પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના પાર્થિવ દેહને દિલ્હી સ્થિત નિગમ બોધ ઘાટ લાવવામાં આવ્યો હતો. અહીં દેશ અને વિદેશના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. મનમોહન સિંહને ગાર્ડ ઓફ ઓનરથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીથી લઈને ભુતાનના રાજા સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ મુખ્યાલયમાં કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી.

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને દિલ્હીના નિગમબોધ ઘાટ પર સંપૂર્ણ રાજકિય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાનના પુત્રીએ તેમને મુખાગ્નિ આપી હતી. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની પત્ની ગુરુશરણ કૌર અને પુત્રી દમન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન કડગે, લોકસબાના વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીએ નિગમ બોધ ઘાટ પર, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને આગ્રહ કર્યો હતો કે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બની શકે. કોંગ્રેસ પાર્ટીએ આગામી સાત દિવસ માટે તેના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.
આજે તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં શક્તિ સ્થળ પાસે પૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર 2024) રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ.મનમોહન સિંહ 92 વર્ષના હતા.
પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર પહેલા લગભગ એક કલાક સુધી કોંગ્રેસ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો હતો. અહીં કોંગ્રેસના કાર્યકરોની સાથે સામાન્ય જનતાએ પણ તેમના અંતિમ દર્શન કર્યા હતા. મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-