HomeGujaratઅમદાવાદ પણ યુપી-બિહારના રસ્તે ? આ વિસ્તારમાં ફાયરિંગથી હાહાકાર

અમદાવાદ પણ યુપી-બિહારના રસ્તે ? આ વિસ્તારમાં ફાયરિંગથી હાહાકાર

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img
  • રામબાગ પાસેના પોલીસ સ્ટેશન નજીક એક અજાણ્યા શખ્સે રિવોલ્વરથી હવામાં કથિત ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ મણિનગર પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અમદાવાદમાં મોડી સાંજે ફાયરિંગથી ઘટનાથી ખળભળાટ મચ્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કૃષ્ણબાગ પાસે ફરકી લસ્સી દુકાન પાસે ફાયરિંગની ઘટના બની છે. મણિનગર પોલીસે ધમકી આપનાર શખ્સને હાલ ઝડપી લીધો છે. એટલું જ નહીં ફાયરિંગ કરનાર શખ્સને મણીનગર પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ શરૂ કરાઈ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રામબાગ પાસેના પોલીસ સ્ટેશન નજીક એક અજાણ્યા શખ્સે રિવોલ્વરથી હવામાં કથિત ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ મણિનગર પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયરિંગ કરનાર યુવકને એકત્રિત થયેલ લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો.

મણિનગર એલ જી હોસ્પિટલ પાસેના ફરકી કુલ્ફી લસ્સીવાળા પાસેના માર્ગ પર યુવક બદુંક લઈને ફરતો હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ લોકોને ધમકાવીને ત્રણેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. હાલમાં મણિનગર પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી પુછપરછ હાથ ધરાઈ રહી છે. આ ઘટનાને પગલે અધિકારીઓ દોડી આવ્યા હતા.

મણિનગરમાં બનેલી લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં લોકોના ટોળાએ વ્યક્તિને પકડવામાં આવ્યો હતો. પકડાયેલ વ્યક્તિ જયપુરનો રહેવાસી અને ૨૫ વર્ષીય હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવક વૃંદાવન જવેલર્સમાં ગયેલો અને લૂંટના ઇરાદે આવ્યો હતો.

પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે કે આરોપીને દેવું થઈ ગયું હતું જેના કારણે જવેલર્સમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ જવેલર્સે પ્રતિકાર કરતા આરોપી નાસી છૂટ્યો હતો. ૧૦૯ મરાઠા લાઈટ ઈન ફ્રન્ટ લાઈનમાં આર્મીમાં નોકરી કરે છે અને જમ્મુ કશ્મીરમાં નોકરી કરતો હોવાનું આરોપી સ્વીકારે છે.

જયપુરથી ગઈકાલે આવી ખોખરા પાસે હોટલમાં રોકાયો હતો. પરત ફરતા ફરતા જવેલર્સની દુકાને ગયો હતો. જ્યાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આર્મ્સ એક્ટ મુજબ મણિનગર પોલીસ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img