HomeSurat Cityસુરતના ઉધના વિસ્તારમાં ગેસ લીકેજ બાદ વિસ્ફોટ, 50 વર્ષીય વ્યક્તિ દાઝી ગયા

સુરતના ઉધના વિસ્તારમાં ગેસ લીકેજ બાદ વિસ્ફોટ, 50 વર્ષીય વ્યક્તિ દાઝી ગયા

Date:

Related stories

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી...

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી...

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ભીમનગર આવાસમાં એક ફ્લેટમાં ગેસ લીકેજ થયા બાદ અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મકાનમાં હાજર 50 વર્ષીય આધેડ ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધનાના ભીમનગર આવાસમાં રહેતા રૂધાકર ગિરધર ભાલેરાવ (ઉં.વ. 50) પોતાના ઘરમાં હાજર હતા. આ દરમિયાન અચાનક જ ગેસ લીકેજ થયો હતો, અને બાદમાં સિલિન્ડરમાં આગ લાગી હતી. ગેસ લીકેજ બાદ આગ લાગવાના કારણે રૂમમાં હાજર રૂધાકર ભાલેરાવ ગંભીર રીતે દાઝી ગયા હતા.

બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ઉધના અને માન દરવાજા ફાયર સ્ટેશન પરથી ફાયરબ્રિગેડના જવાનોને ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરોએ તુરંત જ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જોકે, આગ લાગવાના કારણે રૂધાકર ભાલેરાવ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડની સત્વરે કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે. આ ઘટનાએ ગેસ સિલિન્ડરના સુરક્ષિત ઉપયોગ અને નિયમિત તપાસના મહત્વ પર ફરી એકવાર ભાર મૂક્યો છે.

Subscribe

Latest stories