અશ્વિન ટેસ્ટ રેંકિંગમાં નંબર વન બોલર

Share this story

ICCએ ટેસ્ટ બોલરોની રેંકિંગ જાહેર કરી દીધી છે. જેમાં એક મોટો ફેરફાર થયો છે. અશ્વિન હવે ટેસ્ટમાં દુનિયાના નવા નંબર વન બેલર બની ગયા છે. આ પદ તેમણે એક સ્થાનની છલાંગ લગાવીને મેળવ્યું છે. જે ઈંગ્લેન્ડના સામે ટેસ્ટ સીરિઝની ૧૦ ઈનિંગમાં લીધેલી ૨૬ વિકેટોનું પરિણામ છે. આ મામલામાં તેમણે પોતાના જ હમવતન જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધા છે. રવિચંદ્રન અશ્વિને જસપ્રીત બુમરાહની બાદશાહત છીનવી લીધી છે.

અશ્વિને ઈંગ્લેન્ડના સામે ટેસ્ટ સીરિઝમાં કરેલા પ્રદર્શનનું ઈનામ મળ્યું. જ્યાં તે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયા છે. અશ્વિન બાદ બોલરોની ટેસ્ટ રેકિંગમાં બીજા અને ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના જોશ હેજલવુડ અને ભારતના જસપ્રીત બુમરાહ છે. આ બન્નેના ૮૪૭ રેટિંગ પોઈન્ટ છે. એટલે કે અશ્વિનના મુકાબલે આ ૨૩ અંક પાછળ છે. બીજી બાજુ જસપ્રીત બુમરાહની વાત કરવામાં આવે તો તેમને બે સ્ટેપનું નુકસાન થયું છે. તેમના નુકસાનનું કારણ ઈંગ્લેન્ડના સામે ટેસ્ટ સીરિઝની વચ્ચે તેમનું આરામ કરવું હોઈ શકે છે. બુમરાહને ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટથી આરામ આપવામાં આવ્યો હતો.

પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા ભારતીય ઓફ સ્પિનર અશ્વિને જણાવ્યું કે તેમના પરિવાર પર એક સંકટ આવ્યું હતું. તે સમયે કેપ્ટન રોહિતે તેમની મદદ કરી જેની તેઓ સરાહના કરી રહ્યા છે. હકીકતે ભારતના સ્ટાર ખેલાડીએ પોતાની માતાની દેખરેખ માટે રોજકોટ ટેસ્ટની વચ્ચે જ ટીમ છોડી દીધી હતી. અશ્વિનના માતા ચેન્નાઈમાં માથામાં દુખાવાના કારણે બેભાન થઈને પડી ગયા હતા. તેના વિશે તેમના પત્નીએ પણ જણાવ્યું હતું.

અશ્વિને જણાવ્યું, મેં પત્નીને પુછ્યું કે માની તબિયત કેવી છે? કેમ તે હોશમાં નથી? ડોક્ટરે સ્પષ્ટ રીતે મને જણાવ્યું કે તે જોવાની સ્થિતિમાં નથી. હું રડવા લાગ્યો. હું એક ફ્લાઈટ શોધી રહ્યો હતો. પરંતુ મને કોઈ ફ્લાઈટ ન મળી. રાજકોટ એરપોર્ટ ૬ વાગ્યે બંધ થઈ જાય છે. કારણ કે ૬ વાગ્યા બાદ ત્યાંથી કોઈ ફ્લાઈટ નથી હોતી. મને ન હતી ખબર કે મારે શું કરવું જોઈએ. રોહિત અને રાહુલ ભાઈ મારા રૂમમાં આવ્યા અને રોહિતે મને કંઈક પણ વિચાર્યા વગર ચેન્નાઈ જવા માટે કહ્યું. અને તે મારા માટે ચાર્ટર ફ્લાઈટની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

આ પણ વાંચો :-