સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ વિવાદમાં ! નિત્યસ્વરૂપદાસ સહિત 3 સામે એફઆરઆઈ નોંધવા કોર્ટનો આદેશ

2 Min Read
  • રાજકોટથી સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ વિવાદમાં આવ્યા છે. નિત્યસ્વરૂપદાસ સહિત 3 સ્વામીઓ સામે એફઆરઆઈ નોંધવા કોર્ટે આદેશ આપ્યો છે.

જેમાં આજીડેમ પોલીસને સાત દિવસમાં ગુનો નોંધી અહેવાલ રજૂ કરવાનો હુકમ કરાયો છે. 3 ડિસેમ્બર 2021ના રોજ સરધાર ગામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં બીપીન મકવાણાના કબજાની જમીનમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે 14 જાન્યુઆરી 2022ના રોજ બીપીન મકવાણા રાજકોટની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ અને તેમના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી હતી.

આ કેસમાં કોર્ટ દ્વારા એટ્રોસીટી, બગીચામાં તોડફોડ, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે 6 ડિસેમ્બર 2021ના રોજ આજીડેમ પોલીસને લેખિત ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નહોતી આવી.

-રાજકોટ : સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ વિવાદમાં !

નિત્યસ્વરૂપદાસ સહિત 3 સ્વામીઓ સામે FIR નોંધવા કોર્ટનો આદેશ

-આજીડેમ પોલીસને સાત દિવસમાં ગુનો નોંધી અહેવાલ રજૂ કરવાનો હુકમ

-એટ્રોસીટી, બગીચામાં તોડફોડ, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા કર્યો આદેશ

-3 ડિસેમ્બર 2021ના રોજ સરધાર ગામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં બીપીનભાઈ મકવાણાના કબજાની જમીનમાં કરવામાં આવી હતી તોડફોડ

-6 ડિસેમ્બર 2021ના રોજ આજીડેમ પોલીસને લેખિત ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નહોતી આવી

-સમગ્ર મામલે 14 જાન્યુઆરી 2022ના રોજ બીપીન મકવાણા રાજકોટની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ અને તેમના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી હતી.

આ પણ વાંચો :-

 

Share This Article