Saturday, May 16, 2026

ભારતે સીરિયામાંથી 75 નાગરિકોને બહાર કાઢ્યા, જાણો વિદેશ મંત્રાલયે કહ્યું ?

2 Min Read

સીરિયામાં સત્તા પરિવર્તન થઇ ગયું છે, વિપક્ષી જૂથ હયાત તહરિર અલ-શામે સીરિયા પર કબજો કરી લીધો છે અને હવે દેશની લગામ તેના હાથમાં આવી ગઈ છે. આ ઉપરાંત કબજા બાદ રાષ્ટ્રપતિ બશર અલ અસદ પણ દેશ છોડીને ભાગી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે પોતાના પરિવાર સાથે ઈઝરાયેલ ગયો છે, જ્યાં તેને આશ્રય આપવામાં આવ્યો છે. સીરિયામાં બગડતી પરિસ્થિતિને જોઈને તમામ દેશો પોતાના નાગરિકોની સુરક્ષામાં લાગેલા છે. ભારતે પણ પોતાના 75 નાગરિકોને સીરિયામાંથી બહાર કાઢ્યા છે.

મોડી રાત્રે વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “ભારત સરકારે તાજેતરની ઘટનાઓને પગલે 75 ભારતીય નાગરિકોને સીરિયામાંથી બહાર કાઢ્યા છે.” તેમાં કહેવામાં આવ્યું કે, “જેઓને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં જમ્મુ અને કાશ્મીરના 44 મુસાફરોનો સમાવેશ થાય છે, જેઓ સઈદા ઝૈનબમાં ફસાયેલા હતા. તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત ફરશે,

વિદેશ મંત્રાલયે કહ્યું કે, “સરકાર વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.” તેમાં કહેવામાં આવ્યું કે, “સીરિયામાં રહેતા ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.” વિદેશ મંત્રાલયે કહ્યું કે, “સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખશે.”

આ પણ વાંચો :-

Share This Article