શ્રાવણમાં ભૂલથી પણ ન પહેરતા આ રંગના કપડાં, મહાદેવ થઈ જશે નારાજ 

Share this story
  • શ્રાવણ મહિનામાં ભૂલીને પણ આ ચોક્કસ રંગનાં કપડા ન પહેવા જોઈએ. જાણો ક્યા રંગ છે જેને પહેરવું અશુભ માનવામાં આવે છે ?

શ્રાવણનાં મહિનાની શરૂઆત થવાની છે ત્યારે ભગવાન શિવને પ્રસન્ન કરવા આપણે અનેક મંત્રોચ્ચાર અને પૂજાપાઠ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે શ્રાવણ મહિના દરમિયાન કેટલાક ચોક્કસ રંગનાં કપડા પહેરવાની મનાઈ કરવામાં આવી છે. જાણો ક્યા રંગ છે જેને પહેરવું અશુભ માનવામાં આવે છે ?

બ્લેક/કાળો રંગ :

શ્રાવણનાં મહિનામાં કાળા રંગનાં કપડા ન પહેરવા જોઈએ. આ રંગનાં કપડા પહેરીને પૂજાપાઠ કરવું અશુભ માનવામાં આવે છે. તેથી આ રંગનાં કપડા શક્ય હોય ત્યાં સુધી ન પહેરવું.

ખાખી રંગ :

શ્રાવણ મહિનામાં પૂજાપાઠ કરવાથી ફળ પ્રાપ્તિ થાય છે પરંતુ આ દરમિયાન ખાખી રંગનાં કપડા ન પહેરવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ખાખી રંગનાં કપડા પહેરવાનું ટાળવું.

બ્રાઉન કલર :

શ્રાવણ મહિનામાં બ્રાઉન કલરનાં કપડા પહેરવાની મનાઈ કરવામાં આવી છે. ખાસ કરીને પૂજા સમયે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે આ રંગનાં કપડાં ન પહેરો.

આ રંગનાં કપડા પહેરી શકો છો :

શ્રાવણનાં મહિનામાં લીલા રંગને ઘણો શુભ માનવામાં આવે છે તેથી પૂજા સમયે લીલો, લાલ, પીળો વગેરે રંગનાં કપડા તમે પહેરી શકો છો. લીલા રંગને Good luck તરીકે પણ જોવામાં આવે છે. તેથી શ્રાવણ મહિનામાં ગ્રીન કપડાં અને ગ્રીન બંગળી પહેરવી જોઈએ.

આ પણ વાંચો :-