Wednesday, Jul 1, 2026

સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે કોર્પોરેશનના 5 એન્જિનિયરો સસ્પેન્ડ

1 Min Read

સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે 30 મે, 2026ના રોજ હાથ ધરાયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને ઊભા થયેલા વિવાદ બાદ સુરત મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. સમગ્ર મામલાની તપાસ માટે નિમાયેલી વિશેષ સમિતિના અહેવાલના આધારે હવે તંત્ર દ્વારા વિધિવત ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં સામે આવેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. તપાસની પ્રક્રિયા સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે સંબંધિત અધિકારીઓને ફરજ પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પગલાં હેઠળ કાર્યપાલક ઈજનેર (સિવિલ) સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ અને જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા તેમજ જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચર સહિત કુલ પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકાના આ નિર્ણયને ડિમોલિશન કેસમાં જવાબદારી નક્કી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હવે ખાતાકીય તપાસ પૂર્ણ થયા બાદ વધુ જવાબદારી નક્કી કરીને આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Share This Article