HomeSurat Cityસુરતના નાસીરનગર ડિમોલિશન મામલે કોર્પોરેશનના 5 એન્જિનિયરો સસ્પેન્ડ

સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે કોર્પોરેશનના 5 એન્જિનિયરો સસ્પેન્ડ

Date:

Related stories

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

મેડિકલ સાયન્સ માટે પણ પડકાર! 4 હાથ-4 પગવાળા બાળકનો જન્મ, ડોક્ટરોએ શું કહ્યું?

સામાન્ય રીતે સંતાન જન્મે એટલે પરિવારમાં ખુશી છવાઈ જતી...

‘મહિલાઓને શું પહેરવું એ કહેવાનું ક્યારે બંધ થશે?’ કૃત્તિ સેનનનો ટ્રોલર્સને જવાબ

રક્ષાબંધન જેવી પરંપરા અને પહેરવેશને લઈને શરૂ થયેલી ચર્ચાએ...

સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે 30 મે, 2026ના રોજ હાથ ધરાયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને ઊભા થયેલા વિવાદ બાદ સુરત મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. સમગ્ર મામલાની તપાસ માટે નિમાયેલી વિશેષ સમિતિના અહેવાલના આધારે હવે તંત્ર દ્વારા વિધિવત ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં સામે આવેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. તપાસની પ્રક્રિયા સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે સંબંધિત અધિકારીઓને ફરજ પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પગલાં હેઠળ કાર્યપાલક ઈજનેર (સિવિલ) સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ અને જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા તેમજ જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચર સહિત કુલ પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકાના આ નિર્ણયને ડિમોલિશન કેસમાં જવાબદારી નક્કી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હવે ખાતાકીય તપાસ પૂર્ણ થયા બાદ વધુ જવાબદારી નક્કી કરીને આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Subscribe

Latest stories