Friday, May 15, 2026

વૃંદાવન પર્યટન સેન્ટરમાં બસમાં આગ, એક વૃદ્ધનું મોત

2 Min Read

મહાકુંભમાં સહભાગી થવા માટે કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ત્યારે મહાકુંભ જઈ રહેલી એક ખાનગી બસમ આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેલંગાણાથી 51 જેટલા મુસાફરો સાથે મહાકુંભ જઈ રહેલી બસ વૃંદાવનના પ્રવાસન કેન્દ્ર પર ઊભી હતી તે દરમિયાન આગ લાગી હતી. પોલીસ અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે સિગારેટ આગનું કારણ હોઈ શકે છે.

ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર બ્રિગેડ, પોલીસ, વહીવટી તંત્રનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રીગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર બસમાં લગભગ 50 શ્રદ્ધાળુઓ મહાકુંભમાં અમૃત સ્નાન માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. ત્યારે વૃંદાવન પહોંચ્યા બાદ મોટાભાગના યાત્રાળુઓ મંદિરોમાં દર્શન કરવા ગયા હતા પરંતુ માત્ર એક વૃદ્ધની તબીયત ખરાબ હોવાથી બસમાં આરામ કરી રહ્યા હતા.

જિલ્લા મેજિસ્ટ્રેટે માહિતી આપતા કહ્યું હતું કે આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, તે સિવાય અન્ય તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે બસમાં લાગેલી આગમાં તેમનો બધો સામાન બળી ગયો હતો. વધુમાં જણાવ્યું કે બસમાં કુલ 51 મુસાફરો હતા. જેમાંથી 50 મુસાફરો સુરક્ષિત છે અને તેમના માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે અને તેઓને પાછા મોકલવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article