HomeOffbeatવિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે સુરતમાં અર્ધદિવસીય ફિઝિયોથેરાપી કોન્ફરન્સ યોજાઈ

વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે સુરતમાં અર્ધદિવસીય ફિઝિયોથેરાપી કોન્ફરન્સ યોજાઈ

Date:

Related stories

શ્રાવણનો છેલ્લો સોમવાર કોના માટે ખોલશે ભાગ્યના નવા દરવાજા? જાણો આજનું રાશિફળ

૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ...

ફૂડ પોઇસનીંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો,FSL તપાસમાં શું મળ્યું?

સુરતમાં રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષીય આર્યા કલસરિયાના...

સુરતમાં ત્રણ યુવનો માટે જન્માષ્ટમી કાળ મુખી બની!

સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વચ્ચે ઔદ્યોગિક વિસ્તારોમાંથી કરંટના ઝટકાની...

ફરી બોમ્બની ધમકી ? ગુજરાત હાઇકોર્ટ સહિત સુરત કોર્ટમાં હાઇ અલર્ટ

ગુજરાતની કોર્ટોમાં આજે બોમ્બ ધમકીના ઈ-મેલથી ચકચાર મચી ગઈ...

VIDEO: લ્યો બોલો ! ભારતીય ફૂડએ તો બેલ્જિયમના પએમને પણ બનાવી દીધા ફૂડી

ભારતીય ભોજનની વાત આવે ત્યારે મસાલાની સુગંધ અને વિવિધ...
spot_img

સુરત: વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી નિમિત્તે SAKHI Physio Team દ્વારા મહિલા આરોગ્ય નિષ્ણાત ડૉ. ખુશ્બૂ ઠક્કર તથા ડૉ. તેજવાનીના માર્ગદર્શન હેઠળ અર્ધદિવસીય ફિઝિયોથેરાપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોન્ફરન્સ દરમિયાન સુરતના વરિષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટોએ વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાત સત્રો યોજી પોતાના જ્ઞાન, સંશોધન અને ક્લિનિકલ અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું.

ફિઝિયોથેરાપીના ક્ષેત્રમાં ભવિષ્યના સંશોધન, નવીન વિકાસ અને ગુણવત્તાસભર ક્લિનિકલ પ્રેક્ટિસ અંગે વિશેષ પેનલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચા વરિષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. ચંદ્રકાંત મોદીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.

કાર્યક્રમમાં 70થી વધુ ડેલિગેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કોન્ફરન્સનો મુખ્ય હેતુ ફિઝિયોથેરાપી ક્ષેત્રમાં જ્ઞાન અને સંશોધનને પ્રોત્સાહન આપવા સાથે આધુનિક અને ગુણવત્તાસભર ક્લિનિકલ પ્રેક્ટિસને વધુ મજબૂત બનાવવાનો હતો.

આ કાર્યક્રમના માધ્યમથી ફિઝિયોથેરાપી ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતોને એક મંચ પર લાવી નવીન વિચારો, અનુભવો અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરવાની મહત્વપૂર્ણ તક મળી હતી.

Subscribe

Latest stories

spot_img