HomeNationalનેપાળ-તિબેટ ભૂકંપમાં 95થી વધુ લોકોનાં મોત

નેપાળ-તિબેટ ભૂકંપમાં 95થી વધુ લોકોનાં મોત

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

નેપાળ-તિબેટ સરહદ પર 7.1ની તીવ્રતાના ભૂકંપના લીધે સમગ્ર ચીન, ભારત, ભૂટાન અને બાંગ્લાદેશમાં આંચકા અનુભવાયા હતા. જેમાં જાનહાનિ અને સંપત્તિના નુકસાનના પ્રથમ અહેવાલો તિબેટમાંથી આવ્યા હતા. વહેલી સવાર 6.35 વાગ્યાથી છેલ્લા છ કલાકમાં ભૂકંપના કુલ 14 આચંકાઓના કારણે ભારે તારાજી સર્જાઈ છે.

ચીનની સમાચાર એજન્સીના અહેવાલ મુજબ 95 લોકો મૃત્યુ પામ્યા હતા અને 130 ઘાયલ થયા હતા. જયારે તિબેટમાં ઘર પડવાના અને નુકશાનના અનેક વિડીયો સ્થાનિકોએ શેર કર્યા છે. દર મિનિટે ભૂકંપના નાના-મોટા આચંકાઓ આવી રહ્યા છે. નેપાળના કાઠમાંડૂમાં પણ શક્તિશાળી ભૂકંપના આંચકાના કારણે લોકો ભયભીત બન્યા હતા. સવારે સાતથી આઠ વાગ્યા સુધીમાં જ ઓછામાં ઓછા છ વખત ભૂકંપના આંચકાઓ આવ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ગત રાત્રે દક્ષિણ ઈરાનમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યું હતું. જો કે આ ભૂકંપને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી, પરંતુ ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img