Saturday, May 16, 2026

પદયાત્રા દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર ફેંકાયો મોબાઈલ, જાણો શું બોલ્યા બાબા?

2 Min Read

પદયાત્રા દરમિયાન બાગેશ્વર ધામના પીઠાધીશ્વર અને કથાકાર આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર કોઈએ મોબાઈલ ફોન ફેંક્યો હતો. આ દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી હિંદુ એકતા યાત્રા કાઢી રહ્યા છે અને આ દરમિયાન જ્યારે તેમની યાત્રા ઉત્તર પ્રદેશના ઝાંસી પહોંચી તો કોઈએ બાબાના ચહેરા પર મોબાઈલ ફોન ફેંક્યો, જે તેમના ગાલ પર વાગી ગયો. બાબાની સાથે આવેલા લોકોએ મોબાઈલ ફોન કબજે કર્યો હતો. આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે કોઈએ તેમને મોબાઈલ ફોન ફેંકીને માર્યો હતો. ફૂલોની સાથે મોબાઈલ ફોન બાબા તરફ ફેંકી દીધો હતો.

આ ઘટનાને લઈને બાબાએ જણાવ્યું કે, “કોઈએ ફૂલો સાથેનો મોબાઈલ ફોન અમારી દિશામાં ફેંક્યો હતો, અને અમને તે મળી ગયો છે.” ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ એકતા યાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે, જ્યાં બાગેશ્વર ધામથી ઓરછા સુધી આ પદયાત્રાને લોકોનો ભરપૂર સમર્થન મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા છે અને માર્ગમાં તેમના સ્વાગત માટે ફૂલહાર કરવામાં આવી રહ્યા છે. આ યાત્રા દરમિયાન એકતા અને સનાતન ધર્મની મજબૂતીના સંદેશાઓ આપવામાં આવી રહ્યા છે.

આ યાત્રા 21 નવેમ્બરે શરૂ થઈ હતી, જેમાં બોલિવુડ અભિનેતા સંજય દત્ત અને ધ ગ્રેટ ખલી પણ જોડાયા છે. આ સાથે બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, બીજેપી ધારાસભ્ય રાજેશ્વર શર્મા અને કોંગ્રેસના ધારાસભ્ય જયવર્ધન સિંહ સહિત અનેક રાજકીય નેતાઓએ પણ યાત્રાને સમર્થન આપ્યું છે. યાત્રા શરૂ કરતા સમયે ધીન્દ્રે શાસ્ત્રીએ કહ્યું હતું કે, “જાતિવાદની જાળમાંથી બહાર આવવું પડશે.” તેમણે હિન્દુ એકતા માટે સૂત્ર આપ્યું – “જાત-પાતની કરો વિદાઇ, આપણે સૌ હિન્દુ ભાઈ-ભાઈ.” યાત્રાના મુખ્ય હેતુમાં સનાતન ધર્મ મજબૂત કરવો અને લોકોમાં ભેદભાવ દૂર કરવાનો પ્રયાસ છે.

આ પણ વાંચો :-

Share This Article