વિજય પ્રકાશ સ્વામી સાથે મારમારી, સુરતમાં જમીન કૌભાંડ સંડોવણીનો આક્ષેપ

Share this story

જુનાગઢમાં વિજય પ્રકાશ સ્વામીને માર માર્યો છે. જેમાં જમીન કોભાંડમાં સમાધાનને લઈને માર માર્યો છે. સુરતમાં જમીન કૌભાંડ સંડોવણી હોવાનો આક્ષેપ થયો છે. તેમજ માર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિજય પ્રકાશ સ્વામિ ગુરુકુલના ટ્રસ્ટી છે. જેમાં વિજય પ્રકાશ સ્વામિ સાથે મારમારી થઈ છે.

સુરતમાં ડુમસ ખાતે થયેલા જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે. સુરતના ડુમસ વિસ્તારની કુલ ૨.૧૭ લાખ ચોરસ મીટર જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. સુરત નજીક આવેલા ડુમસ વિસ્તારની સરકારી માલિકીની અંદાજે રૂ. ૨૦૦૦ કરોડના મૂલ્યની ૨.૧૭ લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.આ જમીનમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર કુમારના વર્ષ ૨૦૧૫ના હુકમ વિરુદ્ધ જઈ ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિતનાએ કલેકટર સામે પગલાં ભરવાની માગ કરી છે.

સરકારની આ જમીનમાં વર્ષોથી ગણોતિયો ન હતો. તો એકાએક આ ગણોતિયો કેવી રીતે ઉભો કરવામાં આવ્યો છે. પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે તો પછી જે તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે. આ મુદ્દે સીટની રચના થવી જોઇએ. સરકારને જે કોઇ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેની પણ તપાસ કરવામાં આવે.

આ પણ વાંચો :-