Sunday, May 17, 2026

સ્વિસ બેંકોમાં અદાણીના રૂ.2600 કરોડ જપ્ત, જાણો આ છે કારણ ?

3 Min Read

હિંડનબર્ગ રિસર્ચ અદાણી ગ્રુપ પાછળ આદુ ખાઈને પડી ગઈ હોય તેવું લાગે છે. આ અમેરિકન કંપનીએ અદાણી પર વધુ એક બોમ્બ ફેંક્યો છે. હિન્ડેનબર્ગે દાવો કર્યો છે કે સ્વિસ સત્તાવાળાઓએ અદાણીના મની લોન્ડરિંગ અને છેતરપિંડીની તપાસના ભાગરૂપે અનેક બેંક ખાતાઓમાં જમા કરાયેલા $310 મિલિયન (આશરે રૂ.2600 કરોડ) થી વધુને ફ્રીઝ કરી દીધા છે. આ તપાસ 2021થી ચાલી રહી છે.

Adani Group: અદાણીની હવે આ સેક્ટરમાં કિંગ બનવાની ઇચ્છા! રાખ્યો 4 વર્ષનો ટાર્ગેટ... કંઈક આવી છે તૈયારી | Moneycontrol Gujarati

શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર અદાણી ગ્રુપ પર હુમલો કર્યો છે. હવે સ્વિસ મીડિયા આઉટલેટ ગોથમ સિટીના એક સમાચારને ટાંકીને કહ્યું છે કે અદાણી ગ્રુપની તપાસના ભાગરૂપે સ્વિસ સત્તાવાળાઓએ કેટલાંક સ્વિસ બેંક ખાતાઓમાં $310 મિલિયન એટલે કે લગભગ રૂ. 2600 કરોડથી વધુના ફંડને ફ્રીઝ કરી દીધું છે. હિન્ડેનબર્ગે 12 સપ્ટેમ્બર, 2024 ના રોજ X પરની એક પોસ્ટમાં આ આરોપ લગાવ્યો હતો. સ્વિસ સત્તાવાળાઓ ૨૦૨૧ થી મની લોન્ડરિંગ અને સિકયોરિટીઝ છેતરપિંડી માટે અદાણી જૂથની તપાસ કરી રહ્યા છે.

આરોપોને બકવાસ, અતાર્કિક અને વાહિયાતૅ ગણાવતા અદાણી ગ્રૂપના પ્રવકતાએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપની કોઈપણ સ્વિસ કોર્ટની કાર્યવાહીમાં કોઈ સંડોવણી નથી, કે અમારી કંપનીના કોઈપણ ખાતાઓ કોઈ સત્તા દ્વારા જપ્ત કરવામાં આવ્યા નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમને એ કહેવામાં કોઈ ખચકાટ નથી કે અમારા ગ્રુપની પ્રતિષ્ઠા અને બજાર મૂલ્યને ન ઉલટાવી શકાય તેવું નુકસાન પહોંચાડવા માટે એકસાથે કામ કરી રહેલા સમાન જૂથ દ્વારા આ બીજો વ્યવસ્થિત અને ગંભીર પ્રયાસ છે.

અદાણી-હિંડનબર્ગ વિવાદ સમાપ્ત થવા જઈ રહ્યો હતો. તેવામાં ઓગસ્ટમાં નવા આરોપોએ એપિસોડને ફરીથી જાગળત કર્યો. 2023ની શરૂઆતમાં શોર્ટ સેલર્સે અદાણી ગ્રુપ પર ટેક્સ હેવન દ્વારા બજારના નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. હિન્ડેનબર્ગ રિસર્ચે બજાર નિયમનકાર સેબીના ચેરપર્સન માધાબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચ પર અદાણી જૂથ સાથેના સંબંધો ધરાવતા ઑફશોર ફંડમાં રોકાણ કરવાનો આરોપ મૂકયો છે. હિન્ડેનબર્ગ રિસર્ચ શોર્ટ શેર્સનું વેચાણ કરે છે. આનો અર્થ એ છે કે તે તે શેર લે છે અને તેમની કિંમતમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. જ્યારે શેરની કિંમત ઘટે છે, ત્યારે હિન્ડેનબર્ગ રિસર્ચ તેમને નીચા ભાવે પાછા ખરીદે છે અને નફો કરે છે. અદાણી સાથેના વિવાદને કારણે તે ઘણી હેડલાઈન્સ બની છે.

આ પણ વાંચો :-

Share This Article