HomeGujaratદિવાળી અગાઉ સૌરાષ્ટ્રવાસીઓને છ નવી ટ્રેન મળી, અમદાવાદ સુધી દોડતી ટ્રેનને હવે...

દિવાળી અગાઉ સૌરાષ્ટ્રવાસીઓને છ નવી ટ્રેન મળી, અમદાવાદ સુધી દોડતી ટ્રેનને હવે…

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને દિવાળી પહેલા નવી છ ટ્રેનની ભેટ મળી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને દિવાળી પહેલા નવી છ ટ્રેનની ભેટ મળી હતી. અત્યાર સુધી આ તમામ ટ્રેન અમદાવાદથી દોડતી હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને દિવાળી પહેલા નવી છ ટ્રેનની ભેટ મળી હતી. અત્યાર સુધી આ તમામ ટ્રેન અમદાવાદથી દોડતી હતી. પરંતુ હવે રાજકોટ સુધી ડબલ ટ્રેક અને ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થઈ જતા આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે.

આ અંગે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે ટવીટ કરીને માહિતી આપી હતી. અમદાવાદ પ્રયાગરાજ સહિત જુદી જુદી છ ટ્રેન હવે રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. રાજકોટ આવતી-જતી ૧૮ ટ્રેનને ઈલેક્ટ્રિક બુસ્ટર મળ્યું છે.

જે છ ટ્રેનને રાજકોટ સુધી લંબાવામાં આવી છે તેમાં અમદાવાદ-પટના એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-કોલકત્તા એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ, નાગપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.

તે સિવાય ભારતીય રેલવેએ હવે લાઈન ઓફ કંટ્રોલ સુધી લોકો ટ્રેન મારફતે પહોંચી શકે તે માટે મોટો નિર્ણય લીધો છે. બારામુલ્લા, શ્રીનગર અને શ્રીનગર- જમ્મુ નેશનલ હાઈવેના રેલ નેટવર્ક પર બનિહાલ સુધી સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે. આ સિવાય સરહદી વિસ્તારોમાં જમીની સ્થિતિમાં સુધારો થયા બાદ પ્રવાસીઓ માટે ખોલવામાં આવેલા સરહદી વિસ્તારોમાં રેલ નેટવર્કના આગમનથી વેપાર વધારવામાં મદદ મળશે.

આ વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે કાશ્મીરમાં રેલ નેટવર્કને ચીનની સરહદ સુધી વિસ્તારવામાં આવશે. ઉરીના સરહદી વિસ્તાર સુધી રેલ લિંકના વિસ્તરણથી સ્થાનિક લોકોની કનેક્ટિવિટી સેવામાં સુધારો થશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img