Thursday, May 22, 2025

મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, સમગ્ર દેશમાં હવે જાતિગણના થશે

1 Min Read

કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મોદી સરકાર આખા દેશમાં જાતિ ગણતરી કરાવશે.

આ સિવાય ખેડૂતોના હિતમાં પણ અનેક નિર્ણયો લેવાયા છે અને હાઈવે સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

જાતિ ગણતરી અંગે વૈષ્ણવે કહ્યું…

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકાર આખા દેશમાં જાતિ ગણતરી કરાવશે. ગણતરી સાથે જાતિઓની પણ નોંધ લેવામાં આવશે. તેમણે જાતિ ગણતરીને લઈને કોંગ્રેસ પર આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસે જાતિ ગણતરીનો ઉપયોગ પોતાનાં રાજકીય ફાયદા માટે કર્યો છે.

છેલ્લી જાતિ ગણતરી 1931માં થઈ હતી. 94 વર્ષ પછી આખા દેશમાં જાતિ ગણતરી થશે. સ્વતંત્ર ભારતમાં આ પ્રથમ વખત છે કે કેન્દ્રીય સરકાર જાતિ ગણતરી કરાવશે.

166.8 કિમી લાંબા 4 લેન હાઈવેને મંજૂરી
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે શિલૉંગથી સિલ્વર કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. 166.8 કિમી લાંબા 4 લેન હાઈવેને મંજૂરી આપવામાં આવી છે. મેઘાલયથી અસમ સુધી નવા હાઈવેને મંજૂરી મળી છે.

ઊસનો FRP વધારાયો
પીએમ મોદીની અધ્યક્ષતામાં સુપર કેબિનેટની મીટીંગ યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રિમંડળના કેટલાક ટોચના મંત્રીઓ હાજર રહ્યા હતા. રાજકીય મામલાની કેબિનેટ કમિટી ‘સુપર કેબિનેટ’ કહેવામાં આવે છે અને તેમાં કેન્દ્રીય મંત્રિમંડળના ટોચના મંત્રીઓ જ સામેલ હોય છે.

Share This Article