ચાની લારીથી લઈને કરિયાણાની દુકાન સુધી આજે QR કોડથી પેમેન્ટ સામાન્ય બની ગયું છે. ત્યારે 15 સપ્ટેમ્બર 2026ની Re-KYC ડેડલાઈનને લઈને ચિંતા વધી હતી કે સમયસર વેરિફિકેશન ન થાય તો નાના વેપારીઓના QR કોડથી પેમેન્ટ અટકી શકે છે. જોકે, આનો અર્થ દેશભરમાં UPI સેવા બંધ થવાની નથી. મુદ્દો મુખ્યત્વે વેપારીઓની KYC અને Payment Aggregatorsની compliance પ્રક્રિયા સાથે સંબંધિત છે.
RBIના 15 સપ્ટેમ્બર 2025ના Payment Aggregators Directions હેઠળ હાલના વેપારીઓની જરૂરી due diligence અને KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. નાના વેપારીઓ માટે કેટલીક સ્થિતિમાં દસ્તાવેજ ચકાસણી સાથે સ્થળની ભૌતિક ચકાસણી પણ જરૂરી બની શકે છે. આ પ્રક્રિયાના મોટા પાયે અમલીકરણને કારણે પેમેન્ટ કંપનીઓ સામે મુશ્કેલી ઊભી થઈ હતી.
અહેવાલો મુજબ અનેક Payment Aggregatorsએ RBI પાસે સમયમર્યાદા વધારવાની માગ કરી હતી અને અંદાજે 80 ટકા જેટલી Re-KYC પ્રક્રિયા સમયસર પૂર્ણ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી.
8 સપ્ટેમ્બરના અહેવાલમાં RBIએ આ સમયમર્યાદા વધુ છ મહિના લંબાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સામાન્ય ગ્રાહકો પર શું પડી શકે અસર ?
સામાન્ય UPI ગ્રાહકોએ રોકડ માટે ગભરાવાની જરૂર નથી. હા, વેપારીઓએ પોતાની KYC સ્થિતિ અંગે પોતાના Payment Aggregator અથવા બેંક સાથે ચકાસણી કરવી જરૂરી છે અને ડેડલાઇન પહેલા Re-KYCની પ્રોસેસ પૂર્ણ કરવી જરૂરી છે.

