




મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા, વરિષ્ઠ સચિવો, ઉચ્ચ અધિકારીઓ, વિષય તજજ્ઞોની વિશેષ ઉપસ્થિતિમાં 5મીથી 7મી-મે દરમ્યાન અડાલજ ત્રિ-મંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’ યોજાશે. જેમાં વિઝન-2030: ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય-જેવી મહત્વકાંક્ષી થીમ પર આધારિત આ ચિંતન શિબિરમાં રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મનોમંથન કરાશે.
આ શિબિરમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા યોજાયેલી એકશન સેમિનારમાં થયેલી ચર્ચાના વ્હાઇટ પેપર્સ અને તેના ઉપર થયેલી કાર્યવાહીની પણ ચર્ચા વિચારણા કરાશે અને શિબિરના અંતે મહેસૂલ વિભાગ માટે એક સ્પષ્ટ અને અમલી બનાવી શકાય તેવો એક મજબૂત રોડમેપ તૈયાર કરાશે ત્યારબાદ રાજ્યના લેન્ડ ગવર્નન્સમાં ક્રાંતિકારી ફેરફારો લવાશે અને નાગરિક-કેન્દ્રી વહીવટને વધુ મજબૂત બનાવાશે.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત @ 2047ના વિઝનને પરિપૂર્ણ કરવામાં ગુજરાત સૌથી મહત્વપૂર્ણ અને અગ્રીમ ભૂમિકા ભજવશે. ગુજરાતને, વિકસિત રાજ્ય બનાવવામાં મહેસૂલ વિભાગનો તૈયાર થનારો રોડમેપ અગત્યનો પૂરવાર થશે. આ શિબિરમાં મહેસૂલ વિભાગની વર્તમાન નીતિઓની સમીક્ષા કરાશે. વહીવટી પ્રક્રિયા પારદર્શક બનાવવા માટે વહીવટી અડચણોને દૂર કરવાની દિશામાં ચિંતન કરાશે. ડિજિટલ ગવર્નન્સ દ્વારા નાગરિકોને અપાતી સેવાઓમાં વધુ પારદર્શિતા અને ઝડપ લાવવા પર ભાર મૂકાશે. આમ, જમીન વહીવટમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાહેર વિશ્વાસ વધારવા માટે ચિંતન શિબિર એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.
સર્વે-રી સર્વે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે વ્યૂહરચના ઘડાશે
આ મહત્વપૂર્ણ ચિંતન શિબિર દરમિયાન પેપરલેસ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, ઓનલાઇન કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, જનસેવામાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટેના પ્રયાસો, આવક રેકર્ડના ડિઝિટાઇજેશન અને અપડેશન જેવા વિવિધ મહત્વના વિષયો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરાશે. આ ઉપરાંત, જમીન માપણી (સર્વે-રી સર્વે) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી બાબતોમાં આધુનિક વ્યૂહરચનાઓ ઘડવામાં આવશે.
ઉચ્ચાધિકારીઓ-વિષય તજજ્ઞો પરામર્શ કરશે
આ ચિંતન શિબિરમાં જિલ્લા કલેક્ટરો, પ્રાંત અધિકારીઓ સહિતના ક્ષેત્રિય અધિકારીઓ સહિત ISRO, BISAG-N, IIT, IIM, IGNOU, સર્વે ઓફ ઇન્ડિયા સહિતના નિષ્ણાતો પણ સહભાગી થશે. વિવિધ વિષયો પર ગ્રુપ ડિસ્કશન, કેસ સ્ટડીઝ અને નિષ્ણાતોના વ્યાખ્યાનો દ્વારા જ્ઞાનનું આદાન-પ્રદાન કરાશે. મહેસૂલ વિભાગમાં જરુરી વહીવટી સુધારાઓ માટે અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ અને કાયદાકીય નિષ્ણાતો સાથે પણ પરામર્શ કરી શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં આ વખતે અત્યાર સુધીનું સૌથી આક્રમક ચૂંટણી આયોજન થયું હતું. ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી હતી. મતદાન બાદ હવે લોકોમાં ભારે ઉત્સુકતા છે કે રાજ્યમાં મમતા દીદીના નેતૃત્વ હેઠળ તૃણમૂલ કોંગ્રેસ ચોથી વાર સત્તામાં વાપસી કરશે કે ભાજપ ઐતિહાસિક જીત મેળવી પ્રથમવાર સરકાર બનાવશે. રાજ્યના 23 જિલ્લાઓમાં 77 કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે 293 વિધાનસભા બેઠકોની મતગણતરી ચાલી રહી છે, જેમાં કુલ 2,926 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થવાનો છે.
મગરાહટ પૂર્વ બેઠક પર TMC આગળ
પશ્ચિમ બંગાળની મગરાહટ પૂર્વ બેઠક પર કડક ટક્કર ચાલી રહી છે. અહીં તૃણમૂલ કોંગ્રેસની શર્મિષ્ઠા પુર્કેત 5,501 મત (+87) સાથે આગળ છે, જ્યારે ભાજપના ઉત્તમ કુમાર બણિક 5,414 મત સાથે બીજા સ્થાને છે.
સિંગૂર બેઠક પર ભાજપના અરુપ કુમાર દાસ આગળ
સિંગૂર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના અરુપ કુમાર દાસ 9,643 મત (+629) સાથે આગળ ચાલી રહ્યા છે, જ્યારે તૃણમૂલના બેચારામ મન્ના 9,014 મત સાથે બીજા નંબરે છે.
નકાશીપારા બેઠક પર TMCના કલોલ ખાન આગળ
નકાશીપારા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના કલોલ ખાન 7,144 મત (+1087) સાથે આગળ છે, જ્યારે ભાજપના સાંતનુ દે 6,057 મત સાથે બીજા સ્થાને છે.
મહેશતલા બેઠક પર TMCનો મોટો લીડ
મહેશતલા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના સુભાસિસ દાસ 12,910 મત (+11,349)ના મોટા અંતરથી આગળ છે, જ્યારે ભાજપના સાયન બેનર્જી 1,561 મત સાથે બીજા નંબરે છે.
કૂચબિહાર દક્ષિણ બેઠક પર TMC આગળ
કૂચબિહાર દક્ષિણ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના અભિજીત દે ભૌમિક 6,606 મત (+3,370) સાથે આગળ છે, જ્યારે ભાજપના રતીન્દ્ર બોસ 3,932 મત સાથે બીજા સ્થાને છે.
માલદા બેઠક પર ભાજપ આગળ
માલદા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ગોપાલ ચંદ્ર સાહા 6,307 મત (+2,375) સાથે આગળ છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસની લિપિકા બર્મન ઘોષ 3,932 મત સાથે બીજા સ્થાને છે.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટીમાં સોમવારે મોટો ઉછાળો નોંધાયો છે. આજે બંગાળ, કેરળ, તમિલનાડુ, અસમ અને પોંડુચેરી રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યા છે. આજે સેન્સેક્સ 350 પોઇન્ટ ઉછળી 77,257 ખુલ્યો હતો. બંગાળના ચૂંટણી પરિણામમાં ભાજપની જીતની અપેક્ષાએ સેન્સેક્સ 900 પોઇન્ટથી વધુ ઉછળ્યો અને 77800 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 70 પોઇન્ટ વધી 24,063 ખુલ્યો હતો, ત્યારબાદ 270 પોઇન્ટ જેટલો વધીને ટ્રેડિંગ કરી રહ્યો છે.
બંગાળ, કેરળ, તમિલનાડુ, અસમ અને પોંડુચેરી રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઇ રહ્યા છે. બંગાળના ચૂંટણી પરિણામમાં ભાજપ આગળ દેખાય છે. આ રાજ્યોની વિધાસભાન ચૂંટણી પર આજે શેરબજારની બાજ નજર રહેશે.
વોડાફોન આઈડિયા કંપનીનો શેર આજે 10 ટકા ઉછળ્યો અને 11.24 રૂપિયા ખુલ્યો હતો. ટેલીકોમ વિભાગ દ્વારા એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR)ના બાકી લેણાં રૂ. 23,649 કરોડથી ઘટાડીને 64,046 કરોડ રૂપિયા કર્યા છે, જે અગાઉ 87,695 કરોડ રૂપિયા હતા. AGR દેવામાં રાહત મળવાથી વોડાફોન આઈડિયા કંપનીનો શેર ઉછળ્યો છે. જો કે ત્યારબાદ વોડાફોન આઈડિયાનો શેર 5 ટકાની મજબૂતીમાં 10.60 રૂપિયા આસપાસ બોલાઇ રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન મોટા ભાગે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ હવે મતગણતરીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. છૂટાછવાયા હિંસાના બનાવો સિવાય કોઈ મોટી અશાંતિ નોંધાઈ નથી, ત્યારે સુરક્ષા એજન્સીઓએ 2.4 લાખથી વધુ જવાનોને તૈનાત કર્યા છે અને 4000 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) સક્રિય રાખી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા પાંચ કેન્દ્રીય દળોના મહાનિર્દેશકો પણ મેદાનમાં ઉતર્યા છે, જ્યારે 142 મતવિસ્તારોમાં CAPF ની 2300થી વધુ કંપનીઓ અને 300થી વધુ સશસ્ત્ર વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. કોલકાતામાં મલ્ટી-CAPF કંટ્રોલ રૂમ, રાજ્ય પોલીસ કંટ્રોલ રૂમ અને ગુપ્તચર એજન્સીઓ સતત મોનીટરીંગ કરીને સમગ્ર પરિસ્થિતિ પર કડક નજર રાખી રહી છે.
કેન્દ્રીય દળોની તૈનાતી પર રાજકીય ટકરાવ
મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કેન્દ્રીય દળોની ભારે તૈનાતી પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે વ્યંગ્ય કરતા કહ્યું કે હવે ફક્ત રાફેલ જેટ અને INS જહાજોની તૈનાતી બાકી છે. મમતા બેનર્જી અને અખિલેશ યાદવે પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને નિશાન બનાવ્યું હતું.
ચૂંટણી બાદ પણ સુરક્ષા યથાવત રહેશે
ચૂંટણી પૂર્ણ થયા પછી પણ બંગાળમાંથી દળો પાછા ખેંચાશે નહીં. અગાઉ ચૂંટણી બાદ હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ વખતે 500 કંપનીઓ યથાવત રહેશે. તેમાં CRPF, BSF, CISF, ITBP અને SSB ના દળોનો સમાવેશ થાય છે. ગૃહમંત્રી અમિત શાહે પણ દળોની કામગીરીની પ્રશંસા કરી હતી.
ડીજી સ્તરે પેટ્રોલિંગ અને નિરીક્ષણ
ચૂંટણી દરમિયાન CRPF ડીજી જીપી સિંહ સહિત ઉચ્ચ અધિકારીઓએ મેદાનમાં ઉતરી પેટ્રોલિંગ કર્યું અને મતદારો સાથે વાતચીત કરી. અન્ય દળોના ડીજીઓએ પણ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી.
સાત તબક્કામાં દળોની વિશાળ તૈનાતી
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી માટે ફેબ્રુઆરીથી જ તૈયારીઓ શરૂ થઈ હતી. કુલ 2400થી વધુ કંપનીઓ સાત તબક્કામાં મોકલવામાં આવી હતી. પ્રથમથી અંતિમ તબક્કા સુધી BSF, CRPF, ITBP, SSB અને CISF ની મોટી સંખ્યામાં કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. સાથે જ RPF અને SAP દળોને પણ ચૂંટણી ફરજ માટે જોડવામાં આવ્યા હતા.
કેન્દ્રીય દળોને મતદાન કેન્દ્રોની સુરક્ષા, પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી, જેના કારણે બંગાળમાં ચૂંટણી મોટા પાયે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકી છે.
ધો-12 સાયન્સનું 84.33% અને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું છે. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા.
વિદ્યાર્થીઓનું 90.10 ટકા પરિણામ અને વિદ્યાર્થિનીઓનું 95.41 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું 5.31 ટકા વધારે પરિણામ આવ્યું છે.

વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલ સરળ પગલાંને ફોલો કરીને તેમના પરિણામો ચકાસી શકે છે:
પરિણામ-ચકાસણી પ્રક્રિયાને સરળ બનાવતા બોર્ડે વિદ્યાર્થીઓને ફક્ત 6-અંકના સીટ નંબરનો ઉપયોગ કરીને તેમના પરિણામો જોવાની સુવિધા આપી છે. વિદ્યાર્થીઓને તેમની જન્મ તારીખ, નોંધણી નંબર અથવા અન્ય કોઈપણ વધારાની માહિતીની જરૂર રહેશે નહીં. મુખ્ય પરિણામ પોર્ટલ પર ફક્ત સીટ નંબર દાખલ કરીને પરિણામો મેળવી શકાય છે.
ગુજરાત બોર્ડ સામાન્ય રીતે પરિણામ સાથે પ્રવાહ મુજબના આંકડા અને જિલ્લા મુજબના પ્રદર્શન ડેટા જાહેર કરે છે. આમાં ગુજરાતના વિવિધ પ્રદેશોમાં નોંધાયેલા, હાજર રહેલા અને પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યાનો સમાવેશ થાય છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB), ગાંધીનગર, આજે સવારે 10 વાગ્યે ધોરણ 12 HSC ના પરિણામો જાહેર કરશે . બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ HSC ના સ્કોર પ્રકાશિત થયા પછી તેમના સીટ નંબર દાખલ કરીને સત્તાવાર વેબસાઇટ, gseb.org પર તેમના પરિણામો ચકાસી શકે છે. GSEB ના પરિણામો, પૂરક પરીક્ષાઓ અને અભ્યાસક્રમ વિશે વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો.
GSEB HSC પરિણામો કેવી રીતે તપાસવા અને ડાઉનલોડ કરવા?
GSEB ના ગાંધીનગર કાર્યાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર જાહેરનામા અનુસાર , ધોરણ 12 ની પરીક્ષાઓ (વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યાવસાયિક પ્રવાહ, UUB પ્રવાહ) ના પરિણામો GUJCET 2026 અને સંસ્કૃત માધ્યમા સાથે જાહેર કરવામાં આવશે .
ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ ની પરીક્ષા ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ સુધી ૨૦ દિવસ સુધી યોજાઈ હતી. ધોરણ ૧૨ ની પરીક્ષાઓ બપોરે ૩ વાગ્યાથી સાંજે ૬:૧૫ વાગ્યા સુધી ઓફલાઈન મોડમાં એક જ શિફ્ટમાં યોજાઈ હતી. રાજ્યભરના ૧,૭૦૧ પરીક્ષા કેન્દ્રો પર ૧૫,૨૭,૭૨૪ વિદ્યાર્થીઓએ GSEB ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા આપી હતી.
ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરવા માટે, વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩ ટકા અને કુલ ૩૩ ટકા ગુણ મેળવવા જરૂરી છે. ઉપરાંત, તેમણે બધા વિષયોમાં ઓછામાં ઓછો ‘ડી’ ગ્રેડ મેળવવો આવશ્યક છે. વિદ્યાર્થીઓને GSEB પરિણામોના નવીનતમ અપડેટ્સ માટે ફક્ત સત્તાવાર સાઇટ તપાસવાની સલાહ આપવામાં આવે છે.
આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. તાજા વલણો અનુસાર, તમિલનાડુના CM સ્ટાલિન તેમની કોલાથુર બેઠક પરથી પાછળ પડી ગયા છે. બીજી તરફ, શરૂઆતી વલણો અનુસાર, અભિનેતા વિજયની પાર્ટી TVK લગભગ 88 બેઠકો પર આગળ ચાલી રહી છે.
જોકે, ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, TVK 18 બેઠકો પર આગળ ચાલી રહી છે. AIDMK 20 અને DMK 9 બેઠકો પર આગળ છે.
કેરળમાં LDF ને 38 બેઠકો પર લીડ મળી છે. પરંતુ UDF બાજી પલટાવતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ સમર્થિત UDF ને 98 બેઠકો પર લીડ મળી છે.
આસામમાં ભાજપને 73 બેઠકો પર અને પુડુચેરીમાં ભાજપને 22 બેઠકો પર લીડ મળી છે. તમિલનાડુમાં DMK 46 બેઠકો પર આગળ ચાલી રહી છે.
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા જાહેર
આસામમાં BJP 17 બેઠકો પર આગળ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈ અનુક્રમે જાલુકબારી અને જોરહાટ વિધાનસભા બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
આસામ જાતીય પરિષદના અધ્યક્ષ લુરિનજ્યોતિ ગોગોઈ પણ ખોવાંગમાં આગળ છે. સત્તાધારી ભાજપ 17 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ આઠ બેઠકો પર આગળ છે.
કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતાઓ પ્રદ્યુત બોરદોલોઈ અને ભૂપેન બોરા, જેઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા, તેઓ અનુક્રમે દિસપુર અને બિહપુરિયા બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
આસામ ચૂંટણીમાં BJP 10 બેઠકો પર આગળ, કોંગ્રેસ 6 બેઠકો પર આગળ
આસામની 126 વિધાનસભા બેઠકોમાંથી, સત્તાધારી ભાજપ 10 બેઠકો પર આગળ છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ છ બેઠકો પર આગળ છે. ચૂંટણી પંચે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી.
રાજ્યની તમામ 126 વિધાનસભા બેઠકો પર 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું. ચૂંટણીમાં 722 ઉમેદવારો મેદાનમાં છે.
ભારતીય રાજનીતિ માટે આજે અતિ મહત્વનો દિવસ છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મતગણતરી પ્રક્રિયા સવારે 8:00 વાગ્યાથી શરુ થઇ ગઇ છે. આ પરિણામો માત્ર પ્રાદેશિક સત્તા જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ આગામી રાજકીય દિશા નક્કી કરશે.
સમગ્ર દેશની નજર પશ્ચિમ બંગાળ પર કેન્દ્રિત છે. જો મમતા બેનર્જી સત્તા જાળવી રાખવામાં સફળ રહે છે, તો તે પ્રાદેશિક પક્ષો માટે ભાજપ સામે એક મોટી જીત ગણાશે. જોકે, જો ભાજપ વિજયી બને છે, તો તે સાબિત કરશે કે ભાજપ પ્રાદેશિક પક્ષોને તેમના ગઢમાં જ હરાવી શકે છે, જેમ કે અગાઉ ઓડિશા અને દિલ્હીમાં જોવા મળ્યું હતું. બંગાળની 294 બેઠકોમાંથી આજે 293 બેઠકો માટે મતગણતરી થશે, કારણ કે ફાલ્ટા બેઠક પર અનિયમિતતાને લીધે 21 મેના રોજ નવેસરથી મતદાન યોજાશે. સુરક્ષા માટે QR કોડ આધારિત ઓળખ કાર્ડ અને ત્રણ-સ્તરીય સુરક્ષા ઘેરો ગોઠવવામાં આવ્યો છે.
કેરળમાં પરિણામો ડાબેરીઓ માટે નિર્ણાયક છે. જો LDF હારી જાય છે, તો દાયકાઓમાં પ્રથમ વાર દેશભરમાં કોઈપણ રાજ્યમાં ડાબેરીઓની સરકાર નહીં રહે. બીજી તરફ, એક્ઝિટ પોલ્સમાં યુડીએફ (UDF) અને કોંગ્રેસના વિજયની આગાહી કરવામાં આવી છે. જો કોંગ્રેસ અહીં જીતે છે, તો તેલંગાણા અને કર્ણાટક બાદ દક્ષિણ ભારતમાં તેનું આ ત્રીજું શાસિત રાજ્ય બનશે. ભાજપ પણ અહીં 2024ની લોકસભા જીત બાદ વિધાનસભામાં ખાતું ખોલાવવાની આશા રાખી રહ્યું છે.
તમિલનાડુમાં લગભગ પાંચ દાયકાથી ચાલી આવતા ડીએમકે (DMK) અને એઆઈએડીએમકે (AIADMK) ના વર્ચસ્વને અભિનેતા વિજયની નવી પાર્ટી ‘ટીવીકે’ (TVK) પડકારી શકે છે. એક્ઝિટ પોલ્સ મુજબ ડીએમકેની જીતની સંભાવના છે, પરંતુ ‘એક્સિસ માય ઇન્ડિયા’ એ ટીવીકે માટે સ્વતંત્ર સત્તાની આગાહી કરી છે. આ પરિણામો નવા રાજકીય જોડાણોને જન્મ આપી શકે છે, જેમાં કોંગ્રેસ ડીએમકે છોડીને ટીવીકે સાથે પણ જોડાઈ શકે છે.
ભાજપ માટે અહીં સતત ત્રીજી જીત ઉત્તરપૂર્વમાં તેનું વર્ચસ્વ મજબૂત કરશે અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માનું કદ વધારશે. ભાજપે અહીં હિન્દુત્વ અને ઘુસણખોરીના મુદ્દા પર ચૂંટણી રણનીતિ ઘડી છે.
અમદાવાદ શહેરના વ્યસ્ત એસ.જી. હાઇવે પર YMCA ક્લબ પાસે નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે પસાર થતી બસના કારણે થયેલા હવાના દબાણથી લોખંડનું બેરિકેડ ઉડીને રિક્ષા પર પડ્યું, જેના કારણે રિક્ષા પલ્ટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય બે મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
મૃતકની ઓળખ 46 વર્ષીય અજય મહતો તરીકે થઈ છે, જે ત્રાગડ વિસ્તારમાં રહેતા હતા અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ 3 મેના રોજ સવારે ચાંગોદર ખાતે કામ પર જવા માટે રિક્ષામાં નીકળ્યા હતા. જ્યારે રિક્ષા YMCA ક્લબ પાસે વેસ્ટગેટ બિલ્ડિંગ સામે પહોંચી, ત્યારે આ દુર્ઘટના બની.
પ્રાથમિક તપાસ મુજબ, બ્રિજના કામને કારણે માર્ગ પર લોખંડના બેરિકેડ મૂકવામાં આવ્યા હતા. તે દરમિયાન બાજુમાંથી પૂરઝડપે પસાર થતી બસના હવાના પ્રેશરથી બેરિકેડ ઊડીને સીધું રિક્ષા પર પડ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષા પલ્ટી ખાઈ ગઈ અને અજય મહતો તેની નીચે દબાઈ ગયા, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું.
ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.