સી.આર.પાટીલની હાજરીમાં AAPના નીખિલ સવાણી ભાજપમાં જોડાયા

Share this story

દિવાળીના તહેવાર પર ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. નીખિલ સવાણીએ આમ આદમી પાર્ટીને બાય બાય કઈ દીધું છે અને કેસરીયા કર્યા છે. સી.આર.પાટીલની હાજરીમાં નીખિલ સવાણી ભાજપમાં જોડાયા છે. અત્રે જણાવીએ કે, ગઈકાલે AAPના તમામ પદ પરથી તેમણે રાજીનામું આપ્યું હતું.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલની રાજનીતિ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના કદાવર નેતા નીખિલ સવાણીએ ગઈકાલે આપના તમામ પદો પરથી રાજીનામુ ધરી દીધું હતું. ત્યારે તેમણે આજે સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલની રાજનીતિ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના કદાવર નેતા નીખિલ સવાણીએ ગઈકાલે આપના તમામ પદો પરથી રાજીનામુ ધરી દીધું હતું. ત્યારે તેમણે આજે સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

નીખિલ સવાણી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું અને તે સમય તેમણે ભાજપ પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, જે પાટીદારોને સાથ આપશે તેમાં જોડાશે. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં કોંગ્રેસે તેમને ગુજરાત યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખનો પદ આપ્યો હતો. તેમનું ગજગ્રાહ થતાં તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેઓ ખૂદ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તેમ તેમણે કહ્યું હતું. બાદમાં તેઓ જાડુના સાહારે ગયા અને પછી ફરી ભાજપમાં ઘર વાપસી કરી છે.

આ પણ વાંચો :-