HomeAstrologyરોજ સવારે કરશો આ ૫ કામ તો દિવાળી પહેલા જ તમારા ઘરમાં...

રોજ સવારે કરશો આ ૫ કામ તો દિવાળી પહેલા જ તમારા ઘરમાં થશે માતા લક્ષ્મીની પધરામણી

Date:

Related stories

સુરતીઓ માટે રાહતના દરવાજા ખૂલ્યા! રાંદેર કોઝવે પર ફરી વાહનવ્યવહાર થશે ચાલુ

સુરતના રાંદેર-સિંગણપોર વિસ્તારમાં રોજ અવરજવર કરતા વાહનચાલકો માટે આજે...

હવે Tower નહીં, સેટેલાઇટથી મળશે Internet! ભારત માટે Satellite Broadbandનો રસ્તો સાફ

આકાશમાંથી સીધું ઇન્ટરનેટ તમારા સુધી પહોંચાડવાનું સપનું હવે અગાઉ...

લ્યો બોલો ભારતીય ક્રિકેટરની બ્રાન્ડના બુટ પહેરી રમ્યું પાકિસ્તાન!

વુમન્સ એશિયા કપ 2026માં પાકિસ્તાન મહિલા ક્રિકેટર નહીં પણ...

વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત કરવા ગુજરાત સરકાર લાવી શકે છે આ નવો નિયમ

ગુજરાતમાં હવે શાળા સંચાલકોની મનમાની પર કડક લગામ કસવાની...
spot_img
  • જ્યોતિષ શાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. તેમાં સૌથી ઝડપથી ફળ આ ૫ કાર્યોનું મળે છે. જો આ ૫ કાર્યો સવારે કરવામાં આવે તો ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માતા લક્ષ્મીની કૃપા તેના પર હંમેશા રહે.  જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ ટકતી નથી. આવા વ્યક્તિના જીવનમાં ધનની ખામી પણ રહેતી નથી. માતા લક્ષ્મીના આગમન સાથે પરિવારમાં સુખ-સંપત્તિ આવે છે. એટલે જ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભક્તો અનેક પ્રકારના ઉપાયો પણ કરે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. તેમાં સૌથી ઝડપથી ફળ આ ૫ કાર્યોનું મળે છે. જો આ ૫ કાર્યો સવારે કરવામાં આવે તો ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે. ઘરમાં સુખ-શાંતિ રહે છે.

સવારે ઉઠયા બાદ કરો આ કામ :

ઘરના મુખ્ય પ્રવેશદ્વારની પૂજા :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દરરોજ સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન કર્યા પછી ઘરના મુખ્ય દ્વારને પાણીથી સાફ કરવું જોઈએ. ત્યારબાદ ત્યાં રંગોળી બનાવો.

એક દીવો પ્રગટાવો :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી મુખ્ય દરવાજાથી જ ઘરમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં રંગોળી બનાવ્યા પછી ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

તુલસીની પૂજા કરો :

હિંદુ શાસ્ત્રોમાં તુલસીનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. આવી સ્થિતિમાં જો તુલસીના છોડની નિયમિત પૂજા કરવામાં આવે અને જળ ચઢાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો :

સવારે જાગીને સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને પ્રણામ કરો અને તેમને અર્ઘ્ય ચઢાવો. એવું કહેવાય છે કે નિયમિત રીતે જળ ચઢાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. ઉપરાંત સમાજમાં માન-સન્માન મળે છે અને કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે.

તિલક લગાવો :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા કર્યા પછી વ્યક્તિએ માથા પર ચંદનનું તિલક લગાવવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img