સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના, ખનીજનીની ખાણમાં ચાર મજુરોના દટાઇ જતા મોત

Share this story

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે કરવું છેલ્લી ચોરી થતી હોવાની ફરિયાદો વારંવાર તંત્રને મળી છે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થતી હોવાની રાવ ફરિયાદો ઉઠી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગેરકાયદેસર ચાલતી ખનીજની ખાણોમાં વારંવાર દુર્ઘટનાઓ સર્જાતી હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ખાણોમાં કામ કરતાં મજૂરોના મોત નીપજતા હોવાના બનાવો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યા છે બોટાદના ધારાસભ્ય દ્વારા એક વખત મુખ્યમંત્રીને રજૂઆત દરમિયાન પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ અને તંત્રની રહેમ દૃષ્ટિ હેઠળ ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં દટાઈ જવાના કારણે ૧૦૦થી વધુ મજૂરોના મોત નીપજતા હોય છે તો આવી કાર્બોસિલની ખાણો બંધ કરાવવા અંગે રજૂ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે.

ત્યારે ખાણમાં દુર્ઘટનાના બનાવવામાં ચાર મજૂરોના મોત નીપજ્યા છે હાહાકાર ઉભો થયો છે ત્યારે તે છતાં પણ ખનીજ માફિયા નું કોઈ કાંઈ કરી ના શકતું હોય તેવા પ્રકારનો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉભો થયો છે હવે ખનીજ માફીયાઓ ઉપર ત્યારે કાયદેસરની કાર્યવાહી થશે કારણકે અનેક પરિવારો બરબાદ આ ખનીજ માફિયાઓ કરી રહ્યા છે અને ખનીજ માફીયાઓ આવા મજૂરોના મોત ના સોદાગર બની રહ્યા છે. ત્યારે હાલ સુધી તો કોઈ કાર્યવાહી નથી થઈ પરંતુ હવે કાર્યવાહી થશે કે કેમ તેની સામે સવાલ છે.

ચાર મજૂરોના મોત છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી પોલીસ વિભાગ કે તંત્રએ ન કરી ધટનાને લઇ ખંપાળિયા પંથકમાં દોડધામ મચી છે.ખનીજ માફિયાઓ ઉપર ક્યારે લગામ લાગશે તે એક સવાલ કારણકે તંત્રએ ખાડાઓ અને આવી ગેરકાયદેસર ચાલતી ખાણો પૂરવા માટે 85 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે ત્યારે આ ૮૫ લાખ રૂપિયા હવે ક્યાં ખર્ચ પેટે વપરાયા તેની સામે સવાલ છે કારણ કે આવા સતત આવા પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે લોકો અને મજૂરો આવી ખાણોમાં દટાઈ અને મોતને ભેટી રહ્યા છે ત્યારે 85 લાખ રૂપિયાની ગ્રાન્ટ તો ફાળવવામાં આવી પરંતુ તેનો ક્યાં ઉપયોગ થયો તે સવાલ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફી આવો હદ વટાવતા હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે ભેખડ ઘસી પડવાના કારણે ચાર મજૂરો દટાયા તમામના મોતની નિપજ્યા આ સમગ્ર ઘટના પોલીસ અને પ્રશાસન તમામ જાણતી હતી પરંતુ અત્યાર સુધી આ કોઈપણ તંત્રનો વ્યક્તિ ત્યાં જ્યાં આ પ્રકારની ઘટના બની છે ત્યાં સુધી પહોંચી શક્યો નથી અને ખનીજ માફિયા હોય તો એટલી હદ વટાવી દીધી કે જે મૃતકો છે તેમને ખાડો માંથી બહાર કાઢી અને તેમના અગ્નિ સંસ્કાર પણ કરી નાખ્યા તો પછી હવે આમને તંત્ર નહોતો ડર રહ્યો નથી કારણ કે પુરાવાઓના પણ નાશ કરી રહ્યા છે

આ પણ વાંચો :-