HomeGujaratગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, 36 સેક્શન અધિકારીઓની બદલી અને 81 DySOને...

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, 36 સેક્શન અધિકારીઓની બદલી અને 81 DySOને બઢતી

Date:

Related stories

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...

જાણો બાપ્પાના મોદક પાછળ છુપાયેલી 2,000 વર્ષ જૂની વાર્તા!

ગણેશોત્સવ આવે એટલે બાપ્પાની મૂર્તિ સાથે સૌથી પહેલાં જે...

સુપ્રીમ કોર્ટે દારૂબંધીના ગણાવ્યા 5 મોટા ગેરફાયદા, પૂછ્યું- ‘આનાથી શું હાંસલ થયું?’

દારૂબંધીની અસરકારકતા અંગે સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ...
spot_img

ગુજરાત રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ફરી એકવાર મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં આઈએએસ અધિકારીઓની બદલી બાદ હવે સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા સેક્શન અધિકારીઓ અને નાયબ સેક્શન અધિકારીઓને લઈને મહત્વપૂર્ણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કુલ 36 સેક્શન અધિકારીઓ (SO)ની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત સચિવાલય કેડરના 81 નાયબ સેક્શન અધિકારીઓ (DySO)ને બઢતી આપીને સેક્શન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને અલગ-અલગ વિભાગોમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

27 મે, 2026ના રોજ મોડીરાત્રે જાહેર કરાયેલા આ આદેશ હેઠળ સચિવાલયના અનેક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિભાગોમાં અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે લેવામાં આવેલા આ નિર્ણય પાછળ વહીવટી કામગીરીમાં વધુ ઝડપ લાવવી અને વિભાગીય કાર્યક્ષમતામાં વધારો કરવાનો મુખ્ય હેતુ માનવામાં આવી રહ્યો છે.

બઢતી મેળવનારા તેમજ બદલી કરાયેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા વિભાગોમાં ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.

Subscribe

Latest stories

spot_img