HomeNationalIIT બાબાની હોટલમાંથી ધરપકડ, જયપુર પોલીસની મોટી કાર્યવાહી

IIT બાબાની હોટલમાંથી ધરપકડ, જયપુર પોલીસની મોટી કાર્યવાહી

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

મહાકુંભ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા IIT બાબા અભય સિંહને જયપુર પોલીસે કસ્ટડીમાં લીધો છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શિપ્રા પથ પોલીસ સ્ટેશનની ટીમે રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલમાં દરોડો પાડીને સોમવારે (માર્ચ 3) IIT બાબા અભય સિંહની અટકાયત કરી હતી. આ કાર્યવાહી બાબા અભય સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યા કરવાની ધમકી આપ્યા બાદ કરવામાં આવી હતી. પોલીસે હોટલમાંથી બાબાની અંગઝડતી કરતા ગાંજો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે બાબા અભય સિંહ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમ અંગે બાબા અભય સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે હોટલમાં પોલીસ આવી હોવાની અને પોતાની ધરપકડ થઈ રહી હોવાની માહિતી આપી છે. વીડિયોમાં બાબાએ જણાવ્યું છે કે, “પોલીસ હોટલમાં આવી ગઈ છે અને તેઓ મારી વસ્તુઓ પેક કરી રહ્યા છે. પોલીસ FIR નોંધી રહી છે.”

IIT બાબાએ કહ્યું, “મહાદેવનો પ્રસાદ છે, બધા બાબાઓ પીવે છે. હવે પોલીસ મારા પર કેસ કરી રહી છે. પોલીસ કહે છે કે આ ગેરકાયદેસર છે. સાધુઓએ જાહેરમાં પીઆ છે, બધાંએ જોયું છે, પ્રૂફ છે. તો પછી બધાંને પકડો.”

IIT બાબાએ વધુમાં કહ્યું, “બધાં ભૂલી ગયા ને, ભોલેનાથનો પ્રસાદ બધું ખતમ. હું કશું સમજાવી રહ્યો નથી. અહીં કોઈ મને મદદ નથી કરી રહ્યું. લોકો ફક્ત મેસેજ કરે છે. હું આખી રાત નદી સુતો. લાઈવ જવા દેતા નહોતા, હવે પરમિશન આપી છે. સંભાળો તમારું સનાતન. હું બીજાં દેશમાં જઈને પણ સનાતન બની શકું છું. સત્યની કમી નથી. પોલીસ મારા સાથે હેપ્પી બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. હું થાકી ગયો છું. હવે મારા પાસે ન પૈસા છે, ન જ કોઈ કોન્ટેક્ટ છે.”

વીડિયોમાં બાબા અભય સિંહ વિવાદાસ્પદ નિવેદન આપતા પણ જોવા મળ્યા હતા. તેમણે ગાંજાને ‘ભોલેનાથનો પ્રસાદ’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “બધા ભૂલી ગયા છે, ભોલેનાથનો પ્રસાદ પૂરો થઈ ગયો છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “હું કોઈને કંઈપણ સમજાવતો નથી. મને અહીં કોઈ મદદ કરતું નથી. લોકો માત્ર મેસેજ કરે છે. મને આખી રાત ઊંઘ નથી આવતી. મને જીવવા દેતા નથી. હવે તેણે પરવાનગી આપી દીધી છે. તમારા સનાતનનું ધ્યાન રાખો. હું બીજા દેશમાં જઈને પણ સનાતન બની શકું છું. સત્યની કોઈ કમી નથી. પોલીસકર્મી મારી સાથે જન્મદિવસની શુભકામનાઓ મનાવી રહ્યો છે. હું થાકી ગયો છું. મારી પાસે કંઈ બચ્યું નથી, ન પૈસા કે સંપર્કો.”

પોલીસ દ્વારા ગાંજો જપ્ત કરવા અંગે બાબા અભય સિંહે વિવાદાસ્પદ રીતે કહ્યું હતું કે, “આ મહાદેવનો પ્રસાદ છે, અને બધા લોકો તેનું સેવન કરે છે.” તેમણે પોલીસને પડકાર ફેંકતા કહ્યું હતું કે, “સાધુઓએ ખુલ્લામાં પ્રસાદ પીધો છે, તેના પુરાવા સૌની સામે છે. તો પહેલા તે બધાને પકડો.”

Subscribe

Latest stories

spot_img