ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં ગેરકાયદે બાંધકામ, દબાણો ઉપર હાથ ધરવામાં આવેલા બુલડોઝર એક્શનના કેસમાં એક મુસ્લિમ સંગઠને દાવો કર્યો હતો કે વર્ષ 1903માં એ જમીન એને આપવામાં આવી હતી જોકે ગુજરાત સરકારે એને ખોટો ગણવતાં કહ્યું હતું કે આ જમીન સોમનાથ ટ્રસ્ટની હતી અને ટ્રસ્ટ એ જમીન ઘણા સમય પહેલાં સરકારને સોંપી ચૂક્યું છે. અરજીકર્તા ખોટા દાવા કરીને એને સાંપ્રદાયિક રૂપ આપી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સોમનાથ મંદિરની આસપાસ કથિત ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પટણી મુસ્લિમ સમુદાયે 1 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સ્થિત અન્ય ઘણા બાંધકામોના કથિત ગેરકાયદેસર તોડી પાડવાનો સંદર્ભ આપવામાં આવ્યો હતો.
તિરસ્કારની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવાના આદેશ બાદ મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. 1 ઓક્ટોબરના રોજ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે બુલડોઝર દ્વારા તોડી પાડવા સામેની અરજીઓની સુનાવણી કરી હતી. આ મામલાએ રાજકીય રંગ પણ લીધો હતો. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ કાર્યવાહીની નિંદા કરી હતી અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો :-