પાંચ કોર્પોરેટરોએ ભગવો ધારણ કરતાં ઉમરગામ પાલિકામાં કોંગ્રેસ નામશેષ

Share this story

ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષમાં બચેલા અંતિમ કાર્યકર્તા ગણાતા સક્રિય કોર્પોરેટરોમાં દિલસેર ચૌહાણ વોર્ડ નં.૬, સુરેશ યાદવ વોર્ડ નં.૬, પ્રભાસિંગ વોર્ડ નં.૬, સુભદ્રા મોરિયા વોર્ડ નં.૬, નયના દુબળા ( હળપતિ )વોર્ડ નં.૩ના કોર્પોરેટરો ભાજપના એક લોકાર્પણ અને ખાતમુરતના કાર્યક્રમમાં ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ મચી જવા પામી હતી. ઉમરગામ શહેરમાં કોંગ્રેસ પક્ષની નબળી કામગીરી અને નારાજગી રહેતા તમામે તમામ પાંચ કોર્પોરેટરો ભાજપના વિકાસને અંબાઈને પોતાના વિસ્તારોમાં વણથમ્યો વિકાસ થાય એવી આશાએ ભાજપમાં જોડાયા હતા.

કોંગ્રેસ પક્ષમાં એકમાત્રની સંખ્યામાં રહેલા સુરેશ યાદવ અને દિલશેર ચૌહાણ, છેલ્લા આઠ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા અને કોર્પોરેટર તરીકે સેવા બજાવી હતી. તે સાથે અન્ય ત્રણ મહિલા કોર્પોરેટરો ત્રણ ચાર વર્ષથી કોંગ્રેસમાં સક્રિય રહ્યા હતા. કોંગ્રેસ સાથેનો છેડો ફાડી, કાયમી નાતો તોડી શનિવારના રોજ ઉમરગામ નગરપાલિકાના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમના પ્રસંગમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપ સંગઠન પ્રમુખો,ઉમરગામ તાલુકા ધારાસભ્ય સહિત નગરપાલિકાના પ્રમુખ મનીષ રાઈ કારોબારી સમિતિના અધ્યક્ષ અંકુશ કામલી સહિત અન્ય કોર્પોરેટરો અને ભાજપ શહેર સંગઠનના પ્રમુખ ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ વચ્ચે તમામે તમામ પાંચ કોંગ્રેસી કોર્પોરેટરોને વિધિવત ભગાવોનો કેસ અને ટોપી પહેરાવી ભાજપમાં જોડવામાં આવતા કોંગ્રેસના તળે ધરતી હલવા સમાન ઘટના બની પામતા ઉપરોક્ત કાર્યક્રમમાં નગરપાલિકા હવે કોંગ્રેસ મુક્ત બન્યું હોવાનું સાબિત થયું છે.

આ પણ વાંચો :-