HomeGujaratભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, ચારના મોત, એકનો બચાવ

ભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, ચારના મોત, એકનો બચાવ

Date:

Related stories

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
spot_img

ભાવનગરના બોરતળાવમાં ચાર કિશોરીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે. સ્થાનિકો અનુસાર ચારેય કિશોરી તળાવ કાંઠે કપડાં ધોવા માટે ગઈ હતી. જેમાં એક બાળકી પાણીમાં ડૂબવા લાગી હતી. જે બાદ અન્ય કિશોરીઓ બચાવવા માટે પાણીમાં કૂદી પડી. ચાર કિશોરીઓને મૃત જાહેર કરવામાં આવી છે જ્યારે એક સારવાર હેઠળ છે.

મળતી વિગતો અનુસાર આજે બપોરના સમયે ભાવનગરના બોરતળાવમાં છ બાળકો ડૂબ્યા હતી. જેમાં પાંચ બાળકીઓ અને એક બાળક ડૂબી જતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક વિસ્તારના બાળકો કપડા ધોવા અને નાડવા બોરતળાવના કાંઠે ગયા હતા. જે દરમિયાન બાળકો ડૂબી જવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ પાંચ કિશોરીઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી. જેમાંથી ચારના મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી એક બાળકની શોધખોળ શરૂ કરી છે.

મૃતકોના નામ

  • અર્ચનાબેન હરેશભાઈ ડાભી (ઉ.વ.આ.૧૭)
  • રાશીબેન મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.આ.૯)
  • કાંજલબેન વિજયભાઈ જાંબુચા (ઉ.વ.આ.૧૨)
  • કોમલબેન મનીષભાઈ ચારોલીયા ( ઉ.વ.આ.૧૩ )

 સારવાર હેઠળ

  • કિંજલ મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.આ.૧૨ )

ભાવનગર મનપા ચીફ ફાયર ઓફિસર પ્રધુમાનસિંઘ જાડેજાએ જણાવ્યુ કે, બપોરે સાડા ૧૨ વાગ્યાના અરસામાં ફાયરબ્રિગેડને ફોનપર માહિતી મળી હતી કે, બોરતળાવમાં પાંચ દીકરીઓ ડૂબી ગઈ છે. પરંતુ ઘટનાસ્થળે પહોચી તપસ કરતાં સ્થાનિક તરવૈયાઓએ પંચેચ દીકરીઓને બહાર કાઢી હોસ્પિટલ મોકલી હતી. તપસ કરતાં ચારનાં મોત થયાં છે જયારે એકનો જીવ બચી ગયો છે .

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img