શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે રવિવારે કાશી અને મથુરા વિશે એક મોટી વાત કહી છે. તેમણે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અયોધ્યા બાદ કાશી અને મથુરાના ધાર્મિક સ્થળો શાંતિપૂર્ણ રીતે મળી ગયા બાદ અમે અન્ય તમામ મંદિરો સંબંધિત મુદ્દાઓને છોડી દઈશું.
ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે રવિવારે એક મોટી અને મહત્વની વાત કહી છે. તેમણે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અયોધ્યા બાદ કાશી અને મથુરાના ધાર્મિક સ્થળો જો શાંતિપૂર્ણ રીતે હિન્દુઓને મળી જાય તો આ મુદ્દાને ત્યાં જ પૂરો કરવામાં આવે અને બીજા કોઈ ધાર્મિક સ્થળો મામલે વિવાદ ઊભો કરવામાં નહીં આવે. ગોવિંદ દેવ ગિરી મહારાજે પત્રકાર પરિષદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે મેં પહેલા જ કહ્યું છે કે ત્રણેય મંદિરો શાંતિપૂર્ણ રીતે મળી જાય તો અમે અન્ય ધાર્મિક સ્થળો પર ધ્યાન આપવાનું પણ ઈચ્છતા નથી, કારણ કે આપણે ભવિષ્યમાં જીવવાનું છે. ભૂતકાળમાં જીવાશે નહીં.