં ફસાયા હતા.

પીના ગ્રેટર નોઈડાની ગોલ્ફ ગાર્ડેનિયા સોસાયટી (Golf Gardenia Society) માં લગભગ 1.5 કલાક સુધી લોકોના શ્વાસ અટકી ગયા હતા. સોસાયટીની લિફ્ટમાં દોઢ કલાક સુધી લોકો અટવાયા હતા. બાદમાં ફાયર બ્રિગેડ (Fire Brigade) ની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના ગ્રેટર નોઈડાના (Greater Noida) બીટા વિસ્તાર પોલીસ સ્ટેશનની આલ્ફા ગોલ્ફ ગાર્ડેનિયા સોસાયટીમાં બની હતી. લગભગ 1.5 કલાક સુધી લોકો લિફ્ટમાં ફસાયા હતા.

આ અંગે જાણ થતાં જ ફાયર ઓફિસરે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને લિફ્ટમાંથી 8 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ગ્રેટર નોઈડામાં ફાયર ઓફિસર ઈન્દરપાલ સિંહે જણાવ્યું કે તેમની ટીમે રાહત કાર્ય કર્યું. ગોલ્ફ ગાર્ડેનિયા સોસાયટીમાં લિફ્ટ ફસાઈ જવાના અને લોકો તેમાં બેઠેલા હોવાના અહેવાલ મળ્યા હતા. જે બાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને લિફ્ટમાંથી બહાર કાઢ્યા.

એપાર્ટમેન્ટની લિફ્ટમાં 8 લોકો ફસાયા :

તમને જણાવી દઇએ કે ગોલ્ફ ગાર્ડેનિયા સોસાયટીની લિફ્ટમાં 8 લોકો સવાર હતા. ત્યારે અચાનક લિફ્ટ ફસાઈ ગઈ અને તેમાં હાજર લોકો ડરી ગયા. તેણે અંદરથી લિફ્ટ ખોલવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે સફળતા મળી ન હતી. ત્યારબાદ લિફ્ટ ફસાઈ જવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી.

ફાયર બ્રિગેડની ટીમને સફળતા મળી :

મળતી માહિતી મુજબ લિફ્ટમાં ફસાયેલા 8 લોકોમાં બાળકો અને વૃદ્ધ બંનેનો સમાવેશ થાય છે. દોઢ કલાક સુધી લિફ્ટમાં ફસાયેલા રહ્યા તે દરમિયાન તેમણે હિંમત જાળવી રાખી હતી. ફાયર બ્રિગેડની ટીમના સભ્યોએ પણ તેને પ્રોત્સાહિત કર્યા કે તેને કંઈ નહીં થાય. લિફ્ટ ખોલીને તેમને બહાર કાઢવામાં આવશે.

કેમ ફસાઈ ગઈ લિફ્ટ?

અત્રે ઉલ્લેખનીય છે કે નોઈડા અને ગ્રેટર નોઈડામાં ઘણી હાઈરાઈઝ એપાર્ટમેન્ટની બિલ્ડીંગો છે. તેમાં મોટી સંખ્યામાં લોકો રહે છે. બિલ્ડરોની બેદરકારીના કિસ્સાઓ સામે આવતા રહે છે. યોગ્ય જાળવણીના અભાવે લિફ્ટમાં ખામી સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. જો કે લિફ્ટ કેમ ફસાઈ ગઈ તે તપાસનો વિષય છે.

આ પણ વાંચો :-

રાષ્ટ્રપતિ કરશે ગુજરાતના એસટી ડ્રાઈવરનું સન્માન ! 27 વર્ષમાં કોઈ અકસ્માત નહીં, કે નથી પાડી એક પણ રજા

0

રાષ્ટ્રપતિ કરશે ગુજરાતના એસટી ડ્રાઈવરનું સન્માન ! 27 વર્ષમાં કોઈ અકસ્માત નહીં, કે નથી પાડી એક પણ રજા

  • ગુજરાતના એસટી ડ્રાઈવરનું દિલ્લીના દરબારમાં થશે સન્માન. ગુજરાતના એસટી ડ્રાઈવરનું ફરજ પર શ્રેષ્ઠ કામગીરી માટે રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવશે.

કહેવાય છે કે આળસુઓના પીરને રસ્તો કડી જડતો નથી અને અડગ મનના મુસાફીરને હિમાલય (Himalayas) પણ નડતો નથી. ત્યારે આ કહેવાતને ખરા અર્થમાં સાર્થક કરી છે ખેરાલુના પીરએ. જી હાં ગુજરાત સરકારના એસટી વિભાગમાં (ST Dept) ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરુ મીરની કહાની સાંભળીને તમે પણ કહેશો કે બોસ આ કર્મનિષ્ઠની કર્તવ્ય પરાયણતાને વંદન છે. મૂળ વડનગરના (Vadnagar) વતની અને હાલ મહેસાણાના (Mehsana) ખેરાલુ તાલુકામાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરુ મીરની કહાની જાણવા જેવી છે.

આ છે કરોડપતિ વાળંદ ! શાહરૂખ-સલમાન પણ છે પાછળ, ક્યારેક 5 રૂપિયામાં કાઢતા હતા આખો દિવસ

પીરુભાઈ મીરની ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે પસંદગી થઈ છે. 18મી એપ્રિલે દિલ્લીમાં યોજાનાર સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે તેમનું સન્માન કરવામાં આવશે. મૂળ વડનગરના અને હાલ સતલાસણાના વાવ ખાતે રહેતા પીરુભાઈ છોટુભાઈ મીર અંકલેશ્વર, અંબાજી અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની 27 વર્ષની નોકરી દરમિયાન ક્યારેય રજા લીધી નથી. પ્રામાણિકતા, મુસાફરોની સલામતી તેમજ સુમેળભર્યો વ્યવહાર, ઓવરટાઈમ, વફાદારીપૂર્વક નોકરી, કોઈ અકસ્માતનો બનાવ નહીં. તેમની વિશેષતા રહી.

શું છે આ બસ ડ્રાઈવરની વિશેષતા?

એસટી ડ્રાઈવર તરીકેની 27 વર્ષની ફરજ દરમિયાન એક પણ અકસ્માત કર્યો નથી. એટલું જ નહીં પીરુભાઈએ છેલ્લાં 27 વર્ષમાં ફરજ પર એક પણ રજા લીધી નથી. તેમની સામે કોઈ ખાતાકીય તપાસ પણ નથી.

આ પણ વાંચો :-

 

તલાટીની Exam આપનારા ઉમેદવારો આ વાંચી લેજો : ભૂલથી પણ આ કામ રહી ગયું તો પરીક્ષા નહીં આપી શકો

0

Talati Exam

  • Talati exam : 7 મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા માટે ઉમેદવારોની કન્ફર્મેશન પ્રક્રિયા આજથી શરૂ થશે. કન્ફર્મેશન ન આપનાર ઉમેદવાર પરીક્ષા નહીં આપી શકે.

જે ઉમેદવારોએ તલાટી કમ મંત્રીની (Talati Cum Minister) ભરતી પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે, તેમના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તલાટીની (Talati exam) પરીક્ષાના ઉમેદવારોની આજથી કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. જેઓ આ પરીક્ષા આપવા માંગે છે. તેઓએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત છે. કેન્ફર્મેશન ન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.

ઉમેદવારોએ ભરવાનું રહેશે ફોર્મ

તલાટીની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારોએ આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને કન્ફર્મેશન ફોર્મ ભરવાનું રહેશે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજાશે. જોકે, ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે નહીં પરંતુ હવે 7 મે, 2023ના રોજ લેવાશે.

17.10 લાખ ઉમેદવારોએ ભર્યા છે ફોર્મ :

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા તા.30-04-2023ના રોજ લેવાનું મંડળે આયોજન કર્યું હતું. પરંતુ પરીક્ષાની પ્રક્રિયામાં લાગનાર સમયને ધ્યાનમાં લઇ આ પરીક્ષા હવે તા.30-04-2023ના બદલે આગામી તા.07-05-2023ના રોજ લેવાનો રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેની વિગતવાર જાહેરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષામાં અંદાજે 17,10,386 ઉમેદવારો ભાગ લેવાના છે.

ઉમેદવારોએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત : 

તેઓએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલ એક સ્ટેજ પરીક્ષાઓમાં 40 ટકાથી 50 ટકા જેટલા જ ઉમેદવારો હાજર રહેતા હોવાનું જણાયું છે. જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં ઘણા સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે. આથી આ બાબતને ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપે તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહીં તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય.

આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી કન્ફર્મેશન લેવાની વ્યવસ્થા કરવાનું મંડળે નિર્ણય કર્યો છે.  ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાનું રહેશે, કન્ફર્મેશન નહી આપનાર પરીક્ષા આપી શકશે નહી, એમ મંત્રીએ ઉમેર્યું હતું.

7મી મેના રોજ પરીક્ષા યોજાશે :

શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં જ પરીક્ષા યોજવાનું આયોજન છે. જે બાદ  સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું  અને તેમણે તારીખ જાહેર કરતા જણાવ્યું કે, 7મી મેના રોજ પરીક્ષા યોજાશે.

આ પણ વાંચો :-

એક એવું મંદિર જે આઠ મહિના સુધી હોય છે જળમગ્ન, વર્ષમાં દર્શન માટે ખુલે છે માત્ર 4 મહિના

0

A temple

  • Maharashtra Pune Wagheshwar Temple : પુણેમાં આવેલું વાઘેશ્વર મંદિર ભક્તો માટે ખુલી ગયું છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે વર્ષના 4 મહિના પાણીમાં ડૂબેલું રહે છે. આ મંદિર ઐતિહાસિક છે અને પવના ડેમની અંદર બનેલું છે. આ કારણે મંદિર 8 મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે અને ફક્ત 4 મહિના જ પાણીથી બહાર રહે છે.

મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં (Pune) આવેલુ વાઘેશ્વર મંદિર (Wagheshwar Temple) ભક્તો માટે ખુલી ગયું છે. મોટી સંખ્યામાં ભક્ત ભગવાનના દર્શન કરવા માટે મંદિરે પહોંચી રહ્યા છે. આ મંદિર ખૂબ જ ઐતિહાસિક છે અને પવના ડેમની અંદર બનેલું છે.

આ કારણે મંદિર 8 મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે અને ફક્ત 4 મહિના જ પાણીમાંથી બહાર રહે છે. આ અનોખા મંદિરને જોવા માટે મહારાષ્ટ્રના ખૂણે-ખૂણામાંથી લોકો આવી રહ્યા છે.

1965માં થયું હતું ડેમનું નિર્માણ :

જાણકારી અનુસાર પવના ડેમનું નિર્માણ વર્ષ 1965માં થયું હતું. વર્ષ 1971થી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રીતે આ ઐતિહાસિક મંદિર પાણીમાં ડૂબેલું છે. પવના ડેમના પરિસરમાં બનેલું આ મંદિર ઉનાળામાં ત્રણ-ચાર મહિના પાણી ઓછુ થયા બાદ જ દેખાય છે.

આ વર્ષે માર્ચના અંત સુધી આ મંદિર પાણીથી બહાર આવી ગયું. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ હેમાડપંથી શૈલીમાં લગભગ 700થી 800 વર્ષ પહેલા થયું હતું.

જુનું હોવાના કારણે મંદિરનો મોટાભાગનો ભાગ જર્જરીત :

સંશોધકોએ દાવો કર્યો છે કે મંદિરનું નિર્માણ 11થી 12મી સદીમાં થયું હોવું જોઈએ. કારણ કે મંદિર નિર્માણમાં પથ્થર આસપાસ જોડાયેલા હતા. તેના પર અમુક શિલાલેખ પણ મળ્યા છે.

મંદિરનું આખુ નિર્માણ પથ્થરથી કરવામાં આવ્યું છે. વર્તમાનમાં આ મંદિરનું ફક્ત ખોલ જ બચ્યો છે. મંદિર જુનુ હોવાના કારણે તેનો મોટાભાગનો ભાગ જર્જરીત થઈ ગયો છે. આસ-પાસની દિવાલોને નિશાન પણ છે.

છત્રપતિ શિવાજીએ પણ લીધી હતી વાઘેશ્વર મંદિરની મુલાકાત  :

મંદિરનું શિખર નષ્ટ થઈ ગયું છે અને ફક્ત સભા ભવન બચ્યો છે. આ મંદિરને ચારે બાજુ તિરાડો થઈ ગઈ છે. કહેવાય છે કે કોંકણ સિંધુદુર્ગ અભિયાનને પુરૂ કર્યા બાદ છત્રપતિ શિવાજી મહારાજે વાઘેશ્વરના મંદિરની મુકાત લીધી.

આ મંદિરને જોવા માટે મહારાષ્ટ્રના ખુણે ખુણામાંથી ભક્તો આવે છે. આ ઐતિહાસિક મંદિર પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષણ કરવામાં આવવું જોઈએ.

આ પણ વાંચો :-

PoS મશીનની ઉપર લાગ્યો હતો કેમેરા ! ગૃહ મંત્રાલયે ફોટો શેર કરી ગ્રાહકોને ચેતવ્યા

0

The camera was on the PoS machine

  • ministry of home affairs : ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે કેમેરો POS મશીનની બરાબર ઉપર મૂકવામાં આવ્યો છે. જેમાં ગ્રાહક ખરીદી કર્યા બાદ તેનો પિન દાખલ કરવાનો છે.

Protect your pin: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાજેતરમાં ડેબિટ-ક્રેડિટ (Debit-Credit) અને UPI દ્વારા ચૂકવણી કરનારાઓને ચેતવણી આપતી એક તસવીર શેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલ ફોટો દિલ્હીના (Delhi) વસંત કુંજ સ્થિત ડીએલએફ મોલમાં એડિડાસ સ્ટોરનો છે. આ ફોટામાં, લેવડદેવડ માટે ઉપયોગમાં લેવાતા POS મશીનની ટોચ પર એક કેમેરા દેખાય છે. ગૃહ મંત્રાલયે ચેતવણી આપી છે કે લોકોએ પોતાનો પિન સુરક્ષિત રાખવો જોઈએ અને તેને છુપાવ્યા પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે કેમેરો POS મશીનની બરાબર ઉપર મૂકવામાં આવ્યો છે જેમાં ગ્રાહક ખરીદી કર્યા બાદ તેનો પિન દાખલ કરવાનો છે. આવી સ્થિતિમાં ગ્રાહકની નાણાકીય માહિતી પણ ચોરી થવાનું જોખમ હોઈ શકે છે.

મંત્રાલયે તેના ટ્વીટ સાથે લખ્યું- “તમારા પૈસા બચાવવા માટે તમારા પિનને સુરક્ષિત કરો. POS અથવા ATM મશીનમાં PIN અથવા OTP દાખલ કરતા પહેલા, આસપાસના કેમેરા જુઓ. દિલ્હીના DLF મોલ, વસંત કુંજમાં એડિડાસ સ્ટોરમાં બિલિંગની બરાબર ઉપર મારી પાસે એક કેમેરા હતો. કાઉન્ટર. જાસૂસી કેમેરાથી સાવધ રહો.”

આ પણ વાંચો :-

Most Expensive Restaurant : આ છે દુનિયાની સૌથી મોંઘી રેસ્ટોરેન્ટ, બિલ જોઈને થઈ જશો હેરાન !

Most Expensive Restaurant

  • Expensive restaurants : વિશ્વની સૌથી મોંઘી રેસ્ટોરન્ટ  સબ્લિમોશન સ્પાઇન છે. અહીં સાદું ભોજન જમવા પર પણ તમને નજીકમાં $2000 બિલની ચૂકવણી કરવી પડશે જે ભારતીય રૂપમાં નજીકમાં ₹1,63000 બને છે.

સારું ભોજન લેવાથી લઈને ડેટ પર જવા સુધી દરેક વ્યક્તિ સારી રેસ્ટોરન્ટની શોધમાં હોય છે. આજે અમે તમને એક એવી રેસ્ટોરન્ટ (Restaurant) બતાવવા જઈ રહ્યા છીએ જેનું ઈન્ટીરિયર (Interior) પોતાનામાં જ અનોખું છે. અહીંના ભોજનનો આનંદ માણ્યા બાદ તમે તેમની યાદોને ભૂલી શકશો નહીં.

આ વાંચીને તમે વિચાર્યું જ હશે કે જો અહીં આટલું બધું અનોખું છે, તો ચોક્કસપણે આ રેસ્ટોરન્ટની કિંમત ઘણી વધારે હશે. તમને જણાવી દઈએ કે અહીં જણાવેલી રેસ્ટોરન્ટ દુનિયાની સૌથી મોંઘી રેસ્ટોરન્ટ છે. જેને સબલાઈમેશન તરીકે ઓળખવામાં આવે છે.

1 લાખ 63 હજાર રૂપિયા સુધીનું બિલ આવવું સામાન્ય :

વિશ્વની સૌથી મોંઘી રેસ્ટોરન્ટ સબલાઈમેશન સ્પેનમાં છે. અહીં સામાન્ય ખોરાક ખાધા પછી પણ તમારે લગભગ $2000નું બિલ ચૂકવવું પડશે. જે ભારતીય રૂપિયામાં લગભગ ₹1,63000 થાય છે. ક્યારેક આ બિલ વધુ હોઈ શકે છે. સબલીમોશન રેસ્ટોરન્ટ સ્પેનના ઈબિઝા આઈલેન્ડ પર બનેલ છે.

એમાં બેઠા પછી તમને તમારા મન પ્રમાણેનો નજારો જોવા મળશે. તમે અહીં અવકાશમાં રાત્રિભોજન કરી શકો છો અથવા દરિયાની નીચે બપોરનું ભોજન લઈ શકો છો જેમાં તમારી ઉપર માછલીઓ તરી રહી છે. આનાથી આશ્ચર્ય પામવાની જરૂર નથી કારણ કે જે તેના આંતરિક ભાગને ખૂબ જ ખાસ બનાવે છે. જ્યાં પ્રકાશ અને અવાજ પણ હાજર છે.

કસ્ટમર માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે સબલાઈમેશન :

તમને જણાવી દઈએ કે આ રેસ્ટોરન્ટ એક વિશાળ એક્વેરિયમમાં બનેલી છે અને તે એવા ગ્રાહકો માટે બનાવવામાં આવી છે જેઓ ફૂડ સાથે એડવેન્ચરનો શોખ ધરાવે છે. અહીંના ગ્રાહકો જણાવે છે કે આ રેસ્ટોરન્ટમાં ફૂડ ખાધા પછી તમે અહીંની યાદોને ક્યારેય ભૂલી શકતા નથી અને અહીં જવું એ પોતાનામાં જ એક અલગ પ્રકારનો અનુભવ છે.

આ પણ વાંચો :-

ચેમ્બર્સની મહિલાઓની જાગૃતિ હોદ્દા વહેચી લેતા કારભારીઓ માટે ચેતવણી સમાન

  • વડાપ્રધાન, નાણામંત્રી, વિદેશમંત્રી, બેંકના સીઈઓ સહિતના ક્ષેત્રે મહિલાઓની પસંદગી થઈ શકતી હોય તો ચેમ્બર્સના હોદ્દા ઉપર કેમ નહીં?
  • બિનહરીફની ચોગઠાબાજીમાં દર વર્ષે ગોઠવાઈ જનારાઓ પૈકી મોટાભાગનાઓએ સુરતના વેપાર, ઉદ્યોગ માટે નોંધપાત્ર કામગીરી કરી નથી.
  • સુરત ચેમ્બર્સની મહિલાઓએ પ્રથમ વખત કરેલી હિંમત કાયમી અવગણનામાંથી છુટકારો અપાવશે અને ફરજિયાત મહિલાની પસંદગી કરવાની ફરજ થઈ પડશે.
  • સરસાણામાં ભવ્ય ઈમારત અને કન્વેન્શન સેન્ટર સાકાર કરવા પરસેવો પાડનાર રાજેન્દ્ર ચોખાવાલા, ભરત ગાંધી અને અશોક શાહ વગેરે સામે પણ તાયફા કરવામાં આવ્યા હતા.

સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Sardhan Gujarat Chamber of Commerce) એટલે કે સુરત ચેમ્બરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મહિલાઓએ વહીવટી મંડળમાં (Administrative Board) સ્થાન મેળવવા જંગ માંડ્યો છે. લગભગ સમગ્ર દ‌િક્ષણ ગુજરાતના વેપાર ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા ચેમ્બરના કારભારીઓ આધુનિક ૨૧મી સદીમાં પણ હજુ પણ પુરુષપ્રધાન રહ્યા છે. વિશ્વના પછાત દેશોમાં પણ મહિલાઓને પુરુષ સમોવડી ગણવામાં આવે છે. પરંતુ સુરત ચેમ્બરના (Surat Chamber) કહેવાતા બુદ્ધિજીવી આગેવાનો આજે પણ મહિલાઓને ચેમ્બરના વહીવટી મંડળમાં સ્થાન આપવામાં હિચકાટ અનુભવી રહ્યા છે. પરંતુ હવે મહિલાઓએ બંડ પોકાર્યું છે ત્યારે પુરુષપ્રધાન ચેમ્બરના કારભારીઓની નબળી માનસિકતા ઉઘાડી પડી રહી છે.

અત્યાર સુધી ‘હું બાવો અને મંગળદાસ’ની ટોળકી ચોગઠા ગોઠવતી આવી હતી. પ્રતિવર્ષ ચેમ્બરની ચૂંટણી જાહેર થાય એટલે છાપેલા કાટલા જેવા બની બેઠેલા કહેવાતા આગેવાનો વણનોતર્યા મધ્યસ્થી બનીને કૂદી પડતા હતા અને આપસી સમજૂતી કરીને ચૂંટણી ટાળી દેતા હતા અને પોતે જાણે કોઈ ‘મીર માર્યો’ હોય કે પોતે જ ‘‌કિંગમેકર’ હોય એવો લોકોને અહેસાસ કરાવતા આવ્યા હતા.

પરંતુ પાછલા કેટલાક સમયથી આવા આગેવાનોની પોલ ક્રમશઃ ખુલ્લી પડી રહી છે અને સુરત પૂર્વના લોકોના ચેમ્બરમાં પગપેસારા પછી આવા બની બેઠેલા ‘કિંગમેકરો’ની  હવા નીકળી રહી છે.

ખેરખર તો નીલેશ માંડલેવાળા, પરેશ પટેલ ચૂંટણી લડ્યા ત્યારથી ચેમ્બરમાં પરિવર્તનની હવા ફુંકાઈ હતી. નીલેશ માંડલેવાળા વિવાદનો સામનો કર્યા વગર પોતાની અન્ય પ્રવૃત્તિ તરફ વળી ગયા હતા અને ચેમ્બરના કારભારમાં રસ લેવાનું માંડી વાળ્યું હતું ત્યારબાદ પરેશ પટેલે જૂના જોગીઓ સામે મોરચો માંડ્યાે હતાે પરંતુ સરવાળે પરેશ પટેલ પણ નમાલા નહીં પરંતુ નિષ્ફળ પુરવાર થયા હતા અને ચેમ્બરને રામરામ કરીને પરેશ પટેલે સી.આર. પાટીલનો હાથ પકડીને ભાજપના ભગવા રંગથી રંગાઈ જતા આખરે ભાજપની છાવણીમાં પરેશ પટેલનો મજબૂત ઉદય થયો હતો અને આજે સુરત મહાપાલિકાનું સર્વોચ્ચ પદ ગણાતા સ્થાયી સમિતિના ચેરમેનપદ ઉપર બિરાજમાન છે.

ચેમ્બરના રાજકારણમાં બી.એસ. અગ્રવાલ હંમેશા જરૂર કરતા વધારે સક્રિય રહ્યા છે. બી.એસ. અગ્રવાલ છાશવારે ચેમ્બરમાં લવાદી કરવા પહોંચી જાય છે. પરંતુ બી.એસ.અગ્રવાલને કદાચ અહેસાસ નહીં હોય કે બદલાયેલા ચેમ્બરના રાજકારણમાં બી.એસ.અગ્રવાલની નોંધ લેનારા કે શરમ ભરનારા હવે રહ્યા નથી.

ખેર ચેમ્બરનો ભૂતકાળ ખૂબ લાંબો છે. એક જમાનામાં પ્રભાવશાળી શ્રેષ્ઠી આગેવાનો ચેમ્બરનું નેતૃત્વ કરતા હતા જેનું નામ સાંભળીને આપોઆપ આદર આપવાનું મન થઈ જાય એવા પવિત્ર લોકો હતા. સુરત નાનું હતું પરંતુ ચેમ્બરના આગેવાનોના દિલ મોટા હતા. આવા ખમતીધર આગેવાનો વેપાર-ઉદ્યોગ માટે ઘણું ઘણું કરી ગયા છે.
બદલાયેલી સ્થિતિમાં સુરત વધીને ૬૫થી ૭૦ લાખનું થયું.

હવે માત્ર ટેક્સટાઈલ જ નહીં કેમિકલ્સ, એન્જિનિયરિંગ, ડાયમન્ડ, પ્લાસ્ટિક સહિત અનેક ઉદ્યોગોનો ઉમેરો થયો છે. મહિલા આધારિત વેપાર અને ઉદ્યોગોએ પણ સુરતમાં કાઠું કાઢ્યું છે. આવા સંજોગોમાં ચેમ્બરના વહીવટી માળખામાં હવે મહિલાઓને સ્થાન આપવું અનિવાર્ય થઈ ગયું છે.

આ દેશના વડાપ્રધાનપદે, વિદેશ મંત્રાલય, નાણા મંત્રાલય અને બેકિંગ સહિત અનેક ક્ષેત્રે મહિલાઓ સફળ નેેતૃત્વ કરી શકતી હોય તો ચેમ્બર ઓફ કોમર્સમાં કેમ નહીં? વળી વડાપ્રધાન મોદી પણ મહિલાઓ માટે આગ્રહ સેવી રહ્યા છે એવા સમયે સુરત ચેમ્બરના પુરુષપ્રધાન અને સ્વાર્થી નીકળેલા આગેવાનોને પાઠ ભણાવવા આ વખતે ચેમ્બરની સભ્ય મહિલાઓએ જબરજસ્ત એકતા દાખવીને મોરચો માંડ્યો છે અને ઉપપ્રમુખપદે બંદના ભટ્ટાચાર્યની વરણી કરવા આગ્રહી બની છે. ચેમ્બરના કારભારીઓ સમજે તો આ એક ઈશારો છે.

હવે એક વાત ચોક્કસ છે કે ચેમ્બરમાં ‌મિલીભગતનું રાજકારણ નહીં ચાલે, દર વર્ષે હોદ્દા વહેંચી લઈને ‘કુલડીમાં ગોળ’ વહેંચી લેતા કારભારીઓ નહીં સમજે તો આવનારા સમયમાં બેઆબરૂ થવાના દિવસો આવશે એ વાત ચોક્કસ છે. ચેમ્બરની ચૂંટણી આગામી ૨૩મી તારીખે યોજાવા જઈ રહી છે. હજુ પણ દિવસો બાકી છે, મહિલાશક્તિને ઓળખવામાં નહીં આવે તો આવનારા સમયમાં સમજૂતીથી હોદ્દેદારોની પસંદગી કરી લેવાનું ભુલી જવું પડશે અને વાતે વાતે ચેમ્બર્સના કારભારીઓ સામે કિચડ ઉડતો હશે અને ચેમ્બરની યાત્રા અધોગતિ તરફ ધકેલાઈ જશે.

વળી ભાઈબંધીમાં હોદ્દાઓની વહેંચણી કરી કારભારીઓએ વેપાર, ઉદ્યોગ માટે નોંધપાત્ર કામગીરી કરી હોવાનું યાદ નથી. આજે પણ ચેમ્બરનો કારોબાર જ્યાં ચાલી રહ્યો છે એ સરસાણાની જગ્યા મેળવવામાં અને ઈમારત સાકાર કરવામાં રાજેન્દ્ર ચોખાવાલા, ભરત ગાંધી, અશોક શાહ સહિત અન્ય નખ‌િશખ શ્રેષ્ઠીઓની આકરી મહેનત અને બળબળતા તાપમાં કરેલી દોડધામને કારણે જ સુરત ચેમ્બર ઓફ કોમર્સના કારભારીઓ ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર સહિતની સુવિધાઓના નામે કોલર ઊંચો રાખીને ફરી રહ્યા છે.

ભૂતકાળમાં ચેમ્બરના ઘણા ટૂંકા પનાના કારભારીઓએ આખી ઈમારત ઊભી કરનાર સેવાભાવી ટ્રસ્ટીઓને પણ તગેડી મૂકવાની ઝુંબેશ ચલાવી હતી, પરંતુ સદનસીબે તેમાં ફાવ્યા નહોતા. હવે મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં અવગણના કરવામાં આવશે તો આવનારા દિવસોમાં ચેમ્બર વિવાદોનો અખાડો બની ગયું હશે.

આ પણ વાંચો :-

Cheapest and Best Colleges : જાણો દેશની સૌથી સસ્તી અને સારી કોલેજો વિશે. ગુજરાતની કઈ ? ખાસ જાણવું જોઈએ

0

Cheapest and Best Colleges

  • એન્જિયરિંગ અભ્યાસએ દુનિયાના સૌથી મોંઘા અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાંનો એક છે. આ કારણોસર મધ્યમ વર્ગના પરિવારોના ઘણા બાળકો એન્જિનિયર બનવાના સપના જોતા હોય છે. પરંતુ એન્જિનિયરિંગની ફીના કારણે તેઓ તેમના સપના પૂરા કરી શકતા નથી. આવી સ્થિતિને જોતા આજે અમે તમને કેટલીક એવી એન્જિનિયરિંગ કોલેજો વિશે જણાવીશું જ્યાં તમે 10 હજારથી 50 હજારની વાર્ષિક ફી ચૂકવીને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી શકો છો.

એન્જિયરિંગ અભ્યાસએ દુનિયાના સૌથી મોંઘા અંડરગ્રેજ્યુએટ (Undergraduate) અભ્યાસક્રમોમાંનો એક છે. આ કારણોસર મધ્યમ વર્ગના પરિવારોના ઘણા બાળકો એન્જિનિયર બનવાના સપના જોતા હોય છે. પરંતુ એન્જિનિયરિંગની (Engineering) ફીના કારણે તેઓ તેમના સપના પૂરા કરી શકતા નથી. આવી સ્થિતિને જોતા આજે અમે તમને કેટલીક એવી એન્જિનિયરિંગ કોલેજો વિશે જણાવીશું જ્યાં તમે 10 હજારથી 50 હજારની વાર્ષિક ફી ચૂકવીને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી શકો છો.

1. જાદવપુર યુનિવર્સિટી, કોલકાતા  :

તમે જાદવપુર યુનિવર્સિટીમાંથી B.Tech ડિગ્રી મેળવી શકો છો. તે દેશની ટોચની B.Tech સંસ્થાઓમાંની એક છે. NIRF રેન્કિંગ 2023 અનુસાર આ સંસ્થાનું રેન્કિંગ દેશમાં 17મું છે. અહીં B.Tech કોર્સની વાર્ષિક ટ્યુશન ફી માત્ર 10 હજાર રૂપિયા છે. એકંદરે 4-વર્ષના B.Tech કોર્સની ફી લગભગ રૂ.1,20,000 સુધી જાય છે. આ સંસ્થામાં પ્રવેશ પશ્ચિમ બંગાળ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (WBJEE) દ્વારા થાય છે.

2. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડા :

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા વિવિધ ઈજનેરી શાખાઓમાં B.Tech કોર્સ ઓફર કરવામાં આવે છે. આ યુનિવર્સિટીની ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટી દેશની અગ્રણી ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સંસ્થા છે. અહીં B.Tech કોર્સની એક વર્ષની ફી લગભગ 30,560 રૂપિયા છે. આ યુનિવર્સિટીમાં પ્રવેશ JEE મેઈન દ્વારા થાય છે.

3. રાષ્ટ્રીય ડેરી સંસ્થા, કરનાલ :

નેશનલ ડેરી સંસ્થા કરનાલ, હરિયાણામાં આવેલી છે. તેની સ્થાપના 1955માં થઈ હતી. આ સંસ્થામાંથી તમે ડેરી ટેકનોલોજીમાં B.Tech ડિગ્રી મેળવી શકો છો. સમગ્ર દેશમાં ડેરી એન્જિનિયરિંગમાં B.Tech માટે આ શ્રેષ્ઠ સંસ્થા છે. અહીં B.Tech કોર્સની એક વર્ષની ફી લગભગ 32 હજાર રૂપિયા છે. અહીં B.Tech કોર્સમાં પ્રવેશ માટે ઓલ ઈન્ડિયા એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા પ્રવેશ આપવામાં આવે છે.

4. અલાગપ્પા ચેટ્ટિયાર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી :

અલાગપ્પા ચેટ્ટિયાર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી તમિલનાડુના કરાઈકુડીમાં સ્થિત છે. આ સરકારી કોલેજ છે. તે તમિલનાડુની અન્ના યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. આ કોલેજ 5 થી વધુ વિષયોમાં B.Tech અભ્યાસક્રમો પ્રદાન કરે છે. અહીં B.Tech કોર્સની વાર્ષિક ફી રૂ. 39,560 છે. આ કોલેજમાં એડમિશન લેવા માટે, તમારે તમિલનાડુ એન્જિનિયરિંગ એડમિશન ટેસ્ટ (TNEA)માંથી પસાર થવું પડશે. તે રાજ્ય કક્ષાની પ્રવેશ પરીક્ષા છે.

5. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી :

જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની ગણના દેશની ટોચની યુનિવર્સિટીઓમાં થાય છે. તે એક સેન્ટ્રલ યુનિવર્સિટી પણ છે. આ યુનિવર્સિટી દેશની રાજધાની દિલ્લીમાં આવેલી છે. B.Tech ઉપરાંત અન્ય ઘણા અભ્યાસક્રમો પણ અહીં ચલાવવામાં આવે છે. જો કે અહીં B.Tech કોર્સની ફી 43,400 રૂપિયા છે. અહીં આ કોર્સમાં પ્રવેશ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન મેઈન (JEE Main) દ્વારા આપવામાં આવે છે.

આ પણ વાંચો :-