સુરતમાં ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષા શરૂ, પુષ્પો આપીને પરીક્ષાર્થીના કરાયા સ્વાગત

Share this story

ગુજરાતભરમાં આજથી ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાઓનો આરંભ થયો છે.જેમાં સુરત સહિત જિલ્લામાં કુલ ૫૮૯ પરીક્ષા કેન્દ્રો પરથી ૧.૬૦ લાખથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.જ્યાં વહેલી સવારે વાલીઓ પોતાના બાળકોને પરીક્ષા કેન્દ્ર સુધી છોડવા માટે આવ્યા હતા. પરીક્ષાના પ્રારંભિક પ્રસંગે શાળા પરિવાર દ્વારા પણ વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ અને ચોકલેટ વડે મોઢું મીઠું કરાવી વેલકમ કરવામાં આવ્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર અતિ ઉત્સાહ અને સ્મિત છલકાય આવી હતી. હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી આપવામાં આવેલા આદેશોના પગલે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીથી લઈ શરબત અને ORS સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જ્યારે દરેક શાળામાં એક આરોગ્યની ટીમ પણ સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે.

ધો. ૧૦ અને ધો. ૧૨ ની બોર્ડની પરીક્ષાને લઈ ને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.  રાજ્યભરમાં આજે ધો.૧૦ના ૮૪ ઝોનમાં ૯૮૧ કેન્દ્રો પર ૯,૧૧,૬૮૭ વિદ્યાર્થી ભાઈ-બહેનો જ્યારે ધો. ૧૨ માં ૫૬ ઝોનમાં ૬૫૩ કેન્દ્ર પર વિજ્ઞાન પ્રવાહમાં ૧,૩૨,૦૭૩ તેમજ ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડની પરીક્ષાને લઈ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આજે અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૬૧૦ શાળાઓમાં કુલ ૧,૭૯,૧૮૨ વિદ્યાર્થીઓ શાંતિમય માહોલમાં પરીક્ષા યોજાશે તેમજ સાબરમતી જેલમાં ધો. ૧૦ના ૨૭ અને ધો. ૧૨ ના ૨૮ કેદીઓ પરીક્ષા આપશે. તેમજ દિવ્યાંગ બાળકો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળ પર પહોંચી શકે તે માટે એસ. ટી વિભાગ સાથે બેઠક પણ કરવામાં આવી હતી. જેમાં જે પરીક્ષા સ્થળ પર બસની સંખ્યા ઓછી છે. ત્યાં વધુ બસ મૂકવાનો નિર્ણય કરાયો છે. તેમજ જે નવા પરીક્ષા સ્થળ છે. ત્યાં અલગથી બસ મૂકવા માટેની વ્યવસ્થા કરાઇ છે. તેમજ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓના આરોગ્યને લઈને મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો :-