Home Blog

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

0

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ ટાટા સન્સના ચેરમેન તરીકે ફરી કાર્યકાળ નહીં સ્વીકારે તેવી જાહેરાત કરી ચૂક્યા હતા, પરંતુ હવે અચાનક આખી સ્થિતિ બદલાઈ ગઈ છે. ટાટા સન્સના બોર્ડે 17 સપ્ટેમ્બર 2026ના રોજ ચંદ્રશેખરનને વધુ 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરી નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. એટલું જ નહીં, ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપનીને શેરબજારમાં લિસ્ટ કરવાની પ્રક્રિયા પણ આગળ વધારવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ટાટા ગ્રુપમાં આગામી દિવસોની દિશા અંગે ચર્ચા તેજ બની છે.

ટાટા સન્સના બોર્ડે મળેલી બેઠકમાં ચંદ્રશેખરનના નવા કાર્યકાળને મંજૂરી આપી હતી. તેઓ વર્ષ 2017થી ટાટા સન્સના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને તેમનો વર્તમાન કાર્યકાળ 20 ફેબ્રુઆરી 2027એ પૂર્ણ થવાનો હતો. ખાસ વાત એ છે કે ઓગસ્ટ 2026માં તેમણે પોતે જ કહ્યું હતું કે હાલનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ બીજા કાર્યકાળ માટે ચૂંટણી નહીં લડે. હવે બોર્ડના તાજા નિર્ણયથી આ સ્થિતિ બદલાઈ ગઈ છે.

આ નિર્ણયને લઈને ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ વિરોધ નોંધાવ્યો હોવાનું રિપોર્ટ્સમાં જણાવાયું છે. જ્યારે ટાટા ટ્રસ્ટ્સના નામાંકિત ડિરેક્ટર વેણુ શ્રીનિવાસને ચંદ્રશેખરનની પુનર્નિયુક્તિનું સમર્થન કર્યું હતું. રિપોર્ટ્સ મુજબ બોર્ડમાં આ પ્રસ્તાવને સર્વસંમતિ મળી નહોતી.

બીજી તરફ, ટાટા સન્સના લિસ્ટિંગનો મુદ્દો પણ આ બેઠકમાં મહત્વનો રહ્યો હતો. ભારતીય રિઝર્વ બેન્કે તાજેતરમાં ટાટા સન્સની કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની તરીકેની NBFC નોંધણી સરેન્ડર કરવાની અરજી ફગાવી દીધી હતી. પરિણામે ટાટા સન્સ માટે શેરબજારમાં લિસ્ટિંગની નિયમનકારી જરૂરિયાત ફરી કેન્દ્રમાં આવી છે.

RBIએ સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સને Upper Layer NBFC તરીકે વર્ગીકૃત કરી હતી. આવા NBFC માટે નિર્ધારિત સમયમર્યાદામાં શેરબજારમાં લિસ્ટિંગ કરવું જરૂરી છે. લિસ્ટિંગની આ અનિવાર્યતા ટાળવા માટે ટાટા સન્સે 2024માં ₹21,000 કરોડથી વધુનું દેવું ચૂકવીને NBFC રજિસ્ટ્રેશન સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો.

હવે બંને મહત્વના પ્રસ્તાવો—ચંદ્રશેખરનનો નવો કાર્યકાળ અને ટાટા સન્સનું લિસ્ટિંગ—આગામી AGMમાં શેરધારકોની મંજૂરી પર નિર્ભર રહેશે. ટાટા ટ્રસ્ટ્સ પાસે ટાટા સન્સમાં આશરે 66 ટકા હિસ્સો હોવાથી AGMના નિર્ણયમાં ટ્રસ્ટ્સની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.

મેથ્સનું હોમવર્ક ભારે પડ્યું તો બાળકે શોધ્યો અનોખો રસ્તો! 8 વર્ષના બાળકે રચ્યો વર્લ્ડ રેકોર્ડ

જે ઉંમરે બાળકો ગણિતના હોમવર્કથી બચવાના રસ્તા શોધતા હોય છે, એ જ ઉંમરે ઓસ્ટ્રેલિયાના નોઆ વિલિયમ્સે ગણિતને સરળ બનાવવા કોડિંગનો રસ્તો પસંદ કર્યો હતો. મેલબર્નના આ બાળ પ્રોગ્રામરે માત્ર 6 વર્ષની ઉંમરે C++ શીખી કમ્પ્યુટરને ગણિતીય ગણતરીમાં મદદરૂપ બનાવવાનું શરૂ કર્યું અને પછી માત્ર 8 વર્ષ 307 દિવસની ઉંમરે Guinness World Recordsમાં સૌથી નાની ઉંમરના કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે સ્થાન મેળવ્યું.

6 વર્ષની ઉંમરે શરૂ થયો કોડિંગનો સફર

નોઆ વિલિયમ્સનો જન્મ 5 ઓક્ટોબર 2016ના રોજ થયો હતો અને તે મેલબર્ન, ઓસ્ટ્રેલિયામાં રહે છે. નાનપણથી જ તેને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં રસ હતો. તેણે માઇક્રોબિટ કિટ અને અન્ય પ્રોજેક્ટ્સથી શરૂઆત કરી અને 6 વર્ષની ઉંમરે C++ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખી લીધી. ત્યારબાદ તેણે કમ્પ્યુટરની મદદથી ગણિતીય ગણતરીઓને સરળ બનાવતા પ્રોગ્રામ્સ બનાવવાનું શરૂ કર્યું હતું.

અહીં એક મહત્વની વાત એ છે કે નોઆએ કોડિંગને માત્ર શોખ તરીકે નહીં, પરંતુ કોઈ સમસ્યાનો ઉકેલ શોધવાના સાધન તરીકે અપનાવ્યું હતું. એટલે કે ગણિતના કામને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સાથે જોડીને તેણે ટેક્નોલોજી પ્રત્યેનો પોતાનો રસ વધુ વિકસાવ્યો હતો. તેણે અત્યાર સુધી 15થી વધુ કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યા છે, જેમાં 8 પ્રોગ્રામમાં C++ અને Pythonનો ઉપયોગ થયો છે.

7 વર્ષની ઉંમરે Mensaમાં પ્રવેશ

નોઆની બીજી મોટી સિદ્ધિ પણ નાની ઉંમરે જ આવી. 7 વર્ષની ઉંમરે તેઓ હાઇ-IQ સોસાયટી Mensaના સભ્ય બન્યો હતો. તેના IQ ટેસ્ટનો સ્કોર 99.9th percentileમાં હતો, એટલે ટેસ્ટ આપનારી વસ્તીમાં તે ટોચના 0.1 ટકા જૂથમાં આવ્યો હતો.

8 વર્ષ 307 દિવસમાં વર્લ્ડ રેકોર્ડ

નોઆનો સત્તાવાર રેકોર્ડ એક પ્રોગ્રામ સાથે જોડાયેલો છે. નોઆની ઉંમર 8 વર્ષ 307 દિવસ હતી ત્યારે એક સ્વતંત્ર ફર્મે તેનો બનાવેલો કમ્પ્યુટર પ્રોગ્રામ પ્રકાશિત કર્યો હતો. ત્યારબાદ તેને ‘Youngest person to programme computers (male)’નો Guinness World Records ખિતાબ મળ્યો હતો.

હવે રોબોટ્સ અને ડ્રોન પર નજર

કોડિંગ બાદ નોઆનો રસ હવે રોબોટિક્સ અને ડ્રોન સુધી પણ પહોંચી ગયો છે. Guinnessની 2027 Young Achievers પ્રોફાઇલમાં તેને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ક્ષેત્રના યુવા પ્રતિભાશાળી તરીકે દર્શાવવામાં આવે છે. નોઆના જણાવ્યા મુજબ કોડિંગની મૂળભૂત બાબતો શીખ્યા પછી સર્જનાત્મક શક્યતાઓ ઘણી વધી જાય છે.

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે એક દેશી બીજ ફરી ચર્ચામાં આવ્યું છે—હલીમ સીડ્સ. જેને અળિવ, અલિવ અથવા Garden Cress Seeds તરીકે પણ ઓળખવામાં આવે છે. દેખાવમાં નાના આ બીજમાં પ્રોટીન, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ સહિત અનેક પોષક તત્વો જોવા મળે છે.પ્રકાશિત વૈજ્ઞાનિક રિવ્યૂમાં પણ હલીમ સીડ્સની પોષક રચના અને સંભવિત હેલ્થ બેનિફિટ્સ અંગે સંશોધનોની સમીક્ષા કરવામાં આવી છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે તેને કોઈ બીમારીની દવા તરીકે નહીં, પરંતુ સંતુલિત આહારના ભાગ તરીકે જોવું જોઈએ.

હલીમ સીડ્સમાં શું ખાસ છે?

હલીમ સીડ્સમાં પ્રોટીન, ફાઇબર, જરૂરી ફેટી એસિડ્સ અને આયર્ન, કેલ્શિયમ તથા પોટેશિયમ જેવા મિનરલ્સ મળે છે. તેમાં glucosinolates, flavonoids અને અન્ય bioactive compounds પણ હોય છે. Nutritionistએ પણ હલીમ સીડ્સને આયર્ન, પ્રોટીન અને ફોલેટના સ્રોત તરીકે સમજાવ્યા છે.

પાચનથી લઈને વજન મેનેજમેન્ટ સુધી મદદ?

હલીમ સીડ્સમાં રહેલું ફાઇબર પાચન અને bowel movement માટે મદદરૂપ થઈ શકે છે. ફાઇબર અને પ્રોટીનને કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાની લાગણી થઈ શકે છે, જે appetite controlમાં મદદ કરી શકે છે. તેમાં રહેલા વિવિધ antioxidant અને bioactive compoundsને કારણે antioxidant તથા anti-inflammatory activity અંગે પણ સંશોધન થયું છે.

આયર્નની બાબતમાં પણ હલીમ સીડ્સ ચર્ચામાં છે. Nutritionistએ તેને iron deficiency ધરાવતા લોકોના આહારમાં સામેલ કરી શકાય તેવા પોષક વિકલ્પ તરીકે રજૂ કર્યા છે. પરંતુ હિમોગ્લોબિન ઓછું હોય તો માત્ર હલીમ સીડ્સથી સારવાર કરવી યોગ્ય નથી—ડૉક્ટરની સલાહ અને જરૂરી ટેસ્ટ મહત્વના છે.

ક્યારે અને કેવી રીતે ખાવા?

હલીમ સીડ્સને સામાન્ય રીતે પલાળીને ખાવાની રીત પ્રચલિત છે. તેને દૂધ, દહીં, સ્મૂધી, દલિયા અથવા અન્ય ખોરાકમાં ઉમેરી શકાય છે. જોકે તેના માટે દરેક વ્યક્તિને લાગુ પડે એવી ચોક્કસ “બેસ્ટ ટાઇમ” અથવા scientifically established daily dose નથી.

એટલે પહેલીવાર લેતા હોવ તો નાની માત્રાથી શરૂઆત કરવી વધુ યોગ્ય છે. ખાસ કરીને તેને ઔષધીય માત્રામાં લેતા પહેલાં ડૉક્ટર અથવા qualified dietitianની સલાહ લેવી જોઈએ.

કોણે હલીમ સીડ્સથી સાવચેત રહેવું?

ગર્ભવતી મહિલાઓએ હલીમ સીડ્સને સામાન્ય ખોરાક કરતાં વધુ માત્રામાં લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

થાયરોઇડની સમસ્યા ધરાવતા લોકોએ પણ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે હલીમ સીડ્સમાં એવા compounds હોય છે જે thyroid function સાથે અસર કરી શકે છે.

ડાયાબિટીસની દવા લેતા લોકોએ પણ ડૉક્ટરની સલાહ વગર વધારે માત્રામાં તેનો ઉપયોગ ન કરવો. સંશોધનમાં હલીમ સીડ્સની blood-sugar-lowering activity જોવા મળી છે, જોકે આ અસર અંગે વધુ human trialsની જરૂર છે.

વધારે ખાશો તો સાઇડ ઇફેક્ટ્સ પણ થઈ શકે

હલીમ સીડ્સની વધારે માત્રાથી કેટલાક લોકોને પેટમાં અસ્વસ્થતા, ઉબકા અથવા ઝાડા જેવી તકલીફ થઈ શકે છે. અહેવાલ મુજબ મોટી માત્રામાં લેવાથી સ્ટમક અપ્સેટ થઈ શકે છે. કેટલાક લોકોમાં allergy પણ થઈ શકે છે.

સાથે જ, હલીમ સીડ્સને કોઈ “ચમત્કારી બીજ” માનવું યોગ્ય નથી. તેમાં પોષક તત્વો ચોક્કસ છે, પરંતુ બીમારીની સારવાર માટે દવા અથવા ડૉક્ટરની સલાહનો વિકલ્પ નથી. સંતુલિત આહાર સાથે યોગ્ય પ્રમાણમાં તેનો ઉપયોગ કરવો અને કોઈ medical condition હોય તો નિષ્ણાતની સલાહ લેવી સૌથી મહત્વપૂર્ણ છે.

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

0

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી સ્કીમ કથિત રીતે ચલાવવામાં આવી, જેમાં માત્ર રૂ.10 હજારમાં 10 વર્ષની મેમ્બરશિપ આપવાનું કહી 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ.1.66 કરોડથી વધુ વસૂલવામાં આવ્યા હોવાનો આરોપ છે. ચોંકાવનારી વાત એ છે કે આ સ્કીમની સમયમર્યાદા પૂરી થઈ ગયા બાદ પણ તે માલિકની ગેરહાજરીમાં ચાલુ રાખવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. સમગ્ર મામલે જિમના માલિકે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા વિજય સેંગર ‘જિમ લોન્જ’ નામથી જિમ ચલાવે છે અને તેની અનેક શાખાઓ આવેલી છે. જિમના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 1 જુલાઈથી 10 જુલાઈ સુધી રૂ.10 હજારમાં 10 વર્ષની મેમ્બરશિપની ખાસ ઓફર શરૂ કરવામાં આવી હતી. 10 જુલાઈ બાદ આ સ્કીમ બંધ કરી નિયમિત દરે મેમ્બરશિપ આપવાની હતી.

આ દરમિયાન વિજય સેંગર નવા પ્રોજેક્ટના કામે આશરે બે મહિના બહારગામ ગયા હતા. તેમની ગેરહાજરીમાં જિમની જવાબદારી સેન્ટર હેડ જૈનિશ શુક્લા અને બ્રાન્ચ મેનેજર મનીષ શર્માને સોંપવામાં આવી હતી. ફરિયાદમાં આક્ષેપ છે કે બંનેએ બંધ થઈ ગયેલી 10 વર્ષની સ્કીમ ફરી શરૂ કરી અને અલગ-અલગ બ્રાન્ચના સ્ટાફને પણ આ સ્કીમ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

10 સપ્ટેમ્બરે વિજય સેંગર પરત ફર્યા ત્યારે કેટલાક ગ્રાહકો 10 વર્ષની મેમ્બરશિપની ફી ભર્યાના પુરાવા સાથે જિમમાં આવ્યા હતા. પરંતુ તપાસ કરતાં આ રકમ જિમના સત્તાવાર બેંક ખાતામાં જમા થઈ ન હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદ અનુસાર, મનીષ શર્મા ગ્રાહકોને સ્કીમ સમજાવી UPI અને રોકડ મારફતે રકમ લેતો અને ત્યારબાદ મેમ્બરશિપ આપતો હતો.

ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ એ છે કે જૈનિશ શુક્લાએ પોતાની પત્ની ભારતી શુક્લા સાથે જિમમાં ભાગીદારી દર્શાવતો કથિત ખોટો એગ્રીમેન્ટ તૈયાર કર્યો હતો. આ દસ્તાવેજના આધારે ‘જિમ લોન્જ’ સાથે મળતા નામે બેંક ખાતું ખોલાવી તેમાં પણ મેમ્બરશિપની રકમ લેવામાં આવી હોવાનો આરોપ છે.

ફરિયાદ મુજબ જૈનિશ શુક્લા, મનીષ શર્મા અને ભારતી શુક્લા સાથે મળીને 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ.1.66 કરોડથી વધુની રકમ UPI, રોકડ અને બેંક ખાતા મારફતે મેળવી હોવાનો આક્ષેપ છે. ફરિયાદ બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. બેંક ટ્રાન્ઝેક્શન, UPI પેમેન્ટ, ગ્રાહકોની મેમ્બરશિપ અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે.

PM Modi Birthday 2026: જાણો PM મોદીના 76મા જન્મદિવસે દેશભરમાં કેવી થઇ અનોખી ઉજવણી?

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે અનેક કાર્યક્રમોને PM મોદીની ઉંમર એટલે કે 76ના આંકડા સાથે જોડવામાં આવ્યા છે.

ગુજરાતમાં 88 લાખથી વધુ દીવડાં

ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ અંતર્ગત 18,500થી વધુ સ્થળોએ 88 લાખથી વધુ માટીના દીવડાં પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મુખ્ય કાર્યક્રમમાં 1.25 લાખ દીવડાં પ્રગટાવવામાં આવ્યા હતા, જ્યારે અટલ બ્રિજ પર વધુ 76,000 દીવડાં પ્રગટાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમદાવાદમાં 76,000 દીવડાં અને મહાઆરતી

અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે 76,000 દીવડાં પ્રગટાવવા, મહાઆરતી અને સામૂહિક વંદે માતરમ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લગભગ 5,000 લોકો જોડાવાના હતા.

76 ગીર ગાયનું દાન

મહેસાણા જિલ્લાના ઉંઝામાં સીતાવન ગૌશાળા દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની 76 મહિલાઓને 76 ગીર ગાય આપવાની પહેલ કરવામાં આવી. આયોજકોના જણાવ્યા અનુસાર, તેનો હેતુ મહિલાઓને આજીવિકા માટે સહાય આપી આત્મનિર્ભર બનાવવાનો છે.

76,000 છોડનું વિતરણ

‘વિશ્વ ગુજરાતી સમાજ’ દ્વારા કિચન ગાર્ડનને પ્રોત્સાહન આપવા માટે 76,000 છોડનું વિતરણ કરવાની પહેલ કરવામાં આવી છે. લાભાર્થીઓને છોડ સાથે તેની ખેતી અંગે માર્ગદર્શન આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

વડનગરથી વારાણસી સુધી બાઇક યાત્રા

PM મોદીના જન્મસ્થળ વડનગર અને તેમની રાજકીય સફર સાથે જોડાયેલા વારાણસી વચ્ચે ‘સેવા સંકલ્પ બાઇક યાત્રા’ શરૂ કરવામાં આવી છે. વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર એમ બંને તરફથી યાત્રા યોજાઈ રહી છે. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી શરૂ થઈને 7 ઓક્ટોબર સુધી ચાલવાનું છે.

વડનગરથી નીકળેલી યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી બતાવી હતી, જ્યારે વારાણસી તરફની યાત્રાનું ઉદ્ઘાટન રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.

સુરતમાં 10 લાખથી વધુ દીવડાં

સુરતમાં પણ જન્મદિવસની ઉજવણી અંતર્ગત 10 લાખથી વધુ માટીના દીવડાં 10,800થી વધુ સ્થળોએ પ્રગટાવવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. વિવિધ સંગઠનો અને સ્વયંસેવકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

સુરતમાં દુકાનો પર 5%થી 76% સુધી ડિસ્કાઉન્ટ

સુરત પશ્ચિમ વિસ્તારમાં કેટલાક વેપારીઓએ PM મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 5%થી 76% સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી.

વારાણસીમાં 76 પંડિતો દ્વારા ગંગા અભિષેક

વારાણસીમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે 76 પંડિતો દ્વારા ગંગા અભિષેકની ધાર્મિક વિધિ કરવામાં આવી હોવાનું અહેવાલ છે.

અને છેલ્લે… બિહારમાં 76 કપ મફત ચા

બિહારના કટિહાર જિલ્લામાં જવાહર ભગત નામના ચા સ્ટોલ સંચાલકે PM મોદીના 76મા જન્મદિવસે 76 કપ ચા મફતમાં પીરસી ઉજવણી કરી હોવાનું આજે પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે. ચા પીરસવાની સાથે તેમણે PM મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી હતી.

આ રીતે 76મા જન્મદિવસની ઉજવણીમાં દીવડાં, ગાય, છોડ, ધાર્મિક કાર્યક્રમો, બાઇક યાત્રા અને અંતે 76 કપ ચા જેવી અલગ-અલગ પહેલો જોવા મળી રહી છે.

76મો જન્મદિવસ અને મફત 76 કપ ચા… બિહારના ચા વાળાની અનોખી ઉજવણી!

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે દેશના અલગ-અલગ વિસ્તારોમાં લોકો પોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે. પરંતુ બિહારના કટિહારમાં થયેલી ઉજવણીમાં સામાન્ય ચાની દુકાન પણ ખાસ બની ગઈ. અહીં ચા વેચતા જવાહર ભગતે PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે લોકોને એક પછી એક 76 કપ ચા મફતમાં પીરસી અને આ અનોખી પહેલ વડાપ્રધાનની ઉંમર સાથે જોડાઈ ગઈ.

કટિહારના મેડિકલ કોલેજ મોર વિસ્તારમાં ચાની દુકાન ચલાવતા જવાહર ભગત પોતાને વડાપ્રધાન મોદીના પ્રશંસક ગણાવે છે. તેમણે 17 સપ્ટેમ્બરે પોતાની દુકાન પર આવતા લોકોને મફતમાં ચા પીવડાવી હતી. 76મો જન્મદિવસ હોવાથી તેમણે પણ 76 કપ ચા મફત આપવાનું નક્કી કર્યું હતું. આ સાથે તેમણે વડાપ્રધાનના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

જવાહર ભગતના જણાવ્યા પ્રમાણે, ચા વેચવાનું કામ કરતા હોવાથી તેઓ વડાપ્રધાનની જીવનયાત્રા સાથે એક ખાસ જોડાણ અનુભવે છે. ચા વેચવાથી દેશના વડાપ્રધાન સુધી પહોંચેલી મોદીની સફર તેમને પ્રેરણા આપે છે. આ કારણસર જન્મદિવસની ઉજવણી પણ તેમણે પોતાના વ્યવસાય સાથે જોડાયેલી રાખી છે.

ભગતે એ પણ કહ્યું કે તેઓ રાજકારણમાં વધારે રસ લેતા નથી. તેમના માટે સામાન્ય લોકો અને ખાસ કરીને ગરીબોને સરકારી યોજનાઓથી કેટલો લાભ મળે છે તે મહત્વનું છે. તેમના જણાવ્યા પ્રમાણે, કેટલીક સરકારી યોજનાઓનો લાભ તેમના જેવા સામાન્ય લોકોને પણ મળ્યો છે.

ચા વેચનાર માટે ખાસ યોજના બનાવવાની માંગ

જવાહર ભગત સરકાર સમક્ષ ચા વેચનારાઓ માટે અલગ યોજના શરૂ કરવાની માંગ પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દેશભરમાં ચાની દુકાનો ચલાવતા લોકો માટે પણ કોઈ વિશેષ યોજના હોવી જોઈએ. જોકે આવી કોઈ યોજના આવે કે નહીં, વડાપ્રધાન પ્રત્યેનો તેમનો આદર યથાવત રહેશે, એવું તેમણે જણાવ્યું હતું.

ચાની દુકાન પર આવેલા આનંદ સિંહે પણ ભગતની આ પહેલ અંગે વાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ છેલ્લા લગભગ 20 વર્ષથી આ દુકાન પર ચા પી રહ્યા છે. તેમણે જવાહર ભગતને લાંબા સમયથી વડાપ્રધાન મોદીના પ્રશંસક તરીકે જોયા હોવાનું જણાવ્યું.

આ રીતે કટિહારના એક ચાવાળાએ માત્ર મફત ચા પીરસીને નહીં, પરંતુ 76 કપ ચાને વડાપ્રધાનના 76મા જન્મદિવસનું પ્રતીક બનાવીને પોતાની રીતે ઉજવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમની સત્તાવાર જીવનકથા અનુસાર, પરિવારની ચાની દુકાનના કામમાં તેમણે શરૂઆતના વર્ષોમાં મદદ કરી હતી.

ST ડેપોમાં મીઠાઈનું પેકેટ લઈને ઊભી હતી મહિલા, થેલો ખોલતાં નીકળ્યું આટલા ગ્રામ MD ડ્રગ્સ

0

ગાંધીનગર એસટી ડેપો પર સામાન્ય મુસાફરીની આડમાં નશીલા પદાર્થોની હેરાફેરીનો કથિત પ્રયાસ સામે આવ્યો છે. SOGની બાતમી આધારિત કાર્યવાહીમાં 49 વર્ષીય મહિલાને 20 ગ્રામથી વધુ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવી છે. મહિલાની પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો તેના પતિએ આપ્યો હોવાની વિગતો સામે આવી છે. આ કેસમાં મહિલાના પતિને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના PI એચ.પી. ભાટીની ટીમને બાતમી મળી હતી કે ગાંધીનગર એસટી ડેપોના અંદરના ભાગમાં લીલા રંગની સાડી પહેરેલી એક મહિલા શંકાસ્પદ પાવડર જેવી પ્રતિબંધિત ચીજવસ્તુ સાથે ઊભી છે. બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક એસટી ડેપો ખાતે પહોંચી ટુ-વ્હીલર પાર્કિંગ પાસે વોચ ગોઠવી હતી. ત્યારબાદ બાતમી મુજબની મહિલાને કોર્ડન કરી તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ પરેશાબેન વિષ્ણુભાઈ ઠાકોર, ઉંમર 49 વર્ષ, રહે. વેજલપુર, અમદાવાદ અને મૂળ કલોલ, ગાંધીનગર હોવાનું જણાવ્યું હતું.

મહિલા પોલીસકર્મીઓ દ્વારા તેની અંગજડતી કરવામાં આવતા મરૂન રંગનો ચેઈનવાળો થેલો મળ્યો હતો. થેલાની તપાસ દરમિયાન જય ભવાની સ્વીટ્સનું માવાની મીઠાઈનું પેકેટ, સ્ટીલની પાણીની બોટલ, નાનું લેધરનું પર્સ અને બાલાજી આલુ વેફરના પેકેટ મળી આવ્યા હતા. વધુ તપાસ કરતાં થેલાની અન્ય ચેઈનમાંથી પારદર્શક પ્લાસ્ટિકની જીપલોક બેગ મળી હતી, જેમાં ઓફ-વાઇટ રંગનો પાવડર ભરેલો હતો.

પોલીસની કડક પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે આ માદક પદાર્થ તેના પતિ વિષ્ણુભાઈ છનાજી ઠાકોરે વિસત ચોકડી પાસેથી મીઠાઈના પેકેટ સાથે આપ્યો હતો. તેને ગાંધીનગર એસટી ડેપો ખાતે ઉતરી જવાનું કહેવામાં આવ્યું હતું અને પતિ બાઈક લઈને તેને લેવા આવવાનો હતો.

ઘટનાસ્થળે FSL મારફતે પાવડરનું પરીક્ષણ કરવામાં આવતા તે મેફેડ્રોન (MD) ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. જથ્થાનું વજન 20.08 ગ્રામ અને તેની બજાર કિંમત રૂ.62,400 હોવાનું સામે આવ્યું છે. SOGએ મહિલાની ધરપકડ કરી કુલ રૂ.67 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ મહિલાના પતિને વોન્ટેડ જાહેર કરી સમગ્ર હેરાફેરીના મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભારતને ક્રૂડ આપતાં સાઉદીએ અચાનક કેમ લગાવ્યો બ્રેક? હવે પેટ્રોલ-ડીઝલ પર પડશે અસર?

એક તરફ મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉથલપાથલ છે, તો બીજી તરફ ભારત માટે હવે વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે. Saudi Aramcoએ ભારતીય રિફાઇનર્સને આગળની સૂચના ન મળે ત્યાં સુધી નિયમિત ક્રૂડ ઓઇલ સપ્લાય નહીં કરવાની માહિતી આપી હોવાનું સામે આવ્યું છે. સાઉદી અરેબિયાની મહત્વપૂર્ણ East-West Pipeline પર થયેલા ડ્રોન હુમલા બાદ આ નિર્ણય લેવાયો છે. ભારતીય રિફાઇનર્સ માટે સમસ્યા માત્ર ક્રૂડ શોધવાની નથી, પરંતુ વૈકલ્પિક ક્રૂડ કેટલા મોંઘા ભાવે મળશે તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે.

અહેવાલ મુજબ, સાઉદી અરામકોએ ભારતીય રિફાઇનર્સને હાલ માટે ક્રૂડ સપ્લાય અટકાવવાની જાણ કરી છે. યુદ્ધ શરૂ થયા બાદ ભારતની કુલ ક્રૂડ આયાતમાં અરામકોનો હિસ્સો આશરે 9 ટકા રહ્યો છે. સામાન્ય રીતે અરામકો ભારત સહિતના ગ્રાહકોને વાર્ષિક ટર્મ કોન્ટ્રાક્ટ અને સત્તાવાર વેચાણ ભાવ હેઠળ ક્રૂડ પૂરું પાડે છે. હાલ ભારતને આ કોન્ટ્રાક્ટેડ ટર્મ સપ્લાય મળી રહી નથી.

આ સપ્લાયમાં વિક્ષેપનું મુખ્ય કારણ સાઉદી અરેબિયાની East-West Pipeline છે. આ પાઇપલાઇન મારફતે સાઉદી અરેબિયાના પૂર્વ ભાગમાંથી ક્રૂડને Red Seaના Yanbu પોર્ટ સુધી પહોંચાડવામાં આવે છે. Strait of Hormuzમાં અવરજવર ખોરવાયા બાદ આ માર્ગ સાઉદી માટે મહત્વપૂર્ણ વૈકલ્પિક નિકાસ રૂટ બન્યો હતો. પરંતુ ડ્રોન હુમલામાં પાઇપલાઇનને નુકસાન થતાં તેનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે અને Yanbuમાંથી લોડિંગ પણ અટક્યું છે.

આ પરિસ્થિતિ વચ્ચે વૈશ્વિક ક્રૂડ બજારમાં પણ ભારે હલચલ જોવા મળી છે. 17 સપ્ટેમ્બરે Brent ક્રૂડ ફ્યુચર્સ 1.8 ટકા ઘટીને $103.95 પ્રતિ બેરલ રહ્યા હતા. જોકે ભાવ હજુ પણ $100 પ્રતિ બેરલથી ઉપર છે. સાઉદી અરેબિયાએ ઓમાનના Sohar પોર્ટની બહાર ship-to-ship transfer મારફતે એશિયન રિફાઇનર્સને વધારાના ક્રૂડ કાર્ગો ઓફર કરવાના અહેવાલો બાદ બજારમાં સપ્લાય અંગેની કેટલીક ચિંતા ઓછી થઈ હતી.

અહીં એક મહત્વની બાબત એ છે કે સાઉદી ક્રૂડ સંપૂર્ણપણે બજારમાંથી ગાયબ થયું નથી. અરામકોએ કેટલાક સ્પોટ કાર્ગો ટ્રેડર્સને વેચ્યા છે અને તેમાંથી મર્યાદિત જથ્થો Hormuz મારફતે ભારતીય રિફાઇનર્સ સુધી પહોંચી શકે છે. જોકે અરામકો સામાન્ય રીતે સ્પોટ કરતાં ટર્મ કોન્ટ્રાક્ટ મારફતે ક્રૂડ વેચે છે, એટલે આ વિકલ્પ નિયમિત સપ્લાય જેટલો નિશ્ચિત નથી.

ભારતીય રિફાઇનર્સ માટે સૌથી મોટો પડકાર હવે વધતી કિંમત અને ઊંચો પરિવહન ખર્ચ છે. અહેવાલો અનુસાર, વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક ઊંચા રહેતા વૈકલ્પિક બેરલ મોંઘા પડી શકે છે. સાથે જ ટેન્કર ફ્રેઇટ રેટમાં વધારો થયો છે અને રશિયન ક્રૂડ પર મળતા ડિસ્કાઉન્ટમાં પણ ઘટાડો થયો છે. પરિણામે નવા સપ્લાય સોર્સ શોધવાથી ભારતની રિફાઇનરીઓનો ક્રૂડ બાસ્કેટ ખર્ચ વધી શકે છે.

હાલ ભારતીય રિફાઇનર્સ વૈકલ્પિક સપ્લાય મેળવવા, ક્રૂડ મિક્સમાં ફેરફાર કરવા અને ઉપલબ્ધ સ્પોટ કાર્ગોનો ઉપયોગ કરવા પર ધ્યાન આપી રહ્યા છે. આ વિક્ષેપ કેટલો લાંબો ચાલે છે અને Gulf તથા Red Seaના મહત્વપૂર્ણ શિપિંગ રૂટ ક્યારે સામાન્ય થાય છે તેના આધારે ભારતના ક્રૂડ આયાત ખર્ચ પર તેની અસર નક્કી થશે.

ગણેશજીના સ્વરૂપમાં કોહિનૂર કરતા પણ કીમતી હીરો! PM મોદીના જન્મદિવસે સુરતમાં થઈ ખાસ પૂજા

સુરતમાં હીરા માત્ર વેપારની ઓળખ નથી, પરંતુ ક્યારેક આ જ હીરા આસ્થાનું કેન્દ્ર પણ બની જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સુરતના હીરા ઉદ્યોગપતિ કનુ આસોદરિયાએ પ્રકૃતિની અનોખી રચના ગણાતા ‘કરમ ડાયમંડ ગણેશા’ની વિશેષ મહાઆરતી કરી હોવાની માહિતી સામે આવી છે. આસોદરિયાએ PM મોદીના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું છે. તેઓ આ કુદરતી ગણેશ સ્વરૂપ હીરાની તસવીર વડાપ્રધાનને શુભેચ્છા ભેટ તરીકે મોકલવાની તૈયારીમાં છે.

182.53 કેરેટનો છે કુદરતી ગણેશ સ્વરૂપ હીરો

‘કરમ ગણેશા’ સામાન્ય ગણેશ મૂર્તિ નથી. World Book of Recordsની નોંધ મુજબ આ કુદરતી રફ ડાયમંડ છે, જેના આકારમાં ગણેશજીના ચહેરા, કાન, આંખો, સૂંઢ અને પગ જેવી આકૃતિઓ જોવા મળે છે. આ હીરો આશરે 48 મીમી ઊંચો, 32 મીમી પહોળો અને 20 મીમી જાડો છે તથા તેનું વજન 36.50 ગ્રામ એટલે કે 182.53 કેરેટ છે. World Book of Recordsએ તેને ‘Unique Diamond Stone of the World’ તરીકે નોંધ્યો છે.

બેલ્જિયમથી આવેલા રફ ડાયમંડમાં દેખાયું ગણેશ સ્વરૂપ

અહેવાલ મુજબ કનુ આસોદરિયાની ફર્મે આશરે 25 વર્ષ પહેલાં એન્ટવર્પમાંથી રફ ડાયમંડ ખરીદ્યો હતો. દક્ષિણ આફ્રિકામાંથી ખનન થયેલા આ હીરામાં કુદરતી રીતે ગણેશજીનું સ્વરૂપ દેખાતું હોવાનું આસોદરિયાએ જણાવ્યું હતું.

એક નહીં, ત્રણ ગણેશ સ્વરૂપના ડાયમંડ

કનુ આસોદરિયા પાસે ગણેશ સ્વરૂપ ધરાવતા અન્ય બે કુદરતી હીરા પણ હોવાનું અગાઉના અહેવાલોમાં સામે આવ્યું છે. 26 કેરેટ અને આશરે 8 કેરેટના અન્ય બે ગણેશ સ્વરૂપના હીરા હોવાની માહિતી પણ છે. ગણેશોત્સવ દરમિયાન આ હીરાઓના દર્શન માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવ છે.

PM મોદીને શુભેચ્છા ભેટ મોકલવાની તૈયારી

કનુ આસોદરિયાના જણાવ્યા મુજબ તેઓ ‘કરમ ગણેશા’ની તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા ભેટ તરીકે મોકલવા માંગે છે. તેમનો ઉદ્દેશ PM મોદીના જન્મદિવસે તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનો છે. ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બર 2026ના રોજ નરેન્દ્ર મોદી 76 વર્ષના થયા છે.

અને અન્ય મોટી હસ્તીઓને પણ અગાઊ તેમણે તસવીર ભેટ કરી હતી તે પણ તેમણે જણાવ્યું છે.

આ રીતે સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલો ‘કરમ ગણેશા’ ફરી એકવાર આસ્થા, કુદરતી હીરાની દુર્લભતા અને શહેરની ડાયમંડ ઓળખને એકસાથે ચર્ચામાં લાવ્યો છે.

PM મોદીની ડિગ્રી કેસમાં ગુજરાત HCની મહત્વની ટિપ્પણી, 21 સપ્ટેમ્બરે ફરી સુનાવણી

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે જોડાયેલો જૂનો વિવાદ ફરી ગુજરાત હાઈકોર્ટમાં ચર્ચામાં આવ્યો છે. 16 સપ્ટેમ્બર, 2026ના રોજ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અરવિંદ કેજરીવાલની અપીલ પર સુનાવણી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ પર વધુ કોસ્ટ લાદવાની માંગ કરી હતી. યુનિવર્સિટી તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી.

આ કેસ 2023ના સિંગલ જજના ચુકાદા સામેની અપીલ સાથે સંબંધિત છે. સિંગલ જજે 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) દ્વારા ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત માહિતી આપવા કરાયેલા આદેશને રદ કર્યો હતો. તે સમયે અરવિંદ કેજરીવાલ પર ₹25,000નો કોસ્ટ પણ લાદવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ કહ્યું કે યુનિવર્સિટી પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક માહિતી હોય છે અને આવી માહિતી RTI કાયદા હેઠળ સંપૂર્ણપણે જાહેર કરી શકાય તેવી નથી. તેમણે RTI એક્ટની કલમ 8(1)(e) અને 8(1)(j) હેઠળ મળતી છૂટછાટોનો ઉલ્લેખ કર્યો હતો. તેમના અનુસાર માત્ર જિજ્ઞાસા માટે કોઈ વ્યક્તિની ડિગ્રી અથવા શૈક્ષણિક રેકોર્ડ મેળવવો ‘લોકહિત’ ગણાઈ શકે નહીં. જોકે કોઈ જાહેર પદ માટે ચોક્કસ શૈક્ષણિક લાયકાત ફરજિયાત હોય અને તેના આધારે પ્રશ્ન ઊભો થાય, તો એવા કિસ્સામાં લોકહિતનો મુદ્દો અલગ હોઈ શકે છે.

કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં પૂછ્યું કે આ મામલે મૂળ RTI અરજી જ કરવામાં આવી હતી કે નહીં. અદાલતનું કહેવું હતું કે RTI કાયદા હેઠળ માહિતી મેળવવા અને જાહેર કરવા માટે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન જરૂરી છે. સત્તાધિકારીએ કલમ 8 હેઠળની છૂટછાટો પર વિચાર કરવો પડે અને જે વ્યક્તિની માહિતી જાહેર થવાની હોય તેને કાયદા મુજબ અપીલનો અધિકાર મળવો જોઈએ. કોર્ટે ચેતવણી આપી કે પ્રક્રિયા અવગણવામાં આવે તો RTIના દુરુપયોગની શક્યતા રહે છે.

હવે આ મામલે અરવિંદ કેજરીવાલ તરફથી જવાબી દલીલો માટે આગામી સુનાવણી 21 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે 2:30 વાગ્યે રાખવામાં આવી છે. એટલે PM મોદીની ડિગ્રી અંગેનો કાનૂની વિવાદ હજુ હાઈકોર્ટમાં ચાલુ છે અને અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે.