HomeGujaratનવસારીના નવા મેયર અશોક ધોરાજીયા

નવસારીના નવા મેયર અશોક ધોરાજીયા

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન થયું હતું. જેના એક મહિના બાદ વિવિધ મહાનગરોના પદાધિકારીઓની નિમણૂક થઈ રહી છે. નવસારીના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી થઈ હતી. જ્યારે પ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલ ના નામ જાહેર કરાયા હતા.

કોણ છે અશોક ધોરાજીયા
અશોક ધોરાજીયાની નવસારી ભાજપ સંગઠન અને સ્થાનિક રાજકારણમાં મજબૂત પકડ છે. તેઓ સૌરાષ્ટ્રના પાટીદાર છે, તેમજ સી આર પાટીલના ખાસ માનવામાં આવે છે. અશોક ધોરાજીયા 1984માં ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય બન્યા હતા. 1990માં જિલ્લા મહામંત્રી બન્યા હતા. 1996માં અવિભાજિત વલસાડ જિલ્લાના પ્રમુખ બન્યા હતા. 2011માં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા હતા. આ ઉપરાંત જાણીતા વીરવાડી મંદિરના તેઓ છેલ્લા 21 વર્ષથી પ્રમુખ છે. આદિવાસી પટ્ટામાં ભાજપને વિજય બનાવવામાં તેમનો સિંહ ફાળો છે.

અશોક ધોરાજીયા નવસારી જીલ્લા ભાજપના સંગઠનમાં મહામંત્રી જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. નવસારી શહેર અને જીલ્લાના ભાજપના શાસન અને ચૂંટણી વ્યૂહરચનામાં તેમની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. રાજકારણ ઉપરાંત તેઓ નવસારીમાં વસતા સૌરાષ્ટ્ર પંથકના પાટીદાર સમાજ અને અન્ય સામાજિક સંગઠનોમાં પણ મોભી તરીકે સેવાઓ આપે છે. શૈક્ષણિક અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં તેઓ અવારનવાર અગ્રેસર રહે છે.

Subscribe

Latest stories