૧૦૦ કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં તિરાડ, ભ્રષ્ટાચારનો બ્રિજમાં એક જ વર્ષમાં પડી ગઈ તિરાડો

Share this story

રાજકોટમાં એક વર્ષ પહેલાં ખુલ્લો મુકવામાં આવેલા બ્રિજમાં તિરાડ પડ્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ બ્રિજને બનાવવામાં પહેલા જ 8 મહિના મોડું થયું હતું. જોકે હવે આ બ્રિજ બન્યાના એક મહિનામાં જ તિરાડો પડતાં હવે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. નોંધનિય છે કે, આ બ્રિજને ૧૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો.

રંગીલા રાજકોટમાં એક વર્ષ પહેલા બનાવવામાં આવેલ બ્રિજમાં તિરાડો પડતાં કથિત રીતે ભ્રષ્ટાચારની સંભાવના દેખાઈ રહી છે. વિગતો મુજબ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં બનાવવામાં આવેલા ટ્રાય એંગલ બ્રિજમાં છતના ભાગે તિરાડ પડી ગઈ છે. આ બ્રિજને ૧૦૦ કરોડથી વધુના ખર્ચે બ્રિજ તૈયાર કરાયો હતો. જોકે માત્ર એક વર્ષમાં જ આ બ્રિજમાં તિરાડો પડી જતા અનેક સવાલ ઊભા થયા છે.

રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં બનાવવામાં આવેલા ટ્રાય એંગલ બ્રિજ એક વર્ષ પહેલાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિગતો મુજબ આ ૧૦૦ કરોડથી વધુના ખર્ચના આ બ્રિજનું કામ તેના નિર્માણના નિર્ધારિત સમય કરતાં 8 મહિના બાદ પૂર્ણ થયું હતું. જે બાદમાં ૧૯ ઓક્ટોમ્બર ૨૦૨૨ના રોજ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે હવે બ્રિજના સર્કલમાં જોઇન્ટ વગરના બ્રિજમાં તિરાડો જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે .

આ પણ વાંચો :-

• મધ્યપ્રદેશની કુખ્યાત ચોરને ઝડપવા સુરત પોલીસે વેશ પલટો કર્યો, ફુગ્ગાવાળા બની દિલ્હીથી ઉપાડી લીધો

વિજય રૂપાણીના કાફલાનો અકસ્માત, તાત્કાલિક કારમાંથી ઉતરી મદદે દોડી આવ્યા પૂર્વ CM