અમરેલી જિલ્લાના ધારીમા લકઝરી બસ પલટતા અકસ્માત સર્જાયો છે. ઉનાથી અમદાવાદ જતી બસ મોડી રાત્રે પલટી ખાતા 18 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોચી છે. ચલાલાના અમરેલી રોડ પર બસ પલટી ખાતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. બસમા સવાર 18 મુસાફરોને ઇજા પહોચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ ઉનાથી અમદાવાદ જતી બસ મોડી રાત્રે ચલાલા જતી ખાનગી બસને અકસ્માત નડયો. મોડી રાત્રે ખાનગી બસને અકસ્માત નડતા લોકોની ભીડ ભેગી થઈ. સ્થાનિક લોકોએ બસના મુસાફરોને બચાવવા પ્રયાસ કર્યો. મોડી રાત્ર અકસ્માત થતા ઇજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા.
દરમિયાન પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી. ધારીના ચલાલા નજીક ખાનગી બસની અકસ્માતની ઘટનામાં મુસાફરોને ઇજાઓ પંહોચી છે. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી સ્થિતિ કાબુમાં લીધી અને ઘાયલ 18 મુસાફરોને ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.
સ્થાનિક લોકોએ બસના મુસાફરોને બચાવવા પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘાયલ 18 મુસાફરોને સારવાર માટે ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ કોઈપણ મુસાફર અત્યારે ગંભીર સ્થિતિમાં હોય તેવું સામે આવ્યું નથી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને કેવી રીતે અકસ્માત સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.